Connect with us

કોરોના

સાવધાન! ત્રણ દિવસે RT-PCRમાં ખબર પડે ત્યાં સુધી કોરોના ફેફસાંમા ઉતરી જતો હતો! લેવાયો મોટો નિર્ણય

Published

on

ગુજરાતમાં RT-PCR ટેસ્ટના રિપોર્ટમાં થઈ રહેલા 72 કલાક જેટલા વિલંબને કારણે કોરોના વાઈરસના ફેલાવાની તીવ્રતા વધતા અનેક દર્દીઓ ગંભીર સ્થિતિમાં મુકાયા છે. આથી, રાજ્યના આરોગ્ય વિભાગે RT-PCR રિપોર્ટની રાહ જોયા વગર જ દર્દીના HRCT અને રેપિડ એન્ટીજન ટેસ્ટના પોઝિટીવ રિપોર્ટને આધારે જ રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવવા ગુરવારે સાંજે નિર્ણય કર્યો છે.

RT-PCRના ટેસ્ટ માટે રાજ્યમાં ICMRએ 45 સરકારી અને ૫૨ (બાવન) પ્રાઈવેટ લેબને માન્યતા આપી છે. જેની દૈનિક કેપેસિટી 85 હજાર ટેસ્ટની છે. કોરોનાની સેકન્ડ વેવમાં જ્યાં સૌથી વધુ લેબ છે તેવા અમદાવાદ, સુરત, વડોદરાને બાદ કરતા કચ્છ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જેવા મોટા જિલ્લામાં, મોડાસા, ડાકોર, ભરૂચ, મોરબી, બોટાદ સહિતના નાના શહેરોમાં RT-PCRનો રિપોર્ટ આવતા 3થી 4 દિવસ થાય છે.

સેકન્ડ વેવમાં કોરોનાનો મ્યુટન્ટ બદલાયો છે, ત્રીજા- ચોથા દિવસે ફેફસામાં વાઈરસ ઉતરતા દર્દીની સ્થિતિ વધુ ગંભીર થાય છે. આવી સ્થિતિમાં સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા અરજીની સાથે RT-PCRનો પોઝિટીવ રિપોર્ટ ફરજિયાત જોડવાનો આદેશ કર્યો હતો. આ પ્રક્રિયમાં હવે HRCT અને એન્ટીજન ટેસ્ટને પણ ઉમેરવામાં આવ્યા છે.

આરોગ્ય કમિશનરેટમાં અધિક નિયામક ડો.દિનકર રાવલની સહીથી ગુરૂવારે પ્રસિધ્ધ કચેરી આદેશમાં કહેવાયુ છે કે, કોવિડ-19ની સારવાર લેતા દર્દીને RT-PCR પોઝિટીવ હોય તો જ રેમડેસિવિર ઈન્જેક્શન આપવા સંદર્ભે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશને 10 એપ્રિલે સુચવેલી વ્યવસ્થામાં હવેથી દર્દીનો HRCT પોઝિટીવ હોય તથા રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝિટીવ હોય તો પણ આ ઈન્જેક્શન આપવાના રહેશે.

જો આ બે લક્ષણો દેખાય તો ખાસ ચેતજો!

કોરોના વાયરસ સમયાંતરે પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. સાથો કોરોનાના દર્દીઓના લક્ષણો પણ બદલાઈ રહ્યાં છે. ડોક્ટર્સના જણાવ્યાં મુજબ આ વખતે કોરોના વાયરસનું સંક્રમણ કાન અને નાક પર સીધુ એટેક કરી રહ્યું છે. કોરોનાનો નવો સ્ટ્રેન આ વખતે વાયરલ તાવ, પેટનો દુખાવો, ડાયેરિયા, અપચો, ગેસ, ઝાડા ઉલ્ટી, ભૂખ ન લાગવી, શરીરનો દુખાવો, એસિડિટી જેવા લક્ષણો સાથે આવ્યો હતો. પરંતુ હવે જ્યારે ચારેકોર તેનું સંક્રમણ વધ્યા બાદ કોરોનાના કેટલાક વધુ લક્ષણો પણ સામે આવ્યા છે.

SGPGI અને KGMU સહિત અનેક કોવિડ હોસ્પિટલમાં એડમિટ કોરોના દર્દીઓને જોવામાં અને સાંભળવામાં પરેશાની વધી છે. ડોક્ટર્સે જણાવ્યું હતું કે, અહીં એવા અનેક દર્દીઓ છે જેમને બંને કાનથી ઓછું સંભળાવવા લાગ્યું છે. આ ઉપરાંત ઓછું દેખાતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ગંભીર સ્થિતિ ઉભી થતા કોરોના શરીરના અનેક અંગો પર અસર કરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનાએ જે રીતે પોતાનું રૂપ બદલ્યું છે ત્યારબાદ ચિંતા વધી ગઈ છે. કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવું જ હવે એકમાત્ર ઉપાય છે. જો કે નવા વેરિએન્ટમાં રાહતના સમાચાર એ છે કે નવો સ્ટ્રેન સારી ઈમ્યુનિટીવાળા દર્દીને વધુ સમય સુધી પરેશાન કરી શકતો નથી. 5-6 દિવસમાં તે સાજા થવા લાગે છે.

Source : Sandesh

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

કોરોના

મહિલા ખાઈ રહી છે ફાયરબોલ્સ: આઈપીએસ બોલ્યા કોરોનાથી બચવાનો છેલ્લો ઉપાય

Published

on

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તેણે પ્લેટમાં કંઈક એવું રાખ્યું છે, જે અગ્નિના ગોળા જેવું લાગે છે. વિડિઓમાં, તમે જોશો કે સ્ત્રી ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાઈ રહી છે.

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દરેક જગ્યાએ લોકો કોરોના સામે સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓને ન તો બેડ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓક્સિજનને લઇને સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા લોકો ઘરે રહીને પોતાને ઇલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે લોકો કોરોનાનાં લક્ષણો બતાવી રહ્યાં છે તે તરત જ ઘરેલું ઉપચાર શરૂ કરી રહ્યા છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તે ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાય છે. આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘સ્ટીમ લીધા પછી, મીઠાના પાણીથી કોગળા કર્યા પછી, હળદરનું દૂધ પીધા પછી, રોજ ગરમ પાણી પીધા પછી, આ છેલ્લો ઉપાય બાકી છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે.’. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે તમે લોકોએ આ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ફક્ત વેક્સિન લો.

Continue Reading

કોરોના

સીઆઈએસસીઈ બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી

Published

on

કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.

ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.

સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending