Connect with us

ગુજરાત

અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..

Published

on

આજે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ..અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અમદાવાદ ૬૦૯ વર્ષે આજે પણ છે અડીખમ.ઘણા રમખાણો,ઘટનાઓ,બનાવો,ભૂકંપ સામે લડી લાંબી મઝલ કાપી તે આજે પણ હેમખેમ છે.કહી શકાય કે અમદાવાદનો જન્મદિવસ નહી આજે તો અમદાવાદીઓનો જન્મદિવસ છે.આજે અમદાવાદ એ ધુળીયાનગરમાંથી એક ઉંચી ઉડાન ભરી છે…આપણને એ જાણીને વધારે નવાઈ તો એ લાગશે કે જયારે આપણો દેશ આઝાદ થયો,અને આપણું બંધારણ ઘડાયું ત્યારે એ સમયે સ્ત્રી પુરુષના હકની પહેલ અમદાવાદએ કરી હતી.અને અમદાવાદની સ્થાપના માણેક બુરજ મંદિર પાસે કરાઈ હતી..માણેક બુરજ ખાતે મેયરે પૂજાવિધિ કરી હતી.ચાલો જાણીએ અમદાવાદના વિવિધ અને બેનમુન સ્થાપત્યો વિશે …

ભદ્રનો કિલ્લો


અહમદશાહ પહેલાએ ૧૪૧૧ની સાલમાં બંધાવ્યો હતો… તેણે સાબરમતી નદીના પૂર્વ કાંઠે ભદ્રના કિલ્લાનું નિર્માણ કર્યું અને ગુજરાત સલ્તનતની નવી રાજધાની તરીકે અમદાવાદની સ્થાપના કરી. ૧૫૨૫ સુધીમાં કિલ્લાની અંદરનો વિસ્તાર શહેરીકરણ હેઠળ આવ્યો હતો ભદ્રનો કિલ્લો આજે પણ અમદાવાદની આન બાન અને શાન બની રહ્યો છે. ભદ્રના કિલ્લાની ઘડિયાળનો મિનારો ૧૮૪૯માં લંડનથી ૮ હજારના ખર્ચે લવાયો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા તેને ૧૮૭૮માં રૂપિયા ૨૪૩૦ના ખર્ચે મૂકાયો હતો.આ કિલ્લાનું નામ દેવી દુર્ગાના અવતાર ભદ્ર કાલી સ્વરૂપ પર રાખવામાં આવ્યું છે.આ કિલ્લો ૧૪મી સદીની શરૂઆતમાં બનાવવમાં આવ્યો હતો.આ કિલ્લાનું નામ દેવી દુર્ગાના અવતાર ભદ્રકાળીના સ્વરૂપ પરથી રાખવામાં આવ્યું છે.

પોળ


ભારતમાં ઘરોનો સમૂહ જોવા મળે છે ચોક્કસ જૂથ, જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના લોકો વસે છે. પોળ ગુજરાતમાં ખાસ કરીને જૂના અમદાવાદ શહેરમાં જોવા મળે છે.સાબરમતીની નદીના પૂર્વ તટ પર જુના અમદાવાદમાં કોટ વિસ્તારમાં આશરે ૩૬૦ જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી.અમદાવાદ એ પોળના લીધે સુશોભિત મહાસાગર કહી શકાય.ઇતિહાસનો સંસ્પર્શ એટલે જ અમદાવાદની પોળો..એક ઘરથી બીજા ઘર સાથે હળીમળીને રહેવું..સાથે બધા તહેવારો ઉજવવા.અને જાણે ઉનાળાના ધોમધખતા તાપમાં આ પોળોમાંથી ઠંડક પ્રસરી રહી હોય છે..અને એવું જ લાગી આવે છે કે આ પોળો હમણાં જ આપનામાં સમાય જવા માંગતી હોય તેમ લાગી આવે છે.અમદાવાદનું હાર્દ જ આ પોળો છે. એ પછી આંબલીની પોળ હોય રતનપોળ હોય કે અર્જુનલાલની પોળ એ જ તો અમદાવાદનું અસ્તિત્વ છે.પોળોનું ઉદ્ભસ્થાન એ ઉત્તર ગુજરાત છે અને પાટણમાં પોળમેં પાડા તરીકે પણ ઓળખવામાં આવે છે.આ પોળ એ એકબીજાની અડોઅડ અને ખીચોખીચ વસ્તી ધરાવતી તેમજ કાચા પાકા મકાનો ધરાવતી પોળોએ આજે પણ જૂની પ્રણાલિકા સાચવી રાખી છે.

રાણીનો હજીરો


માણેક ચોકમાં અહમદ શાહની કબરની પૂર્વમાં રાણીનો હજીરો આવેલો છે.રાણીનો હજીરો જે મુગલાઇ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ જાણીતો છે આ બાંધકામ જમીનથી ઉંચું છે અને દરવાજા વાળું છે. તેની દિવાલો કોતરણી વાળા પથ્થરોની બનેલી છે. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે. હિ‌ન્દુ દેવી દેવતાના સ્થાપત્યો અને આરાધ્ય દેવ સૂર્ય પણ આ કોતરણી કામમાં ક્યાંક ક્યાંક નજરે પડે છે. ગુજરાતી સ્થપતિઓએ મુસ્લિમ શાસકોની જરૂરિયાત પ્રમાણે પોતાની પરંપરાને અનુસરીને ઉત્તમ મિશ્રણવાળું સ્થાપત્ય ઉભું કર્યુ છે તેમાં આ હજીરો પણ એક છે.એક રીતે જોવા જઈએ તો મીનારાવાળો રોજો એટલે હજીરો પણ માણેકચોકમાં આવેલો રાણીનો આ હજીરો તેની સુંદરતાને લઈને દેશ વિદેશના સહેલાણીઓ માટે અમદાવાદનું જોવાલાયક સ્થળોમાં સ્થાન પામ્યો છે. સામાન્ય રીતે હજીરામાં ઉપર મકબરો હોય છે પણ અહીં ઉપર મકબરો નથી છતાં તેની કલાત્મક જાળીઓને કારણે તે અદભૂત લાગે છે. દૂરથી જોઈએ તો રાણીની કબરો જાણે આકાશ સાથે વાતો કરી રહી હોય તેવો ભાસ થાય છે.

ઝુલતા મિનારા


અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં,એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે.આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

હઠીસિંહનાં દેરા


જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળ નાયક છે. હઠીસિંહનાં દેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલા જૈન દેરાસરો છે. તેનું નિર્માણ જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.આ મંદિરમાં સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. હઠીસિંહ જૈન મંદિર બે માળ ધરાવે છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે. અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે.સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવા આ દેરાસરો અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.

જામા મસ્જીદ


અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માંબનાવી હતી.સ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

Published

on

ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.

નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે

તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.

ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન

આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.

Continue Reading

ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

Published

on

ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.

નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે

તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.

ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન

આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.

Continue Reading

ગુજરાત

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રેન્કિંગ પર ભારત: ‘ભૂલભર્યું, ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે’

Published

on

ભારતે શનિવારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 રેન્કિંગને નકારી કાઢ્યું હતું. અને કહ્યું હતું કે ઇન્ડેક્સ ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રેન્કિંગ એ “ભૂખનું ખોટું માપ” છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું 107મું રેન્કિંગ એ “એક રાષ્ટ્ર કે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી” તરીકે દેશની છબી ખરાબ કરવાના સતત પ્રયાસનો એક ભાગ છે, કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતને 121 દેશોમાંથી 107માં સ્થાન આપવામાં આવ્યું છે અને તેના બાળકોનો બગાડ દર 19.3 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending