Connect with us

હેલ્થ

કોરોના વાયરસના કહેરથી બચવા આ નુસ્ખા અજમાવો, જાણો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું રહસ્ય

Published

on

સમગ્ર દુનિયામાં હાલ કોરોના વાયરસના કારણે ભયના માહોલમાં જીવી રહ્યું છે. અસંખ્ય લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. આ ખતરનાક વાયરસને આપણે જોઈ શકતા નથી. જેની સામે લડવા માટે આપણી પાસે કોઈ હથિયાર પણ નથી. ત્યારે આવા સમયે ખૂબ જ સાવધાનીપૂર્વક આપણે કામ લેવાની જરૂર છે. બીજી બાજૂ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પણ ડરનો માહોલ ઉભા કરવા માટે સક્રિય છે. લોકોમાં અનેક પ્રકારના ડર ઉભા છે, નોકરી જવાનો ડર, વાયરસના સંક્રમણમાં આવવાનો ડર, ડર છે કે, ક્યાંક લોકડાઉન ન થાય.

કારણ વગરનો ડર આપણને મુશ્કેલી મુકે છે


ડર એ વાતનો છે કે, ક્યાંક આ વાયરસનો શિકાર ન બનીએ. બધુ મળીને એ વાત સામે આવે છે કે, ડર આપણને નબળા પાડે છે. આ ફક્ત મનોવૈજ્ઞાનિક તથ્ય નથી. ડરના કારણે આપણા ફિજીયોલોજી પર ખતરનાક અસર પડે છે. આ ડર આપણી ઈમોશનલ હેસ્થ પર બર્બાદ કરી નાખે છે. જેના કારણે આપણી પ્રતિરોધ કરવાની ક્ષમતા પર ખૂબ જ અસર પડે છે.

પ્રતિરોધક ક્ષમતાને મજબૂત રાખો


હકીકતમાં જોઈએ તો, પ્રતિરોધક સિસ્ટમ અનેક લાખો કોશિકાઓ સાથે મળીને બને છે. જેમાંથી અમુક કોશિકાઓનું કામ હોય છે, બિમારીથી લડવુ અને સ્વસ્થ રાખવું. આખા શરીરમાં આ કોશિકાઓ ભ્રમણ કરતી હોય છે. જેને ફાઈટર સેલ્સ પણ કહેવાય છે.

કોશિકાઓ નબળી થશે તો, તકલીફ


એક રીતે જોવા જઈએ તો, આ કોશિકાઓ શરીરમાં સિપાહીઓની માફક હુમલો કરે છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો વાયરસ કે બેક્ટેરિયાનો પ્રવેશ થતાં જ તેના પર તૂટી પડે છે. તમે જાણતા જ હશો કે, દરરોજ હજારો વાયરસ આપણા સંક્રમણમાં આવતા હોય છે, પણ તે આપણુ કશું જ બગાડી શકતા નથી, કેમ કે, આ કોશિકાઓ તેને ખતમ કરી નાખે છે.

પ્રતિરોધક કોશિકાઓ બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ આપે છે


આપણે આવી કોશિકાઓનો આભાર માનવો જોઈએ, પણ વિચારો કે, જો આ લડાયક કોશિકાઓ જ નબળી પડી જાય તો. અથવા તો ઓછી થઈ જાય તો. ત્યારે આવા સમયે નબળામાં નબળો વાયરસ પણ આપણા પર અટેક કરી શકે છે. આપણે બધાએ એડ્સનું નામ સાંભળ્યું હશે. દુનિયાભરમાં તેના કારણે ડરનો માહોલ છે. આ બિમારી ફક્તને ફક્ત પ્રતિરોધ ક્ષમતા (immune system) નબળી હોવાના કારણે જ થાય છે.

નાહકનો ડર પ્રતિરોધની ક્ષમતા ઘટાડે


વળી પાછા આપણે ડર તરફ આવી તો, ડર આપણા સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને અસંતુલિત કરી ઈમ્યૂન સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. પ્રતિરોધ ક્ષમતા જેવી ડિસ્ટર્બ થાય છે, તેની સૌથી પહેલા અસર આ લડાયક કોશિકાઓ પર થાય છે. આ કોશિકાઓ ઓછી થવા લાગે છે. જેમ જેમ આ કોશિકાઓ ઓછી થવા લાગે છે, પ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે.ત્યારે આવા સમયે આપણા શરીરમાં ડર એટલો વધી જાય છે કે, આપણે નક્કી નથી કરી શકતા કે, ડર કઈ વાતનો છે અને કઈ વાતનો ડર નથી. ત્યારે આવા સમયે આપણી લડાયક કોશિકાઓ વધુ નબળી થઈ જાય છે.

ડર્યા વગર મજબૂત રહો, નિડરતા સૌથી મોટુ હથિયાર


કુલ મળીને જ્યારે તણાવ, ચિંતા અને ડર પોતાની સીમા પાર કરી લે છે, ત્યારે આઈસોલેશન અને એકલાપણાથી છૂટકારો મેળવવા માટે કોઈ પ્રયોગ આપણને સૂઝતો નથી, ત્યારે આ લડાયક કોશિકાઓ આપણા શરીરમાં આવતા બેક્ટેરિયા તથા વાયરસને પણ આવતા રોકી શકતી નથી. આવા સમયે સરકારે પણ મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગને પોતાની સાથે આ પ્રક્રિયામાં જોડવા જોઈએ. ઉપરાંત આપણી અંદર રહેલી આ લડાયક કોશિકાઓને પણ મજબૂત કરવી જોઈએ. કારણવગરનો ડર આપણને ખતરનાક પરિસ્થિતીમાં મુકે છે.

જાણવા જેવું

6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?

Published

on

નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.

જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.

બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.

બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.

બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.

જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.

બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.

  • 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
  • 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
  • 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
  • 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

Continue Reading

હેલ્થ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

Published

on

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગનુ સેવન કરવાના ફાયદા 

  1. દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
  2. જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
  3. ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
  4. લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

 

Continue Reading

હેલ્થ

ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર

Published

on

Follow these tips! Joint pain will be gone soon

 

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

Follow these tips! Joint pain will be gone soon

પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.

Follow these tips! Joint pain will be gone soon

અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.

Follow these tips! Joint pain will be gone soon

લસણ 
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending