Featured
એક ભૂલ ના કારણે થઇ હતી દીવાસળીની શોધ: જાણો આવી અન્ય શોધ વિશે…
Published
3 years agoon
By
Gujju Media
શું તમે જાણો છો કે રોજબરોજના વપરાશમાં લેવાતી આ ચીજોની શોધ કેવી રીતે કરવામાં આવી ? જાણો એવી કેટલીક અજીબોગરીબ શોધ કે જેના વિશે કોઈને જાણ નથી. તો ચાલો જાણીએ આ અજીબોગરીબ શોધ વિશે…
1 ) દીવાસળી :
૧૮૦૦ ની સાલમાં બ્રિટિશ ફાર્માસિસ્ટ, જોહન વોકર પોતાના રોજીંદા કામ પ્રમાણે લાકડામાંથી દવા બનાવવાની પ્રક્રિયા કરતા હતા. તે દરમિયાન એક સ્ટીકમાં કોઈક કેમિકલ ચોંટી જતાં, તેઓએ બીજી સ્ટીકની મદદથી તેને દુર કરવાનો પ્રયાસ કર્યો. આ કારણસર, બંને લાકડાની સ્ટીકમાં ઘર્ષણ થતા આગ ઉત્પન્ન થઇ. આથી વીજળી વગર માનવ જીવનને સરળ રીતે ચલાવવાના હેતુસર, તેમણે લાકડાની આ સ્ટીકને વેચવાનું ચાલુ કર્યું, જે બાદમાં ઘણી પ્રખ્યાત થઇ અને દીવાસળીથી ઓળખાઈ અને આજ સુધી લોકો દીવાસળીનો ઉપયોગ કરી રહ્યા છે.
2 ) પોટેટો ચિપ્સ :
ન્યુયોર્કના શેફ જ્યોર્જ ક્રમને તેમના કસ્ટમર્સ તરફથી તેમની ફ્રાઈઝને લગતી ઘણી ફરિયાદો સંભાળવા મળતી હતી. જેમાં મોટા ભાગે આ ફ્રાઈઝ યોગ્ય પ્રમાણમાં ક્રિસ્પી ન હોવાનું વધારે સામે આવતું. આથી તેમણે એક નવા આઈડીયાથી બટાટાને બની શકે તેટલા પાતળા કાપીને તેને ડીપ ફ્રાય કર્યા, અને ઉપરથી પછી સ્વાદ અનુસાર, મસાલો નાખ્યો. તેમની આ નવી રેસીપીને લઈને લોકો ખુબ જ ખુશ થઇ ગયા. ૧૮૫૩થી અત્યારસુધીમાં બટાટાની વેફર ૨૦૦ થી પણ વધારે ફ્લેવર્સમાં માર્કેટમાં જોવા મળે છે.
૩ ) આઈસક્રીમ કોન :
૧૯૦૪ માં સેન્ટ લુઇસમાં આવેલ આઈસક્રીમ બુથમાં લોકોની આઈસક્રીમ ખાવા માટે લાંબી લાઈન હતી પરંતુ તેઓની પાસે આઈસક્રીમ આપવાના બાઉલ પુરા થઇ ગયા. ત્યારે એક પર્સિયન વોફલ વેચતા વેપારીએ લોકોને વોફલમાં આઈસક્રીમ રોલ કરીને આપવાનું ચાલુ કર્યું, જે લોકોને ઘણું પસંદ આવ્યું. અને ત્યારથી લોકો આઈસક્રીમ કોનમાં ખાવાનું વધારે પસંદ કરે છે. આમ કોનની શોધ વોફલમાંથી કરવામાં આવી.
4 ) કોકા કોલા :
૧૮૮૬ માં જોહન પેમ્બર્રટન નામના ફાર્માસિસ્ટ માથાના દુખાવાથી રાહત મેળવવા માટેની દવાની શોધ કરતા હતા. તેમાં તેમણે કોકો લીવ્સ અને કોકો નટ્સને મિક્ષ કરીને સીરપ બનાવી. આ સીરપને પાણીમાં નાખવાની જગ્યાએ ભૂલથી સોડામાં નાખી દેવાતાં આજના લોકોની મનપસંદ અને ટેસ્ટી એવી કોકા કોલાની શોધ થઇ.
5 ) વલ્કેનાઈઝ રબ્બર :
ચાર્લ્સ ગુડયેર નામના સાયન્ટીસ્ટ રબ્બરની ક્વોલીટી સુધારવા માટે ઘણા પ્રયોગો કરી રહ્યા હતા, તેમાં તે રો રેઝીનને મીઠાં , ખાંડ, માટી, કેસ્ટ્રોલ ઓઈલ તેમજ સૂપ સાથે પણ મિક્ષ કરીને પ્રયોગ કરી ચુક્યો પરંતુ તેને સફળતા ન મળી. પરંતુ એક વાર રબ્બરને સલ્ફર સાથે મિક્ષ કરીને ગરમ સર્ફેસ પર મૂકતા તેને પોતાની શોધમાં સફળતા મળી. આજે વપરાશમાં લેવાતા બાસ્કેટ બોલ તેમજ કારના ટાયર્સમાં આ જ વલ્કેનાઈઝ રબ્બરનો ઉપયોગ કરવામાં આવે છે.
6 ) પ્લાસ્ટિક :
20 મી સદીની શરૂઆતમાં જયારે પ્લાસ્ટીકની શોધ થઇ ન હતી, ત્યારે શેલ્લાકનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ શેલ્લાકની કિંમત ઘણી વધુ હોવાથી મોટા ભાગના લોકો તેનો ઉપયોગ કરી શકતા ન હતા. આથી કેમિસ્ટ લીઓ હેન્ડ્રીક બેકીલેન્ડ શેલ્લાકનો બીજો સસ્તો વિકલ્પ શોધવાનો પ્રયાસ કર્યો. તેમણે આ સંશોધનમાં શેલ્લાકથી પણ વધુ મજબુત એવા પ્લાસ્ટિકની શોધ કરી. જે આજે ઘણું ઉપયોગમાં આવે છે.
7 ) એન્ટી ડિપ્રેશન પિલ્સ :
૧૯૫૭ માં પહેલી એન્ટી ડિપ્રેશનની ગોળીની શોધ થઇ હતી, જે ક્ષય રોગના દર્દીને સારવાર માટે આપવામાં આવતી હતી, પરંતુ એક રીસર્ચ મુજબ , રોગ પર આ દવાની કોઈ ખાસ અસર થતી ન હતી. પરંતુ આ દવા લેવાથી દર્દીના મૂડમાં સુધારો આવતો હતો. આથી ત્યારથી આ દવાને ડિપ્રેશનમાં લેવામાં આવે છે.
You may like
-
લોકડાઉન દરમિયાન દેશની ઓટોમોબાઇલ કંપની રોયલ એન્ફિલ્ડ તેના ગ્રાહકો માટે લઇને આવ્યું ખાસ ઓફર
-
કોરોનાથી બચવા ન લેશો ખોટી દવાઓ.. થઇ શકે છે મોત.. રહેજો સાવધાન..
-
આ બે દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન લેવા વિક્રેતાઓને તાકીદ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં વેચવામાં આવે દવા
-
સૌની ફેવરીટ ચિપ્સ સ્વાસ્થ્ય માટે બની શકે છે હાનિકારક.. પેકેટમાં બંધ રહેલ ચિપ્સ ખાવાથી થઈ શકે છે કેન્સર..
-
આ છે દુનિયાના સૌથી ઝેરી સાપ.. જેના એક ડંસથી થઈ શકે છે મનુષ્યનું મૃત્યું..
-
At 12 yrs 10 mths, Chennai boy is world’s 2nd-youngest Grandmaster

ઓર્ગેનિક ખેતી એ પરંપરાગત ખેતી પદ્ધતિ અપનાવીને જમીનને પુનઃજીવિત કરવાની સ્વચ્છ રીત છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, કૃત્રિમ જંતુનાશકો, વૃદ્ધિ નિયંત્રકો અને રાસાયણિક ખાતર વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેના બદલે, ખેડૂતો સ્થાનિક પ્રાપ્યતાના આધારે પાક દ્વારા છોડવામાં આવતા બાયોમાસનો ઉપયોગ કરે છે, જે જમીનની ગુણવત્તામાં વધારો કરે છે તેમજ ફળદ્રુપતા પણ વધારે છે. ઓર્ગેનિક વર્લ્ડ રિપોર્ટ 2021 ના આધારે, વર્ષ 2019 માં, વિશ્વના 72.3 મિલિયન હેક્ટર વિસ્તારનો ઉપયોગ ઓર્ગેનિક ખેતી માટે કરવામાં આવ્યો હતો. જેમાં એશિયાના 5.1 મિલિયન હેક્ટરનો પણ સમાવેશ થાય છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઓર્ગેનિક ખેતીમાં વધારો થયો છે. તેનું મુખ્ય કારણ વધુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની આડઅસર છે, જેણે ભારત સરકારને આ દિશામાં વિચારવા પ્રેરી.
તેથી સરકાર ખેડૂતોને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કરી રહી છે. જેના પરિણામે 2019માં ઓર્ગેનિક ખેતીનો વિસ્તાર વધીને 22,99,222 હેક્ટર થયો છે. જો કે, આજે પણ તે પરંપરાગત કૃષિ ક્ષેત્રના 1.3 ટકા છે. આનું મુખ્ય કારણ વધતી જતી વસ્તીને પુરવઠો પૂરો પાડવા માટે પરંપરાગત ખેતીની કાર્યક્ષમતા છે, જે તેના દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોની માંગને વેગ આપે છે. પરંતુ આ ઉત્પાદનો કે પાકોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનું વધતું પ્રમાણ એ દૂરગામી આડઅસરની નિશાની છે, જેની શરૂઆતમાં અવગણના કરવામાં આવી હતી.
આ અસરોને ઘટાડવા માટે ઓર્ગેનિક ખેતી એ વધુ સારો વિકલ્પ છે. જૈવિક ખેતી હેઠળ, મુખ્યત્વે ખાદ્ય પાક, કઠોળ, તેલીબિયાં, શાકભાજી અને વાવેતર પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે.
ઓર્ગેનિક ખેતીનું વધતું વલણ મુખ્યત્વે ગ્રાહકની માંગ પર આધારિત છે. ગ્રાહકની માંગ મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા પર આધારિત છે. પરંપરાગત ખેતીમાં રસાયણોનો વધતો ઉપયોગ અને તેની ખરાબ અસરો દૂરગામી સ્તરે ગ્રાહકોમાં અવિશ્વાસનું કારણ બની રહી છે. તેના આધારે નીચેનામાંથી કેટલાક કારણો શક્ય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ. વધતા રસાયણોને કારણે માટી, પાણી અને હવા દૂષિત થઈ રહી છે. તેની માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે.
ઓર્ગેનિક ખેતીની વધતી માંગનું મુખ્ય કારણ પરંપરાગત ખેતીની ખરાબ અસરો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરી રહી છે. તેથી, ભારતમાં ઓર્ગેનિક ખેતીનું ઉત્પાદન અગાઉના વર્ષોની સરખામણીએ વર્ષ 2019-20માં વધીને 2.75 મિલિયન મેટ્રિક ટન થયું છે. ઓર્ગેનિક ખેતીના પરિણામે ખાદ્ય ઉત્પાદનોની વિદેશમાં વધતી માંગ પણ તેનું મહત્વ દર્શાવે છે. વર્ષ 2019-20માં ભારતમાંથી ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સની કુલ નિકાસ 6.39 લાખ મેટ્રિક ટન હતી, જેનું મૂલ્ય આશરે રૂ. 4686 કરોડ હતું. આ ઉપરાંત, સજીવ ખેતીના મહત્વના કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે-
- ઓર્ગેનિક પાક પાકવા માટે લાંબો સમય લે છે જેથી તેઓ વધુ પોષણ લઈ શકે અને સ્વાદિષ્ટ પણ બને.
- ઓર્ગેનિક પાકની પ્રેક્ટિસ જૈવવિવિધતાને સંતુલિત રાખવા સાથે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે.
- રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવાથી, પરંપરાગત ખેતીમાં ઉર્જાનું નુકસાન પણ લગભગ 25-30 ટકા ઘટે છે.
કાર્બનિક ખેતીના ઘટકો
આમાં, મુખ્યત્વે બીજનો ઉપયોગ સારવાર વિના કરવામાં આવે છે, અથવા તેને કાર્બનિક ખાતરથી સારવાર આપવામાં આવે છે. જૈવિક ખાતરમાં, મૂળભૂત રીતે ગાયનું છાણ, પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત મળતું, પાકના અવશેષો, મરઘાંના અવશેષો વગેરેનો ઉપયોગ થાય છે. ખેંચા, બરસીમ, સુનાઈ, મૂંગ અને સિસબેનિયા જેવા લીલા ખાતરના પાકોનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. જીપ્સમ અને ચૂનો જમીનની ક્ષાર અને એસિડિટીને નિયંત્રિત કરવા માટે વપરાય છે. રાસાયણિક જંતુનાશકોની જગ્યાએ બોટનિકલ જંતુનાશકોનો ઉપયોગ થાય છે. ઓર્ગેનિક ખેતીમાં અવરોધો રાસાયણિક ખાતરો કરતાં જૈવિક ખાતરોની કિંમત વધારે છે, જેના કારણે નાના અને સીમાંત ખેડૂતો માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. જૈવિક ખાતરોની ઉપલબ્ધતાનો અભાવ પણ એક કારણ છે. બજારમાં ઉપલબ્ધ બિયારણને સામાન્ય રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવતું હોવાથી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવી મુશ્કેલ છે. ઓર્ગેનિક પાકોની પરિપક્વતામાં લાગતો સમય હોવાને કારણે તેમાંથી મેળવેલા ઉત્પાદનોની કિંમત ઉંચી હોય છે, જેના કારણે આ ઉત્પાદનો માટે નીચલા વર્ગ સુધી પહોંચવું મુશ્કેલ છે.
કેટલાક દાયકાઓ પહેલાનો ભારતીય કૃષિ ઈતિહાસ ઓર્ગેનિક ખેતીના પાયાના પથ્થર પર આધારિત હતો. બદલાતા સમય, જરૂરિયાત અને વધતી જતી વસ્તી એ પરંપરાગત ખેતીમાં પરિવર્તનના મુખ્ય કારણો હતા. જેમાં અનેક રાસાયણિક ઉત્પાદનો અને નવી ટેક્નોલોજીએ આ જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જો કે, તેના દૂરગામી પરિણામો રસાયણોના વધતા જતા પ્રદૂષણ, તેની આરોગ્ય પર થતી અસરો અને જમીનની ફળદ્રુપતામાં તીવ્ર ઘટાડા સ્વરૂપે દેખાવા લાગ્યા.
તેથી, આ સમસ્યાઓ માટે ઓર્ગેનિક ખેતીને વધુ સારા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી રહી છે, જેના હકારાત્મક પરિણામો પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઓર્ગેનિક ખેતીનો વિસ્તાર અને ઉત્પાદન ઝડપથી વધ્યું છે. ઓર્ગેનિક ફાર્મિંગ એક્શન પ્રોગ્રામ 2017-2020નો ઉદ્દેશ્ય પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન અને વિકાસ કરીને ભારતીય કૃષિને નવા આયામ પર લઈ જવાનો છે. આજે, ભારતમાં ઓર્ગેનિક ખેતીમાં યોગદાન આપવા ઉપરાંત, અહીં 8,35,000 નોંધાયેલા ઓર્ગેનિક ફાર્મિંગ ઉત્પાદકો છે.
સજીવ ખેતીના ઉપયોગથી ખેડૂત અથવા ઉત્પાદકને દૂરોગામી લાભ મળવા ઉપરાંત તેની ઉત્પાદન કિંમત પણ 25-30 ટકા જેટલી છે.
કામ થઈ જાય છે. તે જ સમયે, તે જમીનમાં કાર્બન અવશેષોનું પ્રમાણ પણ વધારે છે, જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતામાં વધારો કરે છે. આના દ્વારા પાકની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો કરવાની સાથે તંદુરસ્ત પાક પ્રાપ્ત થાય છે. તેથી, પરંપરાગત ખેતીમાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે, જૈવિક ખેતી પણ ભારતીય કૃષિ વ્યવસ્થાને સુધારવા માટે કામ કરી રહી છે.
Featured
જાણો દુનિયાની એવી કેટલીક રહસ્યમય જગ્યાઓ વિશે, જેના રહસ્યનો ભેદ ઉકેલવામાં હજુ સુધી કોઈને સફળતા મળી શકી નથી.
Published
3 years agoon
December 26, 2019By
Gujju Media
1 ) બ્લડ ફોલ્સ :
એન્ટાર્કટિકાના ટેલર ગ્લેશિયર પર જામેલા બરફમાં એક અનોખી જગ્યા આવેલી છે, જ્યાં લાલ રંગનું ઝરણું વહે છે. ઉલ્લેખનીય છે કે , આ ઝરણાંને જોઈને એવું લાગે છે કે આ લોહીનું ઝરણું વહી રહ્યુ છે. જો કે વૈજ્ઞાનિકોએ આના પર ઘણું સંશોધન કર્યા બાદ તેનો રાઝ સામે આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું કે, ઝરણાનાં પાણીમાં આયર્ન ઓકસાઈડ અથવા રસ્ટનું પ્રમાણ હોવાથી તે બ્લડ રેડ કલરનું દેખાય છે.
2 ) ફાયરી ગેટ :
આશરે ૫૦ વર્ષથી આગમાં ઘેરાયેલો અને ૨૨૬ ફૂટ ઊંડો ખાડો કારકુમના તુર્કમેન રણની મધ્યમાં સ્થિત છે. જે તુર્કમેનિસ્તાનમાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧ માં નવા કુદરતી ગેસ ક્ષેત્રે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં ડ્રિલિંગ રિગ તેમજ બીજા એવા ઉપકરણોના વપરાશથી પૃથ્વીના છિદ્રમાંથી હાનિકારક ગેસનું નિર્માણ થયું. આથી આ ગેસનો નાશ કરવા માટે તેને બાળી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. લોકો આ આગના બુઝાવાની રાહ જોતા રહ્યા પરંતુ આ આગ હજુ સુધી ઓલવાઈ નથી. આથી તેને ‘નરકના દરવાજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
3 ) નેવર એન્ડીંગ લાઈટ સ્ટોર્મ :
પશ્ચિમી વેનેઝુએલામાં આવેલ કટાટમ્બો નદી પર દરરોજ આશરે 260 જેટલા વીજળીના તોફાન નોંધાયા છે. એમ માનવામાં આવે છે કે, પર્વતોના આકારમાંથી નીકળતી ગરમ હવા સાથે ઠંડી હવા અથડાતા આ પવન સર્જાયા, જે પછી એકબીજા સાથે ટકરાઈને બાષ્પીભવન થતાં, પાણી અને નજીકના તેલ ક્ષેત્રના મિથેન દ્વારા બળતણ કરવામાં આવ્યું . અને ત્યારથી આ કદી પૂરું ના થનારું વીજળીનું તોફાન યથાવત રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વીજળીનું તોફાન એટલી ક્ષમતા ધરાવે છે કે , તે એકસાથે ૧૦૦ મિલિયન લાઈટના બોકસને ઉજાગર કરી શકે છે.
4 ) ધ બોઇલિંગ રિવર :
પેરુનાં જંગલોમાં અંશાનિકા ક્ષેત્રમાં એક ઉકળતી નદી વહે છે. આશરે 25 મીટર પહોળી અને 6 મીટર ઊંડી આ નદીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. આ નદીની આસપાસનું વાતાવરણ પાણીમાંથી નીકળતા ધુમાડાને કારણે ધૂંધળું અને ડરામણું લાગે છે. ઉલ્લેખનીય છે કે, એમેઝોન બેસિનની આ નદી એક સક્રિય જ્વાળામુખીથી આશરે 400-450 કિલોમીટર જેટલી દૂર આવેલી છે, છતાંય આ નદીનું પાણી એક્દમ ગરમ રહે છે. આથી આ નદીને ‘ધ બોઇલિંગ રિવર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
5 ) ટ્વીન ટાઉન :
કેરાલામાં આવેલું એક અનોખું ગામ, જેને ‘કોડીન્હી’ ના નામથી ઓળખવામાં આવે છે. અહીની ખાસ વાત એ છે કે અહી મોટા ભાગે જોડિયા બાળકો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ નાનકડા ગામની વસ્તી આશરે ૨૦૦૦ આસપાસ નોંધવામાં આવી છે. અને તેમાં પણ ૪૫૦ જેટલાં બાળકો જોડિયા જોવા મળે છે. મહત્વનું છે કે, વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં જોડિયા બાળકો કોડીન્હી ગામમાં જોવામાં આવે છે.
6 ) ધ સ્લીપિંગ સિટી :
કઝાકિસ્તાનના કલાચી નામના ગામમાં લોકો એવી રીતે સૂવે છે અને એટલું સૂવે છે જેની કોઇ કલ્પના પણ કરી શકતું નથી. નોંધનીય છે કે, ઉત્તરી કઝાકિસ્તાનમાં વસેલાં આ ગામમાં લોકો રહસ્યમયી રીતે સૂવાની બીમારીથી પીડિત છે. જ્યારે આ લોકો એકવાર સૂઇ જાય છે ત્યારે અનેક દિવસો અને મહિનાઓ સુધી ઊઠતાં જ નથી. આ ગામની વસ્તી લગભગ 600 છે. આ ગામના લગભગ 14 ટકા લોકો આ બીમારીથી પીડિત છે. નોંધનીય છે કે, કઝાકિસ્તાનના આ ગામની પાસે એક સમયે યૂરેનિયમની ખાણ હતી. જે હાલ બંધ થઇ ચૂકી છે. આ ખાણમાં ઝેરી રેડિએશન થતું રહેતું હતું. રિપોર્ટ પ્રમાણે આ ખાણના કારણે જ લોકોને આવી અજીબોગરીબ બીમારીએ જકડી લીધા છે.
Featured
શું તમે વિશ્વની મુસાફરી કરવાની ઈચ્છા રાખો છો? તો શિષ્ટાચારના આ કેટલાક નિયમોને જરૂરથી યાદ રાખો.
Published
3 years agoon
December 25, 2019By
Gujju Media
જે લોકોને વિશ્વની મુસાફરી કરવાનો શોખ હોય તે લોકો માટે જુદા જુદા દેશમાં અપનાવતા ડેટિંગ શિષ્ટાચારની જાણકારી હોવી અતિ આવશ્યક બની જાય છે. કારણ કે, જુદા જુદા દેશોમાં પોતાની લાગણીઓને દર્શાવવાની રીત જુદી જુદી હોઈ શકે છે. વળી ઘણા દેશોમાં એવું પણ બને કે આપણા ત્યાં જે સામાન્ય બાબત હોય ત્યાં તે જ બાબત સજાને પાત્ર બની શકે છે. તો ચાલો જાણીએ એવી કેટલીક બાબતો વિશે…
1 ) પબ્લિક અફેક્શન :
પહેલાનાં સમયમાં હાઇ સ્કૂલમાં ભણતાં બાળકો પોતાની લાગણીઓને પબ્લિકમાં દર્શાવતાં નજરે પડતા અને આ જ પબ્લિક અફેક્શન તેમના માટે મુશ્કેલીનું કારણ બની જતું હતું. પરંતુ હાલ કેટલાક દેશોમાં આ એક સામાન્ય બાબત ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન અથવા કોરિયા જેવા કેટલાક સ્થળોએ પબ્લિકમાં અફેક્શન દર્શાવવું તે ખૂબ જ અસંસ્કારી માનવામાં આવે છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા અને અન્ય અરબી દેશોમાં પબ્લિક અફેક્શન એ એક ગુનો ગણાય છે, જેના બદલ ધરપકડ પણ થઇ શકે છે.
2 ) પીડીએનો નિયમ :
કોઈ પણ દેશના લોકો સાથે દોસ્તી કરવા અથવા તેમના ગ્રુપમાં શામેલ થવા માટે તે દેશના પીડીએના નિયમને અવશ્યથી જાણી લેવો જોઈએ. જેનાથી લોકો સાથે સારા સંબંધો બનાવવામાં ઘણી મદદ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં એવા ઘણા દેશો આવેલા છે જ્યાં પબ્લિક અફેક્શન દર્શાવવું આવશ્યક બની જાય છે. કારણ કે, જો તેમની સંસ્કૃતિ અનુસાર, જો પબ્લિક અફેક્શન દર્શાવવામાં ન આવે તો તેને અસભ્ય વર્તણુકમાં ગણવામાં આવે છે. મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશોમાં, મોટા ભાગે લોકો પબ્લિક અફેક્શન દર્શાવીને જ એકબીજા સાથે મુલાકાત કરે છે.
3 ) બિલનું વિભાજન :
સામાન્ય રીતે, પશ્ચિમના દેશોમાં, બિલનું વિભાજન કરવું એ એક સારી બાબત ગણવામાં આવે છે. પરંપરાગતરૂપે, પુરુષો સ્ત્રીઓ માટે ચૂકવણી કરતા હોય છે. પરંતુ ઘણાને તે વસ્તુ અપમાનજનક લાગે છે, કારણ કે તે સૂચવે છે કે સ્ત્રીઓ પોતાની સંભાળ રાખી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયામાં બિલનું વિભાજન કરવું તે અપમાનજનક માનવામાં આવે છે. સામાન્ય રીતે, જે વ્યક્તિ વધુ પૈસા કમાય, તેની પાસેથી ચૂકવણી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે ત્યાં મહિલાઓ પણ તેમના બોયફ્રેન્ડ્સ માટે બીલની ચૂકવણી કરી શકે છે. અને તે સામાજિક રીતે સ્વીકાર્ય પણ છે.
4 ) કિસિંગ :
કિસિંગનો સમાવેશ પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શનમાં થઇ જાય છે, પરંતુ તે એક જટિલ સમસ્યા છે. કારણ કે, કેટલીક સંસ્કૃતિઓમાં, પીડીએના વિવિધ પ્રકારના શિષ્ટાચારના સ્વરૂપો હોય છે. જેમ કે, કેટલાક યુરોપિયન દેશો જેવા કે જર્મની અને પોલેન્ડમાં, ડેટ પર એકબીજાને ભેટવું એ મળવાની યોગ્ય રીત છે. ત્યાંના દેશોમાં કિસ એ સીરીઅસ રીલેશન માટે આરક્ષિત રાખવામાં આવે છે.
5 ) યોગ્ય સમય :
ઉલ્લેખનીય છે કે, ડેટ પર જતી વખતે અમેરિકામાં લોકો પોતાનો સમય લેવાનું પસંદ કરે છે. ત્યાંની સંસ્કૃતિ અનુસાર, ડેટ પર વહેલા જવાથી ખરાબ છાપ પડી શકે છે. ત્યાં ડેટ પર લેટ જવાનો ટ્રેન્ડ છે અને તેને યોગ્ય પણ માનવામાં આવે છે. જોકે, બીજી બાજુ જર્મની જેવા કેટલાક સ્થળોએ, વ્યક્તિના સમયને ઘણો મૂલ્યવાન માનવામાં આવે છે. ત્યાં કોઈને રાહ જોવડાવવી તે ઘણું અસભ્ય માનવામાં આવે છે.
6 ) ગિફ્ટ :
કોઈને ‘ગિફ્ટ આપવી’ એ આભાર કે પ્રેમ દર્શાવવાની એક રીત છે. ભેટ આપવી એ કાળજી બતાવવાની મહત્વપૂર્ણ રીત છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમના દેશોમાં ગિફ્ટ આપવી એ ઘણું અગત્યનું છે, કારણ કે, તે દર્શાવે છે કે, તમે જે પ્રાપ્ત કર્યું તેના માટે તમે આભારી છો. જોકે, આ ગિફ્ટને ગિફ્ટ આપનાર સામે ખોલવામાં ન આવે તો તે અત્યંત અસંસ્કારી ગણવામાં આવે છે. જોકે, ચીન અથવા ભારત જેવા કેટલાક એશિયન દેશોમાં, જે વ્યક્તિએ ગિફ્ટ આપી હોય તેની સામે ભેટ ખોલવાનું યોગ્ય ગણવામાં આવતું નથી. કારણ કે, ત્યાં ,કોઈએ આપેલી ગિફ્ટ ઝડપથી ખોલવામાં આવે તો તે વ્યક્તિ લોભી લાગે છે.
7 ) ફૂલોનો ગુલદસ્તો :
મોટાભાગે પુરુષો પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે, ડેટ પર જતી વખતે તેઓ એક સુંદર ફૂલોનો ગુલદસ્તો પોતાની ડેટને આપે. મહત્વનું છે કે, રશિયામાં આ ફૂલોના ગુલદસ્તામાં ફૂલોની સંખ્યા બેકી ન હોવી જોઈએ. કારણ કે, બેકી સંખ્યામાં ફૂલો એ અંતિમ સંસ્કારમાં આપવામાં આવે છે. આ ઉપરાંત વિક્ટોરિયન યુગમાં, કોઈને પીળા રંગનું ગુલાબ મોકલવું તે અપમાનજનક ગણવામાં આવતું. કારણ કે તે ઈર્ષ્યા અને બેવફાઈનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જોકે, આજના સમયમાં પીળા રંગનું ફૂલ મિત્રતાનું પ્રતીક ગણવામાં આવે છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન