ધર્મદર્શન
અષાઢી પૂનમ એટલે ગુરૂપૂર્ણિમા,ગુરૂપૂર્ણિમાના દિવસ પર આ વસ્તુઓની કરો અચૂક પૂજા
Published
2 years agoon

અષાઢી પૂનમ એટલે કાર્તિકી સંવત્સરની નવમા માસની પૂનમ. અગાઉના જમાનામાં ગુરુકુળ પરંપરામાં આ દિવસે વિદ્યા આપનાર ગુરુનું પૂજન થતું. વિદ્યાર્થીઓના વાલી તથા સમાજના અગ્રેસર લોકો આ ગુરુજનોને યથાયોગ્ય દક્ષિણા અર્પણ કરીને ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરતા હતા.
આ વર્ષે અષાઢ સુદ પૂનમ રવિવાર 5 જુલાઈ, 2020ના રોજ ધનુ રાશિમાં માંદ્ય-છાયા ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં માટે પાળવાની જરૂર નથી. વળી છાયા ચંદ્રગ્રહણ એટલે ચંદ્ર માત્ર કથ્થાઈ રંગનો થાય છે. તેને ધાર્મિક રીતે પાળવાનું હોતું નથી.
ગુરુપૂનમના દિવસે થનારું છાયા ચંદ્રગ્રહણ ધનુ રાશિમાં હોવાથી કન્યા (પ.ઠ.ણ.), વૃષભ (બ.વ.ઉ.) મકર (ખ.જ) તથા ધનુ (ભ.ધ.ઢ.ફ) એ ચાર રાશિની વ્યક્તિઓએ ઈષ્ટદેવની ભક્તિ તથા પોતાના રાશિના અધિપતિ ગ્રહના જાપ શાંતિપૂર્વક જાતે કરવાથી મનોબળમાં વૃદ્ધિ થાય.
અષાઢી પૂનમે કરો આ ઉપાય
ભગવાન વિષ્ણુને તુલસી અતિપ્રિય હોવાથી વળી તુલસી આરોગ્ય માટે વિશેષ ઉપયોગી હોવાથી તુલસીના છોડનું જતન કરવું. નવા તુલસીનું માંજરથી વાવેતર કરવું. સાત્વિક સાહિત્યનું વાંચન કરવું. જનસેવા એ પ્રભુસેવા છે તેમ સમજીને પોતાની આસપાસ જરૂરિયાતવાળા લોકોને શક્ય હોય તે રૂપે, તે રીતે મદદ કરવી જોઈએ.
જીવનમાં સૌપ્રથમ ગુરુ જનેતા એટલે કે મા છે. ત્યારપછી પિતા, પરિવારના વડીલો અને જ્ઞાની પુરુષો, ગુરુજનો એમ આખી સાંકળ ભારતીય પરંપરામાં જોવા મળે છે. દત્તાત્રેય દ્વારા ગુરુ પરંપરામાં વિશેષ ખ્યાલ ઉમેરાયો હતો. તેમણે શ્વાન સહિત પોતાના જીવનમાં ચોવીસ ગુરુ બનાવ્યા હતા.
સાધારણ સંજોગોમાં શ્રદ્ધાળુ લોકો પોતાના પંથ પ્રમાણે કે પરિવારની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમાના દિવસે શ્રદ્ધાધામમાં જઈને ઉજવણી કરે છે. આ વર્ષે સમય-સંજોગો જુદા છે ત્યારે બારેય રાશિના લોકો પોતાના ઘેર રહીને પણ ગુરુપૂર્ણિમાનું ભાવપૂર્વક કર્તવ્ય બજાવી શકે છે.
You may like
ધર્મદર્શન
ભગવાન શિવને જ શું કામ કરાય છે જળાભિષેક? આ રહ્યું કારણ
Published
3 weeks agoon
July 25, 2022
ભગવાન શિવ ભક્તોની ઉપાસનાથી પ્રસન્ન થઇને તેમની દરેક કામના પૂર્ણ થવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભક્તો શિવ ઉપાસનાની સાથે-સાથે મંદિરોમાં જઇને શિવજી પર જળાભિષેક પણ કરે છે. કહેવામાં આવેે છે કે તેનાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થઇને ભક્તોના બધા કષ્ટ હરી લે છે. ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. બધા દેવોમાં માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે. જેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે.
ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ લગ્ન બાદ જ્યારે પહેલી વખત સાસરે ગયા તો તે શ્રાવણ માસ હતો. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતીનુ મિલન થયુ હતુ. એટલું જ નહીં, શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી લોક પર રહે છે. આ બધા કારણોને લીધે શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે.
જ્યોત્રિલિંગોને શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વૈજ્ઞાનિક સ્ત્રોત પરથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ રેડિએશન જ્યોતિર્લિગ પર હોય છે. આ જ્યોતિર્લિગ એક ન્યુક્લિઅર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરપૂર હોય છે. આ ભયંકર ઉર્જાને શાંત કરવા માટે શિવલિંગ પર જળ અર્પિત કરવામાં આવે છે એટલેકે જળાભિષેક કરવામાં આવે છે.
ધર્મદર્શન
રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેને આ ઉપાય કરવો જોઈએ! સબંધમાં આવશે મીઠાશ
Published
3 weeks agoon
July 23, 2022
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટ 2022ના રોજ આવી રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખાસ દિવસ છે. જેની બંને આખું વર્ષ રાહ જોતા હોય છે.
રાખડી આ સમયે જ બાંધવી
આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સ્વસ્થ જીવનની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રાખડી હંમેશા ભદ્રા અને રાહુના સમયે જ બાંધવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં રક્ષાબંધનના દિવસે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
રક્ષાબંધન પર ભાઈ-બહેન કરો આ ઉપાય
- રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત, સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો ભાઈ આ બંડલને તિજોરી કે પૈસા સંબંધિત જગ્યાએ રાખે તો પૈસા આવે છે.
- રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા આવે છે અને મનભેદ દૂર થાય છે.
- રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે તમે ચંદ્રદેવની પૂજા કરો. તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે. બીજી તરફ, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.
- ભાઈને નજરદોષથી બચાવવા માટે રક્ષાબંધન પર બહેને ભાઈ પાસેથી માથા ઉપર 7 વાર ફટકડી ઉતારી અને તેને આગમાં બાળી દેવી અથવા તેને ચોકડી પર ફેંકી દેવી.
- રક્ષાબંધનના શુભ દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ઉપાય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને ભાઈ-બહેન દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્ત રહે છે.
ધર્મદર્શન
આ રત્નો ધનના મામલમાં માનવામાં આવે છે ખુબજ ભાગ્યશાળી! જાણો સમગ્ર માહિતી
Published
4 weeks agoon
July 19, 2022
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 12 રાશિના લોકો માટે અલગ-અલગ રત્નો જણાવવામાં આવ્યા છે. રત્ન શાસ્ત્ર અનુસાર દરેક રાશિનું પોતાનું રત્ન હોય છે. કુંડળીમાં કોઈપણ ગ્રહના અશુભ પ્રભાવને ઓછો કરવા અને શુભ પ્રભાવ વધારવા માટે રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
રત્ન શાસ્ત્રમાં કહેવાયું છે કે વ્યક્તિએ જ્યોતિષની સલાહ વિના ક્યારેય રત્ન ધારણ કરવું જોઈએ નહીં. આજે આપણે એવા જ કેટલાક રત્નો વિશે જાણીશું, જે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ આ શ્રેષ્ઠ રત્નો વિશે.
સુવર્ણ રત્ન
જ્યોતિષમાં ઘણા રત્નો અને ઉપ-રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં સુવર્ણ રત્ન પણ છે. રત્ન શાસ્ત્રમાં ધનના લાભ માટે સુવર્ણ રત્ન ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. પૈસાની દ્રષ્ટિએ આ રત્ન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘરમાં ધનનો સંચય થાય છે. સુવર્ણ રત્ન પોખરાજનો સબ્સીટ્યુટ કહેવાય છે. પરંતુ તેને પહેરતા પહેલા તમારે જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.
જેડ સ્ટોન
રત્નશાસ્ત્રમાં ધંધા વગેરે વિશે પણ ઘણા રત્નો વિશે જણાવવામાં આવ્યુ છે. જેમાં જેડ સ્ટોનનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી હોય. અથવા જો આવકનું કોઈ સાધન ન હોય તો તેના માટે રત્ન શાસ્ત્ર જેડ સ્ટોન પહેરવાની સલાહ આપે છે.
પન્ના રત્ન
પન્ના રત્નનું રત્નશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. નોકરી કરતા લોકો અને કન્યા રાશિના લોકોને પન્ના રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. નોકરીયાત લોકો પન્ના રત્ન પહેરે, તો વ્યક્તિને નોકરીમાં પ્રમોશન મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
પોખરાજ રત્ન
પોખરાજને ગુરુ ગ્રહનો રત્ન કહેવાય છે. જો કુંડળીમાં ખરાબ ગુરુ અશુભ પરિણામ આપતો હોય તો રત્નશાસ્ત્રમાં પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રત્ન સુખ અને સૌભાગ્ય માટે પહેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોખરાજ પહેરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિના ઘરે દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ