રાષ્ટ્રીય
મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
Published
2 years agoon

આજનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે ઝટકા સમાન રહ્યો. જ્યાં ધોનીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તેની પાછળ પાછળ સુરેશ રૈનાએ પણ પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ બાદ રૈનાએ તેના સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે તે પણ આ યાત્રામાં જોડાઈ રહ્યો છે.સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટ ટીમમાં મિડલ ઓર્ડરના બેટિંગ ક્રમમાં ભૂમિકા ભજવી છે. જો કે હવે સુરેશ રૈના ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. સાથે જ સુરેશ રૈના આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ રમે છે.
સુરેશ રૈનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ધોની સાથેની પોતાની એક તસવીર શેર કરતાં લખ્યું કે, ‘તમારી સાથે રમવું એ એક સુંદર અનુભવ હતો માહી. હું ગર્વ સાથે આ યાત્રામાં તમારો સાથી બની રહ્યો છું. આભાર ભારત. જય હિન્દ! ‘
રૈનાને ટેસ્ટ મેચમાં વધારે તક મળી ન હતી. પરંતુ તેણે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા પ્રયત્નો કર્યા. રૈનાએ 19 મેચોમાં 26.18 ની એવરેજથી 768 રન બનાવ્યા હતા. રૈનાએ વન ડેમાં 226 મેચ રમી હતી અને 35.31 ની એવરેજથી 5,615 રન બનાવ્યા હતા.
રૈનાએ વનડેમાં 5 સદી અને 36 અડધી સદી ફટકારી હતી. રૈનાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ એક મહાન ટ્રેક રેકોર્ડ બનાવ્યો છે. 109 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 42.15ની એવરેજથી 6871 રન બનાવ્યા. તેણે 109 મેચોમાં 14 સદી અને 45 અડધી સદી પણ ફટકારી હતી.
મહત્વનું છે કે વર્ષ 2018 બાદ સુરેશ રૈના એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. ત્યારે આશરે 2 વર્ષ બાદ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જો કે ધોનીની જેમ રૈના IPLમાં રમતો દેખાશે.
You may like
-
ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે બેન સ્ટોકે ક્રિકેટ વનડેમાથી લીધી નિવૃતિ! આપ્યું કઈક આવું કારણ
-
Asia Cup 2022માં ભારત-પાકિસ્તાન ફરી થશે આમને સામને જાણો ક્યારે છે તેમની વચ્ચે મેચ
-
આ કપ્તાને ભારતીય ખેલાડીઓને ફિલ્ડમાં દાદાગીરી શીખવાડેલ
-
જસપ્રિત બુમરાહે ફરી કમાલ! આ ખેલાડીનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
-
છોરીઓએ મારી બાજી! મહિલા ક્રિકેટ ટીમે વનડે સિરિઝ જીતી
-
વિરાટનો ગુસ્સો ટીમને ભારે પડ્યો! ઝઘડા બાદ જોનીએ ધુવાધર બેટિંગ કરી
રાષ્ટ્રીય
ભારતનો સૌથી મોટો પાણીમાં તરતો સોલાર પાવર પ્રોજેકટ તૈયાર: જાણો શું થશે ફાયદો
Published
1 month agoon
July 2, 2022
NTPC એ દેશના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરી દીધું છે. તેલંગાણાના રામાગુંડમના આ પ્રોજેક્ટથી 100 મેગાવોટ પાવર મળશે. તેના કમિશનિંગ સાથે, દક્ષિણ ભારતમાં ફ્લોટિંગ સોલાર ક્ષમતાનું વ્યાવસાયિક ઉત્પાદન વધીને 217 મેગાવોટ થઈ ગયું છે. અગાઉ એનટીપીસીએ કેરળના કયામકુલમ ખાતે 92 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેક્ટ અને આંધ્રપ્રદેશના સિમ્હાદ્રી ખાતે 25 મેગાવોટથી વીજ ઉત્પાદન શરૂ કર્યું હતું.
એનટીપીસીના આ પ્રોજેક્ટમાં 423 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે એક જળાશયના 500 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રોજેક્ટને 40 વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, દરેક સેગમેન્ટ 2.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. ફ્લોટિંગ સોલાર પેનલ્સને કારણે દર વર્ષે લગભગ 32.5 લાખ ઘન મીટર પાણીનું બાષ્પીભવન અટકાવવામાં આવશે.
નોંધનિય છે કે, આ સિસ્ટમ વોટર બોડી સોલર મોડ્યુલનું તાપમાન સંતુલન જાળવવામાં પણ મદદ કરશે. ઉત્પન્ન થતી વીજળી આડકતરી રીતે કોલસાના વપરાશમાં વાર્ષિક 1,65,000 ટન જેટલો ઘટાડો કરશે, જેનાથી દર વર્ષે 2,10,000 ટન ઓછા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થશે.
ગુજરાત
‘તારક મહેતા’ ફૅમ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું નિધન,77 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Published
10 months agoon
October 3, 2021By
Gujju Media
‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.
વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું. ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું.
આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.
ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી.
શોમાં નટુકાકાનું પાત્ર ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકને ગયા વર્ષે કેન્સર થયું હતું. તેઓ દોઢ વર્ષમાં માત્ર 4-5 એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી. તેમણે દર મહિને 1 લાખનો પગાર મળતો હતો. આ ઉપરાંત તેમને જેટલા એપિસોડ શૂટ કર્યા હોય તે પ્રમાણે ફી મળતી હતી.
રાષ્ટ્રીય
ભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો
Published
2 years agoon
August 31, 2020
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. 84 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને થોડા દિવસો પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમજ તેમને મગજની સર્જરી માટે દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર હતા. વાત કરવામાં આવે પ્રણવ મુખર્જીના જીવનની તો તેમનો જન્મ 11 ડિસેમ્બર 1935 ના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના નાના ગામ મીરાતીમાં થયો હતો.
રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ દેશેર ડાક મેગેઝિનમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. બાદમાં 1969 માં, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા. પ્રણવ મુખર્જીને રાજકારણમાં લાવવાનો શ્રેય તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને જાય છે.
વર્ષ 1973-74માં ઇન્દિરાએ તેમને ઉદ્યોગ, શિપિંગ અને પરિવહન, સ્ટીલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી અને નાણા રાજ્ય પ્રધાન બનાવ્યા. 1982માં તેઓ ઇન્દિરા ગાંધીની પ્રધાનમંડળમાં ભારતના નાણાં પ્રધાન બન્યા અને 1980 થી 1985 સુધી રાજ્યસભામાં ગૃહના નેતા રહ્યા.
મુખર્જીએ ભારતીય અર્થવ્યવસ્થા અને રાષ્ટ્ર નિર્માણ પર ઘણા પુસ્તકો લખ્યા છે. તેમને ઘણા એવોર્ડ અને સન્માન મળ્યા. આમાં 2008માં પદ્મ વિભૂષણ, 1997માં સર્વશ્રેષ્ઠ સંસદસભ્ય અને 2011માં ભારતમાં સર્વશ્રેષ્ઠ સંચાલકનો એવોર્ડ શામેલ છે.
પ્રણવ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા.. 2019માં મોદી સરકારે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. પ્રણવ મુખર્જીને એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે, જે પરસ્પર મતભેદોને ભૂલીને, દરેક રાજકીય પક્ષ દ્વારા આદર આપવામાં આવતા હતા.
મોદી સરકાર દ્વારા ભારત રત્ન માટે તેમના નામની પસંદગી તેના પુરાવા છે. મુત્સદ્દીગીરી, અર્થશાસ્ત્ર, રાજકારણ અને સંસદીય પરંપરાઓનું ફાંફડું ધરાવતા રાજકારણી હતા. રાષ્ટ્રપતિ તરીકે પણ તેમણે આવા અનેક કાર્યો કર્યા જે એક ઉદાહરણ બની ગયા. ભારતીય રાજકારણમાં તેમની અભાવ હંમેશા અનુભવાશે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ