Connect with us

ઈતિહાસના પાનામાં લટાર

18 વર્ષ પહેલા આજના દિવસે ભારતના ‘લોકતંત્રનું મંદિર’ લોહીથી ખરડાયું

Published

on

2001ની 13 ડિસેમ્બરનો દિવસ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયો છે. આ દિવસે ભારતના લોકતંત્રના પ્રતીક સમી સંસદ પર મોટો આતંકી હુમલો થયો હતો..

18 વર્ષ પહેલા જ્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે વિપક્ષોમાં ભારે હોબાળો થયો હતો. જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સભામાં સત્ર ચાલી રહ્યું હોય ત્યારે આવું વારંવાર થતું હોય છે, પરંતુ તે દિવસે ત્યાં હાજર તમામ નેતાઓ, સ્ટાફ અને રક્ષકો કોને ખબર હતી કે સંસદ પરના આતંકી હુમલા માટે આજે યાદ કરવામાં આવશે….આ હુમલો આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હતો.  આ આતંકી હુમલામાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા…

આ હુમલાનો માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુ હતો. આ હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા. હુમલા પછી 15 ડિસેમ્બર 2001ના રોજ દિલ્હી પોલીસે જમ્મુ-કાશ્મીરથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્ય અફઝલ ગુરુની ધરપકડ કરી હતી.

અફઝલ ગુરુ ઉપરાંત દિલ્હીની ઝાકીર હુસૈન કોલેજના એસએઆર ગિલાની, અફસાન ગુરુ અને તેમના પતિ શૌકત હુસૈન ગુરુને પકડવામા આવ્યા હતા. સુનાવણી દરમિયાન અફઝલ, શૌકત હસન અને ગિલાનીને મોત સજા સંભળાવવામાં આવી જ્યારે અફસાન ગુરુને છોડી મુકવામાં આવી. જો કે 2003માં ગિલાની દિલ્હી હાઈકોર્ટમાંથી છૂટી ગયો. આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ત્યારે શૌકત હસનની મોતની સજા ઘટીને 10 વર્ષ કેદમાં પરિવર્તીત થઈ હતી. જ્યારે અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી, 2013નાં રોજ ફાંસી આપવામાં આવી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ઈતિહાસના પાનામાં લટાર

એક જ માતાએ જુદા જુદા વર્ષોમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો, જુઓ આ ફોટાઓ અને માહિતી.

Published

on

પ્રથમ વખત માતા-પિતા બનવાનો અનુભવ હંમેશા દુનિયાની દરેક ખુશીમાનો એક અલગ આનંદમય અવસર હોય છે અને દરેક દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય છે, પણ જ્યારે કોઈને જોડિયા બાળકો થાય છે, ત્યારે તેમની ખુશી બમણી થઈ જાય છે અને આવો જ એક કિસ્સો અમેરિકાના મોન્ટેરી કાઉન્ટીનો છે, જ્યાં એક માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, પણ બંને બાળકોને 15 મિનિટના અંતરાલમાં અલગ-અલગ તારીખ તેમજ અલગ-અલગ વર્ષોમાં જન્મ આપ્યો.

ફાતિમા મદ્રીગલ અને તેમના પતિ રોબર્ટએ તાજેતરમાં જ મોન્ટેરી કાઉન્ટીના નેટીવિદાદ મેડિકલ સેન્ટરમાં તેમના જોડિયા બાળકોનું સ્વાગત કર્યું હતું, પણ બંનેનો જન્મ અલગ-અલગ વર્ષોમાં થયો હતો. હવે તમે વિચારશો કે આ કેવી રીતે શક્ય છે.

કેલિફોર્નિયામાં જન્મેલા જોડિયા બાળકોનો જન્મ થતાની સાથે જ આખી દુનિયામાં હેડલાઈન્સ બની ગઈ છે અને બંને બાળકોના જન્મમાં માત્ર 15 મિનિટનો જ તફાવત છે પણ પહેલા બાળકનો જન્મ વર્ષ 2021માં થયો હતો. જ્યારે બીજા બાળકનો જન્મ વર્ષ 2022માં થયો હતો. તે જ સમયે, તે જાણવા મળ્યું છે કે એક અહેવાલ અનુસાર, આવી દુર્લભ ઘટના 20 લાખ ગર્ભવતી મહિલાઓમાંથી કોઈ એક સાથે થવાની છે.

આટલું જ નહીં, પ્રાપ્ત માહિતી અનુસાર ફાતિમા મદ્રીગલે કેલિફોર્નિયામાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ રાત્રે 11:45 કલાકે પુત્ર આલ્ફ્રેડોને જન્મ આપ્યો હતો અને ત્યારપછી લગભગ 15 મિનિટ પછી વર્ષ 2022માં પુત્રી આઈલીનનો જન્મ થયો હતો અને આ રીતે મદ્રીગલ અલગ થઈ ગયા હતા. જુદા જુદા વર્ષોમાં તેમના જોડિયા બાળકોને જન્મ આપ્યો. તે જ સમયે, મદ્રીગલ કહે છે કે, હું પોતે જ આશ્ચર્યચકિત છું કે મેં જુદા જુદા વર્ષોમાં મારા જોડિયા બાળકોને જન્મ આપ્યો છે!

ફાતિમાને જોડિયા બાળકો થવાના હતા. તેમના પુત્ર આલ્ફ્રેડોનો જન્મ 31 ડિસેમ્બર 2021ની રાત્રે 11:45 વાગ્યે થયો હતો અને તેનું વજન લગભગ 3 કિલો હતું. તે જ સમયે, તેમની પુત્રીનો જન્મ લગભગ 12:1 મિનિટે થયો હતો. તે જ સમયે, તેનું વજન પણ લગભગ 3 કિલો હતું અને આ રીતે 15 મિનિટ પછી 1 જાન્યુઆરી 2022 ના રોજ પુત્રીનો જન્મ થયો. તે સમયગાળામાં, હોસ્પિટલના તબીબો પણ આવા અનોખા કિસ્સાથી ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે માત્ર 15 મિનિટના વિલંબને કારણે જુદા જુદા વર્ષોમાં જોડિયા બાળકોનો જન્મ થયો હતો.

તે સમયગાળા દરમિયાન મીડિયા અહેવાલો અનુસાર, ફાતિમાએ કહ્યું કે, તે એ જાણીને ચોંકી ગઈ હતી કે જોડિયા ભાઈ-બહેન હોવા છતાં, તેમના બાળકો અલગ-અલગ જન્મદિવસની ઉજવણી કરશે. આટલું જ નહીં હોસ્પિટલમાં મહિલાની ડિલિવરી કરનાર ડૉક્ટર અન્ના એબ્રિલના કહેવા પ્રમાણે, જોડિયા બાળકોની આ ડિલિવરી તેમના કારકિર્દીની સૌથી યાદગાર ડિલિવરી છે. તેણે કહ્યું, “મારું સૌભાગ્ય છે કે, 2021 અને 2022માં મારા હાથે જોડિયા બાળકોનો જન્મ થયો.” તમને જણાવી દઈએ કે આ દંપતીને પહેલાથી જ ત્રણ બાળકો, 2 છોકરીઓ અને એક છોકરો છે.

આ ઉપરાંત ભાઈ-બહેનનો જન્મ મદ્રીગલના નાટીવિદાદ મેડિકલ સેન્ટરમાં થયો છે આ નવજાત શિશુનો ફોટો પ્રસારિત કરતા હોસ્પિટલે લખ્યું કે, “આવી ઘટના 2 મિલિયનમાંથી એક સાથે થાય છે.”

તે જ સમયે, હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, એક અંદાજ મુજબ દર વર્ષે અમેરિકામાં 1,20,000 જોડિયા જન્મે છે. જો કે કદાચ ભાગ્યે જ જોડિયા અલગ-અલગ જન્મદિવસે જન્મે છે અને અલગ-અલગ જન્મદિવસો માટે અલગ-અલગ મહિનાઓ અને વર્ષ હોય તે ભાગ્યે જ જોવા મળે છે.

આ સિવાય આવી દુર્લભ ડિલિવરી 31 ડિસેમ્બર 2019ના રોજ જોવા મળી હતી. તે દિવસે ડોન ગિલિયમે 11 જાન્યુઆરી 2020 ના રોજ રાત્રે 11:37 વાગ્યે તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો અને પછી 1 જાન્યુઆરી 2020 ના રોજ 12.07 વાગ્યે તેના બીજા બાળકને જન્મ આપ્યો અને આ જોડિયા બાળકોનો જન્મ કાર્મેલ, ઇન્ડિયાનાની એસેન્શન સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં થયો હતો.

Continue Reading

ઈતિહાસના પાનામાં લટાર

ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ

Published

on

કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. હિંદુ કેલેન્ડ પ્રમાણે આ મંદિરના કપાટ દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે માર્ચ-એપ્રિલમાં ખોલવામાં આવે છે. લગભગ 6 મહિના સુધી અહીં દર્શન અને યાત્રા શરૂ રહે છે. ત્યાર બાદ કારતક મહિનો એટલે ઓક્ટોબર-નવેમ્બરમાં ફરી કપાટ બંધ થઇ જાય છે. કપાટ બંધ થવા પર ભગવાન કેદારનાથને પાલખી દ્વારા ઊખીમઠ લઇ જવામાં આવે છે અને ત્યાં ઓંકારેશ્વર મંદિરમાં 6 મહિના સુધી તેમની પૂજા કરવામાં આવે છે.

કેદારનાથ ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજું ધામ છે. આ સિવાય તે 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચી જગ્યાએ બનેલું અગિયારમું શિવલિંગ છે. મહાભારત પ્રમાણે અહીં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. આ મંદિર લગભગ 1 હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યે બનાવ્યું હતું. આ તીર્થ 3,581 વર્ગ મીટરની ઊંચાઈએ ગૌરીકુંડથી લગભગ 16 કિમી દૂર છે.

 

સ્કંદ પુરાણ પ્રમાણે ગઢવાલને કેદારખંડ કહેવામાં આવે છે. કેદારનાથનું વર્ણન મહાભારતમાં પણ છે. મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ અહીં પૂજા કરી હોય તેવી વાત સામે આવે છે. માન્યતા છે કે, 8મી-9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા હાલનું મંદિર બનાવવામાં આવ્યું હતું. બદ્રીનાથ મંદિર વિશે સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણન મળે છે. બદ્રીનાથ મંદિર વૈદિક કાળમાં પણ ઉપસ્થિત હોવાનું પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. થોડી માન્યતાઓ પ્રમાણે, અહીં પણ 8મી સદી બાદ આદિ શંકરાચાર્યે મંદિર બનાવ્યું હતું.

શિવ મહાપુરાણની કથા પ્રમાણે મહાભારત યુદ્ધ પૂર્ણ થવા પર પાંડવોએ પરિવાર અને પોતાના જ ગૌત્ર હત્યાના દોષથી મુક્તિ મેળવવા માટે વેદવ્યાસજીથી પ્રાયશ્ચિતનો ઉપાય પૂછ્યો. ત્યારે વેદવ્યાસજીએ જણાવ્યું કે, પાપમાંથી મુક્તિ મેળવવા માટે કેદાર ક્ષેત્રમાં જઇને ભગવાન કેદારનાથનું દર્શન અને પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ પાંડવોએ કેદાખંડની યાત્રા શરૂ કરી.

કેદારખંડમાં પાંડવોને જોઇ ભગવાન શિવ ગુપ્તકાશીમાં જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ થોડે દૂર જઇને શિવજીએ એક બળદનું સ્વરૂપ ધારણ કર્યું. પાંડવોને જાણ થઇ કે આ બળદ સ્વરૂપમાં શિવજી જ છે. ભગવાન શિવે પાંડવોના મનની વાત જાણી લીધી. ત્યાર બાદ તેઓ ધરતીમાં ફસાવવા લાગ્યાં. ભીમે તેમને રોકવા માટે બળદ સ્વરૂપી શવજીની પૂંછડી પડી લીધી અને અન્ય પાંડવ પણ કરૂણા સાથે રડવા લાગ્યાં અને ભગવાન ભોળાનાથની સ્તૃતિ કરવા લાગ્યાં. જેથી ભગવાન પ્રસન્ન થઇને તેમની પ્રાર્થનાથી બળદની પીઠ ઉપર ત્યાં જ સ્થિત થઇ ગયાં. પાંડવોએ તેમની પૂજા કરીને ગૌત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી.

ઊખીમઠના મેનેજર અરૂણ રતૂડી પ્રમાણે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ અને સમય ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રિએ નક્કી થઇ જાય છે. આ મુહૂર્ત ઊખીમઠના ઓંકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ પ્રમાણે કાઢે છે. કપાટ ખોલવાનું મુહૂર્ત મોટાભાગે અક્ષય તૃતીયા અથવા તેના એક-બે દિવસ પછીની તારીખ હોય છે. 6 મહિના સુધી કેદારનાથ યાત્રા શરૂ રહે છે. મેનેજર રતૂડી પ્રમાણે કેદારનાથના કપાટ બંધ થવાની તારીખ નિશ્ચિત રહે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ બાદ ભાઈબીજ પર સવારે પૂજા-અર્ચના કરી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. આ વર્ષે 16 નવેમ્બરે કેદારનાથ મંદિરના કપાટ બંધ થશે.

અક્ષય તૃતીયા બાદ ઉત્તરાખંડના ચારેય ધામની યાત્રા શરૂ થઇ જાય છે. જે યમુનોત્રીથી શરૂ થઇને ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામે પૂર્ણ થાય છે. મેનેજર રતૂડીએ જણાવ્યું કે, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ અક્ષય તૃતીયાએ ખુલી ગયા છે. ત્યાર બાદ કેદારનાથ ધામના કપાટ ખુલ્લાં. કોરોના મહામારીના કારણે આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ 15 મેના રોજ ખુલશે.

Continue Reading

ઈતિહાસના પાનામાં લટાર

ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં કરવામાં આવ્યો છે ક્વોરન્ટીન શબ્દનો ઉલ્લેખ,જાણો શા માટે ગાંધીજીને 23 દિવસ માટે ક્વોરન્ટીન રહેવુ પડ્યુ હતું

Published

on

ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોના વાઇરસનો પગપેસારો થયા બાદ ‘ક્વોરન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીએ તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે.

1896માં ગાંધીજી પરિવાર સાથે મુંબઈથી જહાજમાં દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થયા ત્યારે મુંબઈમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેથી જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા કાંઠે પહોંચ્યા ત્યારે ગાંધીજી તથા જહાજમાં સવાર તમામ લોકોને ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી.

તે સમયમાં જાણો શા માટે ગાંધીજીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, તો વાત એમ છે કે આત્મકથામાં ગાંધીજીએ નોંધ્યું છે કે ‘કુરલૅંડ’ નામના જહાજમાં તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા છે. 1996ની 18કે 19મી ડિસેમ્બરે જહાજ ડરબનના બારામાં પહોંચે છે.

ગાંધીજીએ લખ્યું છે કે, ‘જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં-ક્વૉરૅન્ટીનમાં-રાખે છે.’ તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા ત્યારે મુંબઈમાં મરકી (પ્લેગ)નો રોગચાળો હતો. તેથી ડરબન પહોંચેલા ગાંધીજીના જહાજને બંદરમાં જ અટકાવી દેવાયા હતા અને ગાંધીજી સહિત તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન કરાયા.

પ્લેગના રોગચાળામાં 23 દિવસ ક્વોરન્ટીન રહેવું પડે એવો નિયમ હોય છે. એટલે જહાજ મુંબઈથી ઉપડ્યું એ પછીના 23 દિવસ પૂરા થાય ત્યાં સુધી તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન થવાની ફરજ પાડવામાં આવે છે. જો કે ગાંધીજીએ નોંધ્યું છે કે માત્ર રોગચાળાને લીધે નહીં પણ દક્ષિણ આફ્રિકામાં તેઓ રાજકીય રીતે સક્રિય થયા હોવાથી યેનકેન પ્રકારે તેમને ભારત પરત મોકલી દેવાનો દક્ષિણ આફ્રિકાની સરકારનો ઈરાદો હતો. આ ઈરાદા સામે ગાંધીજી તથા જહાજના પ્રવાસીઓએ મક્કમતા દાખવતા અંતે 1897ની 23મી જાન્યુઆરીએ ક્વોરન્ટીનનો અંત આવે છે અને પ્રવાસીઓને જહાજમાંથી ઉતરવાની મંજૂરી આપવામાં આવે છે.


ગાંધીજીએ આત્મકથામાં ક્વોરન્ટીન માટે સૂતક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જો કે તેમણે અંગ્રેજી શબ્દ ‘ક્વોરન્ટીન’નો ઉલ્લેખ પણ કર્યો છે. ગાંધીજીએ લખ્યું હતું કે, મુંબઈથી નીકળ્યા ત્યારે મરકીનો રોગચાળો હતો જ્યારે ગાંધીજીનું જહાજ ડરબન પહોંચે છે ત્યારે જહાજ પર પીળો વાવટો ફરકાવવામાં આવે છે. જે ક્વૉન્ટાઇન કરાયાનો સંકેત હતો.

Continue Reading
Advertisement
Advertisement

Trending