ટેકનોલોજી
રોટી,કપડા,મકાન પહેલા માનવીની પ્રથમ જરૂરિયાત બની ગઈ છે મોબાઈલ…
Published
3 years agoon
By
Gujju Mediaઆજકાલ વધારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે.પુછશો નહી કે શાનો? હા ચોક્કસ કહીશ તો વાત છે સાવ ટચુકડી અને અસર તેમની છે મોટી, એવા ટેક્નિકલ બાળકની આપણે કોઇ પણ ઘરોમાં જોઈએ તો પાંચ સભ્યો વસતાં હોય ને તેમાય એક એક તેમના સાથીમિત્રો એટલે મોબાઇલ.
અને જાણે કે એ ઘરમાં પાંચ નહી દસ સભ્યો હોય. જેમા વધારે મહત્વ વળી ટેક્નિકલ બાળકનું જ હોય નહી? આપણે સૌ તેનાથી પરિચિત છીએ.પણ સાલુ એ સમજાતુ નથી કે મોબાઇલ માણસના લીધે જીવે છે કે માણસ મોબાઇલના લીધે જીવે છે.વળી એવું કહી શકાય કે બજારમા ગયા હોય ત્યારે આંગળી પકડેલું બાળક છુટુ પડી જાય કા ખોવાય જાય,પણ પેલા નિચે લટકતા પર્સમા રહેલું વેંતનુ ટેક્નિકલ બાળક કેમ ગુમ નથી થાતું?હા કારણ કે આપણે એમને ખુબ લાડલડાવીએ છીએ..
જીવથી પણ વધારે તો એ વ્હાલુ છે નઇ?અને એમાય વળી દેખાદેખીનો જમાનો એટલે માથે કરીને પણ મોબાઇલ તો લાવવાનો જ,અને એ પણ અડધુ સફરજન ખાધેલો તો જ એન્ટ્રી પડે,પછી ભલે ને વાટકી ખાંડ લાવવા પાડોશીના દરવાજા ખખડાવવા પડે પણ આ વેંતના ટેકનિકલ બાળક દ્વારા એન્ટ્રી તો પાડવાની જ કાં,ઘરનુ બાળક નિશાળે જાય ત્યારે નાસ્તામાં ભરી દે સુકા બ્રેડ,પણ પેલુ વેંતનુ બાળક રિસાય ન જાય એ માટે મહિને મહિને તેમને ઘણુ બધુ ખવડાવવુ પડે છે..
પોતાનુ બાળક રડતુ હોય ત્યારે એ છાનુ રેય કે ના રેય પણ જો મોબાઇલની નાની અમથી પણ રિંગ વાગી તો પોતાનુ રડતુ બાળક પણ ભુલાય જાય છે.અને કલાકો સુધી આપણે પણ એ ટેકનોલોજીની દુનિયામા સોનેરી સમય વિતાવી દઈએ છીએ જો સમય મળે ત્યારે યાદ આવે કે પોતાનુ પણ એક બાળક છે.હા આપણે આપણુ અસ્તિત્વ જ ભુલી ગયા છીએ.
મોબાઇલ ને ટેક્નોલોજીની દુનિયામા આપણે સૌ કોય ગુલામ બની ગયા છે.આજકાલ ઘરે મહેમાન આવે ત્યારે એ પણ શરમાય જાય કે, હુ ખોટો આવી ચડ્યો હુ સામે બેઠો છુ, ને ઘર ના લોકો મોબાઇલમા વ્યસ્ત છે,શુ જાદુ થઇ ગયો કે આજકાલ કોઈ ને રામરામ કરવાનો પણ સમય નથી.પરિવાર સાથે બેસી બે ઘડી વાત પણ આપણે નથી કરી શકતા..
ને વળી જમતી વખતે પણ એક હાથ તો મોબાઇલમા જ હોય ને ચેટિંગ શરુ હોય.હા એવું નથી કે આ ઇન્ટરનેટ,મોબાઇલ કામનુ નથી.પણ એના જેટલા ફાયદા છે સામા એટલા જ પ્રમાણમા ગેરફાયદા પણ છે.પણ તેનો ઉપયોગ જરુર પુરતો કરોનહી કે દિવસ રાત..
તમે તેમના ગુલામ બની ને જીવો.હા આધુનિક સમયમા ટેક્નોલોજીનો વ્યાપ વધતા કામ ઘણુ સરળ બન્યું છે.ઓનલાઈન શોપિંગ કરી શકાય તેમજ જમવાનુ પણ ઓર્ડર કરી શકાય,કોઇપણ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવી એ ઘણુ સરળ બન્યુ છે.ને હવે તો આ માધ્યમથી જીવનસાથી મેળવવામા નવી નવી એપ દ્વારા મદદરુપ થાય છે,દુનિયાભરની માહિતી મળી રહે છે.
પણ એનો મતલબ એ નથી કે આપણે સંપુર્ણ સમય તેમને કુરબાન કરી દઈએ છીએ. આજકાલ સોશ્યલ મિડિયા પર વધતી જતી અફવાઓના કારણે ઠેર ઠેર મારામારી,હત્યાઓં ,જાતિવાદ,આંદોલનો,ધરણાઓ,છેડતી,બળાત્કાર જેવી ઘટનાઓં ઘાતક સ્વરુપ ધારણ કરે છે.ધર્મ પર ટિકા ટિપ્પણી થાય છે અને આ વધતી જતી હિંસા ક્રુર બને છે અને માસુમના ભોગ લેવાય છે..
તો આવી અફવા સોશ્યલ મિડિયા પર ફેલાવવામા આવે છે અને તેમના મેસેજના શબ્દો એટલા અસરકારક હોય છે, કે આપણને આ અફવાઓ સાચી લાગવા લાગે છે. અને આપણે પણ તે અફવાને અન્ય વ્યકતિ પાસે ફોરવર્ડ કરીયે છીએ. ત્યારે આવી રીતે ખોટી માહિતી વાયરલ થતા તેમનુ ખરાબ પરિણામ આવે છે.
એ તો આપણે વિચાર જ નથી કરતા ને મનફાવે એમ માહિતીને અપશબ્દો લખીએ છીએ .તેમજ સાચી ઘટનાઓને નહી વાંચિએ કે નહી સમજીયે તો ખરાખોટાનુ ભાન ક્યાથી થશે.શુ આપણી દુનિયા આ નાનકડા વેંત જેવડા બાળક પુરતી જ સિમિત છે ? અને હા તો કેમ ?અને ના તો કેમ આપણે આપણો સમય મોટાભાગનો આમા જ વેડફીયે છીએ .
નાનેરા થી માંડીને હવે તો મોટી ઉમરના વ્યક્તિને પણ હવે સેલ્ફી લીધા વગર ચાલતુ નથી,ને આપણે સૌ બરાબરી કરીયે છીએ કે આની પાસે સ્માર્ટફોન છે તો મારી પાસે કેમ નઇ આ દેખાદેખીના જમાનામા આપણે આપણી જિદ પુરી કરાવવા માટે મજુરી કરતા મા બાપ નો પણ વિચાર નથી કરતા.દેખાદેખી કરવામા જ ઘણીવાર ઘરમા જ ઝઘડાઓ થઇ રહ્યા છે
તે બધુ અટકે અને તેના પર ધ્યાન દોરાય તેવુ કામ કરવું કે, જેમા દેશનુ હિત કે સમાજનુ હિત કે પરિવારનુ હિત સંકળાયેલુ હોય.ખોટીને ભ્રામક માહિતીથી દુર રહેવું અને મોબાઇલની બહારની દુનિયામા પણ થોડુ ખોવાય જવુ યોગ્ય રહેશે…
You may like
-
વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો
-
સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ
-
આ મશીન દર્શાવશે કે તમારો પાર્ટનર લોયલ છે કે નહીં! જાણો શું છે આ ટેકનૉલોજિ
-
શું તમારો ફોન થઇ ગયો છે સ્લો? તો આ ટ્રીક કરો ટ્રાય પાછી મળી જશે સ્પીડ
-
આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાં રોલઆઉટ થયું નવું ફિચર; હવે થિયેટર જેવી મજા મળશે
-
વોટ્સએપ માટેની આ ટેકનિકથી બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ નહિ વાંચી શકે તમારી ચેટ
ટેકનોલોજી
વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો
Published
3 months agoon
July 25, 2022
વ્હોટ્સએપ માટે કંપની નવાં-નવાં ફીચર્સ લાવતી રહે છે. આ વખતે વ્હોટ્સએપ એક નવાં ફીચર પર કામ કરી રહી છે, જે તમારાં ડિસેબલ મેસેજ પણ દેખાડશે. આ પહેલાં યૂઝર્સ 24 કલાક, 7 દિવસ અને 90 દિવસ સુધીની સમયમર્યાદામાં મેસેજ ડિલીટ કરી શકતા હતાં, પરંતુ આ ફીચર બાદ મેસેજ ડિલીટ નહીં થાય.
જ્યારે તમે ચેટમાં ડિસઅપિરિંગ મેસેજની સેવા ઓન કરો છો ત્યારે પસંદ કરેલી સમય મર્યાદા પછી તમામ ટેક્સ્ટ, ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ ડિલીટ થઈ જાય છે. ‘કેપ્ટ મેસેજ’ ફિચર આ સેવામાં હવે થોડો બદલાવ લાવ્યા છે. ચેટ્સમાં અમુક એવી વસ્તુઓ હોય છે, કે જે ખૂબ જ મહત્વની હોચ છે અને તેને સાચવીને રાખવી પડે છે. તે કોઈ ચોક્કસ ડોક્યુમેન્ટ, ટેક્સ્ટ અથવા કોઈ પ્રકારનું માધ્યમ પણ હોઈ શકે છે. જો તમે ‘કેપ્ટ મેસેજ’માં કોઈ મેસેજ રાખશો તો તે મેસેજ આર્કાઇવમાં અથવા તો બુકમાર્કની જેમ ટ્રાન્સફર થઈ જશે પરંતુ, તે ગાયબ થનારી ચેટમાંથી ડિલીટ નહિ થાય.
WABetaInfoના રિપોર્ટ મુજબ વ્હોટ્સએપ ડિસઅપિરિંગ મેસેજના કેપ્ટ મેસેજ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી ડિસઅપિરિંગ થયા બાદ પણ મેસેજ જોવાનો ઓપ્શન જોવા મળશે. કંપની આ નવું ફીચર એન્ડ્રોઇડ, iOS સાથે વ્હોટ્સએપ ડેસ્કટોપ વર્ઝન માટે પણ લોન્ચ થશે. આ ફીચરનાં અપડેટ બાદ યૂઝર ડિસઅપિરિંગ મોડ દરમિયાન આવેલો મેસેજ ડિલીટ કર્યા બાદ પણ જોઈ શકાશે. વ્હોટ્સએપનું ‘કેપ્ટ મેસેજ’ ફીચર હાલમાં તેના ડેવલપમેન્ટ મોડમાં છે, તેથી તેમાં હજુ પણ વધુ ફેરફાર જોવા મળી શકે છે.
વ્હોટ્સએપ તેનાં બીટા વર્ઝન પર વધુ એક નવું ‘અનરીડ ફિલ્ટર’નું ટેસ્ટિંગ કરતું જોવા મળ્યું છે. ‘કેપ્ટ મેસેજ’ ફીચરની જેમ તે અત્યારે ડેવલોપમેન્ટ સ્ટેજ પર નથી, તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ સુવિધા તમને કીવર્ડ્સ શોધતી વખતે વાંચેલા સંદેશને ન વાંચેલા સંદેશથી અલગ કરવાની મંજૂરી આપે છે. આનાથી યૂઝર્સને તે મેસેજ જોવાનું વધુ સરળ થઈ જશે, જે તે વાંચવાનું ચૂકી ગયા છે અને એવી અમુક નોટિફિકેશન્સ કે જે તે જોઈ શક્યા નથી.
ટેકનોલોજી
GMAILનો ઉપયોગ કરતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાન! નહિતર અકાઉન્ટ થઈ જશે બ્લોક
Published
3 months agoon
July 23, 2022
Gmail એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈ-મેલ સર્વિસ છે. વિશ્વભરમાં દરરોજ લાખો લોકો આ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરે છે. Gmail દ્વારા તેનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન દરેક યુઝરે કરવું જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો, તો Gmail તમારા પર પગલાં લઈ શકે છે અને તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મૂકી શકે છે. Gmailમાં ત્રણ સરળ નિયમો છે, જો તમે તેનું પાલન નહીં કરો તો તમારું એકાઉન્ટ પર હંમેશા માટે પ્રતિબંધ લાગી જશે. તેથી, હવેથી તમે Gmailમાં લોગ ઇન કરો ત્યારે આ ત્રણ સરળ નિયમોને ધ્યાનમાં જરૂર રાખો.
સતત ઈ-મેલ મોકલશો નહીં
આપણને લાગે છે કે અપણે Gmailથી એક દિવસમાં અસંખ્ય ઇમેઇલ્સ મોકલી શકીએ છીએ, પરંતુ એવું બિલકુલ નથી. હકીકતમાં ગૂગલે જીમેલથી ઈ-મેઈલ કરવા માટે એક મર્યાદા નક્કી કરી છે અને જો કોઈ વ્યક્તિ તે મર્યાદાને વટાવે છે તો તેના Gmail એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે. તમે તમારા Gmailથી એક દિવસમાં 500થી વધુ ઈ-મેઈલ મોકલી શકતા નથી.
વારંવાર ખોટા ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરશો નહીં
જો તમે ઇનએક્ટિવ મેલ એડ્રેસ પર ઘણા મેલ મોકલો છો, તો પણ Google તમારા એકાઉન્ટને ‘રેડ ફ્લેગ’ એટલે કે નોટિસ આપી શકે છે. આમ કરવાથી, Google નું અલ્ગોરિધમ તમને સ્પામર ગણશે અને તમારા Gmail એકાઉન્ટને ડિસેબલ અથવા થોડા સમય માટે પ્રતિબંધિત કરશે. નોંધવા જેવી બાબત એ છે કે જો તમે કોઈપણ નોન-એક્ટિવ અથવા ખોટા ઈ-મેલ એડ્રેસ પર કોઈપણ મેલ મોકલો છો, તો તમારા દ્વારા મોકલાયેલ ઈ-મેલ પરત કરવામાં આવે છે. તેથી ધ્યાનમાં રાખો કે ઇનએક્ટિવ મેલ એડ્રેસ પર વારંવાર મેલ કરશો નહીં.
જો તમને મોટી માત્રામાં બાઉન્સ ઈ-મેલ મળે છે, તો ગૂગલ તમને સ્પામર માને છે. આવી સ્થિતિમાં ઈ-મેલ મોકલતા પહેલા તમારે બધા ઈ-મેલ એડ્રેસ બરાબર ચેક કરી લેવા જોઈએ અને સ્પેલિંગ વગેરેની તપાસ કરવી જોઈએ, જેથી ઈ-મેઈલ મોકલ્યા પછી પરત ન આવે.
ઈ-મેલ દ્વારા ગેરકાયદેસર માહિતી મોકલવી
જો તમે કોઈને લિંક, વિડિયો, ફોટો અથવા ડોક્યુમેન્ટ મોકલો છો જે ગેરકાયદેસર છે અથવા Gmail ની નીતિ વિરુદ્ધ છે, તો પણ તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે. તેથી, શસ્ત્રોનું વેચાણ, ડ્રગની દાણચોરી, કૉપિરાઇટેડ મ્યુઝિક વીડિયો અને મૂવી માહિતી વગેરે જેવી ગેરકાયદેસર વસ્તુઓની ઈ-મેલ દ્વારા માહિતી ક્યારેય મોકલવી જોઈએ નહીં. જો તમે આમ કરો છો, તો Google તમને ‘You have reached a limit for sending mail’ એવી error બતાવશે. ગૂગલનો દાવો છે કે તે કોઈપણ યુઝરનો ઈ-મેલ વાંચતો નથી, પરંતુ કંપની દ્વારા વિકસિત AI ડિટેક્શન ફીચર ઈ-મેલ દ્વારા મોકલવામાં આવેલ શંકાસ્પદ કોન્ટેન્ટની ઓળખ કરે છે.
ગેજેટ
સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ
Published
3 months agoon
July 19, 2022
ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. કોઈના કોઈ કામ માટે તો બહાર નીકળવું જ પડે છે. એવામાં રેઈનકોટની જરૂર પડે છે. ઘરની બહાર નીકળીને થોડે દૂર પહોંચતા જ જો વરસાદ શરૂ થઈ જાય તો સમસ્યા ઊભી થાય છે. એવામાં અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat રેઈનકોટ આવ્યો છે, જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જશે. આવો જાણીએ આ રેઈનકોટ વિશે.
Smart Rain Coat For Monsoon Season
આ Smart Rain Coat સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આગળની તરફ ઑટો ઝિપ આપવામાં આવી છે, જેવો વરસાદ પડે કે તરત જ પોતાની જાતે જ ખુલી જાય છે. પરંતુ આ માટે તમારે મોબાઈલ ફોન પરથી કમાન્ડ આપવી પડશે. એપ પર કમાન્ડ આપતાની સાથે જ રેઈનકોટ તમારા શરીરમાં ફીટ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છેકે આને ભારતમાં નહીં પરંતુ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની બજારમાં આ રેઈનકોટ ખૂબ વેંચાઈ રહ્યો છે.
કેવી રીતે કામ કરે છે Smart Rain Coat?
ચીનમાં આ Smart Rain Coatને Robotics કહેવામાં આવે છે. આને તમારે શરીર પર ફીટ કરવાનું રહેશે. જેવો વરસાદ આવે કે તરત જ તમારા શરીર પર આગળના ભાગથી ફીટ થઈ જાય છે. ચીનમાં આ પ્રોડક્ટ ઑનલાઈન અવેલેબલ છે. માત્ર પુરુષ જ નહીં આ Smart Rain Coatને બાળકો અને મહિલાઓ માટે પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો માટે આ રેઈનકોટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.
Smart Rain Coat Price In India
કિંમતની વાત કરીએ તો સ્માર્ટ રેઈનકોટની કિંમત ઘણી ઓછી છે. આની કિંમત ટી-શર્ટ કરતા પણ ઓછી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આને ખરીદી શકે છે. ભારતીય રૂપિયામાં આ રેઈનકોટની કિંમત 400-1000 રૂપિયાની વચ્ચે છે. ચીની માર્કેટથી પણ આને ખરીદી શકાય છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન