Connect with us

જાણવા જેવું

ગાંધીજી પહેલાં ભારતીય ચલણી નોટો પર કોનો હતો ફોટોગ્રાફ..

Published

on

વર્તમાન સમયમાં ભારતીય ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ફોટો છપાયેલો જોવા મળે છે. પરંતુ પહેલા આવું ન હતું. મહાત્મા ગાંધીથી પહેલા પણ ભારતીય ચલણી નોટો પર અન્ય ફોટા જોવા મળતા હતા. ત્યાર પછી મહાત્મા ગાંધીજીનાં ફોટાને તમામ ભારતીય ચલણી નોટો પર પ્રકાશિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે સવાલ છે કે ગાંધીજીથી પહેલા આપણા દેશની નોટો પર ક્યા ફોટોઝ હતા? તો ચાલો જાણીએ..

ગોવાની કરન્સી ઈસ્કુડો


1510માં પોર્ટુગલ ભારત આવ્યા અને તેમણે ગોવા પર કબ્જો જમાવ્યો અને તેમણે રૂપિયા કરન્સીનું ચલણ ચાલુ કર્યું હતું. ગોવામાં પોર્ટુગલ ઈન્ડિયા નામથી નોટ છપાતી હતી. કારણકે આઝાદી પછી પણ ગોવા પોર્ટુગલનાં તાબા હેઠળ હતું. આ નોટોને ઈસ્કુડો નામ આપવામાં આવ્યું હતું. ગોવાની આ નોટો પોર્ટુગલનાં રાજા જ્યોર્જ દ્રિતીયના નાંમથી છપાતી હતી.

હૈદરાબાદનાં નિઝામ છપાવતા હતા અલગ નોટ


હૈદરાબાદનાં નિઝામ પોતાની નોટો છપાવતા હતા. વર્ષ 1917-1918માં તેમને આ કાર્ય કરવાનો અધિકાર મળ્યો હતો. તેઓ જે નોટ છપાવતા તેમાં પાછળની તરફ સિક્કાની આકૃતિ છપાયેલી હતી.

RBIએ પ્રથમ વખત છાપી તેમની તસ્વીર


ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ પ્રથમ 1938 માં 5 રૂપિયાની નોટ બહાર પાડી હતી, જેના પર જ્યોર્જ VI (King George VI) છપાયો હતો. જ્યોર્જ છઠ્ઠો યુનાઇટેડ કિંગડમનો રાજા હતો. તેઓ જર્મની સામે બીજા વિશ્વયુદ્ધ જીતવાના બ્રિટિશ સંકલ્પના પ્રતીક તરીકે જાણીતા છે.

આ પછી, ફેબ્રુઆરી 1938 માં 10 રૂપિયાની નોટ, માર્ચ 1938 માં 100 અને 1000 ની નોટો અને જૂનમાં દસ હજારની નોટો બહાર પાડવામાં આવી હતી. આ નોટો પર સર જેમ્સ ટેલર દ્વારા સહી કરવામાં આવી હતી.

આઝાદી પછીની ભારતીય ચલણી નોટ


આઝાદી પછી પ્રથમ વખત જ્યારે વર્ષ 1949માં ભારતે નોટ છાપ્યા તે સમયે જ્યોર્જ VIની તસ્વીર હટાવીને ભારતીય નોટો પર રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનો ફોટો છાપવામાં આવ્યો હતો.

ભારતીય રિઝર્વ બેંક –


ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પર લોકોનો વિશ્વાસ આઝાદીની પહેલાથી જ અકબંધ છે. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1 એપ્રિલ, 1935 ના રોજ ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 ની જોગવાઈઓ મુજબ કરવામાં આવી હતી. રિઝર્વ બેંકની સેન્ટ્રલ ઓફિસની સ્થાપના સૌ પ્રથમ કોલકાતામાં થઈ હતી, જે 1937 માં કાયમી ધોરણે મુંબઇ ખસેડાઇ હતી. કેન્દ્રિય કાર્યાલય એ કાર્યાલય છે જ્યાં રાજ્યપાલ બેસે છે અને જ્યાં નીતિઓ નક્કી કરવામાં આવે છે. જોકે શરૂઆતમાં તે ખાનગી માલિકીની હતી. પરંતુ 1949 માં રાષ્ટ્રીયકરણ પછી, તે સંપૂર્ણ રીતે ભારત સરકારની માલિકીનું બન્યું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વટહુકમ પસાર કરવામાં સર જેમ્સ બ્રેડ ટેલરનું મહત્ત્વ હતું. તે આરબીઆઈનાં બીજાં ગવર્નર બન્યા હતા. તેમણે જ દેશમાં ચાંદીના સિક્કાઓની પ્રથા બંધ કરીને ચલણી નોટોનું પરિભ્રમણ શરૂ કર્યું હતું. પ્રથમ વખત, તેમની સહી નોટ પર છાપવામાં આવી હતી.

નોટ સંબધિત મહત્વપૂર્ણ તથ્ય


1923માં 1, 2.1/2, 5, 10, 50, 100, 1000, 10 હજારનાં નોટ પ્રકાશિત કરવામાં આવી હતી. 1940માં 1 રૂપિયાની નોટ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યાર પછી સુરક્ષા દોરો જેવા ફિચર્સ નોટમાં જોડવામાં આવ્યા હતા. 1950 સુધી જ્યોર્જ VI સીરીઝનાં નોટો દેશમાં ચલણ તરીકે ચાલ્યા રહ્યા હતા.

વર્તમાન ભારતીય કરન્સી

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

જાણવા જેવું

6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?

Published

on

નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.

જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.

બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.

બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.

બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.

જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.

બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.

  • 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
  • 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
  • 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
  • 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

Continue Reading

જાણવા જેવું

લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.

Published

on

આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.

એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.

સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.

આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.

ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.

હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.

જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.

Continue Reading

જાણવા જેવું

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

Published

on

This pink diamond caused discussions in the world! Know what is special about this

આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.This pink diamond caused discussions in the world! Know what is special about this
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.

ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

This pink diamond caused discussions in the world! Know what is special about this

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.

લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending