હેલ્થ
કોરોના વાયરસથી બચવા લીંબુનો રસ પણ છે ફાયદાકારક..
Published
2 years agoon

નોવેલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વિશ્વ આખામાં આ મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસ ફેલાવાની શરુઆત ચીનથી થઈ હતી. તો ચીનના વુહાન શહેરમાં આનો સૌથી વધારે પ્રકોપ જોવા મળ્યો. આ સિવાય જાપાન, થાઈલેન્ડ, સિંગાપુર અને હવે તો ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
આ વાયરસથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને સુચવેલા ઉપાયો પર નજર કરીએ તો. હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ. ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સીફૂડ આરોગવુ પણ હમણા ટાળવુ જોઇએ. મટન અને ઇંડાને સંપૂર્ણ અને યોગ્ય રીતે પકવવા જોઇએ. જંગલ અને ખેતરમાં રહેતા પશુઓ સાથે સંપર્ક ટાળવાથી પણ આનો ચેપ અટકાવી શકાય છે. કોરોના વાયરસથી બચવા લીંબુનો રસ પણ ખુબ ફાયદાકારક છે કારણકે લીંબુના અનેક ફાયદા છે.. લીંબુ તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.
વિટામીન સીથી ભરપૂર લીંબુના છે અનેક ફાયદા
લીંબુમાં પોટેશિયમ અને ફાસ્ફોરસ વિપુલ પ્રમાણમાં મળી આવે છે જે આપણા બ્રેન સેલ્સ અને નર્વ સિસ્ટમને મજબૂત કરે છે.
લીંબુમાં વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જે ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.
લીંબુમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે લોહીમાં હીમોગ્લબિનની માત્રાને વધારે છે.
લીંબુના રસને પાણીમાં મેળવીને પીવાથી શરદી જેવા ચેપી રોગો મટે છે.
લીંબુનો રસ ગરમ પાણીમાં ભેળવીને પીવાથી પાચનક્રિયા જળવાય રહે છે.
લીંબુનો રસ મસૂડોને સ્વસ્થ બનાવે છે.
લીંબુના રસના સેવનથી કબજિયાત, ઝાડા, પેટની ખરાબી અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે.
લીંબુનો રસ પીવાથી આપણા શરિરમાં ઉર્જા જળવાઈ રહે છે.
લીંબુનું શરબત પીવાથી ત્વચાની રંગતમાં નિખાર આવે છે.
લીબું ખાવાથી ઈન્યુનિટી વધે છે અને ઈજા પણ જલ્દી જ ઠીક થઈ જાય છે.
લીંબુનો રસ પીવાથી આપણી આંખો સ્વ્સથ રહે છે.
લીંબુનો રસ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તે શરીરની ગંદકી દૂર કરે છે..
લીંબુના સેવનથી શુગરને નિયંત્રિત કરી શકાય છે.
લીંબુ પાણીના સેવનથી કિડનીની પથરીમાં પણ લાભ મળે છે.
લીંબુ પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. વિટામીન સીથી ભરપૂર લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક છે. તો રોજ પીઓ 1 ગ્લાસ લીંબુ પાણી. રોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમારી ઈમ્યુનિટી વધે છે. તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે અને સાથે જ તમે હેલ્ધી રહી શકો છો.
લીંબુનું સેવન કરતી સમયે રાખો આ સાવધાની
તમે લીંબુ પાણી પી રહ્યા છો તો તરત જ બાદ દાંતને બ્રશ ન કરવું. કેટલાક લોકોને લીંબુની એલર્જી હોય છે. સાથે જ તેનાથી ગળું પણ ખરાબ થઈ શકે છે. જેમને અલ્સરની બીમારી છે તેઓએ લીંબુનું સેવન કરવું નહીં.
લીંબુના સેવન કરવાના નુકસાન
લીંબુમાં સાઈટ્રિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. તેના વધારે પડતા સેવનથી દાંતને નુકસાન થઈ શકે છે. લીંબુમાંનું સાઈટ્રિક એસિડ સંવેદનશીલ ત્વચા માટે એલર્જીનું કારણ બની શકે છે. લીંબુના વધારે ઉપયોગથી ઝાડા, જીવ ગભરાવવો, પેટમાં આંટા આવવાની સમસ્યા થઈ શકે છે.

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.
લવિંગનુ સેવન કરવાના ફાયદા
- દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
- જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
- લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.
અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.
લસણ
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.
હેલ્થ
હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ
Published
3 weeks agoon
July 20, 2022
કેટલાક લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગના જોખમને ટાળવા માટે લોહીને પાતળું કરવા દવાઓ લે છે. આ દવાઓને બ્લડ થિનર્સ કહેવામાં આવે છે. તેઓ લોહીના ગંઠાવા દેતા નથી. લોહી જાડુ થવાથી માથાનો દુખાવો, ખંજવાળ આવવી, બીપી, આર્થરાઇટિસ અને ચક્કર આવવા જેવી સમસ્યા સર્જાય છે. તેમજ પિરિયડ્સ સમયે બ્લડની સમસ્યા પણ સર્જાય છે. ત્યારે જો તમે દવા વગર જ લોહી પાતળુ કરવા માંગતા હોવ તો આજે તમને જણાવી દઇએથોડી જ ટિપ્સ
વિટામિન E થી ભરપૂર ખોરાક લો
જાણી લો કે વિટામિન E લોહીના ગંઠાઈ જવાથી બચાવે છે. એવું સૂચન કરવામાં આવે છે કે જે લોકો લોહીને પાતળા કરવા જેવી દવાઓ લે છે તેઓએ વિટામિન ઇ સપ્લીમેન્ટ્સ ટાળવા જોઈએ. વિટામીન E કુદરતી લોહીને પાતળું કરવાનું કામ કરે છે. વિટામિન્સ મેળવવા માટે, તમે પાલક અને બદામ જેવી વસ્તુઓ ખાઈ શકો છો.
હળદર
ખોરાકમાં વપરાતી હળદર એ કુદરતી રીતે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે લોહીને પાતળું કરે છે અને લોહીના ગંઠાવવા દેતુ નથી. રાંધતી વખતે તેમાં હળદર ઉમેરીને તેનું સેવન કરી શકો છો.
લસણ
લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે લસણ ખાય છે પરંતુ, શું તમે જાણો છો કે લસણ એક કુદરતી એન્ટિબાયોટિક છે. લસણમાં એન્ટિથ્રોમ્બોટિક એજન્ટ હોય છે જે લોહીને પાતળું કરે છે અને લોહીના ગંઠાવાનું અટકાવે છે.
લાલ મરચું
લાલ મરચું ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે. લાલ મરચામાં સેલિસીલેટ્સ પણ જોવા મળે છે. લાલ મરચું તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં પણ મદદ કરે છે.
આદુ
નોંધપાત્ર રીતે, આદુ એ એન્ટી ઇન્ફ્લેમેટરી મસાલો છે. આદુમાં એસ્પિરિન સેલિસીલેટના કૃત્રિમ ગુણો હોય છે, જે શક્તિશાળી રક્ત બ્લડ થિનરનું કામ કરે છે .
લોકો આદુને ચા અને ભોજનમાં ઉમેરીને લઈ શકે છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ