Connect with us

હેલ્થ

ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે

Published

on

Even by mistake, don't eat this thing with tea, otherwise you will have to be pushed by the hospital

ભારતમાં મોટા ભાગના લોકો પોતાની સવારની શરૂઆત ચા પીધા બાદ કરતા હોય છે. સવારની પહેલી તાજી અને કડક ચા પીધા બાદ લોકો તાજગી અનુભવતા હોય છે. ચામાં કેફીન હોવાથી લોકોમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે. કેટલાક લોકોને ઓફિસ અથવા અન્ય કામો હોવાથી તેઓ દિવસમાં 3 વાર એટલે કે સવાર, બપોર અને સાંજે ચા પીતા હોય છે. લોકો માત્ર ચા જ નથી પીતા, તેમને તેની સાથે ચટાકેદાર નાસ્તો ખાવાની પણ આદત હોય છે. સ્વાદપ્રિય લોકો સવારે પણ ચટાકેદાર અને હેવી નાસ્તો લેવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકો લાઈટ નાસ્તો લેવાનું પસંદ કરે છે. પરંતુ લોકો ઘણીવાર ચા સાથે ન ખાવાનું ખાઈ લેતા હોય છે. જેને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. આ કઈ વસ્તુઓ છે જેને ચા સાથે ન ખાવી જોઈએ આવો જાણીએ.

Even by mistake, don't eat this thing with tea, otherwise you will have to be pushed by the hospital
1) બેસન-
ગુજરાતની વાત કરવામાં આવે તો સવારે લોકો ચા સાથે ગરમા ગરમ વણેલા અથવા ફાફડા ગાંઠિયા ખાવાનું પસંદ કરતા હોય. ગુજરાત બહાર લોકો પકોડા અથવા ભજીયા ખાવાનું પસંદ કરતા હોય છે. વિશેષજ્ઞોની મુજબ ચા સાથે બેસનથી બનેલી કોઈ પણ વાનગી ખાવી ન જોઈએ. જો આ વસ્તુઓ ખાવામાં આવે તો પાંચન સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

Even by mistake, don't eat this thing with tea, otherwise you will have to be pushed by the hospital
2) લીંબુ-
ફિટનેસ માટે લેમન ટી પીવાની ખૂબ સલાહ આપવામાં આવે છે કારણ કે કેટલાક લોકો માને છે કે તે ઝડપી વજન ઘટાડવા તરફ મદદરૂપ થાય છે. પરંતુ તે લોકોએ એ પણ જાણવું જોઈએ કે લીંબુના રસમાં ચા મિક્સ કરીને પીવાથી તે એસિડિક થઈ શકે છે અને શરીરમાં બળતરા થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર જો સવારે ખાલી પેટ લેમન ટી પીવામાં આવે તો એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્ન જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેથી, વધુ સારું છે કે તમે આ ચાને સંપૂર્ણપણે ટાળો.

Even by mistake, don't eat this thing with tea, otherwise you will have to be pushed by the hospital
3) હળદર-
હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. Afternoonteareadsના અહેવાલ મુજબ, હળદર અને ચા પત્તી એકબીજા સાથે સુસંગત નથી. જો કોઈ વ્યક્તિ હળદરની ચાનું સેવન કરે છે, તો તેને પેટમાં ગેસ, એસિડિટી અથવા કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
4) ઠંડી ખાદ્ય વસ્તુઓ-
ગરમ ચા સાથે અથવા ચા પછી તરત જ ઠંડી વસ્તુઓ ક્યારેય ન ખાવી. આમ કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેનું કારણ એ છે કે અલગ-અલગ વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી પાચનક્રિયા નબળી પડી શકે છે અને ઉબકા આવવાની સમસ્યા થઈ શકે છે. ગરમ ચા પીધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ઠંડુ કંઈપણ ખાવાનું ટાળવું જોઈએ.

Even by mistake, don't eat this thing with tea, otherwise you will have to be pushed by the hospital
5) નટ્સ-
દૂધ સાથે આયર્ન યુક્ત વસ્તુઓ ખાવાનું ટાળો. હોવર્ડ યુનિવર્સિટીના ન્યુટ્રિશન સોર્સ અનુસાર, બદામમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તેથી ચા સાથે બદામ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી, ચા સાથે બદામ ખાવાનું ટાળો.

6) આયરનથી ભરપૂર શાકભાજી-
આયર્નથી ભરપૂર વસ્તુઓ ચા સાથે ન ખાવી જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીના ન્યુટ્રિશન સોર્સ મુજબ, ચામાં ટેનીન અને ઓક્સાલેટ હોય છે જે આયર્નને શોષતા અટકાવે છે. તેથી, આયર્નથી ભરપૂર ખોરાક જેમ કે બદામ, લીલા પાંદડાવાળા શાકભાજી, અનાજ, કઠોળ અને અનાજ ચા સાથે ટાળવા જોઈએ.

જાણવા જેવું

6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?

Published

on

નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.

જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.

બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.

બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.

બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.

જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.

બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.

  • 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
  • 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
  • 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
  • 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

Continue Reading

હેલ્થ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

Published

on

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગનુ સેવન કરવાના ફાયદા 

  1. દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
  2. જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
  3. ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
  4. લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

 

Continue Reading

હેલ્થ

ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર

Published

on

Follow these tips! Joint pain will be gone soon

 

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

Follow these tips! Joint pain will be gone soon

પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.

Follow these tips! Joint pain will be gone soon

અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.

Follow these tips! Joint pain will be gone soon

લસણ 
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending