અમેરિકાની પેન્ન યુનિવસિર્ટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, અલ્ટ્રાવાયલોટ કિરણો ચામડી ને નુકસાન કરે છે. એથ્લિટ્સ સૂર્યકિરણ સાથે આવતા અલ્ટ્રાવાયલોટ કિરણોના સંપર્કમાં વધારે રહેતા હોય છે. તેનાથી સ્કિન કેન્સરનું જોખમ રહેલું છે. રિસર્ચમાં સામેલ લીડ રિસર્ચર લેરી કેનીના જણાવ્યા અનુસાર, ‘આઉટ ડોર એક્ટિવિટી સાથે સંકળાયેલા એથ્લિટ્સએ સૂર્યકિરણોથી રક્ષણ મેળવવું ખુબ જરૂરી છે.’ આ રિસર્ચમાં સામેલ એથ્લિટ્સમાંથી 25%થી પણ ઓછા એથ્લિટ્સ સન સ્ક્રીનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આઉટડોર એક્ટિવિટીમાં સામેલ એથ્લિટ્સને ગરમીમાં અલ્ટ્રાવાયલોટ કિરણોનું જોખમ 7 ગણું વધી જાય છે. ઉલ્લેખીનીય છે કે, અલ્ટ્રાવાયલોટ રેડિએશનની વેવલેન્થ UV-A ,UV-B અને UV-C પ્રકારની હોય છે. UV-A પ્રકારની વેવલેન્થમાં અલ્ટ્રાવાયલોટ કિરણોનો 95% ભાગ હોય છે. આ UV-A ચામડીની અંદર સુધી જવા માટે સક્ષમ છે. જ્યારે UV-Bની ઓછી વેવલેન્થને લીધે તે ચામડીની અંદર પ્રવેશ કરી શકતા નથી. તેથી સૂર્ય પ્રકાશમાં બહાર નીકળતા પહેલા સન સ્ક્રીનનો ઉપયોગ કરવો અનિવાર્ય છે , જેનાથી સ્કીન કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળે છે.
Advertisement
What's Hot
Contents