Uncategorized
જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..
Published
3 years agoon

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને લઈને આંતરાષ્ટ્રીય હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. દુનિયાભરમાં લગભગ 2 લાખ લોકોને આ વાયરસથી ઇન્ફેક્ટેડ હોવાની શંકા સાથે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિક આ બીમારી અને વાયરસની દવા શોધવામાં લાગી ગયા છે. ચીનના વુહાન શહેરથી શરુ થયેલો ખૂબ જ ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસ અત્યાર સુધીમાં દુનિયાના 23 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેમજ અત્યાર સુધીમાં એકલા ચીનમાંથી 425થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના 3 કન્ફર્મ્ડ કેસ કેરળમાં સામે આવી ચુક્યા છે.
તેવામાં લોકો આ બીમારીને લઈને લોકોમાં ડર હોવો એ સ્વાભાવિક છે. જોકે આ બધા વચ્ચે કેટલાક એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે હોમિયોપેથીમાં આ રોગનો ઈલાજ છે. તો કોઈ આયુર્વેદમાં સચોટ ઈલાજ હોવાનો દાવો કરે છે. કોરોના વાયરસને લઈને સોશીયલ મીડિયા પર અનેક પ્રકારના મીથ ફેલાવવામાં આવી રહ્યા છે. તો ચાલો જાણીએ આ મીથ પાછળની હકીકત..
મીથઃ પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ
હકીકતઃ આ વાત હજી સુધી કોઈ રિસર્ચમાં સાબીત નથી થઈ કે નથી કોઈ એવા પૂરાવા. તેમજ અત્યાર સુધી આ જાનવરોમાંથી માણસમાં કોરોના વાયરસ આવ્યો હોય તેવો કિસ્સો ક્યાંય સામે નથી આવ્યો. જોકે પાળતુ જાનવરોને અડ્યા બાદ ખૂબ જરુરી છે કે તમે હાથને હાઈજેનિક હેન્ડવોશથી સાફ કરીને બેક્ટેરિયા ફેલાવાથી રોકો.
મીથઃ લસણ ખાવાથી કોરોના વાયરસ દૂર રહે છે.
હકીકતઃ આજકાલ વોટ્સએપ પર આયુર્વેદના નામે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લસણ ખાવાથી કોરોના વાયરસ ઇન્ફેક્શનથી બચી શકાય છે, પરંતુ આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. એન્ટિમાઈક્રોબિયલ તત્વોથી ભરપૂર લસણ એક હેલ્ધી ફૂડ છે પરંતુ એ વાતના કોઈ સંકેત કે પૂરાવા નથી કે લસણ ખાવાથી કોરોના વાયરસનો ઈલાજ થઈ શકે છે.
મીથઃ નિમોનિયાની વેક્સીન કોરોના વાયરસથી બચવામાં મદદરુપ છે.
હકીકતઃ નહીં, આ વાત પણ સાવ ખોટી છે. WHOએ પણ કહી દીધું છે કે નિમોનિયા માટે આપવામાં આવતી ન્યૂમોકોકલ વેક્સીન નવા અને ખતરનાક વાયરસ વિરુદ્ધ કોઈ સુરક્ષા આપતી નથી. આ વાયરસ એટલો નવો છે કે તેના માટે એક અલગથી નવા જ પ્રકારની વેક્સીનની જરુરિયા ઉભી થઈ છે. જે હાલ દુનિયામાં ક્યાંય ઉપલબ્ધ નથી.
મીથઃ ગાયના ગોબર અને ગૌમુત્રથી કોરોનાનો ઈલાજ
હકીકતઃ કોરોના વાયરસ સામે આવ્યા બાદ બધા પોતપોતાની રીતે તેનો ઈલાજ હોવાનો દાવો કરે છે. આ જ રીતે કેટલાક લોકોનો દાવો છે કે ગૌમૂત્રના સેવન અને ગોબરથી કોરોના વાયરસનું ઇંફેક્શન દૂર થાય છે. પરંતુ આ દાવો પણ સંપૂર્ણ રીતે ખોટો છે.
મીથઃ એન્ટિબાયોટિકથી થઈ શકે છે કોરોના વાયરસનો ઈલાજ
હકીકતઃ WHOનું માનીએ તો એન્ટિબાયોટિક વાયરસ વિરુદ્ધ કામ નથી કરતા અને તે ફક્ત બેક્ટેરિયાવાળા ઈન્ફેક્શન વિરુદ્ધ કામ કરે છે. જેથી આ ખતરનાક વાયરસ વિરુદ્ધ લડવામાં એન્ટિબાયોટિક્સનું કોઈ કામ નથી.
મીથઃ ચાઈનીઝ ફૂડ ખાવાથી થઈ શકે છે કોરોના વાયરસ
હકીકતઃ આ પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલ ભ્રમ છે. જેના મુજબ ચાઈનીઝ ફૂડ અથવા ચાઈનીઝ રેસ્ટોરન્ટ પર જવાનું બંધ કરી દેવું જોઈએ.તેનાથી જ કોરોના વાયરસ ફેલાય છે. પરંતુ હકીકતમાં આ વાત પણ પૂર્ણ રીતે ખોટી છે. WHO ચાઈનીઝ ફૂડને કોરોના વાયરસ ફેલવાનાર રિસ્ક ફેક્ટર નથી માન્યું. એટલે કે ચાઈનીઝ નૂડલ્સ ખાવાથી તમને કોરોના નહીં થાય.
You may like
-
આવું પણ બને! 33 વર્ષથી પુરુષ અજાણ હતો કે તે સ્ત્રી છે: જાણો સમગ્ર ઘટના
-
લે બોલો! આ દેશની કોર્ટમાં સબૂત તરીકે ઇમોજી પણ રહેશે માન્ય!
-
એક ડીલ આવી પણ! ઘઉ અને લસણના બદલમાં મેળવો ઘર: જાણો આ અજીબ ઓફર વિષે
-
આ છે દુનિયાનું સૌથી અમીર ગામ! દરેક વ્યક્તિ વર્ષના કમાય છે 80 લાખ રૂપિયા
-
દેશમાં કોરોના રોકેટ ગતિએ! છેલ્લા 24 કલાકમાં 12 હાજરથી વધ કેસ નોંધાયા
-
મંકીપોક્સને લઈ WHOએ આપ્યું રેડ એલર્ટ! આ દેશોએ ખાસ કાળજી લેવા કર્યું સૂચન
Uncategorized
આ ખેલાડી બન્યો દુનિયાનો નંબર વન વનડે ફાસ્ટ બોલર
Published
3 months agoon
July 13, 2022
આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં બોલરોના લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધા છે. જેમાં લેટેસ્ટ અપડેટમાં ભારતનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ નંબર વન પર પહોંચી ગયો છે. બુમરાહ વન ડેમાં વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે. આ સાથે ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં બુમરાહે 19 રનમાં છ વિકેટ ઝડપી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે આઇસીસી વન ડે બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો હતો.
બુમરાહે ફેબ્રુઆરી 2020 માં ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ સામે ટોચનું સ્થાન ગુમાવ્યું હતું.આ સાથે તે છેલ્લા બે વર્ષમાં 730 દિવસ સુધી નંબર 1 પર રહ્યો હતો, જે અન્ય કોઈ પણ ભારતીય કરતા વધારે હતો અને ઇતિહાસમાં નવમા ખેલાડી તરીકે તે સૌથી વધુ વખત ટોચના સ્થાને રહ્યો હતો.પ્રથમ ટી-20માં નંબર-1 રહેલો બુમરાહ હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે, કપિલ દેવ બાદ વન-ડે રેન્કિંગમાં નંબર-1 બનનારો તે બીજો ભારતીય ફાસ્ટ બોલર છે. મનિન્દર સિંઘ, અનિલ કુમ્બલે અને રવિન્દ્ર જાડેજા ટોચના રેન્કિંગ હાંસલ કરનારા અન્ય ભારતીય બોલરો છે.
Uncategorized
ચોમાસાની ઋતુમાં રાખો વાળની સંભાળ, જાણો વાળને સ્વસ્થ રાખવાની ટિપ્સ
Published
3 months agoon
July 10, 2022
ચોમાસાની ઋતુમાં ત્વચા વાળ બંને પર ઘણી અસર થાય છે. તડકાથી ત્વચા લાલ થઈ જાય છે તો ચોમાસામાં વાળ ઓઈલી થઈ જાય છે. આવી સ્થિતિમાં બંનેની વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે. હાલમાં અમે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમને તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
તમે ગમે એટલી તમારા વાળની સંભાળ રાખો, પરંતુ જો તમે પૂરતું પાણી નથી પીતા તો તમને કોઈ ફાયદો નથી થવાનો. ઠંડા પીણાં પસંદ કરો જે તમને તમારા વાળને સ્વસ્થ અને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે. તમારા આહારમાં બને ત્યાં સુધી તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
તમારા વાળને બને એટલું ઓછું બ્લો-ડ્રાય કરવાનો પ્રયાસ કરો. વાળને ડ્રાયરથી સુકવવાના બદલે ખૂલી હવામાં સૂકવો. વધુ સમય સુધી ટોવેલ બાંધીને ન રાખશો. કારણ કે તે પહેલાથી જ સુકા વાળને વધુ નુકસાન પહોંચાડશે.
ઘણીવાર છોકરીઓ ગરમીથી પરેશાન થઈને પોતાના વાળને કસીને બાંધી લે છે પરંતુ તમારે આવું ન કરવું જોઈએ, તેનાથી વાળને નુકસાન થઈ શકે છે. સૂર્યના તેજ કિરણો, વધુ પરસેવો, વારંવાર વાળ ધોવા અને ટાઈટ હેર આ તમામને પગલે તમારા વાળ નબળા પડી જતા હોય છે.
ચોમાસાની મોસમમાં ભેજને લીધે વાળ સૌથી વધુ ડેમેજ થતા હોય છે. તમારા માથાને ઢાંકવા માટે સ્કાર્ફ અથવા ટોપીનો ઉપયોગ કરો. તે તમને વધારાની યુવી પ્રોટેક્શન આપે છે, તેમજ માથાની ચામડીમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. પવનથી થતા નુકસાનને ઘટાડવા માટે ટોપીનો ઉપયોગ કરો, ખાસ કરીને જો તમારા વાળ વધુ ગુંચવાતા હોય તો ધ્યાન રાખો.
Uncategorized
એશા ગુપ્તાએ પહેરેલ આ સ્ટાઇલિશ ડ્રેસની કિમત જાણી વળી જશે પરસેવો
Published
4 months agoon
July 1, 2022
એશા ગુપ્તા પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દિવાના બનાવે છે. પછી ભલે તે ગમે તે પ્રકારનું ફોટોશૂટ કરાવે, ઈશા ડીપ નેકલાઈન, બોડીકોન ડ્રેસ અને બિકીની લુકમાં પ્રભાવિત જોવા મળે છે. હાલમાં જ ઈશાનું એક નવું ફોટોશૂટ સામે આવ્યું છે. જેમાં તે સફેદ ડ્રેસમાં તૈયાર છે. આ સિમ્પલ દેખાતા બોડીકોન ડ્રેસની કિંમત સાંભળીને કોઈપણને આશ્ચર્ય થશે.
ખરેખર, એશા ગુપ્તાએ સફેદ રંગનો બોડી ફિટિંગ ડ્રેસ પહેરીને પોઝ આપ્યો છે. જેની હોલ્ટર નેક અને સ્લીવલેસ ડિઝાઇન સ્ટાઇલિશ લાગી રહી છે. તે જ સમયે, ઈશાનું કર્વી ફિગર પણ બોડી ફિટિંગ ડ્રેસમાં ફ્લોન્ટ થઈ રહ્યું છે. તે જ સમયે, આ ડ્રેસની બેકલેસ ડિઝાઇન પણ ખૂબ જ ખાસ છે. કારણ કે આ ગોલ્ડન ચેઈનનું ડિટેઈલીંગ કરવામાં આવ્યું છે. તે જ સમયે, આ ડ્રેસની લાંબી લંબાઈ તેને સંપૂર્ણ મેક્સી ડ્રેસ બનાવી રહી છે.
એશાએ આ સફેદ મેક્સી ડ્રેસને ન્યુટ્રલ ટોન મેકઅપ સાથે પૂરક બનાવ્યો હતો. સારી રીતે વ્યાખ્યાયિત ભમર સાથે સ્મોકી બ્રાઉન આંખો સહિત. તે જ સમયે, ઈશાએ ડાર્ક બ્રાઉન કલરની લિપસ્ટિક સાથે ભીના વાળનો લુક આપ્યો છે. જેની સાથે કાનમાં ગોલ્ડન ચેનવાળી બુટ્ટી ખૂબ જ સિઝલિંગ લુક આપી રહી છે. ઈશાનો સેક્સી ડ્રેસ ફ્રેન્ચ લેબલ એલિસાબેટાના કલેક્શનમાંથી લેવામાં આવ્યો છે. જેની કિંમત પણ આશ્ચર્યચકિત કરી શકે છે.
એલિસાબેટ્ટાની અધિકૃત વેબસાઇટ પર ગોલ્ડન ચેઇન ડિટેલિંગ સાથેના ડ્રેસની કિંમત લગભગ US$1202 છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત લગભગ 94,838 રૂપિયા છે. જે કોઈ પણ તેને સાંભળે છે તે તેમના મગજમાં ડૂબી શકે છે. પરંતુ આ દેખાવની નકલ કરવી દરેક માટે નથી. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ઑનલાઇન અથવા સ્થાનિક બજારમાંથી આ પ્રકારનો ડ્રેસ ખરીદીને દેખાવને ફરીથી બનાવી શકો છો.
જોકે, અમે તમને જણાવી દઈએ કે ઈશાના મોટાભાગના લુક હોટ અને સિઝલિંગ છે. લેટેસ્ટ તસવીરોમાં ઈશા બ્રંચ કરતી જોવા મળી રહી છે. જેના માટે તેણે પોતાના માટે નાનકડું પિંક ટોપ પસંદ કર્યું છે. જેમાં ફુલ સ્લીવ તેમજ ફ્રન્ટ ઓપન ડિઝાઇન છે. હોટ લુક આપવા માટે, ઈશાએ માત્ર એક બટન અપ કરીને બાકીનું ઓપન રાખ્યું છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન