વિશ્વ
અમેરિકામાં લૂંટના ઇરાદે આવેલા ઈસમેં ભારતીયની કરી હત્યા
Published
1 week agoon

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મૂળ આણંદના વતનીની પોઇન્ટ બ્લેન્કથી ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે. લૂંટના ઈરાદે ત્રાટકેલા શખસોએ ગુજરાતી યુવકની હત્યા કરી છે, જેને લઈ આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને લઈ મૃતકનાં પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં છે.
આ ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર, આણંદ જિલ્લાના મૂળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યારે અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં તેઓ બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા શખસોએ ગોળીઓ વરસાવી હતી, જેમાં બે કામદાર મોતને ભેટ્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતાં ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોક પર કન્વિનિયન્સ સ્ટોર પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં સ્ટોરની અંદર બે લોકો બંદૂકની ગોળીઓથી પીડાતા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ તેમનાં મોત થયાં હતાં. આ મૃતક યુવકમાં એક મૂળ આણંદનો વતની પ્રેયસ પટેલ હોવાનું સામે આવ્યું હતું તેમજ એક લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોકમાં રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અધિકારીઓએ એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપ્યો હતો. આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે, જ્યાં કોઈ અજાણ્યા લૂંટારા દ્વારા 7 ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દીધી હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.
વધુમાં જણાવતાં સ્થાનિક પોલીસવડાએ કહ્યું હતું કે પોલીસ જ્યારે પહોંચી ત્યારે લૂંટારાએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા, જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત થયું હોવાનું ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનાં મૃત્યુ થયાં હતાં. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.
પોલીસ વિભાગનું કહેવું છે કે પોલીસવડા સ્ટીવ ડ્રૂ ગોળીબારની ઘટનાની માહિતી મેળવવા પ્રયત્ન કરશે. સમગ્ર ઘટના અંગે પોલીસનું માનવું છે કે એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંને પીડિતોને ગોળી મારી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે ત્યાં સર્વેલન્સ વીડિયો છે, જેને તેઓ હાલમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા રીતે જોઈ રહ્યા છે અને એનો ઝીણવપૂર્વક અભ્યાસ કરી આખો ઘટનાક્રમ પર તપાસ કરી રહ્યા છે.
You may like
વિશ્વ
ચારેબાજુ ભારતની બોલબાલા: અમેરિકાએ કહ્યું: “ચીનને રોકવાની તાકાત માત્ર તમારામાં જ છે”
Published
2 weeks agoon
June 11, 2022
ચીનના આક્રમક વલણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી શક્તિ વચ્ચે દુનિયાના દરેક દેશની નજર ભારત ઉપર છે. જોકે ઘણા દેશો માને છે કે, એશિયામાં માત્ર ચીનના આક્રમક વલણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી શક્તિ વચ્ચે દુનિયાના દરેક દેશની નજર ભારત ઉપર છે. જોકે ઘણા દેશો માને છે કે, એશિયામાં માત્ર ભારત જ શક્તિનું સંતુલન સ્થાપિત કરી શકે છે. હવે યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન પણ એવું જ માની રહ્યા હોવાનું સામે આવ્યું છે.
યુએસ ડિફેન્સ સેક્રેટરીએ કહ્યું, ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે. આ ઉપરાંત, તે અન્ય દેશોના કેટલાક ભાગો પર પણ પોતાનો દાવો કરે છે અને આ માટે આક્રમક અભિગમ પણ અપનાવી રહ્યો છે. ઓસ્ટીને કહ્યું, ચીન દક્ષિણ ચીન સાગરમાં આક્રમક અને ગેરકાયદેસર અભિગમ અપનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા તેના સહયોગીઓ સાથે ઉભું છે.
સિંગાપોરમાં શાંગરી લો ડાયલોગમાં તેમણે કહ્યું કે, ભારતની વધતી શક્તિ જ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા માને છે કે, ભારતની વધતી જતી સૈન્ય ક્ષમતા અને તકનીકી ક્ષમતા આ ક્ષેત્રમાં સ્થિરતા લાવી શકે છે. કાર્યક્રમ દરમ્યાન તેમણે મુખ્યત્વે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચીન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે તેની દરિયાઈ ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. તેમણે કહ્યું, ચીન ભારત સાથેની સરહદ પર પોતાની સ્થિતિ કડક કરી રહ્યું છે.
યુએસ ડિફેન્સ સેક્રેટરીએ કહ્યું, ચીન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. તેનો ભારત સાથે સીમા વિવાદ પણ છે અને તે લદ્દાખ સેક્ટરમાં આક્રમક અભિગમ અપનાવે છે. આ સિવાય તે વિયેતનામ, તાઈવાન, ફિલિપાઈન્સ, બ્રુનેઈ, મલેશિયાના ભાગો પર પણ દાવો કરે છે. આવી સ્થિતિમાં અમેરિકા ભવિષ્યના આક્રમણને રોકવા અને તેને હરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમે અમારા મિત્રો સાથે પણ ઊભા છીએ અને અમારા સુરક્ષા માળખાને પારદર્શક અને વધુ સમાવિષ્ટ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
વિશ્વ
મંકીપોક્સને લઈ WHOએ આપ્યું રેડ એલર્ટ! આ દેશોએ ખાસ કાળજી લેવા કર્યું સૂચન
Published
2 weeks agoon
June 9, 2022
અનેક દેશોમાં કોરોના બાદ મંકીપોક્સ વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે WHOના ડાયરેક્ટર જનરલે એક અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, જે દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે તેઓએ સાવચેતી રાખવાની જરૂર છે. આ સાથે તેમણે કહ્યું કે,જે દેશોમાં આ રોગ સ્થાનિક નથી ત્યાં પણ ખતરો રહે છે. આ સાથે અસરગ્રસ્ત દેશોને આ રોગને નિયંત્રિત કરવા માટે તમામ કેસ અને સંપર્કોને ઓળખવા વિનંતી કરી છે.
રસીઓ વિશે બોલતા, ટેડ્રોસે કહ્યું કે મંકીપોક્સ રસી માટે એન્ટિવાયરલ અને રસી મંજૂર કરવામાં આવી છે, પરંતુ તેનો પુરવઠો મર્યાદિત છે. WHO જાહેર આરોગ્યની જરૂરિયાતોને આધારે સંકલન પદ્ધતિ વિકસાવવા પર કામ કરી રહ્યું છે. ટેડ્રોસે કહ્યું કે, સામૂહિક રસીકરણ જરૂરી છે, કારણ કે આ રોગ અત્યાર સુધીમાં 29 દેશોમાં ફેલાયો છે. તેમણે કહ્યું કે જેમને મંકીપોક્સના લક્ષણો હોય તેઓએ ઘરે જ રહેવું જોઈએ અને જે લોકો ચેપગ્રસ્ત લોકો સાથે ઘરમાં રહે છે તેઓએ આવા ચેપ ગ્રસ્ત લોકોના સંપર્કથી દૂર રહેવું જોઈએ.
WHO અનુસાર, મંકીપોક્સ સામાન્ય રીતે સ્વ-મર્યાદિત રોગ છે અને સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયા સુધી ચાલે છે. તે બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓમાં ગંભીર હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે મંકીપોક્સ વાયરસને લઈ ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 29 દેશોમાં 1 હજારથી વધુ મંકીપોક્સના કેસ નોંધાયા છે. જ્યારે, આ રોગ આ દેશોમાં સ્થાનિક નથી. જો કે, આ દેશોમાં અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી. આવી સ્થિતિમાં, WHO અસરગ્રસ્ત દેશોને આગ્રહ કરે છે કે તે રોગચાળાને નિયંત્રિત કરવા અને ચેપને રોકવા માટે તમામ કેસ અને સંપર્કોને ઓળખે. મંકીપોક્સ બિન-સ્થાનિક દેશોમાં કાયમી ધોરણે સ્થાપિત થઈ શકે છે.
વિશ્વ
સરકારનો અનોખો પ્રયાસ! સ્મોકીંગ છોડનારને સરકાર 40 હજારનું આપશે ઈનામ
Published
2 weeks agoon
June 8, 2022
સરકાર લોકોને ધુમ્રપાન છોડવા માટે ઘણી અપીલો કરતી હોય છે. પરંતુ તેમ છતાં તણા જોઈએ તેવા પરિણામો મળતા નથી આજનો યુવા સીગરેટના ધુમાડા પાછળ પોતાના પૈસા તો બગાડે છે સહેજ તેની સ્વસ્થ્ય પણ જોખમમાં મૂકે છે. ત્યારે બ્રિટેનમાં એક શહેરમાં ધુમ્રપાન છોડવા પર સરકાર રોકડ પુરસ્કાર આપશે તેવી જાહેરાત કરી છે. આ શહેરમાં ધૂમ્રપાન કરનારાઓ જો ધૂમ્રપાન કરવાનું બંધ કરે છે, તો તેના બદલામાં સરકાર તેમને રોકડ પુરસ્કાર આપશે.
એક અહેવાલ અનુસાર આ યોજના બ્રિટેનના ચેશાયર ઈસ્ટ શહેરમાં લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જે પણ સ્મોકિંગ છોડશે તેને 20 હજાર રૂપિયા અને સ્મોકિંગ કરનારી ગર્ભવતી મહિલાને 40 હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજના લાવીને સ્થાનિક પ્રશાસન તંત્રને આશા છે કે પૈસાની લાલચમાં લોકો ધૂમ્રપાન છોડી દેશે અને આ રીતે લાખો લોકોના જીવ બચી જશે. ત્યાની સરકારે આ યોજના માટે 116,500 પાઉન્ડ (અંદાજે 1 કરોડ રૂપિયા)નું બજેટ પસાર કર્યું છે. આ રકમ માત્ર રોકડ પુરસ્કાર આપવા માટે જ ખર્ચ કરવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ દિવસમાં 20 વખત સ્મોકિંગ કરે છે તો તે વાર્ષિક 4.4 લાખ રૂપિયા ખર્ચ કરે છે. જો તે સ્મોકિંગ છોડી દે તો વ્યક્તિ સ્વાસ્થ્યની સાથે સાથે પૈસાની બાબતમાં પણ બચત કરી શકે છે. સાથે જ તેને સરકાર તરફથી ઈનામ મળશે તે બોનસ છે. મહત્વનું છે કે સરકાર આ માટે ટેસ્ટ કરશે. આ અંતર્ગત ધૂમ્રપાન કરનારાઓએ એક્સહેલ્ડ કાર્બન મોનોક્સાઇડ ટેસ્ટ આપવું પડશે, તે પછી જ તે સાબિત થશે કે તેમણે ધૂમ્રપાન છોડી દીધું છે. સાથે જ જો આ યોજનાનું પૂર્વ ચેશાયરમાં યોગ્ય પરિણામ મળશે તો બાકીના શહેરોમાં પણ તેનો અમલ કરવામાં આવશે.
.

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ! આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું તેના રેકોર્ડ્સ

સાઉથની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પાસે છે મોંઘી કારનું કઈક આવું કલેક્શન!

રાત્રે સ્નાન કરવું સ્વસ્થ્ય માટે છે ખૂબ ફાયદા કારક! જાણો કેવા થાય છે ફાયદાઓ

વજન ઘટાડવામાં દહી કે દૂધ મદદરૂપ? જાણો શું કહે છે એક્સપર્ટ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી