જાણવા જેવું
કેવી રીતે થયું હતું ભગવાન શ્રી રામનું મૃત્યુ… શું હનુમાનજીની એક ભૂલ બની હતી શ્રી રામના મૃત્યુનું કારણ..
Published
3 years agoon

જેમનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જન્મ-મરણ ના આ બંધનને ભગવાન પણ નથી તોડી શક્યા. અને જયારે એમને પૃથ્વી પર માનવ રૂપમાં અવતાર લીધો તો તેમણે પણ મનુષ્યની જેમ જ પોતાના દેહનો ત્યાગ કરવો પડ્યો હતો. ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર આવીને કેવા દેત્યોનો સંહાર કર્યો. એતો દરેક જાણે છે. પરંતુ એમનું મૃત્યુ કેવી રીતે થયું એ કોઈ નથી જાણતું. તો ચાલો જાણીએ ભગવાન શ્રી રામના મૃત્યુ પાછળની રોચક કથા..
વિષ્ણુનો અવતાર
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના મહાન અવતાર ભગવાન રામની આ દુનિયાને છોડી દેવાની કથા એકદમ રસપ્રદ છે. દરેક હિન્દુ એ જાણવા માંગે છે કે હિન્દુ ધર્મના મહાન ભગવાન રામ આખરે બીજી દુનિયામાં કેવી રીતે ગયા. તે પૃથ્વી લોકથી વિષ્ણુ લોકમાં કેવી રીતે ગયા તેની પાછળ એક પૌરાણિક કથા છે.
ત્રણ દેવતા
હિન્દુ ધર્મના મુખ્ય ત્રણ દેવતાઓ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વચ્ચે, ભગવાન વિષ્ણુના ઘણા અવતારો જુદા જુદા યુગમાં જન્મેલા. આ અવતારો ભગવાન વિષ્ણુ દ્વારા વિશ્વની ભલાઈ માટે લેવામાં આવ્યા હતા. ભગવાન વિષ્ણુ દ્વારા કુલ 10 અવતારોની રચના કરવામાં આવી હતી, જેમાંથી ભગવાન રામને સાતમો અવતાર માનવામાં આવે છે. શ્રી રામના અવતારને ભગવાન વિષ્ણુના તમામ અવતારોમાં સૌથી પ્રસિદ્ધ અને આદરણીય માનવામાં આવે છે.
પ્રભુ રામ
મહર્ષિ વાલ્મિકીએ ભગવાન રામ વિશે ઘણી કથાઓ લખી છે, જે વાંચીને કલયુગના લોકોને શ્રી રામ વિશે જાણવા મળે છે. વાલ્મીકિ ઉપરાંત પ્રખ્યાત મહાકવિ તુલસીદાસે પણ શ્રી રામની ઘણી કવિતાઓ દ્વારા કલયુગના માનવીને શ્રી રામ વિશે જણાવવાનો પ્રયાસ કર્યો હતો.. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભગવાન રામના મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. આમાંના ઘણા મંદિરો ઐતિહાસિક રીતે બનાવવામાં આવ્યા છે.
શ્રી રામનું જીવન
જો આપણે ભગવાન શ્રી રામની મુક્તિ પહેલાં તેમના જીવનકાળ પર નજર કરીએ, તો ભગવાન રામે 10 હજાર વર્ષથી વધુ સમય સુધી પૃથ્વી પર રાજ કર્યું છે. આ લાંબા સમયગાળા દરમિયાન ભગવાન રામે ઘણા મહાન કાર્યો કર્યા છે જેણે હિન્દુ ધર્મને ગૌરવપૂર્ણ ઇતિહાસ આપ્યો છે. પ્રભુ રામ અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર હતા, જેમણે જનકની રાજકુમારી સીતા સાથે લગ્ન કર્યા હતા. ભગવાન રામે તેની પત્નીની રક્ષા માટે રાક્ષસોના રાજા રાવણને પણ માર્યો હતો.
પદ્મ પુરાણ
તો ભગવાન રામ આ દુનિયાથી કેવી રીતે લુપ્ત થઈ ગયા? તે શું કારણ હતું કે તેને પોતાનો પરિવાર છોડીને વિષ્ણુ લોકમાં પાછા ફરવું પડ્યું? પદ્મ પુરાણમાં નોંધાયેલી દંતકથા અનુસાર, એક દિવસ એક વૃદ્ધ સંત ભગવાન રામના દરબારમાં પહોંચ્યા અને તેમણે એકલા ચર્ચા કરવાની વિનંતી કરી. તે સંતનું પુકાર સાંભળીને ભગવાન રામ તેમને એક ઓરડીમાં લઈ ગયા અને તેમના નાના ભાઈ લક્ષ્મણને દરવાજા પર બેસાડ્યા અને કહ્યું કે જો કોઈએ તેમની અને તે સંતની ચર્ચામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો તો તેને મૃત્યુદંડની સજા મળશે.
શ્રી રામના આદેશનું પાલન
લક્ષ્મણ પોતાના મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરતાં બન્ને શ્રીરામ અને સંતને ઓરડીમાં એકાંતમાં છોડી અને બહાર ઓરડીનું રક્ષણ કરવા લાગ્યા.. તે વૃદ્ધ સંત બીજુ કોઈ નહીં પરંતુ વિષ્ણુ લોકથી આવેલા કાલ દેવ હતા. જે ભગવાન શ્રીરામને તેમનું પૃથ્વી પરનું જીવન પૂર્ણ થઈ ગયું છે અને હવે તેમણે તેમના જગતમાં પાછા ફરવું પડશે એમ કહેવા આવ્યા હતા..
ઋષિ દુર્વાસાનું આગમન
તે સંત અને શ્રી રામ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે અચાનક ઋષિ દુર્વાસા ત્યાં દરવાજે આવી પહોચ્યા.. તેમણે લક્ષ્મણને વિનંતી કરી કે તેમને ભગવાન રામ સાથે વાત કરવા માટે ઓરડીની અંદર જવા દે પરંતુ શ્રી રામની આજ્ઞાનું પાલન કરીને લક્ષ્મણ તેમને અંદર જવાની ના કહે છે. ઋષિ દુર્વાસા હંમેશાંથી તેમના પ્રચંડ ક્રોધ માટે જાણીતા છે, જેનું પરિણામ દરેકે સહન કરવું પડે છે અને ખુદ શ્રી રામે પણ..
ભગવાન રામને શ્રાપ
લક્ષ્મણના વારંવાર ના પાડવા પછી પણ ઋષિ દુર્વાસા તેમના શબ્દથી પીછેહઠ ન કરતા અંતે લક્ષ્મણને શ્રી રામને શ્રાપ આપવાની ચેતવણી આપે છે. હવે લક્ષ્મણની ચિંતા વધુ વધી ગઈ. તે સમજી શક્યો નહીં કે તેના ભાઈની આજ્ઞાનું પાલન કરે કે તેને શ્રાપથી બચાવે.
લક્ષ્મણનો કઠોર નિર્ણય
લક્ષ્મણ હંમેશા તેના મોટા ભાઈ શ્રી રામના આદેશનું પાલન કરતો હતો. રામાયણ દરમ્યાન, તેઓ એક ક્ષણ પણ શ્રી રામથી દૂર રહ્યા નથી. વનવાસ સમયે પણ તે પોતાના ભાઈ અને સીતા સાથે રહ્યા અને આખરે તેમની સાથે અયોધ્યા પરત ફર્યા. ઋષિ દુર્વાસે ભગવાન રામને શ્રાપ આપવાની ચેતવણીઓ સાંભળી લક્ષ્મણ ભયભીત થઈ ગયા અને પછી લક્ષ્મણે એક કઠોર નિર્ણય લીધો.
આજ્ઞાનું પાલન ન કરી શક્યા
લક્ષ્મણ ક્યારેય ઇચ્છતો ન હતો કે તેના કારણે તેના ભાઈને કોઈ રીતે નુકસાન પહોચે. તેથી લક્ષ્મણે પોતાનું બલિદાન આપવાનું નક્કી કર્યું. તેમણે વિચાર્યું કે જો તે ઋષિ દુર્વાસાને અંદર જવા દેશે નહીં, તો તેના ભાઈને શ્રાપનો સામનો કરવો પડશે, પરંતુ જો તે શ્રીરામની આજ્ઞાની વિરુદ્ધ જાય તો તેને મૃત્યુદંડનો સામનો કરવો પડશે, જે લક્ષ્મણને યોગ્ય લાગ્યું..
લક્ષ્મણને મૃત્યુ દંડ લાગ્યો ઉચિત
તેઓ આગળ વધ્યા અને ઓરડામાં પહોચ્યા. લક્ષ્મણને ચર્ચામાં અવરોધ કરતા જોઇને શ્રીરામ પોતેજ ધાર્મિક સંકટમાં આવી ગયા.. શ્રીરામ એક તરફ તેમના નિર્ણયથી મજબૂર થઈ ગયા હતા અને બીજી તરફ તેઓ ભાઈના પ્રેમથી લાચાર થઈ ગયા હતા. તે સમયે શ્રી રામે તેમના ભાઈને મૃત્યુ દંડ આપવાને બદલે રાજ્ય અને દેશ છોડવા કહ્યું. તે જમાનામાં દેશમાંથી બહાર નીકળવું એ મૃત્યુ દંડની બરાબર માનવામાં આવતું હતું.
લક્ષ્મણને મળ્યો દંડ
પરંતુ લક્ષ્મણ, જે પોતાના ભાઈ રામ વિના એક ક્ષણ પણ જીવી ન શકે, તેણે આ સંસાર છોડવાનો નિર્ણય કર્યો. તેઓ સરયુ નદીમાં ગયા અને સંસારમાંથી મુક્તિની ઇચ્છા રાખીને નદીની અંદર જતા રહ્યા. આ રીતે લક્ષ્મણનું જીવન સમાપ્ત થઈ ગયું અને તે પૃથ્વી લોકથી બીજા લોકમાં સ્થળાંતર થઈ ગયા. લક્ષ્મણ સરયુ નદીની અંદર ગયા અને તે તરત અનંત શેષના અવતારમાં બદલાઈ ગયા અને વિષ્ણુ લોકમાં જતા રહ્યા..
શ્રી રામની ઉદાસી
શ્રીરામ તેમના ભાઈ ગયા પછી ખૂબ જ હતાશ થઈ ગયા. જેમ રામને લક્ષ્મણ વિના જીવવું યોગ્ય નથી લાગતું, તેમ રામને લક્ષ્મણ વિના યોગ્ય ન લાગ્યું. તેમણે પણ આ દુનિયા છોડવાનો વિચારની કલ્પના કરી. પછી ભગવાન રામ તેમના રાજ્યાભિષેક અને પદ તેમના પુત્રો સાથે તેમના ભાઈના પુત્રોને સોંપી દીધા અને સરયુ નદી તરફ આગળ વધ્યા..
સરયુ નદીને સમર્પિત
ત્યાં પહોંચ્યા પછી શ્રી રામ સરયુ નદીના આંતરિક ભાગમાં ગયા અને અચાનક ગાયબ થઈ ગયા. પછી થોડા સમય પછી ભગવાન વિષ્ણુ નદીની અંદરથી પ્રગટ થયા અને તેમના ભક્તોને દર્શન આપ્યા. આ રીતે શ્રી રામે પણ પોતાના માનવ સ્વરૂપનો ત્યાગ કરી વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી વૈકુંઠ ધામ તરફ આગળ વધી ગયા..
જો હનુમાન ભગવાન આ વાત જાણતા હોત તો
ભગવાન રામ માટે પૃથ્વીથી વિષ્ણુ તરફ જવાનું મુશ્કેલ થઈ જાત જો ભગવાન હનુમાનજીને આ વાતની જાણ હોત.. ભગવાન હનુમાન કે જેમણે શ્રી રામની સેવા કરવાની અને ભગવાન શ્રીરામની સુરક્ષાની જવાબદારી દરેક સમયે રાખી હતી.. જો ભગવાન હનુમાનને ખબર પડતી કે ભગવાન શ્રી રામને લેવા વિષ્ણુ લોકથી કાલ દેવ આવવાના છે તો હનુમાનજી તેમણે અયોધ્યામાં પગ પણ ન મુકવા દેતા પરંતુ તેની પાછળ પણ એક વાર્તા છુપાયેલી છે.
ભગવાન શ્રીરામે હનુમાનજીને રોકી દીધા
જે દિવસે કાળ દેવ અયોધ્યા આવવાના હતા, તે દિવસે શ્રી રામે ભગવાન હનુમાનને મુખ્ય દરવાજાથી દૂર રાખવાનો એક માર્ગ શોધી કાઢ્યો હતો. તેમણે મહેલના માળે તિરાડમાં પોતાની વીંટી મૂકી અને હનુમાનજીને તે વીંટીને બહાર કાઢવાનો આદેશ આપ્યો. તે વીંટીને શોધવા માટે, ભગવાન હનુમાન જાતે જ તે તિરાડ જેટલો આકાર લઈ તે તિરાડની અંદર ગયા અને તે વીંટીની શોધ શરૂ કરી.
નાગ લોક પહોચ્યા હનુમાનજી
જ્યારે હનુમાનજી દીવાલની તિરાડમાં પહોચ્યા ત્યારે તે સમજી ગયા કે તે ફક્ત તિરાડ નથી પણ સુરંગ છે.. જે નાગ-લોક તરફ જાય છે. ત્યાં તે સર્પોના રાજા વાસુકીને મળ્યા. વસુકી હનુમાનને નાગ-લોકની મધ્યમાં લઈ ગયા અને રિંગ્સથી તેમણે હનુમાનજીને વીંટીથી ભરેલો વિશાળ પર્વત બતાવ્યો,અને કહ્યું કે અહીં તમને તમારી રિંગ મળી જશે. તે પર્વત જોઈ હનુમાનજી પરેશાન થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ વિશાળ ઢગલામાંથી શ્રી રામની વીંટી શોધવી એ કચરાનાં ઢગલામાંથી સોય નીકાળવા જેવું કામ છે.
હનુમાનની મુશ્કેલીઓ
પરંતુ તેમણે જેવી પહેલી રિંગ ઉપાડી તે જ વીંટી શ્રી રામની નીકળી. પરંતુ જ્યારે તેમણે બીજી વીંટી ઉપાડી ત્યારે તેમને પણ આશ્ચર્ય થયું કારણ કે તે પણ ભગવાન રામની જ હતી. આ જોઈ ભગવાન હનુમાન આશ્ચર્યમાં આવી ગયા અને તે સમજી ન શક્યા કે તેમની સાથે શું થઈ રહ્યું છે.. વાસુકી આ જોઈને હસ્યા અને હનુમાનજીને કંઈક સમજાવવા લાગ્યા..
જીવન- મૃત્યુનો ખેલ
તેમણે હનુમાનજીને જણાવ્યું કે પૃથ્વી લોક એવી દુનિયા છે, અહિયાં જે પણ આવે છે તેને એક દિવસ પાછા ફરવું પડે છે. તેમનુ પાછા જવાનું સાધન કંઈપણ હોઈ શકે છે. એ જ રીતે શ્રીરામ પણ પૃથ્વી લોક છોડીને વિષ્ણુ લોકમાં જરૂરથી એક દિવસ પાછા ફરશે. ભગવાન હનુમાનજીને વાસુકીની આ વાત સાંભળીને બધી બાબતો સમજાવા લાગી. તેમનુ વીંટી શોધવા માટે આવવું અને પછી નાગ-લોક સુધી પહોંચવું, તે શ્રી રામનો જ નિર્ણય હતો.
શ્રીરામનું મૃત્યુ
વાસુકીના વર્ણન અનુસાર, હનુમાનજીને સમજાયું કે નાગ-લોકમાં આવવાનું ફક્ત શ્રી રામ દ્વારા તેમની ફરજથી ધ્યાન ભટકાવવાનું કારણ હતું જેથી કાળ દેવ અયોધ્યામાં પ્રવેશ કરી શકે અને શ્રી રામને તેમના જીવનકાળના અંત વિશે માહિતી આપી શકે. હવે જ્યારે તેઓ અયોધ્યા પાછા ફરશે, ત્યાં શ્રી રામ નહીં હોય અને જો શ્રી રામ નહીં હોય, તો દુનિયા પણ કંઈ નથી.
You may like
જાણવા જેવું
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
Published
2 weeks agoon
October 6, 2022By
Gujju Media
નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.
જાણવા જેવું
લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.
Published
3 weeks agoon
October 1, 2022By
Gujju Media
આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.
એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.
સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.
આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.
ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.
હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.
જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.
જાણવા જેવું
આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત
Published
3 months agoon
July 29, 2022
આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન