Connect with us

લાઈફ સ્ટાઈલ

ઈમ્યૂનિટી વધારવાથી લઇ શરીરની કેટલીય બિમારીઓ માટે બેસ્ટ ચૂર્ણ ત્રિફલા, જાણો ત્રિફલાના અનેક ફાયદા

Published

on

હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે અને એવામાં ઘણાં લોકોને પેટ સંબંધી તકલીફો આ સીઝનમાં વધી જતી હોય છે. એમાં પણ હાલ લોકડાઉનને કારણે બધાં જ ઘરમાં છે. વધુ ફિઝિકલ એક્ટિવિટી ન થવાને કારણે પણ પેટ સંબંધી સમસ્યા થવા લાગે છે. તો આજે અમે તમને કબજિયાતથી લઈને અપચો, લો ઈમ્યૂનિટી, આંખો માટે એક બેસ્ટ ચૂર્ણ ત્રિફલાના ફાયદા અને તેની સેવન વિધી જણાવીશું. આયુર્વેદમાં ત્રિફલાને વરદાન કહેવાય છે. તેમાં રહેલાં ગુણો અનેક તકલીફોને દૂર કરી દે છે. તો ચાલો જાણી લો.

આ રીતે કરો ત્રિફલાનું સેવન

કોઈપણ ત્રિફલાનું સેવન કરી શકે છે. જો તમને કોઈ રોગ ન હોય તો પણ તમે તેનું સેવન કરી શકો છો. ચરક સંહિતા અનુસાર એક વ્યક્તિ કોઈ બીમારી વિના પણ એક વર્ષથી વધુ સમય સુધી તેનું સેવન કરી શકે છે. અડધી ચમચીથી 5 ગ્રામ સુધીની માત્રામાં ત્રિફલા લઈ શકાય છે. તેને નવશેકા પાણી સાથે અથવા સાદાં પાણી સાથે પણ લઈ શકાય છે.

માથાનો દુખાવો કરે છે દૂર

અત્યારે સ્ટ્રેસને કારણે ઘણાં લોકોને માથામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. તેનાથી બચવા માટે ત્રિફલાનું સેવન કરી શકો છો. ત્રિફલા, હળદર, કડવા લીમડાની છાલ અને ગિલોયને પાણીમાં ઉકાળીને પાણી અડધું બચે એટલે ઠંડુ કરી તેમાં સહેજ ગોળ નાખીને તેનું સેવન કરો. એક સપ્તાહ સવાર-સાંજ તેનું સેવન કરો. દુખાવો દૂર થઈ જશે.

ઈમ્યૂનિટી વધારે છે

નિયમિત ત્રિફલાનું સેવન કરવાથી ઈમ્યૂનિટી વધે છે અને શરીર બેક્ટેરિયાથી મુક્ત રહે છે.

પેટના રોગોમાં

ત્રિફલા એવી 3 વસ્તુઓથી બને છે જે પેટની અંદરથી સફાઈ કરે છે. ત્રિફલાને ગૌમૂત્ર સાથે સેવન કરવાથી આફરો, પેટ દર્દ વગેરેથી પણ છૂટકારો મળે છે.

કબજિયાત

કબજિયાતમાં બેસ્ટ અસર કરે છે. રાતે સૂતા પહેલાં નવસેકા પાણી સાથે અડધી ચમચી ત્રિફલા ચૂર્ણ ખાઈને સૂવાની પેટ સાફ થઈ જાય છે આ સિવાય તમે ઈસબગૂલ સાથે પણ મિક્સ કરીને તેને લઈ શકો છો.

લોહી વધારે છે

એનિમિયાથી પીડિત લોકો માટે ત્રિફલાનું સેવન લાભકારી છે. નિયમિત રીતે તેને ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધે છે અને લોહીની કમી થતી નથી.

એન્ટીઓક્સીડેન્ટ છે ત્રિફલા

ત્રિફલામાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેથી તે વધતી ઉંમરની અસરને રોકે છે. સાથે જ મોટી ઉંમરે પણ યુવાન રાખે છે.

આંખો માટે

આંખોની રોશની વધારવા માટે બેસ્ટ છે. રાતે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ત્રિફલા પલાળી સવારે તે પાણીને ગાળીને તેનાથી આંખો ધુઓ. તેનાથી આંખોની સમસ્યા પણ દૂર થશે.

લાઈફ સ્ટાઈલ

લક્ઝરી કાર, 16 કરોડનું ઘર, અબજોની સંપત્તિ, આ અભિનેતા એક ફિલ્મ બનાવવા કેટલા પૈસા ચાર્જ લે તે જાણો.

Published

on

સાઉથ ફિલ્મના ઘણા કલાકારો બોલીવુડ ફિલ્મના કલાકારો જેવી જ ઓળખ ધરાવે છે. સાઉથ ફિલ્મમાં આવું જ એક જાણીતું નામ છે અભિનેતા રવિ તેજા. રવિ તેજા સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર છે. રવિ તેજા તેના શ્રેષ્ઠ અભિનય માટે ખૂબ જ લોકપ્રિય છે. તેઓ છેલ્લા 31 વર્ષથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે.

દક્ષિણ ભારતની બહાર પણ હિન્દી બેલ્ટના દર્શકોમાં રવિ તેજાની સારી પકડ છે. હિન્દી બેલ્ટના પ્રેક્ષકોમાં પણ તેઓ એક ખાસ ઓળખ ધરાવે છે. અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલા રવિ તેજા એક રાજાની જેમ જીવન જીવે છે. ચાલો આજે તમને રવિ તેજાની લક્ઝરી લાઈફસ્ટાઈલ, તેની નેટવર્થ, કાર કલેક્શન, ફિલ્મ ફી વગેરે વિશે જણાવીએ.

રવિ તેજા 54 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 26 જાન્યુઆરી 1968ના રોજ આંધ્ર પ્રદેશના જગ્ગમપેટામાં થયો હતો. 3 દાયકાની કારકિર્દીમાં રવિ તેજએ ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આજે તેમને કોઈ ઓળખમાં રસ નથી. પ્રસિદ્ધિની સાથે રવિએ ફિલ્મી દુનિયામાંથી પણ અઢળક સંપત્તિ કમાઈ છે.

રવિ તેજાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મ ‘કર્તવ્યમ’થી કરી હતી. મોહન ગાંધી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 1990માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રવિ તેજા સાથે વિજયા શાંતિ, વિનોદ કુમાર, સાંઈ કુમાર વગેરે જોવા મળ્યા હતા. રવિને તેમની ફિલ્મી કરિયરની શરૂઆતના સમયમાં વધારે સફળતા અને લોકપ્રિયતા મળી ન હતી.

રવિ તેજાની શરૂઆતની ફિલ્મી કરિયર ફ્લોપ રહી હતી. જો કે તે આવા સંજોગોમાં પણ તૂટ્યો નહીં અને ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. શરૂઆતમાં ભલે તે ફ્લોપ ફિલ્મો આપતો હતો, પછીથી તેના નસીબનો સિતારો ચમક્યો અને તે પોતે સ્ટાર બની ગયો. ધીમે-ધીમે એકથી વધુ ફિલ્મો આપ્યા પછી તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મના સુપરસ્ટાર કહેવાય છે.

રવિ તેજાની ગણતરી આજે સફળ કલાકારોમાં થાય છે. સાઉથ ફિલ્મોનો આ સુપરસ્ટાર એક ફિલ્મ માટે લગભગ 5 થી 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એક વર્ષમાં તેમની કમાણી 12 થી 13 કરોડ રૂપિયા થઈ જાય છે. ફિલ્મોની સાથે રવિ જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. હાલમાં તેઓ ઘણી બ્રાન્ડ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે.

હવે વાત કરીએ રવિ તેજાની નેટવર્થ વિશે. ફિલ્મો અને જાહેરાતોથી ઘણી કમાણી કરનાર રવિ તેજાની નેટવર્થ અબજોમાં છે. સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિ તેજા પાસે કુલ 121 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

રવિ તેજાને મોંઘા અને લક્ઝરી વાહનોનો પણ શોખ છે. તેમના કાર કલેક્શનમાં રેન્જ રોવર ઇવોક, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ અને BMW M6 વગેરેનો સમાવેશ થાય છે.

રવિ તેજા તેમના પરિવાર સાથે આંધ્રપ્રદેશના જગ્ગમપેટામાં એક આલીશાન મકાનમાં રહે છે. તેમનું આ ઘર બહારથી અને અંદરથી ખૂબ જ સુંદર છે. તેની કિંમત 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Continue Reading

બોલીવુડ

પહેલા જેકી શ્રોફ ટ્રક ચલાવતા હતા, આવી રીતે બન્યા હીરો, 13 વર્ષની છોકરીને આપ્યું દિલ, લગ્ન પછી જ રાજી થયા.

Published

on

બોલિવૂડમાં ઘણા હીરો આવે છે અને જાય છે, પણ કેટલાક એવા પણ હોય છે, જેઓ પોતાની આગવી શૈલીથી દર્શકોના દિલ પર છાપ છોડી જાય છે. ફિલ્મ અભિનેતા જેકી શ્રોફ પણ આવા જ એક કલાકાર છે. તેમનું ‘મસ્ત મલંગ’ વ્યક્તિત્વ હોય કે, તેમની મસ્ત વાત કરવાની શૈલી, દર્શકો જેકીના દરેક એક્ટના ચાહક છે.

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં 1 ફેબ્રુઆરી, 1957ના રોજ જન્મેલા જેકી શ્રોફ 65 વર્ષના થઈ ગયા છે. તેઓ છેલ્લા ચાર દાયકાથી ફિલ્મોમાં સક્રિય રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળ્યા હતા. જો કે અહીં પહોંચતા પહેલા જેકી શ્રોફે ઘણા સંઘર્ષ પણ કર્યો છે. તેઓ એક સમયે ટ્રક ચલાવતા હતા અને આજે બોલિવૂડના પીઢ અભિનેતા છે. તેમના જન્મદિવસ પર અમે તમને જેકી શ્રોફ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

જેકીના પિતાનું નામ કાકુભાઈ શ્રોફ છે. તેમની માતાનું નામ રીટા શ્રોફ છે. બહુ ઓછા લોકો જાણે છે કે, જેકી શ્રોફનું અસલી નામ જય કિશન કાકુભાઈ શ્રોફ છે. સ્કૂલના દિવસોમાં લોકો તેમને જેકી કહીને બોલાવતા હતા, ત્યારથી તેમનું નામ જય કિશનથી બદલાઈને જેકી શ્રોફ થઈ ગયું હતું. ફિલ્મોમાં આવ્યા પછી પણ તેમણે એ જ નામ પસંદ કર્યું, જે હવે ઘર-ઘર ફેમસ છે.

જેકી શ્રોફની ગણતરી હાલમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાં થાય છે, પણ એક સમય એવો હતો, જ્યારે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. તેમણે મોડલિંગ કરવાનું શરૂ કર્યું. પછી તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત જાહેરાતથી કરી હતી.

જેકીને ફિલ્મોમાં પહેલો બ્રેક 1982માં દેવાનંદની ફિલ્મ ‘સ્વામી દાદા’થી જોવા મળ્યા હતાં. જોકે આ ફિલ્મમાં તેમનો રોલ ઘણો નાનો હતો, પણ ત્યાર પછી તેમણે 1983માં આવેલી ફિલ્મ ‘હીરો’થી લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. જેકીએ આ ફિલ્મથી દર્શકોના દિલમાં પ્રવેશ કર્યો. આ પછી તેમને બીજી ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. ટૂંક સમયમાં જ તે બોલિવૂડમાં જાણીતો એક્ટર બની ગયો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમને ‘જગ્ગુ દાદા’ તરીકે પણ બોલાવે છે.

1995માં આમિર ખાન, જૈસી શ્રોફ અને ઉર્મિલા માતોંડકરની ફિલ્મ રંગીલા આવી. લોકોને આ ફિલ્મ અને તેમના ગીતો ખૂબ પસંદ આવ્યા હતા. ઉર્મિલા માતોંડકરે ફિલ્મ ‘તન્હા-તન્હા સોંગ’માં ડાન્સ કર્યો હતો. આ ગીતમાં અભિનેત્રીએ જે વેસ્ટ પહેર્યો હતો તે જેકી શ્રોફનો હતો. આ વાતનો ખુલાસો ખુદ ઉર્મિલા માતોંડકરે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

જેકી શ્રોફની લવસ્ટોરી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. એકવાર તેઓ બસ સ્ટોપ પર બેઠા હતા, તે દરમિયાન તેમની નજર બસમાં બેઠેલી 13 વર્ષની છોકરી પર પડી. બસ જેકી દાદા એ છોકરી સાથે પહેલી નજરે જ પ્રેમમાં પડી ગયા હતા. થોડા સમય પછી, તેમણે તેમની સાથે મિત્રતા કરી અને પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા. તે છોકરી આજે આયેશા દત્ત છે, જેણે 5 જૂન, 1987ના રોજ જેકી શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી જેકીને બે બાળકો છે, ટાઈગર શ્રોફ અને કૃષ્ણા શ્રોફ.

જેકી શ્રોફના જીવનમાં એક ફંડ છે. તેમના મતે જો તમારે હંમેશા પ્રાસંગિક રહેવું હોય તો તમારે હંમેશા તમારું મન ખુલ્લું રાખવું જોઈએ. તકો તમારી પાસે આવશે.

Continue Reading

જાણવા જેવું

6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?

Published

on

નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.

જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.

બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.

બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.

બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.

જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.

બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.

  • 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
  • 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
  • 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
  • 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending