Uncategorized
કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ
Published
3 years agoon

દેશ અને દુનિયા અત્યારે કોરોનાના કહેરથી પરેશાન છે,દુનિયાના કેટલાક દેશમાં લોકડાઉનની લાગુ પાડી દેવામાં આવ્યું છે,પરંતુ કોરોના વાયરસની સાથે અફવાઓનો પણ દોર જોવા મળી રહ્યો છે.
અપૂરતી માહિતીના કારણે લોકો અફવાઓનો ભોગ બનતા હોય છે,દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ અંગે યોગ્ય માહિતી ન હોવાના કારણે લોકોના મનમાં ડર છે. સાથે જ લોકો એવી સતર્કતા વર્તી રહ્યા છે જે કદાચ એટલી જરૂરી નથી. જેવી કે, શરદી ખાંસી વગર પણ N-95 માસ્ક લગાવીને ફરી રહ્યા છે. શરદી થાય તો પણ તેમને કોરોનાનું જોખમ લાગે છે.

શુ તમને પણ આવા પ્રશ્ર્નો મુજવી રહ્યા છે,તો તમારા બધા જ પ્રશ્ર્નો ના જવાબ અહીં છે,
હા બિલકુલ થઈ શકે છે. તમે જે કપડાં પહેરી રહ્યા છો તેને તરત ઘરે આવીને સારી રીતે ધોવો. કારણ કે બહાર નીકળવા પર અમે ઘણા લોકો સાથે અથડાઈએ છીએ. એવામાં સંક્રમણ કોઈના પણ દ્વારા કપડા સુધી આવી શકે છે. કપડાં પર હાથ લગાવીને તમે મોંઢા-નાક સુધી લઈ જશો અને સંક્રમિત થઈ જશો.
2. શું મોબાઈલ, કોમ્પ્યુટર -લેપટોપથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?
બિલકુલ. આ તમામ ગેજેટ્સને સેનેટાઈઝ કરવા જરૂરી છે. કી-બોર્ડને સેનેટાઈઝ કરતા રહો. મોબાઈલની સ્ક્રીન પણ સેનેટાઈઝ કરો. જો કે આ ત્યારે જ થઈ શકે છે, જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ તેમની આસપાસ રહે. સંક્રમણ જાતે પેદા નથી થતું. ક્યાંકને ક્યાંકથી ફેલાય છે.
3. શું ચપ્પલ, ઘડીયાળથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?
જુત્તા-ચપ્પલથી સંક્રમણ નથી ફેલાતું. ઘડીયાળ પહેરો છો તો તેને સેનાટાઈઝ કરતા રહો, કારણ કે ડ્રોપલેટ્સ દ્વારા ઘડીયાળ સુધી પણ સંક્રમણ આવી શકે છે.
4 શું માસ્ક લગાવવું બધા માટે જરૂરી છે?
ના બિલકુલ જરૂરી નથી. N-95ને તો બિલકુલ ન લગાવશો કારણ કે એ ડોક્ટર્સ અને નર્સ માટે છે. જો તમને શરદી ખાંસી થઈ રહી છે તો જરૂર માસ્ક લગાવો જેથી અન્ય લોકો સુધી સંક્રમણ પહોંચી ન શકે. તમે એવું માનીને જ આગળ ચાલો કે તમે સંક્રમિત છો. આવું કરવાથી તમે જાતે પુરે પુરી સાવચેતી રાખી શકશો. લોકો કોઈ પણ કારણ વગર પણ માસ્ક લગાવી રહ્યા છે. આનાથી માસ્કનું કાળું બજાર ઊભું થયું છે.
5. કોઈને સંક્રમણ ન હોય, તો તેનાથી દૂર રહેવું જરૂરી છે?
દરેક વ્યક્તિ સાથે અંતર રાખવું જરૂરી છે. ઘરે હોવ તો પરિવારના લોકો સાથે ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખો. કોઈ પણ દ્વારા સંક્રમણ ફેલાઈ શકે છે.
6. શું આ વાઈરસ હવામાં પણ રહે છે?
બિલકુલ રહે છે. હવાથી ધીમે ધીમે સપાટી પર આવે છે. હવામાં ઘણી મિનિટો સુધી રહે છે. એટલા માટે બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.
7. શું ડોર નોબથી પણ આ વાઈરસ આવી શકે છે?
તેનું સંક્રમણ ડ્રોપલેટથી થાય છે. જો ડ્રોપલેટ હવામાં અથવા કોઈ સપાટી પર છે અને જો તમે એ સપાટી પર હાથ લગાવશો તો સંક્રમણનો શિકાર થઈ શકો છો. જો કે, જ્યારે તમે હાથને મોઢા-નાક પર લગાવશો, ત્યારે આ સંક્રમણ તમારી બોડીમાં અંદર પહોંચશે. એટલા માટે વારં વાર હાથ ધોવા અને હાથને ચહેરા પર ન લગાવવાની અપીલ કરવામાં આવી રહી છે
8. કોરોના વાઈરસની તપાસ કોણે કરાવવી જોઈએ? શું જેને સામાન્ય હળવો તાવ કે કફ છે, તેમણે પણ તપાસ કરાવવી જોઈએ?
હળવો શરદી-ખાંસી, કફની સાથે જો તાવ છે, ત્યારે પણ કોરોનાની તપાસ કરાવવાની જરૂર નથી. તપાસ કરાવવાની જરૂર નથી. તપાસ કરાવવાના બે મુખ્ય ક્રાઈટેરિયા છે. પહેલો, જો તમે ગત દિવસોમાં વિદેશની મુલાકાત કરી હોય. બીજુ તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, જેમાં કોરોના વાઈરસની પુષ્ટી થઈ ચુકી હોય. બદલાતા હવામાનમાં શરદી-ખાંસી થવી સામાન્ય બાબત છે.
9.કોરોના વાઈરસના સંકેત કેટલા દિવસોમાં જોવા મળે છે?
સામાન્ય રીતે 5 થી 7 દિવસોમાં તેના સંકેત જોવા મળે છે. ઘણી વખત 14 દિવસો સુધીનો પણ સમય લાગી જાય છે. આ જ કારણે 14 દિવસ ઓબ્જર્વેશન પીરિયડ રાખવામાં આવે છે.
10. વાઈરસ કેટલા અંતરથી પણ મને શિકાર બનાવી શકે છે?
કોઈ પણ સંક્રમિત વ્યક્તિના 1 મીટરની આસપાસ સુધી તમે ગયા છો તો પણ તમને સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. વાઈરસના ડ્રોપલેટ્સ 1 મીટરના વિસ્તારમાં ફેલાય છે, એટલા માટે કહેવામાં આવે છે કે દરેકે ઓછામાં ઓછા 1 મીટરનું અતંર જાળવવું જોઈએ.
11. જો ઓફિસ અથવા ઘરમાં મારા સાથીને સંક્રમણ થયું છે તો શું કરવું જોઈએ?
જો તમે તેના સંપર્કમાં આવ્યા છો તો તાત્કાલિક ક્વોરેન્ટાઈન થઈ જવું જોઈએ.
12. શું હાલ હોસ્પિટલની મુલાકાત લેવી સેફ છે?
હોસ્પિટલમાં વિઝિટ કરી શકો છો, પરંતુ રૂટીન ચેકઅપ અથવા કારણ વગર ન જશો. બહું જરૂરી હોય તો જ જાવ. કારણ કે હોસ્પિટલમાં ભીડ હોય છે અને અહીંયા તમે કોવિડ-19 અથવા એવા જ કોઈ અન્ય વાઈરસના સંક્રમણનો શિકાર બની શકો છો.
13. શું ગરમી વધવા પર કોરોના વાઈરસ ખતમ થશે?
ગરમીથી વાઈરસ ખતમ થઈ જશે, એ કહેવું યોગ્ય નથી. કારણ કે સિંગાપુર, થાઈલેન્ડ જેવા દેશોમાં જ્યાં હાઈ હ્યૂમિનિટી હોય છે, ત્યાં પણ આ વાઈરસના ફેલાવાનો કેસ સામે આવ્યો છે. સાથે જ ગરમીના તાપમાનમાં લોકો શોપિંગ મોલ, મૂવી થિયેટર જેવી જગ્યાઓ પર ભેગા થાય છે. અહીંયા એર કન્ડીશનર ઓન હોય છે. જેનાથી માહોલ ઠંડો બની રહે છે. એવા માહોલમાં ભીડ વચ્ચે રહેવાથી વાઈરસનો શિકાર થઈ શકાય છે. એટલા માટે ભીડ વાળી જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ.
14. શું કોરોના વાઈરસ કોઈ વ્યક્તિને ફરી થઈ શકે છે?
બિલકુલ થઈ શકે છે, પરંતુ ફરી થવા અંગે તેના સંક્રમણની અસર પહેલા જેટલું જોખમકારક નથી.
15 શું આનાથી સુરક્ષિત રહેવાનો એકમાત્ર વિકલ્પ ડિસ્ટેસિંગ જ છે?
ભારતમાં આ જ એકમાત્ર સારો વિકલ્પ છે. ઘણા દેશોમાં આને ફોલો પણ કરી ચુકાયું છે. જ્યાં સકારાત્મક પરિણામ સામે આવ્યા હતા.
16. શું યોગા, પ્રાણાયામ કરવાથી આ વાઈરસથી બચી શકાય છે?
ના, આનું કોઈ પ્રમાણ નથી. ઈમ્યુનિટી સારી ન હોવા પર કોવિડ-19નું જોખમ વધી જાય છે. એવામાં ઈમ્યુનિટી વધારવા માટે વ્યાયામ, યોગા કરી શકાય છે.
17. બ્લડ ડોનરને કોરોના વાઈરસની તપાસ કરાવવી જરૂરી છે?
જો કોઈ સ્વસ્થ છે તો કોઈ પણ પ્રકારની તપાસ વગર બ્લડ ડોનેટ કરી શકે છે.
18. શું આ આલ્કોહોલ, ગરમ પાણીના સેવનથી મરે છે?
આવું ન હોય. આલ્કોહોલ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ વધારે નબળી પડે છે. જેનાથી સંક્રમણનો શિકાર થવાની આશંકા વધી જાય છે. સિગારેટ પીતા હોવ તો રિકવર થવામાં ઘણો સમય લાગી શકે છે.
19. શું હેન્જ સેનેટાઈઝર સાબુ કરતા વધારે સારો વિકલ્પ છે?
જો તમે રોજ સાબુ અને પાણીથી હાથ ધોવો છો તો આવું કરતા જ રહો, કારણ કે જો તમારી દિનચર્યામાં સામેલ છે અને તમે સારી રીતે હાથ ધોતા રહેજો. જો ક્યારેક બહાર જઈ રહ્યા હોવ, જ્યાં પાણીની વ્યવસ્થા નથી તો ત્યાં હેન્ડ સેનેટાઈઝર સાથે લઈ જાવ. હેન્ડ સેનેટાઈઝર પણ આખા હાથમાં લગાવી દો.
20. બહારનું જમવાનું અને નોનવેજથી સંક્રમણ થઈ શકે છે?
તેનું કોઈ પ્રમાણ નથી. આ જાનવરોથી માંડી મનુષ્યમાં આવ્યો છે પરંતુ નોનવેજ ખાવાથી થાય છે એવું કોઈ પ્રમાણ નથી.
You may like
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
-
પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ
-
દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો
-
બંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી
-
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેરાત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે
-
સુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસને લઈ શરદ પવારે આપ્યુ નિવેદન
Uncategorized
આ ખેલાડી બન્યો દુનિયાનો નંબર વન વનડે ફાસ્ટ બોલર
Published
3 months agoon
July 13, 2022
આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં બોલરોના લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધા છે. જેમાં લેટેસ્ટ અપડેટમાં ભારતનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ નંબર વન પર પહોંચી ગયો છે. બુમરાહ વન ડેમાં વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે. આ સાથે ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં બુમરાહે 19 રનમાં છ વિકેટ ઝડપી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે આઇસીસી વન ડે બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો હતો.
બુમરાહે ફેબ્રુઆરી 2020 માં ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ સામે ટોચનું સ્થાન ગુમાવ્યું હતું.આ સાથે તે છેલ્લા બે વર્ષમાં 730 દિવસ સુધી નંબર 1 પર રહ્યો હતો, જે અન્ય કોઈ પણ ભારતીય કરતા વધારે હતો અને ઇતિહાસમાં નવમા ખેલાડી તરીકે તે સૌથી વધુ વખત ટોચના સ્થાને રહ્યો હતો.પ્રથમ ટી-20માં નંબર-1 રહેલો બુમરાહ હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે, કપિલ દેવ બાદ વન-ડે રેન્કિંગમાં નંબર-1 બનનારો તે બીજો ભારતીય ફાસ્ટ બોલર છે. મનિન્દર સિંઘ, અનિલ કુમ્બલે અને રવિન્દ્ર જાડેજા ટોચના રેન્કિંગ હાંસલ કરનારા અન્ય ભારતીય બોલરો છે.
Uncategorized
ચોમાસાની ઋતુમાં રાખો વાળની સંભાળ, જાણો વાળને સ્વસ્થ રાખવાની ટિપ્સ
Published
3 months agoon
July 10, 2022
ચોમાસાની ઋતુમાં ત્વચા વાળ બંને પર ઘણી અસર થાય છે. તડકાથી ત્વચા લાલ થઈ જાય છે તો ચોમાસામાં વાળ ઓઈલી થઈ જાય છે. આવી સ્થિતિમાં બંનેની વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે. હાલમાં અમે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમને તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
તમે ગમે એટલી તમારા વાળની સંભાળ રાખો, પરંતુ જો તમે પૂરતું પાણી નથી પીતા તો તમને કોઈ ફાયદો નથી થવાનો. ઠંડા પીણાં પસંદ કરો જે તમને તમારા વાળને સ્વસ્થ અને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે. તમારા આહારમાં બને ત્યાં સુધી તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
તમારા વાળને બને એટલું ઓછું બ્લો-ડ્રાય કરવાનો પ્રયાસ કરો. વાળને ડ્રાયરથી સુકવવાના બદલે ખૂલી હવામાં સૂકવો. વધુ સમય સુધી ટોવેલ બાંધીને ન રાખશો. કારણ કે તે પહેલાથી જ સુકા વાળને વધુ નુકસાન પહોંચાડશે.
ઘણીવાર છોકરીઓ ગરમીથી પરેશાન થઈને પોતાના વાળને કસીને બાંધી લે છે પરંતુ તમારે આવું ન કરવું જોઈએ, તેનાથી વાળને નુકસાન થઈ શકે છે. સૂર્યના તેજ કિરણો, વધુ પરસેવો, વારંવાર વાળ ધોવા અને ટાઈટ હેર આ તમામને પગલે તમારા વાળ નબળા પડી જતા હોય છે.
ચોમાસાની મોસમમાં ભેજને લીધે વાળ સૌથી વધુ ડેમેજ થતા હોય છે. તમારા માથાને ઢાંકવા માટે સ્કાર્ફ અથવા ટોપીનો ઉપયોગ કરો. તે તમને વધારાની યુવી પ્રોટેક્શન આપે છે, તેમજ માથાની ચામડીમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. પવનથી થતા નુકસાનને ઘટાડવા માટે ટોપીનો ઉપયોગ કરો, ખાસ કરીને જો તમારા વાળ વધુ ગુંચવાતા હોય તો ધ્યાન રાખો.
Uncategorized
એશા ગુપ્તાએ પહેરેલ આ સ્ટાઇલિશ ડ્રેસની કિમત જાણી વળી જશે પરસેવો
Published
4 months agoon
July 1, 2022
એશા ગુપ્તા પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દિવાના બનાવે છે. પછી ભલે તે ગમે તે પ્રકારનું ફોટોશૂટ કરાવે, ઈશા ડીપ નેકલાઈન, બોડીકોન ડ્રેસ અને બિકીની લુકમાં પ્રભાવિત જોવા મળે છે. હાલમાં જ ઈશાનું એક નવું ફોટોશૂટ સામે આવ્યું છે. જેમાં તે સફેદ ડ્રેસમાં તૈયાર છે. આ સિમ્પલ દેખાતા બોડીકોન ડ્રેસની કિંમત સાંભળીને કોઈપણને આશ્ચર્ય થશે.
ખરેખર, એશા ગુપ્તાએ સફેદ રંગનો બોડી ફિટિંગ ડ્રેસ પહેરીને પોઝ આપ્યો છે. જેની હોલ્ટર નેક અને સ્લીવલેસ ડિઝાઇન સ્ટાઇલિશ લાગી રહી છે. તે જ સમયે, ઈશાનું કર્વી ફિગર પણ બોડી ફિટિંગ ડ્રેસમાં ફ્લોન્ટ થઈ રહ્યું છે. તે જ સમયે, આ ડ્રેસની બેકલેસ ડિઝાઇન પણ ખૂબ જ ખાસ છે. કારણ કે આ ગોલ્ડન ચેઈનનું ડિટેઈલીંગ કરવામાં આવ્યું છે. તે જ સમયે, આ ડ્રેસની લાંબી લંબાઈ તેને સંપૂર્ણ મેક્સી ડ્રેસ બનાવી રહી છે.
એશાએ આ સફેદ મેક્સી ડ્રેસને ન્યુટ્રલ ટોન મેકઅપ સાથે પૂરક બનાવ્યો હતો. સારી રીતે વ્યાખ્યાયિત ભમર સાથે સ્મોકી બ્રાઉન આંખો સહિત. તે જ સમયે, ઈશાએ ડાર્ક બ્રાઉન કલરની લિપસ્ટિક સાથે ભીના વાળનો લુક આપ્યો છે. જેની સાથે કાનમાં ગોલ્ડન ચેનવાળી બુટ્ટી ખૂબ જ સિઝલિંગ લુક આપી રહી છે. ઈશાનો સેક્સી ડ્રેસ ફ્રેન્ચ લેબલ એલિસાબેટાના કલેક્શનમાંથી લેવામાં આવ્યો છે. જેની કિંમત પણ આશ્ચર્યચકિત કરી શકે છે.
એલિસાબેટ્ટાની અધિકૃત વેબસાઇટ પર ગોલ્ડન ચેઇન ડિટેલિંગ સાથેના ડ્રેસની કિંમત લગભગ US$1202 છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત લગભગ 94,838 રૂપિયા છે. જે કોઈ પણ તેને સાંભળે છે તે તેમના મગજમાં ડૂબી શકે છે. પરંતુ આ દેખાવની નકલ કરવી દરેક માટે નથી. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ઑનલાઇન અથવા સ્થાનિક બજારમાંથી આ પ્રકારનો ડ્રેસ ખરીદીને દેખાવને ફરીથી બનાવી શકો છો.
જોકે, અમે તમને જણાવી દઈએ કે ઈશાના મોટાભાગના લુક હોટ અને સિઝલિંગ છે. લેટેસ્ટ તસવીરોમાં ઈશા બ્રંચ કરતી જોવા મળી રહી છે. જેના માટે તેણે પોતાના માટે નાનકડું પિંક ટોપ પસંદ કર્યું છે. જેમાં ફુલ સ્લીવ તેમજ ફ્રન્ટ ઓપન ડિઝાઇન છે. હોટ લુક આપવા માટે, ઈશાએ માત્ર એક બટન અપ કરીને બાકીનું ઓપન રાખ્યું છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન