ફૂડ
જ્યારે મન થાય ત્યારે ઘરે જ બનાવો કચોરી! આ રહી બનાવવાની સરળ રીત
Published
2 weeks agoon

કચોરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. મગની દાળથી બનેલ ખસ્તા કચોરીની તો વાત જ અલગ છે. આપણા દેશમાં સ્ટ્રીટ ફૂડનાં રૂપમાં કચોરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. એટલું જ નહી, કચોરીની ઘણી વેરાઈટી પણ મળે છે. આજે અમે તમને કચોરીની સૌથી ફેમસ વેરાઈટી મગની દાળની ખસ્તા કચોરી બનાવવાની સરળ રેસીપી જણાવશું, જેની મદદથી સરળતાથી તમે ઘરમાં સ્વાદિષ્ટ કચોરી બનાવી શકશો.
કચોરી બનાવવા માટેની સામગ્રી
- મેંદો – 1 કપ
- મગ દાળ – 1 કપ
- ચણાનો લોટ – 2 ટેબલસ્પૂન
- લાલ મરચાનો પાવડર – 1/2 ટેબલસ્પૂન
- જીરું – 1 ટેબલસ્પૂન
- વરીયાળી – 1 ટેબલસ્પૂન
- હળદર – 1/2 ટેબલસ્પૂન
- હિંગ – 1 ચપટી
- આમચૂર – 1/2 ટેબલસ્પૂન
- ધાણાજીરું – 1 ટેબલસ્પૂન
- તેલ
- નમક – સ્વાદાનુસાર
કચોરી બનાવવાની રીત
- કચોરીબનાવવા માટે સૌથી પહેલા મગ દાળને પાણીમાં પલાળીને ઓછામાં ઓછી 3 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ દાળનું પાણી કાઢીને મિક્સરમાં પીસી લો. દાળ પિસ્યા બાદ એક વાસણમાં અલગ રાખો. ત્યાર બાદ એક અન્ય વાસણમાં મેંદો લઈને તેમાં એક ટેબલસ્પૂન તેલ અને સ્વાદાનુસાર નામક મેળવીને સારી રીતે મિક્સ કરી દો. ત્યાર બાદ થોડું થોડું પાણી નાંખીને લોટ બાંધી લો.
- હવે એક કડાયું લો અને તેમાં તેલ નાંખીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું, વરીયાળી, ઘાનાજીરું પાવડર, મરચું પાવડર, હળદર અને ચણાનો લોટ નાંખીને મિક્સ કરી દો. જ્યારે મિશ્રણમાં ચણાનો લોટ નાંખો ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દો. હવે આ મિશ્રણમાં દાળ મિક્સ કરીને પકાવો.
- ત્યાર બાદ મસાલા માં આમચૂર અને સ્વાદાનુસાર નમક મેળવો. જ્યારે દાળ અલગ અલગ થવા લાગે તો સમજી જાઓ કે મસાલો તૈયાર છે. ત્યાર બાદ સ્ટફિંગની ગોળ ગોળ બોલ્સ તૈયાર કરી લો. હવે લોટ લો અને તેમાં થોડું તેલ લગાવીને એક વાર ફરી સારી રીતે લોટ બાંધી લો. હવે આ લોટને સરખા ભાગમાં કાપી તેના બોલ્સ તૈયાર કરી લો. હવે તેમાં મસાલો ભરીને એક્સ્ટ્રા લોટ કાઢી લો.
- ત્યાર બાદ તેને ચપટા કરીને કિનારીએથી દબાવતા પાતળા કરો અને નાની પૂરીનાં આકારની બાનાવો. હવે એક કડાયામાં તેલ લઈને તેને ગરમ કરો. જ્યારે તેલમાંકચોરી નાંખીને ફ્લેમ મીડિયમ કરી લો. હવે કચોરીઓને ડીપ ફ્રાય કરો જ્યાં સુધી તે સોનેરી ન થઈ જાય. હવે તમારી સ્વાદિષ્ટ કચોરીઓ તૈયાર થઇ ગઈ છે. તમે તેને લીલી કે લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો.
You may like
-
તમારા પેટની ચરબી પણ વધી ગઈ છે? તો આ તમારા માટે છે કામનું: એકવાર ચોક્કસ વાંચજો
-
મહિલાઓ ભૂલથી પણ આ શાકભાજીને ન મુક્તા ફ્રીજમાં નહિતર ફૂડ પોઇઝનિંગનો બનશો શિકાર
-
તમે ખાંડ ખાવ છો? તો ચેતીજજો થઇ શકે છે મોટું નુકસાન
-
પાન ખાવાની ટેવ તો ખુબ સારી! ખાસ કરીને પરણિત પુરુષોને પાન ખાવાથી થાય છે અનેક ફાયદા
-
શું તમે તો જાણો છોએ કે બટર અને ચીઝમાં છે તફાવત! જો નહિ તો આ રહી સંપૂર્ણ માહિતી
-
હવે નાની નાની ખુશીઓમાં પણ ઘરે જ બનાવો સેન્ડવીચ કેક! આ રહી બનાવવાની સરળ રીત
ફૂડ
મહિલાઓ ભૂલથી પણ આ શાકભાજીને ન મુક્તા ફ્રીજમાં નહિતર ફૂડ પોઇઝનિંગનો બનશો શિકાર
Published
5 days agoon
June 20, 2022
શાકભાજી કે ફળોને તાજા રાખવા માટે લોકો મોટાભાગે ફ્રિજનો ઉપયોગ કરે છે. જે લોકો પાસે દરરોજ શાકભાજી અને ફળો લાવવાનો સમય નથી, તેઓ તેને ફ્રિજમાં લાવીને સ્ટોર કરે છે. જેથી તે વસ્તુઓ ફ્રીજમાં લાંબા સમય સુધી તાજી રહી શકે છે. પરંતુ નિષ્ણાતો એમ પણ કહે છે કે કેટલાક ફળો અને શાકભાજીને રેફ્રિજરેટરમાં રાખવાનું ટાળવું જોઈએ. જો તેને ફ્રીજમાં રાખવામાં આવે તો તે ફૂડ પોઈઝનિંગનું કારણ પણ બની શકે છે. તો ચાલો જાણીએ એ શાકભાજીઓ વિશે, જેને ફ્રીજમાં ન રાખવી જોઈએ.
નિષ્ણાતોના મતે, ટામેટાંને હંમેશા રૂમ ટેમ્પ્રેચરથી સંગ્રહિત કરવું જોઈએ. તેને રેફ્રિજરેટરમાં રાખવાથી ટામેટાંના સ્વાદ, ટેક્સચર અને સુગંધ પર અસર થાય છે, તેથી ટામેટાંને સૂર્યપ્રકાશથી દૂર ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખો. બારીમાંથી આવતા ગરમ કિરણો ટામેટાં પાકવાની પ્રક્રિયાને વેગ આપે છે. ફ્રિજની બહાર રાખવામાં આવેલા ટામેટાં ફ્રિજમાં રાખવામાં આવેલા ટામેટાં કરતાં એક સપ્તાહ વધુ ટકે તેવી શક્યતા છે.
કાકડીને સામાન્ય રીતે શાકભાજી ગણવામાં આવે છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સના જણાવ્યા અનુસાર, જો ત્રણ દિવસથી વધુ સમય માટે 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો કાકડીઓ ઝડપથી સડી જાય છે. તેથી કાકડીને ફ્રીજમાં રાખવાનું ટાળો. કાકડીને ફ્રીજમાં રાખવાને બદલે સીધા સૂર્યપ્રકાશથી દૂર સામાન્ય જગ્યાએ રાખો.
બટાકાને ટોપલીમાં ખુલ્લામાં રાખવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને ફ્રીજમાં રાખવાનું ટાળો. ઠંડા તાપમાન કાચા બટાકામાં જોવા મળતા સ્ટાર્ચયુક્ત જટિલ કાર્બોહાઇડ્રેટ્સને બદલે છે અને જ્યારે રાંધવામાં આવે છે ત્યારે બટાકાનો સ્વાદ મીઠો થઈ જાય છે. તેથી તેને ફ્રીજમાં રાખવાનું ટાળો. હા, શાક બનાવ્યા પછી તમે ઇચ્છો તો તેને ફ્રીજમાં રાખી શકો છો.
નેશનલ ઓનિયન એસોસિએશન (NOA) અનુસાર, ડુંગળીને ઠંડી, સૂકી, અંધારી અને સારી રીતે વેન્ટિલેટેડ રૂમમાં સંગ્રહિત કરવી જોઈએ. આ એટલા માટે છે કારણ કે ડુંગળી સરળતાથી ભેજને શોષી લે છે. જો તાપમાન અથવા ભેજ ખૂબ વધારે હોય તો ડુંગળી અંકુરિત અથવા સડવાનું શરૂ કરી શકે છે. જો ડુંગળીને ઓરડાના ઠંડા તાપમાને રાખવામાં આવે તો ડુંગળી બે મહિનાથી વધુ સમય સુધી ટકી શકે છે.
0
ફૂડ
પાન ખાવાની ટેવ તો ખુબ સારી! ખાસ કરીને પરણિત પુરુષોને પાન ખાવાથી થાય છે અનેક ફાયદા
Published
1 week agoon
June 16, 2022
અમુક લોકો જ જાણે છે કે પાન ખાવાથી ઘણા ફાયદા થાય છે. માનવામાં આવે છે કે પરિણીત પુરૂષો માટે પાન ખૂબ જ ફાયદાકારક છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે રાજા-મહારાજા પહેલાના સમયમાં દરરોજ રાત્રે પાન ખાવાનું કેમ પસંદ કરતા હતા? ખરેખર, પાન ખાવાના પુષ્કળ ફાયદા છે, તેથી રાજા-મહારાજા પાન ખાવાનુ પસંદ કરતા હતા. આવો જાણીએ કે પરિણીત પુરૂષોને પાન ખાવાથી શું ફાયદા થાય છે.
મીડિયા રિપોર્ટ મુજબ, પુરૂષો માટે લવિંગ, વરિયાળી અને ઈલાયચી વધુ 1 પાન ગુણકારી છે. રિપોર્ટ મુજબ, એક પાન ખાવાથી પુરૂષોની સેક્સ્યુઅલ લાઈફ વધુ સારી થાય છે. આ લવિંગ, વરિયાળી અને ઈલાયચીના કોઈ પણ નુસ્ખાથી વધુ અસરકારક હોય છે. કારણકે તેમાં તમને આ બધી વસ્તુઓ સાથે ગુલકંદ અને સોપારી પણ મળે છે. પાનની સાથે આ બધી વસ્તુઓ પરિણીત પુરૂષોના જાતિય સ્વાસ્થ્ય માટે વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. જેમાં પુરૂષોમાં કામેચ્છામાં કમી (લિબિડો), નપુંસકતા, ટેસ્ટોસ્ટેરોનમાં કમી, જનનાંગોમાં રક્તપ્રવાહ વગેરે સુધરી જાય છે.
પાનના પાંદડાથી થાય છે આ ફાયદા
- જો તમારો હાથ કપાઈ ગયો છે અને તે જગ્યાએ ફરીથી બળતરા થઇ રહી છે તો તમે પાનના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. માનવામાં આવે છે કે પાનમાં રહેલ એનલજેસિક ગુણ તાત્કાલિક રાહત પહોંચાડે છે. જેના માટે પાનના પત્તાની પેસ્ટ બનાવો અને પ્રભાવિત જગ્યા પર લગાવો. આ સ્કિનની અંદર જઇને દુ:ખાવો અને બળતરામાંથી રાહત આપે છે.
- આ સિવાય પાનમાં રહેલા એન્ટી-સેપ્ટિક અને એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે ફંગલ ઈન્ફેક્શન અને સેપ્ટિક થવાથી રાહત આપે છે. આ સિવાય કબજીયાતમાં પણ પાનના પાંદડા રાહત આપે છે.
ફૂડ
શું તમે તો જાણો છોએ કે બટર અને ચીઝમાં છે તફાવત! જો નહિ તો આ રહી સંપૂર્ણ માહિતી
Published
2 weeks agoon
June 14, 2022
બટર અને ચીઝ બંને ચીજ વસ્તુઓને દૂધ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાંક લોકો આ વાતને લઇને મૂંઝવણ અનુભવે છે કે તેમાંથી આરોગ્ય માટે વઘુ અસરકારક શું છે. નિષ્ણાંતો મુજબ, ચીઝમાં બટરથી વધુ પ્રોટીન હોય છે. તો બટર ખાવુ તમારા આરોગ્ય માટે ફાયદાકારક રહેશે. કારણકે તેમાં તંદુરસ્ત ફેટ્સની માત્રા હોય છે. ઘણાં લોકો વજન ઘટાડવા માટે આ બંને ચીજ વસ્તુઓનું સેવન સંપૂર્ણ રીતે બંધ કરી નાખે છે અને આ દરમ્યાન ડેરી પ્રોડક્ટ્સ પણ લેતા નથી. નિષ્ણાંતો મુજબ, ડેરી પ્રોડક્ટ્સને ડાયટમાં સામેલ કરવાથી તમને ફાયદો થશે. ઘણાં અભ્યાસમાં આ સામે આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે ડેરી પ્રોડક્ટનું સેવન કરે છે, તેનુ વજન ઓછુ હોય છે. બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવામાં મદદ મળે છે અને આ સાથે સ્ટ્રોક અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બિમારીઓનું સંકટ ઓછુ થાય છે.
ચીઝમાં પ્રોટીનની વધુ માત્રા
બટરમાં રહેલા હેલ્ધી ફેટ હાડકાઓને મજબૂત રાખે છે અને તમારી આંખોની રોશનીને પણ ઈમ્પ્રુવ કરે છે. પરંતુ કારણકે ચીઝમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે તેથી ચીજને વધારે હેલ્ધી માનવામાં આવે છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રીશનમાં છપાયેલા એક અભ્યાસ મુજબ, જેણે 6 અઠવાડિયાના સમયાંતરે દરરોજ ચીજનું સેવન કર્યુ. તેમને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ મળી.
બટરથી પણ વધુ ફાયદાકારક
ન્યુટ્રિશનિસ્ટ માને છે કે ચીઝ, બટરથી વધુ ફાયદાકારક છે. બટરમાં પૂરતા પ્રમાણમાં ફેટ હોય છે, જ્યારે ચીઝમાં પ્રોટીનની સાથે કેલ્શિયમની માત્રા પણ હોય છે. ચીઝના કેટલાંક પ્રકાર એવા હોય છે. જેમાં પેકેજ્ડ પનીરથી પણ વધુ પ્રોટીન હોય છે. પરંતુ પનીરમાં મીઠુ હોતુ નથી. જ્યારે ચીઝમાં મીઠુ હોય છે.

બોલો આ ભાઈ દિવસમાં ત્રણ વખત વાટકા ભરી ભરીને ખાય છે ડોગ ફૂડ

ચોમાસામા ઘરની દીવાલો પર કરો આટલું નહીં આવે ભેજ…

આ બેન્કો પર્સનલ લોન આપે છે સૌથી સસ્તા વ્યાજ સાથે! જલ્દી ચકાસી લો લિસ્ટ

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ! આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું તેના રેકોર્ડ્સ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી