જાણવા જેવું
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
Published
3 years agoon
By
Gujju Media
અત્યારની પેઢીને ભૂત પ્રેત વિશે જાણવામાં ખુબ જ મજ્જા આવતી હોય છે..અને આ વાતને અંધશ્રદ્ધા માની વાતને હસીને કાઢી નાખવામાં આવે છે..ભૂત પ્રેતને જોવા વાળા ઓછા પણ તેમની વાતો કરવા વાળા વધારે જોવા મળે છે.શું સાચે જ ભૂત પ્રેત જેવું કઈ હોય છે?કે પછી આ ખાલી વાતો જ છે, અને ભૂત પ્રેત જેવું કઈ હોય તો આખરે ભૂત કેવું હશે? ભૂતની વાત માત્રથી બીક કે ડર ભય જેવો માહોલ આપણામાં પેદા થાય છે તો જેમણે ભૂત જોયુ હશે સાક્ષાત તેના પર શું વીતી હશે ?તો ચાલો જાણીએ ગુજરાતના એવા ભૂતિયા સ્થળ વિશે જ્યાં આજે પણ ભૂત પ્રેતે પોતાનો અડ્ડો બનાવી રાખ્યો છે..તો જાણીએ ગુજરાતના એવા રહસ્યમય સ્થળ વિશે….
ડુમ્મસ બીચ સુરત
સુરત શહેરથી આશરે 21 કિમીના દક્ષિણ- પશ્ચિમ ભાગમાં ડૂમસ બીચ સ્થિત છે. કોલેજના વિદ્યાર્થીઓ અને રોમાંચિત ઉત્સાહીઓ ત્યાં વારંવાર ફરવા આવતા હોય છે આ બીચ પર એક પ્રાચીન હિંદુ અગ્નિદાહનું સ્થળ હતું, જેથી આ સ્થાન પર ભૂતોનો વસવાટ છે. તેઓનું માનવું છે કે રેતીનો કાળો રંગ રેતીના મિશ્રણના કારણે રાખ બની જાય છે. લોકોનું એવું પણ માનવુ છે કે આ ભૂત, જેમને કેટલીક અપૂર્ણ ઈચ્છાઓ છે જેના કારણે તેઓ આ બીચ પર રહે છે, અને જે લોકો આ બીચની મુલાકાત લે છે તેમને ત્રાસ આપે છે. અંધારું થઈ ગયા પછી આ બીચ પર લોકોને આવવાની મનાઈ ફરવામાં આવે છે કારણકે ઘણા લોકો આ સમયે ગાયબ થઈ જાય છે.
બગોદરા, અમદાવાદ-રાજકોટ હાઈવે
બગોદરા એ નેશનલ હાઈવે-8A પર આવેલું એક નાનું શહેર છે જે અમદાવાદ અને રાજકોટને જોડતો હાઈ વે છે.મોટાભાગની અહી ઘટે છે એવી દુર્ઘટના કે વાહનોના ડ્રાઈવર બગોદરા અને લીમડી વચ્ચેના પટ્ટા પર ચકિત થઈ જાય છે. પરંતુ સ્થાનિકો માને છે કે રસ્તાના આ પટ્ટા પર એક મહિલાના અશાંત ભૂત દ્વારા ત્રાસી આવે છે જે ડ્રાઇવરોનું ધ્યાનને વિચલિત કરે છે, અને તેમને અકસ્માતો તરફ દોરી જાય છે. ઘણા ડ્રાઈવરો દાવો કરે છે કે અહીં જોવામાં આવે તો એ સમયે ત્યાં કોઈ હોતું નથી અદ્રશ્ય થઈ જાય છે અને અહી અકસ્માતનું પ્રમાણ પણ ખુબ વધતું જાય છે..
ઉપરકોટ ફોર્ટ, જૂનાગઢ
જો તમે જુનાગઢ જાવ તો ઉપરકોટ ફોર્ટની મુલાકાત જરૂર લેવી જોઈએ…જે ઉપરકોટ ફોર્ટ આકર્ષણનું કેન્દ્ર બનેલો હોય એવું લાગી આવે છે…ઉપરકોટ ફોર્ટ કિલ્લામાં અડી કડીની વાવ,બાબા પ્યારાની ગુફા,નવઘણ કુવો,જામા મસ્જીદ આવેલી છે.આ મસ્જીદ ના આજુ બાજુના વિસ્તારને ભૂતિયા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે.અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ મસ્જીદ પ્રાચીન હિંદુ મંદીરની જગ્યાએ બનાવવામાં આવી હોય એવું જાણવામાં આવી રહ્યું છે.ઉપરાંત ઘણા મુલાકાતીઓ અહી સુર્યાસ્ત પછી મુલાકાત નથી લેતા કેમ કે એ જગ્યા રહસ્યમય હોય એવું લાગી રહ્યું છે.
અવધ પેલેસ, રાજકોટ
આ પેલેસ રાજકોટમાં આવેલો છે અને અહી ડગલે ને પગલે ભયાનક ડરનો હેસાસ થાય છે એવું માનવામાં આવી રહ્યું છે.ઉપરાંત આ અવધ પેલેસ એ એન.આર.સી.ના માલિકીનો છે.જાણવા મળ્યું કે આ પેલેસમાં એક સમયે એક છોકરી પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી.અને ત્યારથી જ આ છોકરી અહી બિલ્ડીંગમાં ત્રાસ આપે છે અને અહી સાંજના સમયે કોઈ એકલું જવાનું હિમ્મત કરતું નથી ..આ વિશાળ મેન્શન ઘણું રહસ્યમય અને ભયાનક લાગી રહ્યું છે…
સિગ્નેચર ફાર્મ, અમદાવાદ
આ એક ભૂતિયા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે આ ફાર્મ અમદાવાદ નજીક આવેલો છે અહી પળે પળે ડર જેવો માહોલ પેદા થાય છે.અને એકદમ ડરામણા સ્થળ હોય એવું લાગી રહ્યું છે આ ફાર્મ..અહી ઘણી બધી મૂર્તિઓ જોવા મળે છે આ મૂર્તિઓમાં ઘણી બધી મૂર્તિ તૂટી ગયેલી અને કપાઈ ગયેલી છે.ઉપરાંત અહી ભગવાન બુદ્ધ અને ઘોડાની મૂર્તિઓ પણ જોવા મળે છે.અને અહી સાહસિક કહી શકાય તેવી આત્માઓ ભટકે છે અને એવું જાણવા મળી રહ્યું છે કે સામુહિક હત્યાકાંડ કરવામાં આવેલું છે આથી આમાં હત્યા પામેલા ગ્રામવાસીની આત્માઓ આજુબાજુના વિસ્તારમાં ભટકે છે અને આ ફાર્મમાં રહેલી મૂર્તિઓ જેમાં ઘણા વ્યક્તિઓને મહેસુસ થાય છે કે અહીની મૂર્તિઓ ચાલીને પોતાની તરફ આવે છે.એવો અહેસાસ થયા કરે છે.સાંજના સમયે આ જગ્યા ઘણી ડરામણી અને ખુબ રહસ્યમ હોય એવું લાગે છે અને કોઈક આત્મા અહી છે એવો ભાસ થાય છે ..
સિંધ્ર્રોટ, વડોદરા
વડોદરા જીલ્લાનું એક એવું ગામ જેની સુંદરતા અને શાંતિની સાથે ઘણા રહસ્યો હોઈ તેવું લાગી રહ્યું છે.અહી આ ગામની બાજુમાં એક ડેમ આવેલો છે આ ડેમની આજુબાજુમાં કોઈ પ્રેત આત્મા હોવાનું જાણવા મળી રહ્યું છે.અહી એક છોકરી ભારતીય પરમ્પરા આધારે ડ્રેસ એટલે કે સલવાર દુપટ્ટો અને કમીઝ પહેરેલી છોકરી અડધું મોઢું દેખાય એવી રીતે રખડે છે તેની આત્મા અને અહીંથી પસાર થતા વ્યક્તિઓને તે પાછું જવાનું કહે છે..અહી ગામમાં ન આવવા માટે કહે છે વ્યક્તિ પાછળ જોવે તો ત્યાં કોઈ નથી હોતું અહી ગામમાં કોઈ છોકરી સાથે પ્રવેશ ન કરવો એવું સાંભળવા મળ્યું છે’અને આ સિંધરોટ ગામમાં છોકરીનું ભૂત ભટકતું હોય તેવું જાણવા મળ્યું છે..
You may like
-
અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..
-
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની, જાણો રંગીલા ગુજરાતની રંગીલી વાતો ….
-
કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ….આવો જાણીએ કચ્છની જાણી-અજાણી વાતો …….
-
શું તમે વેકેશનની રજા માણવાનો પ્લાન કરી રહ્યા છો તો ગુજરાતના આ સુપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહી ..
-
જાણો એવા કેટલાક રહસ્યમય સ્થળો વિશે જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે…
જાણવા જેવું
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
Published
2 weeks agoon
October 6, 2022By
Gujju Media
નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.
જાણવા જેવું
લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.
Published
3 weeks agoon
October 1, 2022By
Gujju Media
આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.
એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.
સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.
આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.
ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.
હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.
જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.
જાણવા જેવું
આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત
Published
3 months agoon
July 29, 2022
આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ