હેલ્થ
કોરોના વાયરસથી બચવા લીંબુનો રસ પણ છે ફાયદાકારક..
Published
3 years agoon

નોવેલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વિશ્વ આખામાં આ મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસ ફેલાવાની શરુઆત ચીનથી થઈ હતી. તો ચીનના વુહાન શહેરમાં આનો સૌથી વધારે પ્રકોપ જોવા મળ્યો. આ સિવાય જાપાન, થાઈલેન્ડ, સિંગાપુર અને હવે તો ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
આ વાયરસથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને સુચવેલા ઉપાયો પર નજર કરીએ તો. હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ. ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સીફૂડ આરોગવુ પણ હમણા ટાળવુ જોઇએ. મટન અને ઇંડાને સંપૂર્ણ અને યોગ્ય રીતે પકવવા જોઇએ. જંગલ અને ખેતરમાં રહેતા પશુઓ સાથે સંપર્ક ટાળવાથી પણ આનો ચેપ અટકાવી શકાય છે. કોરોના વાયરસથી બચવા લીંબુનો રસ પણ ખુબ ફાયદાકારક છે કારણકે લીંબુના અનેક ફાયદા છે.. લીંબુ તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.
વિટામીન સીથી ભરપૂર લીંબુના છે અનેક ફાયદા
લીંબુમાં પોટેશિયમ અને ફાસ્ફોરસ વિપુલ પ્રમાણમાં મળી આવે છે જે આપણા બ્રેન સેલ્સ અને નર્વ સિસ્ટમને મજબૂત કરે છે.
લીંબુમાં વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જે ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.
લીંબુમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે લોહીમાં હીમોગ્લબિનની માત્રાને વધારે છે.
લીંબુના રસને પાણીમાં મેળવીને પીવાથી શરદી જેવા ચેપી રોગો મટે છે.
લીંબુનો રસ ગરમ પાણીમાં ભેળવીને પીવાથી પાચનક્રિયા જળવાય રહે છે.
લીંબુનો રસ મસૂડોને સ્વસ્થ બનાવે છે.
લીંબુના રસના સેવનથી કબજિયાત, ઝાડા, પેટની ખરાબી અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે.
લીંબુનો રસ પીવાથી આપણા શરિરમાં ઉર્જા જળવાઈ રહે છે.
લીંબુનું શરબત પીવાથી ત્વચાની રંગતમાં નિખાર આવે છે.
લીબું ખાવાથી ઈન્યુનિટી વધે છે અને ઈજા પણ જલ્દી જ ઠીક થઈ જાય છે.
લીંબુનો રસ પીવાથી આપણી આંખો સ્વ્સથ રહે છે.
લીંબુનો રસ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તે શરીરની ગંદકી દૂર કરે છે..
લીંબુના સેવનથી શુગરને નિયંત્રિત કરી શકાય છે.
લીંબુ પાણીના સેવનથી કિડનીની પથરીમાં પણ લાભ મળે છે.
લીંબુ પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. વિટામીન સીથી ભરપૂર લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક છે. તો રોજ પીઓ 1 ગ્લાસ લીંબુ પાણી. રોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમારી ઈમ્યુનિટી વધે છે. તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે અને સાથે જ તમે હેલ્ધી રહી શકો છો.
લીંબુનું સેવન કરતી સમયે રાખો આ સાવધાની
તમે લીંબુ પાણી પી રહ્યા છો તો તરત જ બાદ દાંતને બ્રશ ન કરવું. કેટલાક લોકોને લીંબુની એલર્જી હોય છે. સાથે જ તેનાથી ગળું પણ ખરાબ થઈ શકે છે. જેમને અલ્સરની બીમારી છે તેઓએ લીંબુનું સેવન કરવું નહીં.
લીંબુના સેવન કરવાના નુકસાન
લીંબુમાં સાઈટ્રિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. તેના વધારે પડતા સેવનથી દાંતને નુકસાન થઈ શકે છે. લીંબુમાંનું સાઈટ્રિક એસિડ સંવેદનશીલ ત્વચા માટે એલર્જીનું કારણ બની શકે છે. લીંબુના વધારે ઉપયોગથી ઝાડા, જીવ ગભરાવવો, પેટમાં આંટા આવવાની સમસ્યા થઈ શકે છે.
જાણવા જેવું
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
Published
2 weeks agoon
October 6, 2022By
Gujju Media
નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.
લવિંગનુ સેવન કરવાના ફાયદા
- દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
- જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
- લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.
અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.
લસણ
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન