Connect with us

કોરોના

કોરોના મહામારી વચ્ચે આ રીતે થશે 15મી ઓગસ્ટની ઉજવણી,PMને સલામી આપનારા જવાનો ક્વોરેન્ટાઈન

Published

on

કોરોના મહામારી કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે હવે કોરોના વાયરસની મહામારીને કારણે આ સ્વતંત્રતા દિવસ સમારોહમાં ઘણું બધુ અલગ થઈ રહ્યું છે. લાલ કિલા પર થનારા 15મી ઓગસ્ટના કાર્યક્રમ માટેની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે.

મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવા માટે સવારે લગભગ 7.21 વાગે આવશે. આ પહેલા ધ્વાજા રોહણની રસ્સીને હેન્ડલ કરનારી મહિલા અધિકારીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. લાલ કિલ્લા પર થનારા કાર્યક્રમમાં એ જ જવાનો રહેશે જેમના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હોય અથવા તો કોરોનાને હરાવીને આવ્યા હોય.

કોરોનાને કારણે આ કાર્યક્રમ ટુંકો રાખવામાં આવ્યો છે. આ દરમિયાન સેનાની ત્રણેય પાંખના જવાનો ગાર્ડ ઓફ ઓર્નર આપશે. જેમાં લગભગ 22 જવાનો અને અધિકારીઓ હશે. ત્યારે રાષ્ટ્રીય સેલ્યૂટમાં 32 જવાન અને અધિકારીઓ હશે. સાથે દિલ્હીના પોલીસ દવાનો રહેશે.


ત્યારે કોરોનાને લીધે તેઓ 4 લાઈનમાં ઉભા રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે. પીએમનું ભાષણ 45 મિનિટથી લઈને દોઢ કલાકનું હોઈ શકે છે.સલામી દેનારા જવાનોને ક્વોરેન્ટાઈન કરાયા છે. તેઓ રિહર્સલ અને પરેડની તૈયારીઓમાં ભાગ લઈ સીઘા પોતાના ઘરે જશે.


દિલ્હી પોલીસને મૌખિક આદેશ અપાયો છે. એટલું જ નહીં મોદીની નજીક જઈને ફોટો લેનારા ફોટોગ્રાફર્સનો કોરોના ટેસ્ટ થશે. સરકારી મીડિયા અને એજન્સીઓને બાદ કરતા કોઈ પણ ખાનગી મીડિયાના કેમેરા નહીં હોય.

લાલ કિલ્લા પર રેમપેડ પર આ વખતે ફક્ત 110 લગભગ વીવીઆઈપી અને વીઆઈપી રશે. જ્યાં 400 જેટલા લોકો બેસતા હતા. તમામ સુરક્ષાકર્મીઓને રેપિડ કોરોના ટેસ્ટ બાદ અંદર આવવા દેવામાં આવશે. સ્કુલના બાળકો નહીં આવે.

ફક્ત એનસીસીના 500 બાળકો આવશે જેમની વચ્ચે 6 ફુટનું અંતર રહેશે. ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલાને પગલે એજન્સી સહિત સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે અને તેના માટે ખાસ વ્યવસ્થા અને તૈયારીઓ કરાઈ છે.

કોરોના

મહિલા ખાઈ રહી છે ફાયરબોલ્સ: આઈપીએસ બોલ્યા કોરોનાથી બચવાનો છેલ્લો ઉપાય

Published

on

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તેણે પ્લેટમાં કંઈક એવું રાખ્યું છે, જે અગ્નિના ગોળા જેવું લાગે છે. વિડિઓમાં, તમે જોશો કે સ્ત્રી ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાઈ રહી છે.

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દરેક જગ્યાએ લોકો કોરોના સામે સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓને ન તો બેડ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓક્સિજનને લઇને સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા લોકો ઘરે રહીને પોતાને ઇલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે લોકો કોરોનાનાં લક્ષણો બતાવી રહ્યાં છે તે તરત જ ઘરેલું ઉપચાર શરૂ કરી રહ્યા છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તે ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાય છે. આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘સ્ટીમ લીધા પછી, મીઠાના પાણીથી કોગળા કર્યા પછી, હળદરનું દૂધ પીધા પછી, રોજ ગરમ પાણી પીધા પછી, આ છેલ્લો ઉપાય બાકી છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે.’. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે તમે લોકોએ આ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ફક્ત વેક્સિન લો.

Continue Reading

કોરોના

સીઆઈએસસીઈ બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી

Published

on

કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.

ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.

સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending