Connect with us

જાણવા જેવું

થાર રણની રેતીમાં રમતું નગર એટલે જેસલમેર.. ચાલો જાણીએ તેના વિશે અવનવી વાતો …

Published

on

રાજસ્થાની એટલે એવી વ્યક્તિ કે જે રાજસ્થાનમાં જન્મી હોય કે, જેનું મૂળ રાજસ્થાનમાં હોય. આવા રાજસ્થાની લોકોની માતૃભાષા રાજસ્થાની, મારવાડી કે હિંદી હોઇ શકે છે.રાજ્સ્થાન એ ભારતના ઉત્તરમાં આવેલુ રાજ્ય છે..

આ રાજ્યની સ્થાપના અંગ્રેજ શાસન હેઠળના રાજપુતાના તરીકે ઓળખાતા રજપુત રજવાડાઓના ક્ષેત્રને ભારતમાં વિલિન કરી, ૩૦ માર્ચ, ૧૯૪૯ ના દિવસે કરવામાં આવી હતી.. તેની રાજધાની અને સૌથી મોટું શહેર જયપુર છે. આ સિવાય અન્ય મહત્વપૂર્ણ શહેરોમાં જોધપુર, કોટા, બિકાનેર, અજમેર અને ઉદયપુર નો સમાવેશ થાય છે…

આધુનિક રાજસ્થાનમાં રાજપુતાનાનો મોટો સમાવેશ થાય છે.જેમાં અગાઉના 19 રજવાડાઓ, બે મુખ્ય શાસકો અને અજમેર-મેવાડનો બ્રિટીશ જિલ્લાનો સમાવેશ થાય છે. જેસલમેર, મારવાડ (જોધપુર), બિકાનેર, મેવાડ (ચિત્તોડગઢ), અલવર અને ધુંધર (જયપુર)એ મુખ્ય રાજપૂત રજવાડાઓ હતા. ભરતપુર અને ધોલપુર જાટ રજવાડાઓ હતા જ્યારે ટોંક એક મુસ્લિમ નવાબ હેઠળ રજવાડું હતું.તો ચાલો જાણીએ રાજસ્થાનના જેસલમેર જીલ્લા વિશે …….

જેસલમેર(થાર રણ)

જેસલમેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. રાજસ્થાનના રણમાં વસેલુ નાનકડુ સુંદર શહેર એટલે જેસલમેર.આપણે વાત કરીએ જેસલમેરના થાર રણની જેમાં આજે પણ લોકો તેની મુલાકાત લેવા આવે છે.જેસલમેરમાં ટૂરિસ્ટ ખાસ બે વસ્તુ જોવા આવે છે – એક છે જેસલમેર ફોર્ટ એટલે કે ગોલ્ડન ફોર્ટ અને બીજું છે રણ..

રણ ને ‘ગર્મીસ્તાન’ એટલેકે અતિ ગરમ સ્થાન માનવામાં આવે છે. આમાં કોઈ વનસ્પતિ નથી થતી. બસ, જ્યાં નઝર પડે ત્યાં ફક્ત રેતી ને રેતી જ. રણમાં મોજ-મસ્તી કરવાની એક અલગ જ મજા છે. સેંકડો પર્યટકો દરવર્ષે રણમાં વેકેશન કરવા માટે જાય છે. આવી જગ્યાએ સફર કરતી વખતે આમાં ઊંટો પણ હોય છે, જેના પર બેસીને સફર કરવાનો અહેસાહ તમારી યાત્રાને રોમાંચક અને ખાસ બનાવે છે..


ડેઝર્ટ માં રાત વિતાવવાનો અનુભવ એકદમ સરસ હોય છે. કારણકે ખુલ્લી જગ્યામાં આપણે વિરાટ આકાશ પણ જોઈ શકીએ છીએ. આપણા ભારતમાં ગુજરાતમાં અને રાજસ્થાનમાં રણ આવેલ છે, વર્ષ દરમિયાન હજારો પર્યટકો આની મજા માણવા આવે છે. કપલ્સ રણ માં હનીમુન મનાવવા માટે પણ જાય છે..


આમ તો રાજસ્થાન માં તળાવો, મહેલો, બગીચાઓ, કિલ્લો અને ભવ્ય રોયલ મહેલો જોવાલાયક છે, પણ રાજસ્થાન મોટા ભાગે રણના કારણે જ દેશમાં લોકપ્રિય છે. રાજસ્થાનના જેસલમેર, જોધપુર, જયપુર અને ઉદયપુર માં તમને રણ જોવા મળશે..


રાજસ્થાનના રણમાં જઈએ ત્યારે રાજસ્થાની લોકો પોતાની શાસ્રીય સંગીત, નૃત્ય થી લોકોની સરાહના મેળવે છે. રણના વિસ્તારોમાં લોકો ઘરોને તડકાથી બચાવવા માટે માટીની ઇંટોનો ઉપયોગ કરે છે. અહી વરસાદ નથી થતો તેથી માટીની ઇંટો પલળતી નથી. રાજસ્થાન ના જેસલમેરમાં મોટાભાગે લોકોના આવા મકાનો જોઈ શકાય છે.


જો રાજસ્થાનમાં રણ ની સૈર કરવી હોય તો, બારમેડ અને જેસલમેર નો સફર કરવો. કારણકે અહી આ બે શહેરોમાં તમને આખા રાજસ્થાનની ઝલક દેખાશે. આ રંગોથી ભરપુર શહેરો છે. અહી તમને અનુપમ વાસ્તુશિલ્પ, મધુર લોક સંગીત, સાંસ્કૃતિક અને એતિહાસિક વિરાસત થી ભરપુર નગરી જોવા મળશે થાર રણના હૃદયમાં, જૈસલમેરને રેતીના સુંદર ઢગલા, કિલ્લાઓ, ભવ્ય મહેલો, મંદિરો અને સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ માટે સુવર્ણ શહેર તરીકે ઓળખવામાં આવે છે.

થારનું રણ અને અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની ભૌગોલિક વિશેષતાઓ છે.. થારના રણાઅસપાસ, રણ અને અરવલ્લીની વચ્ચેના પટ્ટામાં, વાયવ્યના કાંટા ઝાંખરાના જંગલો આવેલા છે.

આ પ્રદેશ 400 થી ઓછા મેળવે છે ,આ ક્ષેત્ર વર્ષમાં સરેરાશ ૪૦૦ મિમી કરતાં પણ ઓછો મેળવે છે અને ઉનાળામાં તાપમાન કેટલીકવાર ૫૪ °સે (૧૨૯°ફે) કરતા વધી શકે છે..

શિયાળામાં તાપમાન ઠારબિંદુ કરતાં પણ નીચે જાય છે.રાજસ્થાનની સાન ગણાતા જેસલમેરમાં એકવાર મુલાકાત લેવી જોઇએ. જેસલમેર ‘ગોલ્ડન સિટી’ રાજસ્થાનના શાહી મહેલો અને ઉંટ સાથે રણના આકર્ષણનું પ્રતિક છે.

જાણવા જેવું

6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?

Published

on

નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.

જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.

બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.

બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.

બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.

જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.

બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.

  • 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
  • 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
  • 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
  • 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

Continue Reading

જાણવા જેવું

લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.

Published

on

આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.

એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.

સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.

આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.

ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.

હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.

જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.

Continue Reading

જાણવા જેવું

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

Published

on

This pink diamond caused discussions in the world! Know what is special about this

આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.This pink diamond caused discussions in the world! Know what is special about this
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.

ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

This pink diamond caused discussions in the world! Know what is special about this

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.

લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending