લાઈફ સ્ટાઈલ
ચા પીવાથી શરીરની ઇમ્યુનિટી ઘટતાં કોરોના જલદી અટેક કરશે, જાણો ખરેખર આ સાચું છે કે નહીં?
Published
2 years agoon

કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં યથાવત છે. કોરોનાથી સમગ્ર વિશ્વમાં 4.5 લાખથી વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ભારતમાં પણ કોરોનાથી 12 હજારથી વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ડૉક્ટર્સનું માનીએ તો જેમની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય છે તેમને કોરોનાની અસર થવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે.
આ જ કારણથી ભારત સરકારનું આયુષ મંત્રાલય સતત લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાના ઉપાય શેર કરી રહ્યું છે. આ દરમિયાન લોકોમાં કોરોના કાળમાં ખાણી-પીણીની વસ્તુઓને લઇને પણ કેટલાય પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. એક એવી જ ભ્રમણા છે કે ચા પીવાથી ઇમ્યુનિટી પર અસર પડે છે
કોરોના પર નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું કે, ઇમ્યુનિટી એટલી નબળી નથી હોતી કે ચા પીવાથી ઓછી થઇ જાય. ઇમ્યુનિટી શરીરની અંદર એક એવી વસ્તુ છે જે ઘણી મજબૂત હોય છે. તેને ઇનનેટ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. સંતુલિત આહાર અને પોતાની દિનચર્યામાં પૌષ્ટિક ચીજવસ્તુઓ ખાવાથી અડેપ્ટેડ ઇમ્યુનિટી વધે છે. આ સાથે જ લોકોએ શારીરિક વ્યાયામ અને અભ્યાસ કરતા રહેવું જોઇએ. તેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે
નિષ્ણાંત ડોક્ટરે કહ્યુ કે, લોકોએ ધૂમ્રપાન જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. આ તમામ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર કરે છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે એવી ચા તૈયાર કરી છે જે કોવિડ 19 સામે લડવા માટે સૌથી મહત્ત્વનું કામ કરશે અને તે છે ઇમ્યુનિટી વધારવી.
તાજેતરમાં જ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના સંબંધમાં કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે આસામના બગીચાની ચા કોરોના વાયરસથી લડવા માટે શરીરને જરૂરી ઇમ્યુનિટી આપે છે. કારણ કે ચામાં થિફ્લેવિન્સ નામનું તત્ત્વ હોય છે જે ઇન્ફ્લુએન્ઝા અને શ્વસનતંત્ર સંબંધિત રોગથી બચવામાં આપણા શરીરને મદદ કરે છે.
You may like
-
પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ
-
ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર
-
હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ
-
ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે
-
તમારા કામનું! સવારે ઊઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી ફાયદા કે નુકસાન જાણવું જરૂરી
-
શું નાની ઉમરમાં જ હાથ પગના દુખાવો થવા લાગ્યો છે? તો આજે જ ડાયટમાં આ ફૂડને કરો સામેલ

જો તમે વાળના સ્વાસ્થ્યને સુધારવા માંગો છો, તો ઘરેલું ઉપચાર કરતાં વધુ સારું કંઈ કામ નથી. તેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ નથી હોતું અને તે ખરેખર તમને લાભ આપે છે. નાળિયેરનું તેલ વાળ માટે કેટલું સારું છે તે કહેવાની કદાચ જરૂર નથી, કારણ કે તે વાળને લાંબા અને ઘાટા બનાવે છે અને વાળને પોષણ પણ આપે છે, પરંતુ એકવાર નારિયેળ તેલનું શેમ્પૂ પણ અજમાવી શકાય છે, કારણ કે નારિયેળના તેલમાં લોરિક એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. , જે નેચરલ ક્લીન્સર માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આપણે ઘરે નાળિયેર તેલનો શેમ્પૂ કેવી રીતે બનાવી શકીએ, જેથી વાળની તંદુરસ્તી પહેલા કરતા સારી રહી શકે.
- સ્ટાઇલક્રેઝ ડોટ કોમ અનુસાર, આ માટે એક કપના ત્રણ-ચતુર્થાંશ પાણીની જરૂર પડશે. આ સિવાય અડધો કપ કેસ્ટિલ સાબુ, બે ચમચી ટેબલ સોલ્ટ, બે ચમચી નારિયેળ તેલ, બે ચમચી ફ્રેગ્રેંસ ઓઇલ અને 20 ટીપાં કોકોનટ ફ્રેગ્રેંસ ઓઇલની જરૂર છે.
- સૌપ્રથમ માઈક્રોવેવ ફ્રેન્ડલી બાઉલમાં પાણી રેડો અને પછી અડધી મિનિટ માટે માઈક્રોવેવ કરો.
- હવે તેમાં કાસ્ટિલ સાબુ ઉમેરો અને પછી તેને ખૂબ જ કાળજીપૂર્વક બ્લેન્ડ કરો જેથી સ્મૂધ પેસ્ટ બને.
- હવે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- હવે છેલ્લે બધા તેલને મિક્સ કરીને બરાબર મિક્ષ કરી લો. આ બધી વસ્તુઓ એકબીજામાં સારી રીતે ભળી જવી જોઈએ.
હવે તેને એક બોટલમાં ભરી રાખો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.

જે લોકો સપના જુએ છે, પૂરા પણ તે જ કરે છે. જો તમે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સ્વપ્ન જુઓ છો, તો તમે તેને પૂર્ણ પણ કરી શકો છો. ફક્ત સખત સંઘર્ષ અને સંપૂર્ણ સમર્પણની જરૂર છે. જીવનમાં કંઈપણ મેળવવા માટે મહેનત ખૂબ જ જરૂરી છે. બુદ્ધિશાળી લોકો હંમેશા સપના જુવે છે અને તેને પૂરા કરે છે.
ઘણી વખત લોકો કહે છે કે સપના એટલા જ જોવા જે પુરા કરી શકાય. હકીકતમાં, મેળવવાની વાત કરીએ તો, કોઈપણ વ્યક્તિ કંઈપણ પ્રાપ્ત કરી શકે છે. તમારે ફક્ત તમારા ધ્યેય પ્રત્યે સંપૂર્ણ સમર્પણની જરૂર છે. તમારે તમારા સપના પર ક્યારેય પ્રતિબંધ ન મૂકવો જોઈએ. કારણ કે તમારી આજુબાજુ એવા ઘણા ઉદાહરણો જોવા મળશે જે કંઈ નહોતા પરંતુ પોતાની મહેનત અને સંઘર્ષથી સફળતાના શિખરે પહોંચ્યા હતા.
કોઈપણ ધ્યેય હાંસલ કરવા માટે ધીરજ અને દૃઢ નિશ્ચય જરૂરી છે. કેટલીકવાર તમે સખત મહેનત કરો છો પરંતુ તેના પરિણામો હકારાત્મક દેખાતા નથી. જેના કારણે લોકોમાં ઉત્સાહ ઓછો થઈ જાય છે, આવી સ્થિતિમાં તમારે ધીરજ રાખવી જોઈએ અને સખત મહેનત કરતા રહેવું જોઈએ. ક્યારેક લક્ષ્ય હાંસલ કરવામાં સમય લાગી શકે છે, પરંતુ વિશ્વાસ રાખો કે જો તમે ધ્યેય બનાવ્યો હોય અને સખત મહેનત કરી હોય તો સફળતા ચોક્કસ મળશે.
કોરોના વાયરસની મહામારી શરૂ થયા પછી યુવાનોમાં સરકારી નોકરીનું મહત્વ વધ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકાર તરફથી વિવિધ સરકારી નોકરીઓની ભરતીની જાહેરાત કરવામાં આવતા યુવાનો દિવસ-રાત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ડૂબી ગયા છે.
રાજ્યમાં ઘણાં એવા યુવાનો છે કે જેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી સરકારી નોકરી મેળવવા માટેની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આવા ઉમેદવારોને સલાહ આપીશું કે જો તમે સપનું જોયું છે, તો તમે તેને ચોક્કસ પૂરું કરશો. તમારે તમારામાં વિશ્વાસ રાખવાની અને ધીરજ રાખવાની જરૂર છે. જો તમે નક્કી કર્યું છે કે તમે તમારું લક્ષ્ય હાંસલ કરશો તો કોઈ અવરોધ તમને તેના સુધી પહોંચતા રોકી શકશે નહીં.
લાઈફ સ્ટાઈલ
તમારા કામનું! ફોન પર વ્યક્તિ સાચું બોલે છેકે ખોટું? આમ કરો ચકાસણી
Published
3 weeks agoon
July 19, 2022
કોઈ વ્યક્તિ ફોન પર વાત કરતી વખતે સાચું બોલી રહી છે કે, જૂઠું તે કઈ રીતે જાણવું? આ પ્રશ્ન ઘણા લોકોને સતાવે છે. જોકે, સામાન્ય બુદ્ધિ વાપરીને પણ જીવનસાથી, મિત્ર અથવા અજાણી વ્યક્તિની બોલવાની રીતમાં રહેલા સંકેતોથી જૂઠ્ઠાણાને શોધી શકાય છો. કોઈ ફોન પર ખોટું બોલતા હોય તો પકડવા માટે નીચે દર્શાવેલ સંકેતો કામે લાગી શકે છે.
1 – ગળું સાફ કરવું
જ્યારે લોકો નર્વસ હોય ત્યારે તેમના ગળાના સ્નાયુઓ સજ્જડ થઈ જાય છે. ત્યારે તેઓ ગળાને સાફ કરે તો સમજવું કે તે ખોટું બોલે છે. આ સિવાય અવાજમાં થોડો ઘોંઘાટ અથવા હંમેશ કરતાં વધુ કર્કશ અવાજ પણ અનુભવાય છે.
2 – ઊંચા અવાજે વાત કરવી
ઊંચો અવાજ એ તણાવ અને સંભવિત અપ્રમાણિકતાની બીજી નિશાની પણ છે. જૂઠું બોલનારનો અવાજ ઘણી વાર ઊંચો હોય છે. બોલનારાના અવાજની તુલના તેના સામાન્ય અવાજ સાથે કરવાનો પ્રયાસ કરો. હકીકત સમજાઈ જશે.
3 – વાત કરતાં થંભી જવું અને ખચકાટ
લોકોને જુઠ્ઠું બોલવા માટે સમયની જરુંર પડે છે. વાત સાચી લાગે તે માટે કોઈક વાર્તા બનાવવા વિચારવું જરૂરી હોય છે. તેઓ પ્રશ્નોના જવાબ આપવા માટે થોડા અચકાશે અને થોભી પણ શકે છે. આ સિવાય જુઠ્ઠુ બોલનારા માણસને પૂછવામાં આવેલ સવાલના જવાબ તે મસમોટું એક્સપ્લેનેશન આપે છે. એકંદરે તેમની વાત કુદરતી હોતી નથી.
4 – વચ્ચે-વચ્ચે સારૂં, હમ્મ જેવા ફિલર શબ્દોનો પ્રયોગ
જૂઠ્ઠુ બોલનારાએ વાતચીતમાં વિરામ લેવાની જરૂર પડે છે તેથી તેઓ આ સમયગાળાને ભરવા માટે અમુક શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે. નવર્સ લોકો Amm-Hmm, સારૂ, સરસ, તો, એમ કે, આ કારણ છે એમ, તમે જાણો છો, હે, અને જેમ જેવા ફિલર શબ્દો વાપરે છે. જોકે અમુક લોકોની બોલીમાં આ શબ્દો સામાન્ય હોય છે ત્યારે આ રીત ખોટી પડી શકે છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ