Connect with us

Featured

જાણો ધનવાન લોકોની એવી કેટલીક આદતો જે તમને પણ સફળતાની સીડી પર ચઢાવી શકે છે…

Published

on

આજકાલની મોડર્ન લાઈફમાં મોટાભાગના લોકોની એક માત્ર સમસ્યા એ છે કે, તેઓ કામ કરવા માટે કેપેબલ હોય છે, પરંતુ કોઈ કારણસર તેમને પોતાની કાબિલિયત પર ભરોશો નથી હોતો. જેને લીધે તેઓ જીવનમાં આગળ વધી શકતા નથી. અહીં આપણે કેટલીક એવી આદતો વિશે વાત કરીશું, જે સફળતા પામનાર લોકોએ પોતાના જીવનમાં અપનાવી છે.

મનુષ્યનું જીવન એ તેની આવક પર આધાર રાખે છે. પરંતુ જો તમે એ નોકરી કરવાનું છોડી દો, અને ત્યારબાદના 3 મહિના પણ સામાન્ય રીતે જીવન ન જીવી શકો, તો તમારે તમારી જીવનશૈલી બદલવાની ખાસ જરૂર છે.

1 ) આવકના માધ્યમ :


દર મહીને પોતાની આવકમાંથી કેટલોક હિસ્સો બચાવીને રાખવો જોઈએ. આ ઉપરાંત પેસીવ આવક માટેનું કોઈ માધ્યમ શોધવું જોઈએ. જેમાં કોઈ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અથવા કોઈ સિક્યોરીટી અથવા રીઅલ એસ્ટેટમાં જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ કરવું. આથી વ્યક્તિની આવકમાં પણ નોંધપાત્ર વધારો થાય છે.

2 ) સેલ્સ અને ડિસ્કાઉન્ટ :


મોટા ભાગના લોકો ખરીદી કરતી વખતે વસ્તુની કિંમત પર વધારે ધ્યાન આપે છે. આ ઉપરાંત ખાસ કરીને લોકો સેલ તથા ડિસ્કાઉન્ટના લેબલ જોઇને ખરીદી કરવા માટે જતા હોય છે. જો તમને પણ આ આદત હોય તો તે ખોટી છે, કારણ કે, સસ્તા દરે વસ્તુની ખરીદી કરવાથી તેની ગુણવત્તા યોગ્ય હોતી નથી, જેથી તેના રીપેરીંગમાં વધારે ખર્ચો કરવો પડે છે, જે તે વસ્તુની અસલ કિંમત કરતાં 3 ઘણું વધારે મોંઘુ પડે છે.

3) સમય :


જો ઓફિસ અને ઘર વચ્ચે આવવા જવાનો સમય એક કલાક કરતાં વધારે હોય તો તે યોગ્ય નથી. કારણ કે, આના કારણે એક મહિનામાં ઘણો એવો સમય વ્યર્થ થઇ જાય છે. એક રીસર્ચ અનુસાર, મોટા ભાગના અમીર લોકો પોતાના કામના સ્થળ અને ઘર વચ્ચે ઓછામાં ઓછુ અંતર રહે તેવું પ્રીફર કરે છે, અથવા તો આ સમય અન્ય રીતે ઉપયોગમાં લઇ લે છે, જેથી સમયનો બગાડ ન થાય.

4) વાંચન :


મહત્વનું છે કે, સમયનો બને તેટલો સદુપયોગ કરવો જોઈએ, કારણ કે, વીતેલો સમય પાછો આવી શકતો નથી. આથી અમીર લોકો પોતાના સમયનો હંમેશા સદુપયોગ કરતા હોય છે. જેમાં કોઈ નવી આંતરરાષ્ટ્રીય ભાષા શીખવી કે પછી કોઈ પર્સનાલીટી ડેવલોપમેન્ટનું પુસ્તક કે અન્ય પુસ્તક વાંચવું વગેરેનો સમાવેશ થઇ શકે છે. એક રીસર્ચ અનુસાર, ૮૫ % અમીર લોકો દરરોજ કોઈ સારું પુસ્તક વાંચવાનું પ્રીફર કરે છે, જે તેમના જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

5) ક્રેડિટકાર્ડ :


આજકાલની મોડર્ન લાઈફમાં ક્રેડિટકાર્ડ સરળતાથી મળી રહે છે, જેને લીધે મોટાભાગના લોકો કાર , મકાન તેમજ અન્ય કોઈ મોટી વસ્તુઓ લેવા માટે ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ આ ક્રેડિટકાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, નહિ તો તે ખતરનાક સાબિત થઇ શકે છે. એક રીસર્ચ અનુસાર, કોઈ પણ વ્યક્તિની આવક કરતાં તેની દેવાની રકમ ૪૦% કરતાં વધુ ન હોવી જોઈએ.

6) શોર્ટટર્મ ગોલ :


મોટાભાગના લોકો લાંબા ગાળાનો વિચાર કર્યા વિના ટૂંક સમયનો નફો વિચારે છે, જે વ્યક્તિને અમીરીથી દુર લઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, જોબ ઇન્ટરવ્યુ વખતે મોટાભાગના લોકો પોતાની એક મહિના પછી મળતી સેલરી પર ધ્યાન આપે છે. તેઓ લાંબા ગાળાનું વિચારતા જ નથી. જયારે જોબ ઇન્ટરવ્યુ વખતે ખાસ પગાર પર નહિ પરંતુ કંપની પર આપવું જોઈએ. ભલે પગાર ઓછો હોય પણ ધીમે ધીમે કંપનીમાં બઢતી મળી શકે છે. આથી જો સારી કંપની હોય તો ઓછા પગારે પણ જોબ લેવી એ ભવિષ્ય માટે ઘણી લાભકારી સાબિત થઇ શકે છે.

7) સેવિંગ્સ :


કહેવામાં આવે છે કે, દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે. 1) જેમની પાસે વસ્તુ છે. 2)જેમની પાસે વસ્તુ નથી. 3) જેમની પાસે વસ્તુ છે પણ તેની કિંમત ચુકવવામાં નથી આવી. મે ૨૦૧૬માં, અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલા રીસર્ચ અનુસાર, ૫૦% અમેરિકન લોકો પાસે કોઈ જ પ્રકારની સેવિંગ્સ નથી. આવા સમયે કોઈ આકસ્મિક ખર્ચો આવી જતાં સિચ્યુએશન ઘણી કપરી બની શકે છે.

આમ ઉપરોક્ત જણાવેલ સારી આદતોને અપનાવવાથી તેમજ પોતાની આર્થિક સમસ્યાને સમજીને પછી જ આગળ ડગલું ભરવાથી જીવનમાં ઘણો લાભ થઇ શકે છે. જે તમને સફળતાની સીડી સુધી અવશ્ય લઇ જશે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Featured

ઓર્ગેનિક ખેતી કેમ છે જરૂરી?

Published

on

ઓર્ગેનિક ખેતી એ પરંપરાગત ખેતી પદ્ધતિ અપનાવીને જમીનને પુનઃજીવિત કરવાની સ્વચ્છ રીત છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, કૃત્રિમ જંતુનાશકો, વૃદ્ધિ નિયંત્રકો અને રાસાયણિક ખાતર વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેના બદલે, ખેડૂતો સ્થાનિક પ્રાપ્યતાના આધારે પાક દ્વારા છોડવામાં આવતા બાયોમાસનો ઉપયોગ કરે છે, જે જમીનની ગુણવત્તામાં વધારો કરે છે તેમજ ફળદ્રુપતા પણ વધારે છે. ઓર્ગેનિક વર્લ્ડ રિપોર્ટ 2021 ના આધારે, વર્ષ 2019 માં, વિશ્વના 72.3 મિલિયન હેક્ટર વિસ્તારનો ઉપયોગ ઓર્ગેનિક ખેતી માટે કરવામાં આવ્યો હતો. જેમાં એશિયાના 5.1 મિલિયન હેક્ટરનો પણ સમાવેશ થાય છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઓર્ગેનિક ખેતીમાં વધારો થયો છે. તેનું મુખ્ય કારણ વધુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની આડઅસર છે, જેણે ભારત સરકારને આ દિશામાં વિચારવા પ્રેરી.

તેથી સરકાર ખેડૂતોને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કરી રહી છે. જેના પરિણામે 2019માં ઓર્ગેનિક ખેતીનો વિસ્તાર વધીને 22,99,222 હેક્ટર થયો છે. જો કે, આજે પણ તે પરંપરાગત કૃષિ ક્ષેત્રના 1.3 ટકા છે. આનું મુખ્ય કારણ વધતી જતી વસ્તીને પુરવઠો પૂરો પાડવા માટે પરંપરાગત ખેતીની કાર્યક્ષમતા છે, જે તેના દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોની માંગને વેગ આપે છે. પરંતુ આ ઉત્પાદનો કે પાકોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનું વધતું પ્રમાણ એ દૂરગામી આડઅસરની નિશાની છે, જેની શરૂઆતમાં અવગણના કરવામાં આવી હતી.

આ અસરોને ઘટાડવા માટે ઓર્ગેનિક ખેતી એ વધુ સારો વિકલ્પ છે. જૈવિક ખેતી હેઠળ, મુખ્યત્વે ખાદ્ય પાક, કઠોળ, તેલીબિયાં, શાકભાજી અને વાવેતર પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે.
ઓર્ગેનિક ખેતીનું વધતું વલણ મુખ્યત્વે ગ્રાહકની માંગ પર આધારિત છે. ગ્રાહકની માંગ મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા પર આધારિત છે. પરંપરાગત ખેતીમાં રસાયણોનો વધતો ઉપયોગ અને તેની ખરાબ અસરો દૂરગામી સ્તરે ગ્રાહકોમાં અવિશ્વાસનું કારણ બની રહી છે. તેના આધારે નીચેનામાંથી કેટલાક કારણો શક્ય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ. વધતા રસાયણોને કારણે માટી, પાણી અને હવા દૂષિત થઈ રહી છે. તેની માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે.
ઓર્ગેનિક ખેતીની વધતી માંગનું મુખ્ય કારણ પરંપરાગત ખેતીની ખરાબ અસરો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરી રહી છે. તેથી, ભારતમાં ઓર્ગેનિક ખેતીનું ઉત્પાદન અગાઉના વર્ષોની સરખામણીએ વર્ષ 2019-20માં વધીને 2.75 મિલિયન મેટ્રિક ટન થયું છે. ઓર્ગેનિક ખેતીના પરિણામે ખાદ્ય ઉત્પાદનોની વિદેશમાં વધતી માંગ પણ તેનું મહત્વ દર્શાવે છે. વર્ષ 2019-20માં ભારતમાંથી ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સની કુલ નિકાસ 6.39 લાખ મેટ્રિક ટન હતી, જેનું મૂલ્ય આશરે રૂ. 4686 કરોડ હતું. આ ઉપરાંત, સજીવ ખેતીના મહત્વના કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે-

  • ઓર્ગેનિક પાક પાકવા માટે લાંબો સમય લે છે જેથી તેઓ વધુ પોષણ લઈ શકે અને સ્વાદિષ્ટ પણ બને.
  • ઓર્ગેનિક પાકની પ્રેક્ટિસ જૈવવિવિધતાને સંતુલિત રાખવા સાથે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે.
  • રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવાથી, પરંપરાગત ખેતીમાં ઉર્જાનું નુકસાન પણ લગભગ 25-30 ટકા ઘટે છે.

કાર્બનિક ખેતીના ઘટકો
આમાં, મુખ્યત્વે બીજનો ઉપયોગ સારવાર વિના કરવામાં આવે છે, અથવા તેને કાર્બનિક ખાતરથી સારવાર આપવામાં આવે છે. જૈવિક ખાતરમાં, મૂળભૂત રીતે ગાયનું છાણ, પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત મળતું, પાકના અવશેષો, મરઘાંના અવશેષો વગેરેનો ઉપયોગ થાય છે. ખેંચા, બરસીમ, સુનાઈ, મૂંગ અને સિસબેનિયા જેવા લીલા ખાતરના પાકોનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. જીપ્સમ અને ચૂનો જમીનની ક્ષાર અને એસિડિટીને નિયંત્રિત કરવા માટે વપરાય છે. રાસાયણિક જંતુનાશકોની જગ્યાએ બોટનિકલ જંતુનાશકોનો ઉપયોગ થાય છે. ઓર્ગેનિક ખેતીમાં અવરોધો રાસાયણિક ખાતરો કરતાં જૈવિક ખાતરોની કિંમત વધારે છે, જેના કારણે નાના અને સીમાંત ખેડૂતો માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. જૈવિક ખાતરોની ઉપલબ્ધતાનો અભાવ પણ એક કારણ છે. બજારમાં ઉપલબ્ધ બિયારણને સામાન્ય રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવતું હોવાથી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવી મુશ્કેલ છે. ઓર્ગેનિક પાકોની પરિપક્વતામાં લાગતો સમય હોવાને કારણે તેમાંથી મેળવેલા ઉત્પાદનોની કિંમત ઉંચી હોય છે, જેના કારણે આ ઉત્પાદનો માટે નીચલા વર્ગ સુધી પહોંચવું મુશ્કેલ છે.

કેટલાક દાયકાઓ પહેલાનો ભારતીય કૃષિ ઈતિહાસ ઓર્ગેનિક ખેતીના પાયાના પથ્થર પર આધારિત હતો. બદલાતા સમય, જરૂરિયાત અને વધતી જતી વસ્તી એ પરંપરાગત ખેતીમાં પરિવર્તનના મુખ્ય કારણો હતા. જેમાં અનેક રાસાયણિક ઉત્પાદનો અને નવી ટેક્નોલોજીએ આ જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જો કે, તેના દૂરગામી પરિણામો રસાયણોના વધતા જતા પ્રદૂષણ, તેની આરોગ્ય પર થતી અસરો અને જમીનની ફળદ્રુપતામાં તીવ્ર ઘટાડા સ્વરૂપે દેખાવા લાગ્યા.
તેથી, આ સમસ્યાઓ માટે ઓર્ગેનિક ખેતીને વધુ સારા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી રહી છે, જેના હકારાત્મક પરિણામો પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઓર્ગેનિક ખેતીનો વિસ્તાર અને ઉત્પાદન ઝડપથી વધ્યું છે. ઓર્ગેનિક ફાર્મિંગ એક્શન પ્રોગ્રામ 2017-2020નો ઉદ્દેશ્ય પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન અને વિકાસ કરીને ભારતીય કૃષિને નવા આયામ પર લઈ જવાનો છે. આજે, ભારતમાં ઓર્ગેનિક ખેતીમાં યોગદાન આપવા ઉપરાંત, અહીં 8,35,000 નોંધાયેલા ઓર્ગેનિક ફાર્મિંગ ઉત્પાદકો છે.

સજીવ ખેતીના ઉપયોગથી ખેડૂત અથવા ઉત્પાદકને દૂરોગામી લાભ મળવા ઉપરાંત તેની ઉત્પાદન કિંમત પણ 25-30 ટકા જેટલી છે.
કામ થઈ જાય છે. તે જ સમયે, તે જમીનમાં કાર્બન અવશેષોનું પ્રમાણ પણ વધારે છે, જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતામાં વધારો કરે છે. આના દ્વારા પાકની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો કરવાની સાથે તંદુરસ્ત પાક પ્રાપ્ત થાય છે. તેથી, પરંપરાગત ખેતીમાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે, જૈવિક ખેતી પણ ભારતીય કૃષિ વ્યવસ્થાને સુધારવા માટે કામ કરી રહી છે.

Continue Reading

Featured

જાણો દુનિયાની એવી કેટલીક રહસ્યમય જગ્યાઓ વિશે, જેના રહસ્યનો ભેદ ઉકેલવામાં હજુ સુધી કોઈને સફળતા મળી શકી નથી.

Published

on

1 ) બ્લડ ફોલ્સ :


એન્ટાર્કટિકાના ટેલર ગ્લેશિયર પર જામેલા બરફમાં એક અનોખી જગ્યા આવેલી છે, જ્યાં લાલ રંગનું ઝરણું વહે છે. ઉલ્લેખનીય છે કે , આ ઝરણાંને જોઈને એવું લાગે છે કે આ લોહીનું ઝરણું વહી રહ્યુ છે. જો કે વૈજ્ઞાનિકોએ આના પર ઘણું સંશોધન કર્યા બાદ તેનો રાઝ સામે આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું કે, ઝરણાનાં પાણીમાં આયર્ન ઓકસાઈડ અથવા રસ્ટનું પ્રમાણ હોવાથી તે બ્લડ રેડ કલરનું દેખાય છે.

2 ) ફાયરી ગેટ :


આશરે ૫૦ વર્ષથી આગમાં ઘેરાયેલો અને ૨૨૬ ફૂટ ઊંડો ખાડો કારકુમના તુર્કમેન રણની મધ્યમાં સ્થિત છે. જે તુર્કમેનિસ્તાનમાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧ માં નવા કુદરતી ગેસ ક્ષેત્રે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં ડ્રિલિંગ રિગ તેમજ બીજા એવા ઉપકરણોના વપરાશથી પૃથ્વીના છિદ્રમાંથી હાનિકારક ગેસનું નિર્માણ થયું. આથી આ ગેસનો નાશ કરવા માટે તેને બાળી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. લોકો આ આગના બુઝાવાની રાહ જોતા રહ્યા પરંતુ આ આગ હજુ સુધી ઓલવાઈ નથી. આથી તેને ‘નરકના દરવાજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

3 ) નેવર એન્ડીંગ લાઈટ સ્ટોર્મ :


પશ્ચિમી વેનેઝુએલામાં આવેલ કટાટમ્બો નદી પર દરરોજ આશરે 260 જેટલા વીજળીના તોફાન નોંધાયા છે. એમ માનવામાં આવે છે કે, પર્વતોના આકારમાંથી નીકળતી ગરમ હવા સાથે ઠંડી હવા અથડાતા આ પવન સર્જાયા, જે પછી એકબીજા સાથે ટકરાઈને બાષ્પીભવન થતાં, પાણી અને નજીકના તેલ ક્ષેત્રના મિથેન દ્વારા બળતણ કરવામાં આવ્યું . અને ત્યારથી આ કદી પૂરું ના થનારું વીજળીનું તોફાન યથાવત રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વીજળીનું તોફાન એટલી ક્ષમતા ધરાવે છે કે , તે એકસાથે ૧૦૦ મિલિયન લાઈટના બોકસને ઉજાગર કરી શકે છે.

4 ) ધ બોઇલિંગ રિવર :


પેરુનાં જંગલોમાં અંશાનિકા ક્ષેત્રમાં એક ઉકળતી નદી વહે છે. આશરે 25 મીટર પહોળી અને 6 મીટર ઊંડી આ નદીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. આ નદીની આસપાસનું વાતાવરણ પાણીમાંથી નીકળતા ધુમાડાને કારણે ધૂંધળું અને ડરામણું લાગે છે. ઉલ્લેખનીય છે કે, એમેઝોન બેસિનની આ નદી એક સક્રિય જ્વાળામુખીથી આશરે 400-450 કિલોમીટર જેટલી દૂર આવેલી છે, છતાંય આ નદીનું પાણી એક્દમ ગરમ રહે છે. આથી આ નદીને ‘ધ બોઇલિંગ રિવર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

5 ) ટ્વીન ટાઉન :


કેરાલામાં આવેલું એક અનોખું ગામ, જેને ‘કોડીન્હી’ ના નામથી ઓળખવામાં આવે છે. અહીની ખાસ વાત એ છે કે અહી મોટા ભાગે જોડિયા બાળકો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ નાનકડા ગામની વસ્તી આશરે ૨૦૦૦ આસપાસ નોંધવામાં આવી છે. અને તેમાં પણ ૪૫૦ જેટલાં બાળકો જોડિયા જોવા મળે છે. મહત્વનું છે કે, વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં જોડિયા બાળકો કોડીન્હી ગામમાં જોવામાં આવે છે.

6 ) ધ સ્લીપિંગ સિટી :


કઝાકિસ્તાનના કલાચી નામના ગામમાં લોકો એવી રીતે સૂવે છે અને એટલું સૂવે છે જેની કોઇ કલ્પના પણ કરી શકતું નથી. નોંધનીય છે કે, ઉત્તરી કઝાકિસ્તાનમાં વસેલાં આ ગામમાં લોકો રહસ્યમયી રીતે સૂવાની બીમારીથી પીડિત છે. જ્યારે આ લોકો એકવાર સૂઇ જાય છે ત્યારે અનેક દિવસો અને મહિનાઓ સુધી ઊઠતાં જ નથી. આ ગામની વસ્તી લગભગ 600 છે. આ ગામના લગભગ 14 ટકા લોકો આ બીમારીથી પીડિત છે. નોંધનીય છે કે, કઝાકિસ્તાનના આ ગામની પાસે એક સમયે યૂરેનિયમની ખાણ હતી. જે હાલ બંધ થઇ ચૂકી છે. આ ખાણમાં ઝેરી રેડિએશન થતું રહેતું હતું. રિપોર્ટ પ્રમાણે આ ખાણના કારણે જ લોકોને આવી અજીબોગરીબ બીમારીએ જકડી લીધા છે.

Continue Reading

Featured

શું તમે વિશ્વની મુસાફરી કરવાની ઈચ્છા રાખો છો? તો શિષ્ટાચારના આ કેટલાક નિયમોને જરૂરથી યાદ રાખો.

Published

on

જે લોકોને વિશ્વની મુસાફરી કરવાનો શોખ હોય તે લોકો માટે જુદા જુદા દેશમાં અપનાવતા ડેટિંગ શિષ્ટાચારની જાણકારી હોવી અતિ આવશ્યક બની જાય છે. કારણ કે, જુદા જુદા દેશોમાં પોતાની લાગણીઓને દર્શાવવાની રીત જુદી જુદી હોઈ શકે છે. વળી ઘણા દેશોમાં એવું પણ બને કે આપણા ત્યાં જે સામાન્ય બાબત હોય ત્યાં તે જ બાબત સજાને પાત્ર બની શકે છે. તો ચાલો જાણીએ એવી કેટલીક બાબતો વિશે…

1 ) પબ્લિક અફેક્શન :


પહેલાનાં સમયમાં હાઇ સ્કૂલમાં ભણતાં બાળકો પોતાની લાગણીઓને પબ્લિકમાં દર્શાવતાં નજરે પડતા અને આ જ પબ્લિક અફેક્શન તેમના માટે મુશ્કેલીનું કારણ બની જતું હતું. પરંતુ હાલ કેટલાક દેશોમાં આ એક સામાન્ય બાબત ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન અથવા કોરિયા જેવા કેટલાક સ્થળોએ પબ્લિકમાં અફેક્શન દર્શાવવું તે ખૂબ જ અસંસ્કારી માનવામાં આવે છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા અને અન્ય અરબી દેશોમાં પબ્લિક અફેક્શન એ એક ગુનો ગણાય છે, જેના બદલ ધરપકડ પણ થઇ શકે છે.

2 ) પીડીએનો નિયમ :


કોઈ પણ દેશના લોકો સાથે દોસ્તી કરવા અથવા તેમના ગ્રુપમાં શામેલ થવા માટે તે દેશના પીડીએના નિયમને અવશ્યથી જાણી લેવો જોઈએ. જેનાથી લોકો સાથે સારા સંબંધો બનાવવામાં ઘણી મદદ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં એવા ઘણા દેશો આવેલા છે જ્યાં પબ્લિક અફેક્શન દર્શાવવું આવશ્યક બની જાય છે. કારણ કે, જો તેમની સંસ્કૃતિ અનુસાર, જો પબ્લિક અફેક્શન દર્શાવવામાં ન આવે તો તેને અસભ્ય વર્તણુકમાં ગણવામાં આવે છે. મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશોમાં, મોટા ભાગે લોકો પબ્લિક અફેક્શન દર્શાવીને જ એકબીજા સાથે મુલાકાત કરે છે.

3 ) બિલનું વિભાજન :


સામાન્ય રીતે, પશ્ચિમના દેશોમાં, બિલનું વિભાજન કરવું એ એક સારી બાબત ગણવામાં આવે છે. પરંપરાગતરૂપે, પુરુષો સ્ત્રીઓ માટે ચૂકવણી કરતા હોય છે. પરંતુ ઘણાને તે વસ્તુ અપમાનજનક લાગે છે, કારણ કે તે સૂચવે છે કે સ્ત્રીઓ પોતાની સંભાળ રાખી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયામાં બિલનું વિભાજન કરવું તે અપમાનજનક માનવામાં આવે છે. સામાન્ય રીતે, જે વ્યક્તિ વધુ પૈસા કમાય, તેની પાસેથી ચૂકવણી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે ત્યાં મહિલાઓ પણ તેમના બોયફ્રેન્ડ્સ માટે બીલની ચૂકવણી કરી શકે છે. અને તે સામાજિક રીતે સ્વીકાર્ય પણ છે.

4 ) કિસિંગ :


કિસિંગનો સમાવેશ પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શનમાં થઇ જાય છે, પરંતુ તે એક જટિલ સમસ્યા છે. કારણ કે, કેટલીક સંસ્કૃતિઓમાં, પીડીએના વિવિધ પ્રકારના શિષ્ટાચારના સ્વરૂપો હોય છે. જેમ કે, કેટલાક યુરોપિયન દેશો જેવા કે જર્મની અને પોલેન્ડમાં, ડેટ પર એકબીજાને ભેટવું એ મળવાની યોગ્ય રીત છે. ત્યાંના દેશોમાં કિસ એ સીરીઅસ રીલેશન માટે આરક્ષિત રાખવામાં આવે છે.

5 ) યોગ્ય સમય :


ઉલ્લેખનીય છે કે, ડેટ પર જતી વખતે અમેરિકામાં લોકો પોતાનો સમય લેવાનું પસંદ કરે છે. ત્યાંની સંસ્કૃતિ અનુસાર, ડેટ પર વહેલા જવાથી ખરાબ છાપ પડી શકે છે. ત્યાં ડેટ પર લેટ જવાનો ટ્રેન્ડ છે અને તેને યોગ્ય પણ માનવામાં આવે છે. જોકે, બીજી બાજુ જર્મની જેવા કેટલાક સ્થળોએ, વ્યક્તિના સમયને ઘણો મૂલ્યવાન માનવામાં આવે છે. ત્યાં કોઈને રાહ જોવડાવવી તે ઘણું અસભ્ય માનવામાં આવે છે.

6 ) ગિફ્ટ :

કોઈને ‘ગિફ્ટ આપવી’ એ આભાર કે પ્રેમ દર્શાવવાની એક રીત છે. ભેટ આપવી એ કાળજી બતાવવાની મહત્વપૂર્ણ રીત છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમના દેશોમાં ગિફ્ટ આપવી એ ઘણું અગત્યનું છે, કારણ કે, તે દર્શાવે છે કે, તમે જે પ્રાપ્ત કર્યું તેના માટે તમે આભારી છો. જોકે, આ ગિફ્ટને ગિફ્ટ આપનાર સામે ખોલવામાં ન આવે તો તે અત્યંત અસંસ્કારી ગણવામાં આવે છે. જોકે, ચીન અથવા ભારત જેવા કેટલાક એશિયન દેશોમાં, જે વ્યક્તિએ ગિફ્ટ આપી હોય તેની સામે ભેટ ખોલવાનું યોગ્ય ગણવામાં આવતું નથી. કારણ કે, ત્યાં ,કોઈએ આપેલી ગિફ્ટ ઝડપથી ખોલવામાં આવે તો તે વ્યક્તિ લોભી લાગે છે.

7 ) ફૂલોનો ગુલદસ્તો :


મોટાભાગે પુરુષો પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે, ડેટ પર જતી વખતે તેઓ એક સુંદર ફૂલોનો ગુલદસ્તો પોતાની ડેટને આપે. મહત્વનું છે કે, રશિયામાં આ ફૂલોના ગુલદસ્તામાં ફૂલોની સંખ્યા બેકી ન હોવી જોઈએ. કારણ કે, બેકી સંખ્યામાં ફૂલો એ અંતિમ સંસ્કારમાં આપવામાં આવે છે. આ ઉપરાંત વિક્ટોરિયન યુગમાં, કોઈને પીળા રંગનું ગુલાબ મોકલવું તે અપમાનજનક ગણવામાં આવતું. કારણ કે તે ઈર્ષ્યા અને બેવફાઈનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જોકે, આજના સમયમાં પીળા રંગનું ફૂલ મિત્રતાનું પ્રતીક ગણવામાં આવે છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending