એન્ટરટેઈન્મેન્ટ
દબંગ ખાનની દાદાગીરીનો શિકાર બન્યા આ 7 લોકો, ઇન્ડસ્ટ્રીમાં સલમાનને કારણે આજે પણ નથી મળતું કામ
Published
10 months agoon
By
Aryan Patel
બોલિવૂડના દબંગ સલમાન ખાનએ પોતાનો 56મો જન્મદિવસની ઉજવણી કરી. સલમાન ખાન લાંબા સમયથી બોલીવુડ ઉદ્યોગ પર રાજ કરી રહ્યા છે. આ લાંબી કારકિર્દીમાં ઘણા તારલા તેના મિત્રો બની ગયા છે અને ઘણા તારલા તેની પાસેથી દુશ્મની પણ લીધી છે. આજે અમે તમને એવા તારલા વિશે જણાવી રહ્યા છીએ જેમને સલમાન ખાન બિલકુલ પસંદ નથી કરતા.
ઐશ્વર્યા રાય સાથે સલમાન ખાનના મતભેદો પછી એશના જીવનમાં વિવેક ઓબેરોયનો પ્રવેશ થયો હતો. જેઓ તે સમયે સાથિયા જેવી ફિલ્મોની સફળતા પર સાતમા આસમાને હતા. વિવેક ઓબેરોયે સલમાન ખાન વિરૂદ્ધ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઝઘડો ઘણો વધી ગયો હતો. જે પછી આજ સુધી સલમાન ખાન વિવેક ઓબેરોયને જોઈને પીઠ ફેરવી લે છે.
આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે, પણ અનુરાગ કશ્યપ સલમાન ખાન સ્ટારર તેરે નામનું નિર્દેશન કરવાના હતા. અનુરાગ દેખીતી રીતે સલમાનને યુપીના છોકરાના રોલમાં કાસ્ટ કરવા માંગતો ન હતો કારણ કે, તેમને લાગ્યું કે, તેઓ આ રોલ માટે યોગ્ય નથી, પણ ફિલ્મના મેકર્સ સલમાનને કાસ્ટ કરવા માંગતા હતા. અનુરાગે આ ફિલ્મ માટે સલમાનને તેમની છાતી પર થોડા વાળ ઉગાડવા કહ્યું હતું. તેના પર સલમાન ખાનનો પારો સાતમા આસમાને ચડી ગયો હતો.
અરિજીત સિંહ અને સલમાન ખાન એક એવોર્ડ શોમાં ટકરાયા હતા. સલમાન જ્યારે એક એવોર્ડ શોમાં એન્કરિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે અરિજીતને સુવાડવા વાળો ગાયક કહ્યો હતો. આ અંગે અરિજીત સિંહે પણ તેમને યોગ્ય જવાબ આપ્યો હતો. તે સમયથી અરિજીત સિંહ સલમાન ખાનના દુશ્મનોની યાદીમાં સામેલ થઈ ગયા હતા.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન વિશે આખી દુનિયા જાણે છે. તે બંને મિત્રો નથી, બધા આ વિશે જાણે છે. સલમાન ખાન સાથેના વિભાજન પછી અભિનેત્રીએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આ પછી સુપરસ્ટાર સલમાન ખાને ક્યારેય એક્ટ્રેસ તરફ જોયું નથી. આ તારલા ક્યારેય એકબીજા સાથે ટકરાતા પણ નથી.
દેશમાં દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારતનું શૂટિંગ શરૂ થયાના થોડા દિવસો પહેલા જ તે ફિલ્મમાં કાર્ય કરવાની ના પાડી દીધી હતી. અભિનેત્રીએ લગ્નનું કારણ આપીને ફિલ્મ છોડી દીધી હતી. આ પછી સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાની મિત્રતા પણ તૂટી ગઈ હતી.
જ્યારે રણબીર કપૂરે કેટરિના કૈફને ડેટ કરવાનું શરૂ કર્યું, ત્યારે સલમાન ખાન અને તેઓ સામસામે હતા. બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. જેમાં સલમાન ખાને તેમને થપ્પડ મારી હતી. સલમાન ખાન અને રણબીર કપૂરની આ લડાઈ એ સમયે ત્યાં હાજર સંજય દત્તે પૂરી કરી નાખી હતી. આ ઘટના પછી સલમાન ખાન અને રણબીર કપૂર ક્યારેય એકબીજાની સામે આવ્યા નથી. આ ઘટનાનો ઉલ્લેખ સલમાન ખાને બહેન અર્પિતા ખાનના લગ્નમાં પણ કર્યો હતો.
નિર્દેશક અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે પણ સલમાન ખાન અને તેના પરિવાર પર તેની કારકિર્દી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
You may like
એન્ટરટેઈન્મેન્ટ
કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.
Published
1 hour agoon
October 18, 2022By
Gujju Media
બૉલીવુડની ફેમસ અભિનેત્રી કેટરીના કેફનું ફિલ્મ ‘ફોનભૂત’ જલ્દી જ રીલીઝ થવાનું છે. કેટરીના કૈફએ હમણાં જ લગ્ન પહહઈ પહેલું કરવા ચૌથનું વ્રત કર્યું હતું. આ વ્રત કર્યાના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેટરીના કૈફએ પતિ વિક્કી કૌશલની લાંબી ઉમર માટે વ્રત કર્યું હતું. આ સાથે તેણે તૈયાર થઈને ચંદ્રની પૂજા પણ કરી હતી.
કેટરીનાનું આ પહેલું કરવા ચૌથ હોવાને લીધે વિક્કી કૌશલએ પણ આ દિવસને ખાસ બનાવ્યો હતો. આ દિવસે વિક્કી કૌશલએ કેટરીનાને એક સરપ્રાઈઝ આપી હતી. આ સરપ્રાઈઝથી કેટરીના ખૂબ ખુશ થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો કેટરીના કૈફએ જાતે કરી હતી.
એક મીડિયા હાઉસને આપેલ ઇંટરવ્યૂમાં કેટરીના કૈફએ કહ્યું હતું કે વિક્કી કૌશલએ કેટરીના કૈફના પહેલા કરવા ચૌથને ખૂબ ખાસ બનાવ્યો હતો. વાત એમ હતી કે આ દિવસે અભિનેતા વિક્કી કૌશલે પણ કેટરીના કૈફ માટે વ્રત કર્યું હતું. અભિનેત્રીએ આ વિષે વાત કરતા કહ્યું હતું કે, ‘મને આશા નહોતી કે વિક્કી આવું કરશે. પણ તેમણે જાતે જ આ નિર્ણય કર્યો એ ખૂબ ગમ્યું મને. વિક્કીના મમ્મી પપ્પાએ પણ કરવા ચૌથ સેલિબ્રેટ કરી લાગતું હતું કે આ તેમનું પણ પહેલું કરવા ચૌથ છે.’
પહેલું કરવા ચૌથ વ્રતને લદિહે કેટરીના કૈફએ બધી વિધિ ખૂબ સારી રીતે નિભાવી હતી, પણ ચંદ્રની રાહ જોતાં જોતાં તે ખૂબ ભૂખી થઈ ગઈ હતી. આ વાત પણ તેણે જણાવી હતી. કેટરીના કૈફએ કહ્યું હતું કે ‘મુંબઈમાં ચંદ્ર 9:01એ આવી જાય છે પણ એ દિવસે 9:30 સુધી ચંદ્ર દેખાયો હતો નહીં ને મને ખૂબ ભૂખ લાગી હતી.’ જો કે જ્યારે અભિનેત્રી કેટરીનાને ખબર પડે છે કે વિક્કી કૌશલએ પણ તેની મેટ વ્રત કર્યું છે ત્યારે તે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને તેને ખૂબ સારું લાગ્યું હતું.
વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં 9 તારીખે થયા હતા. તેમના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. તેમના લગ્નમાં પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા હતા. કેટરીના અને વિક્કીના લગ્નને લઈને તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત હતા.
એન્ટરટેઈન્મેન્ટ
ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.
Published
2 days agoon
October 16, 2022By
Gujju Media
મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશાલી એ અભિનેતા સુશાંત રાજપૂતના નજીકના મિત્રોમાંથી એક છે.
જાણકારી પ્રમાણે વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. વૈશાલી સસુરાલ સિમર કા, આશિકી, લાલ ઈશ્ક, સુપર સિસ્ટર અને વિષ ઓર અમૃત માં પણ કામ કર્યું હતું. યે રિશ્તા સિરિયલમાં તેણે અજંલિનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીને નેગેટિવ પાત્ર માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ મળ્યો હતો.
ટીવી સિવાય વૈશાલીએ કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. કહેવાય છે કે તેનો પરિવાર ઉજ્જૈન પાસે મહિદપૂરના રહેવાસી છે. પણ વૈશાલી ઈન્દોર જ ભણી ગણી છે. તેને પહેલાથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો.
વૈશાલી ઇન્સટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી તેની છેલ્લી બંને પોસ્ટ કે જે મસ્તી માટે એક શોર્ટ વિડીયો હતો તેમાં પણ તે મસ્તીના મૂડમાં મરી જવાની વાત કરી રહી છે અને બીજા એક વિડીયોમાં તેણે કોઈ પંખાનો વિડીયો શેર કર્યો હતો. જો કે તે બંને વિડીયો મસ્તી માટે જ હતા. પણ તે વિડીયો હમણાં 5 અને 6 દિવસ પહેલાના જ છે. હવે જોવું એ રહેશે કે આ 5 દિવસમાં એવું તો શું થયું કે તેણે આવું પગલું ભર્યું?
ટીવી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ બે વર્ષ પહેલા ઈન્દોરના હીરાનગરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને લીધે 25 માર્ચથી ઈન્દોર આવી ગઈ હતી. આ દરમિયાન તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
પોલીસએ પ્રેક્ષાના રૂમમાંથી નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, ‘મારા તૂટેલા સપનાએ મારા કોનફિડેન્સને તોડી દીધો હતી. હું મારા સપના સાથે જીવી નથી શકતી. આ નેગેટિવિટી સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે મે બહુ ટ્રાય કર્યું પણ હવે હું થાકી ગઈ છું.’ આ સાથે જ પ્રેક્ષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલી વાર એક msg પોસ્ટ કર્યો હતો, પોસ્ટમાં લખ્યું હતું, ‘સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું.’
એન્ટરટેઈન્મેન્ટ
બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ.
Published
4 days agoon
October 14, 2022By
Gujju Media
તહેવાર કોઈપણ હોય સામાન્ય વ્યક્તિની સાથે હવે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ તહેવારો ખૂબ ધામ ધૂમથી ઊજવતાં હોય છે. દિવાળી હોય કે ગણપતિ, ઈદ હોય કે પછી હોળી. અમુક કલાકાર એવા છે જેવો દરેક તહેવારને ખૂબ ઉત્સાહ સાથે ઊજવતાં હોય છે. ગઇકાલે પૂરી થયેલ કરવા ચોથ એ બૉલીવુડની પત્નીઓએ બહુ સારી રીતે ઉજવી હતી.
આજે અમે તમને આ અભિનેત્રીઓ વિષે જ જણાવી રહ્યા છે. ઘણી અભિનેત્રીઓ હતી જેમણે ખૂબ સારી રીતે આ દિવસ ઉજવ્યો તો ઘણી એવી પણ અભિનેત્રીઓ હતી જેમણે વ્રત નહોતું રાખ્યું પણ સેલિબ્રેટ જરૂર કર્યું છે. ઘણી અભિનેત્રીઓ છે જેમણે આ વર્ષે પહેલીવાર આ વ્રત કર્યું છે તેમાં કેટરીના કૈફ, મૌની રૉય, આલિયા ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
કેટરીના કૈફએ આ દિવસે ખાસ ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. રેડ સાડી સાથે તેણે ફ્લોરલ બ્લાઉઝ મેચ કર્યું હતું. આ સાથે તેણે લગ્નમાં જે મંગલસૂત્ર પહેરેલું એ પણ પહેર્યું હતું અને લાલ બંગડી, મહેંદી અને પાથીમાં સિંદુર પહેરેલી તે ખૂબ સુંદર દેખાઈ રહી હટી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. તો વિકીએ પણ તે ફોટો પોતાની ઇન્સટા સ્ટોરીમાં શેર કર્યા હતા. કેટરીના અને વિક્કી ખૂબ સુંદર લાગી રહ્યા છે.
આ સિવાય બૉલીવુડની બ્યુટીઝ માટે અનિલ કપૂરના ઘરે કરવા ચૌથની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, નીલમ અનિલ કપૂરની પત્ની સુનિતા બધા સાથે મળ્યા હતા આ સાથે બૉલીવુડના વરુણ ધવન અને તેમની પત્ની નતાશા પણ ત્યાં આવ્યા હતા. શિલ્પાએ એક સુંદર વિડીયો પણ આ પૂજાનો શેર કર્યો હતો જેમાં બધી મહિલાઓ ગીત સાથે પૂજા કરતી દેખાઈ રહી છે.
શિલ્પાએ બીજો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પતિ રાજ કુંદ્રા સાથે પૂજા કરી રહી છે. આ ફોટો અનિલ કપૂરએ પડ્યો હતો એવો ખુલાસો શિલ્પાએ તેની પોસ્ટના કેપ્શનમાં કર્યો હતો.
લગ્ન પછી આલિયા ભટ્ટ પોતાનું પહેલું કરવા ચૌથ સેલિબ્રેટ કરી રહી છે, જો કે આલિયાએ આ વર્ષે વ્રત કર્યું છે કે નહીં એ વાતની કોઈ માહિતી મળી નથી. તે પ્રેગ્નેન્ટ છે અને હવે જલ્દી જ આલિયા અને રણબીરના જીવનમાં તેમના પહેલા બાળકનું આગમન થવાનું છે. આ દિવસે આલિયાએ એક પોસ્ટ શેર કરીને બધાને શુભેચ્છાઓ આપી છે તો સામે નીતુ કપૂરએ પણ વહુ આલિયાને અને દીકરી રિધ્ધિમાને કરવા ચૌથની શુભેચ્છાઓ આપી છે.
ઇંડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર ધનશ્રી વર્માએ કરવા ચૌથનું આ સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું હતું. યુઝવેન્દ્ર એ ટીમ ઈન્ડિયા સાથે બહાર છે ત્યારે આ કપલએ વિડીયો કોલ પર આ દિવસ ઉજવ્યો હતો. તેનો વિડીયો પણ આ કપલએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
મૌની રૉયએ કરવા ચૌથ નિમિત્તે સૌથી પહેલા મહેંદીના ફોટો શેર કર્યા હતા અને આ પછી તેણે આ દિવસની ખાસ ઉજવણી કરવાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે મૌનીએ મહેંદીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘પહેલું હમેશા ખાસ હોય છે… હેપ્પી કરવા ચૌથ બ્યુટીઝ’
તમને આ બધા ફોટોમાંથી કોનો ફોટો વધારે પસંદ આવ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. આવી જ અવનવી માહિતી માટે ફોલો કરો અમારી પ્રોફાઇલ.

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન