જાણવા જેવું
જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા
Published
3 years agoon
By
Gujju Media
અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૨ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૯માં યોજાતી રથયાત્રા ૧૪૨મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.
રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિંદ વિધી” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.
ક્યારે શરૂ થઈ હતી રથયાત્રા
આજથી ૧૪૨ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પહેલી વખત ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રા શરૂ કરી હતી. જો કે ત્યારે રથયાત્રા એટલી મોટી ન હતી પણ ધીમે ધીમે તેનો વ્યાપ વધવા લાગ્યો અને આજે બીજા નંબરે અમદાવાદની રથયાત્રા બની ગઈ છે.
કોણે કરી જગન્નાથ મંદિરની સ્થાપના અને કેવી રીતે કરી
જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. જો ઈતિહાસની વાત કરીએ તો સારંગજીદાસે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમજ જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. જો કે આ મંદિરની સ્થાપના પાછળ એક આદેશ કાણભૂત છે. એક દિવસ સારંગજીદાસને સપનામાં જગન્નાથજીની મૂર્તિની સ્થાપના કરવાનો આદેશ મળ્યો હતો. જેના પગલે તેઓ પુરીથી ભગવાનની મૂર્તિ લાવ્યા અને તેની સ્થાપના કરી. તેમજ સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 1 જૂલાઈ 1978માં અષાઢી બીજના દિવસે પહેલી રથયાત્રા નીકાળવવામાં આવી હતી.
26 વર્ષથી પહિંદ વીધી કરવામાં આવે છે
અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિન્દ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. જેને પહિંંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે. તેમજ સવારે મંગળા આરતી પછી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામં આવે છે. તેના પછી સવારે રાજ્યાના મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને પાણી છાંટે છે. તેના પછી મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.
આ રીતે સરસપુર બન્યું ભગવાનનું મોસાળ
આજથી ૧૪૨ વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે વખતે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. અને બસ ત્યારથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના લોકો રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે. તેમજ ભગવાનનું મામેરું કરવામાં આવે છે.
રથયાત્રા પહેલા થાય છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી પોતાના મોસાળમાં રોકાય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમજ દરરોજ અલગ અલગ અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. જેના કારણે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ સમગ્ર વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ખોલવામાં આવશે. તેના પછી મંગળા આરતી કરવામાં આવશે. મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. તેમજ લાખોની સંખ્યામાં ભક્તો આ ભંડારાનો લાભ લેશે.
તે સિવાય અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે. જો કે આ વખતે અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગમી 4 જુલાઈના રોજ અમદાવાદમાં 142મી રથયાત્રા નીકળશે.
ઉલ્લેખનીય છે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઈ પોલીસે ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. 40થી વધુ પોલીસ વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત, રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચવામાં આવી છે. તે સિવાય કોઈ અણબનાવ ન બને તે માટે SRP, CAPFની 27 ટુકડી તૈનાત કરવામાં આવી હતી. તે સિવાય ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરશે.
જગન્નાથજી રથયાત્રામાં આ વખતની વિશિષ્ટતા ૧૬ શણગારેલા ગજરાજો, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડા-અંગ કસરતના પ્રયોગો સાથે, ૧૮ ભજન મંડળીઓ ૩ બેન્ડવાજા, ૨૦૦૦ સાધુ-સંતો હશે. તેમજ રથયાત્રામાં આ વખતે મંદિર ટ્રસ્ટના એકપણ હાથી નહી હોય.
You may like
જાણવા જેવું
આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત
Published
1 week agoon
July 29, 2022
આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.
જાણવા જેવું
ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ
Published
2 weeks agoon
July 25, 2022
જો તમે ક્યારેય ફ્લાઇટમાં મુસાફરી કરી હોય, તો તમે સફર દરમિયાન ચા-કોફી પીધી હશે. પરંતુ શું તમે ક્યારેય ફ્લાઇટમાં કેબિન ક્રૂ અને એર હોસ્ટેસને ફ્લાઇટ દરમિયાન ચા કે કોફી પીતા જોયા છે? કદાચ નહિ જ જોયા હોય. તમને જાણીને આશ્ચર્ય થશે કે ક્રૂ મેમ્બર્સ ક્યારેય ફ્લાઇટની અંદર ચા-કોફી પીતા નથી. આ પાછળનું કારણ જાણીને તમે પણ આગળથી ફ્લાઇટમાં ચા-કોફી મંગાવતા પહેલા અનેક વાર વિચારશો.
તમને જણાવી દઈએ કે, એક ફ્લાઈટ એર હોસ્ટેસ સિએરા મિસ્ટે આ રહસ્ય જણાવ્યું છે. સિએરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ટિકટોક એકાઉન્ટ પર તેના 31 મિલિયન ફોલોઅર્સ છે. તે ઘણીવાર ફ્લાઇટ અને તેના કામ સાથે સંબંધિત માહિતી શેર કરે છે. આ દિવસોમાં તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે ફ્લાઇટ અટેન્ડન્ટ અને પાયલટના રહસ્યો ખોલ્યા છે.
સિએરા મિસ્ટે વીડિયોમાં કહ્યું છે કે, ક્રૂ મેમ્બર્સ ફ્લાઇટમાં પાણીની ટાંકીનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેણે લખ્યું, “હું તમને ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જણાવીશ. હું શરત લગાવી શકું છું કે, તમે આ વિશે જાણતા નહીં હોય.” તેણીએ કહ્યું કે જ્યાં સુધી તે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી અમે ફ્લાઇટમાં ચા કોફી પીતા નથી, કારણ કે અમે ચા અને કોફી બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે વિમાનની ટાંકીમાંથી આવે છે.
જેને ક્યારેય સાફ કરવામાં આવતી નથી. સિએરાએ વધુમાં જણાવ્યું હતું કે, એરલાઇન્સ કંપનીઓ સમયાંતરે પાણીની તપાસ કરે છે. પરંતુ જો પાણીમાં કશું ન મળે તો ટાંકી સાફ થતી નથી. એર હોસ્ટેસે ફ્લાઇટનું બીજું રહસ્ય પણ શેર કર્યુ છે. તેમણે કહ્યું કે, એર હોસ્ટેસ હંમેશા ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન સનસ્ક્રીન લગાવે છે. સીએરાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. “અમે આવું એટલા માટે કરીએ છીએ કારણ કે અમારે દરરોજ જમીનથી 35,000 ફૂટની ઊંચાઈએ ફ્લાઇટ્સમાં મુસાફરી કરવી પડે છે. ફ્લાઇટ ઓઝોનના સ્તરની એકદમ નજીક ઊડે છે. આવી સ્થિતિમાં ઓઝોન રેડિએશનનું જોખમ ખૂબ વધી જાય છે. આરોગ્ય વીમા કંપનીઓ ક્રૂ મેમ્બર્સને અવકાશયાત્રીઓ અને રેડિયોલોજિસ્ટની શ્રેણીમાં મૂકે છે.
જાણવા જેવું
એક બસ જેમાં ગામના બાળકો કોમ્પ્યુટરનું જ્ઞાન લે છે
Published
3 weeks agoon
July 20, 2022
બાળકો દેશનું ભવિષ્ય છે, આવી સ્થિતિમાં તેમના માટે પુસ્તકીયું જ્ઞાન સાથે ટેકનિકલી નિપુણ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે વિકાસનો અસલી મંત્ર શિક્ષણમાં જ છુપાયેલો છે. આ વિચારને આત્મસાત કરીને, ગ્રામોત્થાન રિસોર્સ સેન્ટરે વર્ષ 2017માં એક અનોખી પહેલ શરૂ કરી. ઓનલાઈન શિક્ષણના આ યુગમાં ગામના બાળકો પણ હાઈટેક શિક્ષણ લઈ શકે તે માટે આ કેન્દ્ર દ્વારા મીની બસમાં કોમ્પ્યુટરના વર્ગો ચલાવવામાં આવે છે. તેમને કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવવા માટે ન તો ક્યાંય જવું પડતું નથી અને ન તો કોઈ ફી ચૂકવવાની હોય છે. દરેક ગામના બાળકોને દરરોજ બે કલાક મફત કોમ્પ્યુટરની માહિતી આપવામાં આવે છે.
ગામમાં પહોંચતી આ મિનિબસની દરેક સીટ પર લેપટોપ છે. જેના દ્વારા બાળકોને કોમ્પ્યુટરની બારીકાઈઓ શીખવવામાં આવે છે. અહીના કોમ્પ્યુટર શિક્ષકેના જણાવ્યા અનુસાર ગામની બહાર પહોંચ્યા પછી ડ્રાઈવર હોર્ન વગાડે છે, જે સાંભળીને 15 થી 18 બાળકો તરત જ આવી જાય છે. બે વિદ્યાર્થીઓ એક સીટ પર બેસે છે. કોર્સ પૂરો થયા પછી કમ્પ્યુટર એપ્લિકેશનમાં મૂળભૂત પ્રમાણપત્ર આપવામાં આવે છે. કોરોના રોગચાળાને કારણે બસ બે વર્ષથી ચલાવવામાં આવી ન હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે, તેથી તેને ફરીથી શરૂ કરવામાં આવી છે.
સંસ્થાની આ સિંગલ ડ્રાઈવ મિનિબસ દરરોજ ત્રણ ગામોમાં જાય છે. આ ગામોના બાળકોને ત્રણ મહિનાનો કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પછી આગામી ત્રણ ગામોની પસંદગી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 50થી વધુ ગામોમાં 1300 બાળકોને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી છે.
કોમ્પ્યુટર શિક્ષકના જણાવ્યા અનુસાર ધોરણ આઠથી દસમા સુધીના બાળકો કોમ્પ્યુટરની તાલીમ લેવા આવે છે. જે ગામડાઓમાં બાળકોને તાલીમ આપવામાં આવે છે ત્યાંની શાળાઓમાં કોમ્પ્યુટર શીખવવાની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં બાળકો ઈચ્છે તો પણ તેનાથી વંચિત રહ્યા. ગામમાં જ કોમ્પ્યુટરની તાલીમની જાણ થતાં જ તે ઉત્સાહિત થઈ ગયો.
જેતીખેડા ગામના વિદ્યાર્થીએ જણાવ્યું કે, મેં વિચાર્યું ન હતું કે હું ગામમાં પણ કોમ્પ્યુટરની ઝીણવટભરી બાબતો શીખી શકીશ. તેની તાલીમ લેવા માટે સીતાપુર જવું પડતું હતું અને ફી પણ ચૂકવવી પડી હતી. એક દિવસ ગ્રામ ઉત્થાન સંસાધન કેન્દ્રનું વાહન આવ્યું અને મારી સમસ્યા સરળ થઈ ગઈ. લોધૌરા, તેલિયાનિહરિહરપુર, રઘુબરપુર, ટીપોના, બેલહૈયા, ખાનહુના, બેલહારી, ફૌલાદગંજ, કડીનગર, સહવપુર, તરસાવન, લોધૌરા-II, કલ્લી, રઘુનાથપુર, રાનીપુર, કુનમાઉ, મદાર, મદ્રુવા, શિવસિંહપુર અને સતનાપુર વિસ્તારમાં એકલ મિશ્રિતે અભિયાન હેઠળ પંખીયાપુર ગામોના બાળકોએ કોમ્પ્યુટરની તાલીમ મેળવી છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ