ગેજેટ
જાણો કેવી રીતે ઓફલાઇન પણ કરી શકાશે ડિઝીટલ ટ્રાન્ઝક્શન,RBIએ કરી આ નવી સુવિધા
Published
2 years agoon

કોરોના મહામારીમાં થયેલા લોકડાઉનના કારણે ઓનલાઇન વસ્તુનું પ્રમાણ વધ્યું છે,અને તેના કારણે ડિઝીટલ ટ્રાન્ઝક્શનમાં પણ વધારો થયો છે.ત્યારે આવા સમયને ધ્યાનમાં રાખી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ડિઝીટલ ટ્રાન્ઝક્શનમાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ટરનેટ વિના જ લેણ દેણની સુવિધાને પાયલોટ આધાર ઉપર શરૂ કરી છે. જો કે, માત્ર 200 રૂપિયા સુધીની રકમ સુધી આ મર્યાદીત હશે.પરંતુ આગળ વધીને તેમાં વધારો થઈ શકે છે.
ત્યારે તાજેતરમાં જ આરબીઆઈ ગવર્નર શક્તિદાસની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ટરનેટ વિના કાર્ડ અને મોબાઈલના માધ્યમથી નાની રકમની ચુકવણી કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
બેંકની અધિસુચના હેઠળ આ પાયલોટ યોજના હેઠળ ડેબિટ કાર્ડ, વોલેટ કે મોબાઈલથી કરવામાં આવે છે. એ માટે કોઈ વેરિફિકેશનની જરૂરત નહીં રહે. આ યોજના 31 માર્ચ 2021 સુધી ચાલશે.
આરબીઆઈએ જણાવ્યું કે, આજે પણ કેટલાક વિસ્તારોમાં જ્યાં ઈન્ટરનેટનો અભાવ છે. તેવી જગ્યાએ ડિઝીટલ પેમેન્ટમાં અવરોધો આવી શકે છે, તેને જોતા રિઝર્વબેંક ઓફ ઈન્ડિયાએ આ પગલુ ઉપાડ્યું છે.
આ જ કારણ છે કે, કાર્ડ, વોલેટ અને મોબાઈલ ઉપકરણોના માધ્યમથી ઓફલાઈન ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.નિવેદનમાં જણાવાયું છે કે, પાયલોટ યોજના હેઠળ યુઝર્સના હિતો અને દેણદાર સુરક્ષા વિગેરેનું ધ્યાન રાખતા ઓફલાઈન માધ્યમથી અંતર્નિહિત સુવિધાઓ માટે નાની રકમની ચુકવણીની મંજૂરી અંગેનો પ્રસ્તાવ છે.
કેન્દ્રીય બેંકે પણ કહ્યું છે કે,પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરને ઓનલાઈન વિવાદ સમાધાન લાગુ કરશે. ડિઝીટલ લેણદેણ વધારવાની સાથે વિવાદ અને ફરિયાદો વધી રહી ચે. ફરિયાદોમાં સમાધાનની આ વ્યવસ્થા નિયમ આધારીત અને પારદર્શી હશે. તેમાં માનવીય હસ્તક્ષેપ નહી હોય અને જો હશે તો પણ ઓછો હશે.
You may like
-
સૂતી વખતે વળે છે પરસેવો? તો થઈ જાવ સાવધાન આ વાઇરસના છે લક્ષણો
-
પ્લેનમાં મુસાફરી કરતા પહેલા જાણીલેજો આ નવી એડવાઈઝરી! જો નિયમનહિ પાળો તો “નો ફ્લાઈ ઝોનની યાદી”માં સામેલ થઇ જશો
-
કોરનાએ ફરી રાજ્યમાં આજે સદી ફટકારી! અમદાવાદમાં જ ૫૦થી વધુ કેસ
-
કોરોના પહોચ્યો મન્નતમાં! કિંગખાન શાહરૂખ કોરોના સંક્રમિત
-
બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
ગેજેટ
સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ
Published
3 months agoon
July 19, 2022
ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. કોઈના કોઈ કામ માટે તો બહાર નીકળવું જ પડે છે. એવામાં રેઈનકોટની જરૂર પડે છે. ઘરની બહાર નીકળીને થોડે દૂર પહોંચતા જ જો વરસાદ શરૂ થઈ જાય તો સમસ્યા ઊભી થાય છે. એવામાં અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat રેઈનકોટ આવ્યો છે, જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જશે. આવો જાણીએ આ રેઈનકોટ વિશે.
Smart Rain Coat For Monsoon Season
આ Smart Rain Coat સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આગળની તરફ ઑટો ઝિપ આપવામાં આવી છે, જેવો વરસાદ પડે કે તરત જ પોતાની જાતે જ ખુલી જાય છે. પરંતુ આ માટે તમારે મોબાઈલ ફોન પરથી કમાન્ડ આપવી પડશે. એપ પર કમાન્ડ આપતાની સાથે જ રેઈનકોટ તમારા શરીરમાં ફીટ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છેકે આને ભારતમાં નહીં પરંતુ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની બજારમાં આ રેઈનકોટ ખૂબ વેંચાઈ રહ્યો છે.
કેવી રીતે કામ કરે છે Smart Rain Coat?
ચીનમાં આ Smart Rain Coatને Robotics કહેવામાં આવે છે. આને તમારે શરીર પર ફીટ કરવાનું રહેશે. જેવો વરસાદ આવે કે તરત જ તમારા શરીર પર આગળના ભાગથી ફીટ થઈ જાય છે. ચીનમાં આ પ્રોડક્ટ ઑનલાઈન અવેલેબલ છે. માત્ર પુરુષ જ નહીં આ Smart Rain Coatને બાળકો અને મહિલાઓ માટે પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો માટે આ રેઈનકોટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.
Smart Rain Coat Price In India
કિંમતની વાત કરીએ તો સ્માર્ટ રેઈનકોટની કિંમત ઘણી ઓછી છે. આની કિંમત ટી-શર્ટ કરતા પણ ઓછી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આને ખરીદી શકે છે. ભારતીય રૂપિયામાં આ રેઈનકોટની કિંમત 400-1000 રૂપિયાની વચ્ચે છે. ચીની માર્કેટથી પણ આને ખરીદી શકાય છે.
ગેજેટ
વરસાદમાં સ્માર્ટફોન પલળી ગયો છે? તો ચિંતા છોડો આવીરીતે રાખો સુરક્ષિત
Published
3 months agoon
July 18, 2022
જો તમે ચોમાસાની ઋતુમાં બહાર જતા હોવ તો ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. હકીકતમાં ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને જો કાળજી લેવામાં નહીં આવે તો તમારા સ્માર્ટફોનના સેન્સિટિવ ભાગોમાં પાણી ક્યારે પ્રવેશી જશે તેની તમને ખબર પણ નહીં પડે.
જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે જેનાથી વરસાદના સંપર્કમાં આવવાના કારણે તમારા સ્માર્ટફોનમાં પાણી જતુ રહ્યું છે. તો આજે અમે તમને એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે મિનિટોમાં સ્માર્ટફોનમાંથી વરસાદી પાણીને બહાર કાઢી શકો છો અને તે પણ કોઈ રિપેર શોપ પર ગયા વગર.
આ પદ્ધતિઓ છે ખૂબ અસરકારક
જો સ્માર્ટફોનમાં થોડું પાણી ગયું હોય. તો તમે તેને થોડા સમય માટે એર કંડિશનર રૂમમાં મુકી શકો છો. AC રૂમનો ભેજ ખેંચે છે અને જે પાણી સ્માર્ટફોનમાં ગયું છે તે થોડી મિનિટોમાં બહાર નીકળી જાય છે.
ચોખાનો ઉપયોગ
કદાચ તમારામાંથી કેટલાક ચોખાના ઉપયોગ વિશે જાણતા જ હશે. જ્યારે સ્માર્ટફોનમાં પાણી જતું રહે છે ત્યારે તમારે તમારા સ્માર્ટફોનને ચોખાથી ભરેલી બરણીમાં લગભગ એક દિવસ સુધી રાખવો પડશે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો. આ ટ્રીકથી સ્માર્ટફોનમાં ગયેલું પાણી ઉડી જશે.
આ એપનો કરો ઉપયોગ
જો તમારા સ્માર્ટફોનની અંદર પાણી જતું રહ્યું છે તો તમારે પ્લે સ્ટોર પરથી બ્લોઅર એપ ડાઉનલોડ કરવી પડશે. હકીકતમાં આ એપનો ઉપયોગ કરવાથી સ્માર્ટફોનમાંથી જોરથી અવાજ આવે છે અને સ્પીકરમાં ગયેલું પાણી આપોઆપ બહાર આવી જાય છે.
મોટાભાગના લોકો આ પદ્ધતિ વિશે જાણતા નથી. જો તમે આ પદ્ધતિ વિશે વધુ જાણતા નથી, તો તમે સ્માર્ટફોનમાં પાણી ભરાવવાના કિસ્સામાં આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો અને તમારા સ્માર્ટફોનને પાણીના નુકસાનથી બચાવી શકો છો જેથી તમને લાંબા સમય સુધી નુકસાન ન થાય.
તમારા સ્માર્ટફોનને આ રીતે વરસાદથી સુરક્ષિત રાખો
- તમે ઝિપ લોક કવરનો ઉપયોગ કરીને સ્માર્ટફોનને પાણીથી બચાવી શકો છો.
- સ્માર્ટફોનપર ખાસ લેમિનેશન દ્વારા તેને વોટરપ્રૂફ પણ રાખી શકાય છે.
- આજકાલ બજારમાં ગ્લાસ કવર પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે, જે સ્માર્ટફોનને વરસાદના પાણીથી બચાવે છે.
- સિલિકોન કવર સ્માર્ટફોનના સંવેદનશીલ ભાગોને પાણીથી બચાવવામાં અસરકારક છે અને તે ખૂબ જ સસ્તા પણ છે.
- આજકાલ માર્કેટમાં વોટરપ્રૂફ બેગ્સ પણ ઉપલબ્ધ છે જે આઉટિંગ દરમિયાન સ્માર્ટફોનને પાણીથી સુરક્ષિત રાખે છે.
ગેજેટ
જો વરસદમાં કાર બંધ થઈ જાય તો આ ભૂલ ન કરતાં નહિતર આવશે લાખોનો ખર્ચ
Published
3 months agoon
July 16, 2022રાજ્યભરમાં પડી રહેલા વરસાદે લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. ઘણા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે તો ઘણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે લોકોએ પોતાના વાહનોની ચિંતા થઇ રહી છે કે જો તેમના વાહનમાં પાણી ઘુસી જશે તો શું થશે ત્યારે આજે આપણે આ વિશે ચર્ચા કરી લઈએ કે જો વાહનમાં પાણી જતું રહે તો શું કરવું જોઈએ અને કેવી રીત્તે આપણા વાહનોની આ વરસાદમાં કાળજી લઇ શકીએ.
જયારે પણ ભરાયેલ વરસાદી પાણીમાંથી ગાડી કાઢવામાં આવે છે ત્યારે એર ફિલ્ટરમાં પાણી જવાથી ગાડી બંધ થઇ જતી હોય છે. ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં જયારે ગાડી કાઢતા હોય ત્યારે કાર ઓટોમેટિક હોય કે મેન્યુઅલ પહેલા કાર ધીમે કરવી જો કાર મેન્યુઅલ હોય તો પહેલા ગિયરમાં ધીરે ધીરે કારને પાણીમાંથી કાઢવી જોઈએ. બને ત્યાં સુધી ક્લચનો ઉપયોગ ન કરવો અને એક્સેલેટરથી કંટ્રોલ કરવો જોઈએ.
જયારે પણ પાણીમાં કાર બંધ પડે તો ચાલુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને કાર ટો દ્વારા અથવા અન્ય રીતે વર્કશોપમાં લઈ જવી અને ત્યાં તેમને રીપેર કરાવવી જોઈએ. જો ચાલુ કાર પાણીમાં બંધ પડી જાય તો તેને સેલ ક્યારેય મારવો નહીં. જયારે પણ સેલ મારવામાં આવે છે ત્યારે કારનું સકશન પાણીને ખેચી લે છે અને કારના એન્જિન સુધી પાણી પહોચી જાય છે જે કારને નુકશાન કરે છે.
તમારે ચોમાસા પહેલા એક કાર ચૅક-અપ કરાવી લેવું જોઈએ જેથી કરીને બેટરી અને બીજા નાનામોટા પ્રોબ્લેમને ચોમાસા સમયે ટાળી શકાય છે. અને જો બની શકે તો પાણીમાં કાર ન લઈ જવી જોઈએ.

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન