ગુજરાત
14 એપ્રિલ સુધી દેશમાં લૉકડાઉન : ગભરાશો નહીં… જીવન જરૂરિયાતની આ વસ્તુઓ મળતી રહેશે..
Published
3 years agoon

PM મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કરતા મોટી જાહેરાત કરી હતી જેમાં કોરોના સંકટને સંપૂર્ણ દેશમાં ટાળવા 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરાયું હતું. એટલે કે 14 એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન થયું છે. ત્યારે જાણીએ આ લોકડાઉન શું હોય છે અને આ દરમ્યાન શું ચાલું રહેશે અને શું બંધ રહેશે.
શું-શું ચાલુ રહેશે
ડિફેન્સ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ, ડિઝાસ્ટર મેનેજમે્ટ, વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર
શાકભાજી, રેશનિંગ, દવા, ફળોની દુકાન ચાલુ રહેશે
બૅંક, ઈન્સ્યોરન્સ ઓફિસ, ATM
પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિકમ મીડિયા
ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ પણ ચાલુ રહેશે
ઈ-કોમર્સ દ્વારા દવા, મેડિકલ ઉપકરણની ડિલીવરી ચાલુ રહેશે
પેટ્રોલ પંપ, LPG પંપ અને ગેસ રિટેલ ચાલુ રહેશે
પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસ પણ મળતી રહેશે
હોસ્પિટલ, ડિસ્પેન્સરી, ક્લીનિક, નર્સિંગ હોમ ચાલુ રહેશે
શું-શું બંધ રહેશે
સરકારી અને પ્રાઈવેટ ઓફિસો
રેલ, એરલાઈન્સ અને રોડવેઝની સેવા
તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ
પબ્લિક પ્લેસ જેવી કે મૉલ, જિમ, હૉટલ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ
તમામ રેસ્ટોરન્ટ્સ, દુકાનો (કરિયાણા અને જીવનજરૂરિયાત સિવાય) બંધ રહેશે
ધાર્મિક સ્થળો, તમામ શિક્ષણ સંસ્થાન
અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને મંજૂરી નહીં
તમામ ફેક્ટરી, વર્કશૉપ, ગોડાઉન, સાપ્તાહિક માર્કેટ
શું બંધ કરવામાં આવે ?
લોકડાઉન સમયે સાર્વજનિક પરિવહન સેવા બંધ રહે છે આ સાથે જ હોટલ, રેસ્ટોરેન્ટ, ફૅક્ટરીઓ, વર્કશૉપ, ઑફિસ, ગોડાઉન, અઠવાડિક બજાર બંધ રહેશે. આ સાથે જ જો કોઈ જિલ્લાની સીમા અન્ય રાજ્ય સાથે મળતી હોય તો તેને સીલ કરાશે. એટલે કે બૉર્ડર સીલ કરવામાં આવે છે.
તો વળી એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે દોડતી બસ અને રેલસેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવે છે. મુસાફરોનું વહન કરતી ટૅક્સી-મેક્સી ગાડીઓ અટકાવી દેવામાં આવે છે, જ્યારે કન્સ્ટ્રક્શન કામ પણ રોકવામાં આવે છે અને ગાર્ડન અને પાર્ક પણ બંધ કરવામાં આવે છે.
કોઈ પણ લોકડાઉનમાં ખાનગી વાહનો ચલાવી શકે છે?
કોઈપણ જિલ્લાના લોકડાઉન પછી ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકાય છે. શરત એ છે કે ખાનગી વાહનોનો ઉપયોગથી લોકોને કોઈ સમસ્યા ન થતી હોય, ખાસ કરીને કોરોના વાયરસના કિસ્સામાં, જો રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થાય તો ભીડને ટાળવાનો હેતુ ન સરે. જો કોઈ ગંભીર માંદગીમાં હોય કે મુશ્કેલીમાં હોય તો તેઓ તેમની કાર લઈને બહાર જઈ શકે છે. પરંતુ લોકડાઉન કરવાના સરકારના હેતુની વિશેષ કાળજી લેવાય એ જરૂરી છે.
લોકડાઉન સમયે શું ન કરવું જોઇએ
ઈમરજન્સી ન હોય ત્યાં સુધી ઘર છોડશો નહીં. લોકડાઉનની જાહેરાત પછી, જો ઘરની બહાર કોઈ કારણ વિના એમનેમ નીકળ્યા તો વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી પણ થઇ શકે છે. લોકો તેમના ઘરે રહેવા દરમિયાન સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં ખોટા સમાચાર ફેલાવશો નહીં.
લોકડાઉન શું છે?
લોકડાઉન એક ઇમર્જન્સી સિસ્ટમ છે જે સામાન્ય રીતે એક વિસ્તારમાં લોકોને અટકાવી રાખવા માટે વપરાય છે. સામાન્ય રીતે, આ પ્રોટોકોલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. લોકડાઉનની ઘોષણા સામાન્ય રીતે મોટી દુર્ઘટનાઓથી લોકોને બચાવવાની માટે કરવામાં આવે છે. સંપૂર્ણ લોકડાઉનનો અર્થ એ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ જરૂરી કારણ ન હોય અથવા જ્યાં કોઈ તબીબી ઇમરજન્સી ન હોય ત્યાં સુધી લોકો તેમના ઘરની બહાર બિલકુલ નીકળી શકતા નથી.
લોકડાઉનમાં સરકારનો ઉદ્દેશ એ છે કે લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો સરકાર દ્વારા સૂચવવામાં આવેલી સિસ્ટમનો અમલ કરવામાં આવે. ચેપ અટકાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સૂચવવાના આવતા પગલાંઓનો અમલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ ગંભીર દર્દી અથવા ગર્ભવતી સ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવા હોય, તો પછી આવા ઈમરજન્સી કાર્યો માટે તમને ઘરની બહાર જવાની પરવાનગી છે.
You may like
-
અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી
-
વરસાદી માહોલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સર્જાયા મનમોહક દ્રશ્યો! જુઓ તસવીરોમાં
-
આ જગ્યાએ દેવોના દેવ મહાદેવ પર સમુદ્ર કળે છે અભિશેખ
-
સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી! અમદાવાદે હજુ રાહ જોવી પડશે
-
જાણવા જેવુ! જગન્નાથ ભગવાનની યાત્રામાં જોડાતા ત્રણેય રથ અને તેમના નામ પાછળ છે કઈક આવું મહત્વ
-
સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી; જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
ગુજરાત
PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી
Published
3 hours agoon
October 19, 2022By
Gujju Media
ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.
નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે
તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.
#BreakingNow: PM @narendramodi ने मिशन स्कूल ऑफ एक्सीलेंस का किया शुभारंभ, पीएम ने बच्चों के साथ अटेंड की स्मार्ट क्लास
'अब डिजिटल बोर्ड और लैपटॉप के साथ होगी पढ़ाई, 5G तकनीक शिक्षा में बड़ा बदलाव लाएगी'- PM मोदी#MissionSchoolOfExcillence #Gujarat #PMModi pic.twitter.com/BdMtfnrA4T
— Times Now Navbharat (@TNNavbharat) October 19, 2022
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.
Hon'ble PM @Narendra Modi ji launched the Mission School of Excellence in Adalaj, Gandhinagar.
He also attended Smart Class to understand the functioning and interacted with the students in the smart class.#SchoolofExcellence pic.twitter.com/1ftlYnr8Tw
— Tulla Veerender Goud (@TVG_BJP) October 19, 2022
ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન
આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.
ગુજરાત
PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી
Published
3 hours agoon
October 19, 2022By
Gujju Media
ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.
નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે
તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.
#BreakingNow: PM @narendramodi ने मिशन स्कूल ऑफ एक्सीलेंस का किया शुभारंभ, पीएम ने बच्चों के साथ अटेंड की स्मार्ट क्लास
'अब डिजिटल बोर्ड और लैपटॉप के साथ होगी पढ़ाई, 5G तकनीक शिक्षा में बड़ा बदलाव लाएगी'- PM मोदी#MissionSchoolOfExcillence #Gujarat #PMModi pic.twitter.com/BdMtfnrA4T
— Times Now Navbharat (@TNNavbharat) October 19, 2022
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.
Hon'ble PM @Narendra Modi ji launched the Mission School of Excellence in Adalaj, Gandhinagar.
He also attended Smart Class to understand the functioning and interacted with the students in the smart class.#SchoolofExcellence pic.twitter.com/1ftlYnr8Tw
— Tulla Veerender Goud (@TVG_BJP) October 19, 2022
ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન
આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.
ગુજરાત
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રેન્કિંગ પર ભારત: ‘ભૂલભર્યું, ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે’
Published
4 days agoon
October 15, 2022By
Gujju Media
ભારતે શનિવારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 રેન્કિંગને નકારી કાઢ્યું હતું. અને કહ્યું હતું કે ઇન્ડેક્સ ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રેન્કિંગ એ “ભૂખનું ખોટું માપ” છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું 107મું રેન્કિંગ એ “એક રાષ્ટ્ર કે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી” તરીકે દેશની છબી ખરાબ કરવાના સતત પ્રયાસનો એક ભાગ છે, કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતને 121 દેશોમાંથી 107માં સ્થાન આપવામાં આવ્યું છે અને તેના બાળકોનો બગાડ દર 19.3 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન