What's Hot
Author: Palak Thakkar
લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોની ફેવરિટ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે નવો ઇતિહાસ રચ્યો છે, આ સિરિયલ 2008થી શરૂ થઈ છે. આ સિરિયલે હાલમાં જ 3500 એપિસોડ પૂરા કર્યા છે. હિંદી સિરિયલમાં પહેલી કોમેડી સિરિયલ છે, જેના 3500 એપિસોડ પૂરા થયા છે. સિરિયલના 3500 એપિસોડ પૂરા થતાં અસિત મોદીએ સેટ પર કેક કટ કરીને સેલિબ્રેશન કર્યું હતું. કેક કટિંગ સેરેમનીમાં અસિત મોદી ઉપરાંત જેઠાલાલ ,બાઘા, સોઢી, નવા નટુકાકા ,ડિરેક્ટર માલવ રાજડા તથા અન્ય ક્રૂ મેમ્બર્સ હોય છે. જેઠાલાલે કેક કાપી હતી. સેટને ડેકોરેટ પણ કરવામાં આવ્યો હતો. ડિરેક્ટર માલવ રાજડાએ પોસ્ટ શૅર કરીને…
દરેકના ફેવરિટ અને ટીવીના સૌથી સફળ કોમેડિયનોમાંના એક કપિલ શર્મા કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. કપિલ આ દિવસોમાં કેનેડાના પ્રવાસે છે જ્યાં તેની ટીમ પણ તેની સાથે હાજર છે. હવે કેનેડા પ્રવાસ દરમિયાન કપિલ શર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અભિનેતા પર કરાર પૂરો ન કરવાનો આરોપ છે. જો કે આ મામલો હાલના સમયનો નથી, પરંતુ વર્ષ 2015નો છે. Sai USA Inc એ કપિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2015માં કપિલે નોર્થ અમેરિકામાં કેટલાક શો માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો, જે તેણે પૂરો કર્યો નહોતો. અમિત જેટલી, જેઓ અમેરિકાના જાણીતા શો પ્રમોટર છે, કહે છે કે ‘કપિલે 6…
અત્યારે સાઉથ મુવી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે,ત્યારે હવે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાની આગામી ફિલ્મ ‘લાઈગર’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં એક્ટરનો નવો લુક સામે આવ્યો છે, જેમાં તેણે ન્યૂડ પોઝ આપ્યો છે. આ પોસ્ટરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. એક્ટર વિજય દેવરાકોંડાએ ‘લાઈગર’નું પોસ્ટર શેર કરતા લખ્યું, આ ફિલ્મે મારું બધું લઈ લીધું છે. પરફોર્મન્સ, મેન્ટલી, ફિઝિકલી અને મારા માટે સૌથી પડકારજનક રોલ. હું મારું બધું આપી રહ્યો છું. ટૂંક સમયમાં આવી રહી છે લાઈગર. તેમજ કરણ જોહરે આ પોસ્ટરને શેર કરતા લખ્યું, ‘રોઝ રોઝ આવી ગિફ્ટ નથી મળતી.’ હકીકતમાં વિજયે હાથોમાં ગુલાબનું…
સબ ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.એક પછી એક શોના મોટા કિરદાર શોને અલવિદા કહી રહ્યા છે, પહેલા દયાબેન એટલે દિશા વાકાણી પછી તારક મહેતા એટલે શૈલેષ લોઢા અને હવે જાણવા મળી રહ્યું છે કે ટપૂ પણ શો ને અલવિદા કહી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સમાચાર આવી રહ્યા છે કે ટપુનો રોલ પ્લે કરી રહેલો રાજ અનડકટ શો છોડી રહી રહ્યો છે, પરંતુ શોના મેકર્સે આ વાત વિશે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. રાજે આ શો 2017માં જોઈન કર્યો હતો. આ પહેલા શોમાં ભવ્ય ગાંધી ટપુના રોલમાં જોવા મળતો હતો. ભવ્ય નાનપણથી…
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. 84 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને થોડા દિવસો પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમજ તેમને મગજની સર્જરી માટે દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર હતા. વાત કરવામાં આવે પ્રણવ મુખર્જીના જીવનની તો તેમનો જન્મ 11 ડિસેમ્બર 1935 ના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના નાના ગામ મીરાતીમાં થયો હતો. રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ દેશેર ડાક મેગેઝિનમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. બાદમાં 1969 માં, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા. પ્રણવ મુખર્જીને રાજકારણમાં લાવવાનો શ્રેય તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને જાય…
ટીવી જગતનો સૌથી મનપસંદ શો ભાભીજી ઘર પર હેના ફેન્સ માટે ખરાબ સમાચાર છે,ભાભીજી ઘર પર હે તો જોતા જ હશો અને શૉમાં રહેલી ગોરી મેમ દરેક લોકોની ફેવરિટ છે. ગોરી મેમના નામથી ફેસમ સૌમ્યા ટંડને શૉને અલવિદા કહી દીધું છે. આ વિશે ખુદ સૌમ્યાએ કહ્યું કે તે તેના પર્સનલ કારણને કારણે શૉ છોડી રહી છે. સાથે જ તેણે કહ્યું કે તે શૉનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહી કરે અને 21 ઓગસ્ટ તેનો સેટ પર છેલ્લો દિવસ હશે. કહ્યું છે કે તે શૉમાં પરત નહી ફરે. સૌમ્યાએ સ્વિકાર્યુ કે તેનો આ અવ્યવહારિક નિર્ણય છે. જામેલા શૉને તે આ રીતે છોડી રહી છે,…
કોરોના વાયરસ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે જયપુર, તિરુવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટનું રિડેવલપમેન્ટ અદાણી એન્ટરપ્રાઇસને સોંપ્યું છે. અમદાવાદ, લખનૌ અને મેંગ્લોર એરપોર્ટને અદાણીએ રિડેવલપમેન્ટ માટે લઇ લીધા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ એરપોર્ટ રિડેવલપમેન્ટમાં ખાનગી કંપનીને આપી દેવાથી 1070 કરોડનો ફાયદો થશે. આ માહિતી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી.જાવડેકરે કહ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટીને મળેલા 1070 કરોડનો ઉપયોગ નાના નગરોના એરપોર્ટના ડેવલપમેન્ટ માટે વાપરવામાં આવશે. તેનો બીજો ફાયદો એ છે કે યાત્રીઓને સારી સુવિધા મળશે. આ ઉપરાંત એફિશ્યન્સીમાં પણ વધારો થશે.આ ત્રણેય એરપોર્ટમાં ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલના ધોરણે અદાણી એન્ટરપ્રાઈઝને લીઝ ઉપર આપવામાં આવશે.…
કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે આ બધા વચ્ચે ઉત્તરપ્રદેશના આગ્રામાં અનલોકના કારણે 1 સપ્ટેમ્બરથી સ્મારકોને ખોલવાનો નિર્ણય જિલ્લા પ્રશાસને કર્યો છે. જો કે તાજમહેલ અને આગ્રા ફોર્ટે ખોલ્યો નથી. તેમના સિવાય સિકંદરા, ફતેહપુર સીક્રી, એતમદૌલા, મહતાજ બાગ ખોલવાનો આદેશ ડીએમએ જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ આ આદેશ અનુસાર યૂપીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર લોકડાઉનમાં શનિવાર અને રવિવારે આ સ્મારક બંધ રહેશે. આદેશમાં કહેવાયું છે કે પૂર્વ નિર્ધારિત બફર ઝોનના આદેશોને સંશોધિત કરીને સાપ્તાહિક બંધ એટલે કે શનિવાર અને રવિવાર સિવાય કોરોના સુરક્ષાના નિયમો સાથે આગ્રામાં તાજમહેલ અને આગ્રા કિલ્લાને છોડીને અન્ય તમામ સ્મારક 1…
કેપ્ટન કુલના નામથી જાણીતા એમએસ ધોની એ 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના લીધે તેના કરોડો પ્રશંસકોને આંચકો લાગ્યો હતો પણ દુનિયાભરમાં ફેલાયેલા તેના ફેન્સે તેને શુભકામનાઓ પાઠવાઈ હતી. હવે આ યાદીમાં એક બીજું નામ પણ જોડાઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ધોનીને નિવૃત્તિ પર શુભકામનાઓ પાઠવી હતી અને એક બે પેજ લાંબો શુભેચ્છા પત્ર પણ મોકલ્યો હતો. ત્યારે ધોનીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ દ્વારા પીએમ મોદીનો આભાર માન્યો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ. ધોનીએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની જાહેરાત કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની પ્રશંસા કરી હતી, અને શુભેચ્છા રૂપ ધોનીની કારકિર્દી, વ્યક્તિત્વ અને સિદ્ધિવન…
તમે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપ ડાઉન થયું હોય તેવું સાંભળ્યું હશે. પણ ગુગલનું જીમેઈલ ક્યારેય ડાઉન થયું હોય તેવું સાંભળ્યું નહીં હોય. પણ 2020માં આ પણ શક્ય બની ગયું છે. દુનિયાભરના કરોડો લોકો મેઈલ માટે જીમેઈલનો ઉપયોગ કરતાં હોય છે. તેવામાં આજે ઘણા કલાકો સુધી જીમેઈલ ડાઉન રહ્યું હતું. દુનિયાભરમાં gmail ના યુઝર્સ કુદકેને ભૂસકે વધી રહ્યાં છે તેવામાં કેટલાંય યુઝર્સ એવા છે જેણે gmail ઠપ્પ થઇ ગયાની ફરિયાદ કરી હતી. કેટલાય યુઝર્સે ફરિયાદ કરી છે કે ઘણાં સમય સુધી તેઓ ઇમેલ સેન્ડ કે ફાઇલ અટેચ કરી શકતા ન હતા. gmail ના યુઝર્સને એક કલાક સુધી આ સમસ્યાનો સામનો કરવો…