Connect with us

કોરોના

કોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ

Published

on

કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે કોરોના વેકસીનને લઇ રશિયાએ મોટો ખુલાસો કર્યો છે.રશિયાએ કોરોનાની વેક્સિન શોધી લીધી હોવાનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે વેક્સિનને રશિયન આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.


આપને જણાવી દઇએ કે એઈમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા કહ્યું છે કે જો રશિયાની વેક્સિન સુરક્ષિત અને ઈમ્યૂનિટી ડેવલોપ કરનારી છે તો સારી વાત છે. પરંતુ આ વાત પહેલા ચકાસવી જોઈએ.


ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો આવું થયું તો ભારત પાસે માસ પ્રોડક્શન કરવાની શક્તિ છે. તો દેશી વેક્સિન પર ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં પોસ્ટ કોવિડ રિવકરી ક્લીનિક શરૂ કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના રિકવરી બાદ દર્દીઓમાં ફેંફસાની સમસ્યા જોવા મળી રહી છે. અનેક દર્દીઓમાં પોસ્ટ કોવિડના લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં શ્વાસ લેવામાં સમસ્યાની પણ ફરિયાદો મળી છે. પોસ્ટ કોવિડ ક્લીનિકમાં ફેંફસાની ક્ષમતામાં સુધારા પર કામ કરાશે..


કોરોના વાયરસ વેક્સિન પર રશિયાએ રાષ્ટ્રપતિ પુતિને મોટું એલાન કર્યું છે. તેમનું કહેવું છે કે, હેલ્થ મિનિસ્ટ્રીના અપ્રૂવલ બાદ કોરોનાનો પહેલો ડોઝ રશિયામાં લોન્ચ કરી દીધો છે. પુતિને એમ પણ જણાવ્યું કે, આ કોરોનાની રસી સૌથી પહેલા તેમની દીકરીને લગાવવામાં આવી છે.


આપણે સૌવ જણીએ છે કે રશિયા પહેલા જ જણાવી ચૂક્યું હતું કે તેમનું વેક્સિન બનાવવા માટેનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને તેઓ વેક્સિન લોન્ચ કરવાના છે. જણાવી દઇએ કે રશિયાના મૉસ્કોમાં એક મૉસ્કો ગમેલિયા ઇન્સ્ટિટ્યૂટ છે, તેણે આ કોરોના વેક્સિનને બનાવી છે


કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર છે અને ભારતમાં પણ સતત કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સીરમ ઇન્સ્ટીટયુટના CEO આદર પૂનાવાલાએ કહ્યું છે કે દેશને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની રસી મળી જશે. સીરમ ઇન્સ્ટીટયુટ દુનિયા સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે. અને વર્તમાનમાં આ કંપનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે રસીનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે

કોરોના

મહિલા ખાઈ રહી છે ફાયરબોલ્સ: આઈપીએસ બોલ્યા કોરોનાથી બચવાનો છેલ્લો ઉપાય

Published

on

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તેણે પ્લેટમાં કંઈક એવું રાખ્યું છે, જે અગ્નિના ગોળા જેવું લાગે છે. વિડિઓમાં, તમે જોશો કે સ્ત્રી ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાઈ રહી છે.

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દરેક જગ્યાએ લોકો કોરોના સામે સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓને ન તો બેડ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓક્સિજનને લઇને સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા લોકો ઘરે રહીને પોતાને ઇલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે લોકો કોરોનાનાં લક્ષણો બતાવી રહ્યાં છે તે તરત જ ઘરેલું ઉપચાર શરૂ કરી રહ્યા છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તે ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાય છે. આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘સ્ટીમ લીધા પછી, મીઠાના પાણીથી કોગળા કર્યા પછી, હળદરનું દૂધ પીધા પછી, રોજ ગરમ પાણી પીધા પછી, આ છેલ્લો ઉપાય બાકી છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે.’. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે તમે લોકોએ આ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ફક્ત વેક્સિન લો.

Continue Reading

કોરોના

સીઆઈએસસીઈ બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી

Published

on

કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.

ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.

સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending