Connect with us

કોરોના

FSSAIએ બનાવ્યા ખાસ નિયમો,સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં નહીં વેચી શકાય આ ચીજ

Published

on

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના સીઈઓ અરુણ સિંઘલે સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોમાં જંક ફુડ અને અસ્વસ્થ્ય ખાધ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે.


કોરોનાના વધાતા કહેર વચ્ચે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સીઈઓ અરુણ સિંઘલે સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોમાં જંક ફુડ અને અસ્વસ્થ્ય ખાધ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે.


તેની જ સ્કુલના પરિસરના 50 મીટરના ઘેરામાં અસ્વસ્થ્ય ખાદ્યા પદાર્થોના વેચાણ અને જાહેરખબરો પર પ્રતિબંઘ લાદ્યો છે. આ પગલું બાળકોની સુરક્ષા અને પૌષ્ટિક ભોજન સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યો છે.


આપને જણાવી દઇએ કે FSSAI ખાદ્ય પદાર્થો અને માપદંડના કાયદા હેઠળ નવા સિધ્ધાંતોને અમલમાં મુકી રહ્યા છે. આનો હેતુ સ્કુલના બાળકો માટે સુરક્ષિત, પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત આહાર તૈયાર કરવાનો છે.

FSSAIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આનાથી સ્કુલના બાળકોને સુરક્ષિત અને સંતુલિત આહાર ઉપલબ્ધ થશે. જે ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં ચરબી, સોલ્ટ અને શુગર હોય છે, તેમનું સ્કુલોની કેન્ટીનમાં કે મેસ કે પછી હોસ્ટેલ કિચન કે પછી સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં વેચાણ થઈ શકશે નહીં. ખાદ્ય પદાર્થોમાં પિઝ્ઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક, ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ, સમોસા, પેસ્ટ્રી, સેન્ડવિચ, બ્રેડ પકોડા વગેરે આવે છે.


ત્યારે 2015માં દિલ્હી હાઈકોર્ટે સ્કૂલોની કેન્ટીનમાં જંક ફુડના વેચાણ માટે નિયમ બનાવવા માટે FSSAIને આદેશ આપ્યો હતો. આ બાદથી સત્તાધિકરણી વિશેષજ્ઞ સમિતિએ સ્કુલના બાળકો માટે સ્વાસ્થ્ય પ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે દિશાનિર્દેશ તૈયાર કર્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે સ્કુલમાં કેન્ટીન, મેસ, કિચન ચલાવવા માટે FSSAI પાસે લાઈસન્સ લેવું પડશે. સાથે શિક્ષા વિભાગ દ્વારા મિડ ડે મીલ સાથે જોડાયેવ ફુડ વિતરકોએ પણ FSSAIમાં નોંધણી કરાવવી પડશે અથવા લાઈસન્સ લેવું પડશે.

નગર નિગમ અધિકારીઓ અને પ્રદેશના વહીવટી તંત્ર દ્વારા સ્કુલ પરિસરોનું નિયમિત નિરિક્ષણ કરવામાં આવશે જેથી બાળકોની સુરક્ષા, સ્વાસ્થ્ય પ્રદ અને શુદ્ધ ભોજન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.

કોરોના

મહિલા ખાઈ રહી છે ફાયરબોલ્સ: આઈપીએસ બોલ્યા કોરોનાથી બચવાનો છેલ્લો ઉપાય

Published

on

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તેણે પ્લેટમાં કંઈક એવું રાખ્યું છે, જે અગ્નિના ગોળા જેવું લાગે છે. વિડિઓમાં, તમે જોશો કે સ્ત્રી ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાઈ રહી છે.

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દરેક જગ્યાએ લોકો કોરોના સામે સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓને ન તો બેડ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓક્સિજનને લઇને સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા લોકો ઘરે રહીને પોતાને ઇલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે લોકો કોરોનાનાં લક્ષણો બતાવી રહ્યાં છે તે તરત જ ઘરેલું ઉપચાર શરૂ કરી રહ્યા છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તે ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાય છે. આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘સ્ટીમ લીધા પછી, મીઠાના પાણીથી કોગળા કર્યા પછી, હળદરનું દૂધ પીધા પછી, રોજ ગરમ પાણી પીધા પછી, આ છેલ્લો ઉપાય બાકી છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે.’. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે તમે લોકોએ આ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ફક્ત વેક્સિન લો.

Continue Reading

કોરોના

સીઆઈએસસીઈ બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી

Published

on

કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.

ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.

સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending