ગુજરાત
સૌરાષ્ટ્ર-અમદાવાદ સહિત આ જગ્યાઓ પર કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું થશે આગમન
Published
2 weeks agoon

રાજયના વાતાવરમાં છેલ્લા 3 દિવસથી માહોલ બદલાયો છે. ગરમીને બદલે હવે ઉકાળો શરૂ થઈ ગયો છે. ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ દરમિયાન સૌરાષ્ટ્ર, અમરેલી, સુરત, સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં આજે રાતે વરસાદ પડવાની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિસામાન્ય વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે. આગામી પાંચ દિવસ ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી ઘટવાની સંભાવના છે. રાજ્યમાં ગઈકાલે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા હતા, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના ભાગરૂપે ધંધૂકામાં 34 એમએમ વરસાદ પડ્યો છે.
ભારે ગરમીથી કંટાળી રાજ્યમાં સૌ કોઈ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેનો હવે અંત આવશે. આજે સવારથી જ વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. સવારથી આકાશમાં વાદળો ઘેરાયાં છે. સાથે જ આજથી પાંચ દિવસ માટે સૂરજ ઢંકાયેલો જ રહેશે તેવી શક્યતા છે. બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જોકે વાદળછાયા વાતાવરણમાંય સવારે થોડી ઠંડક પ્રસરેલી રહે છે, પરંતુ બપોર થતાં જ બફારાનું પ્રમાણ અત્યંત વધી જવા પામ્યું છે.જો કે, બપોર બાદ સુરેન્દ્રનગરના ચૂડા ખાતે સામાન્ય વરસાદ શરૂ થતાં જ ઠેરઠેર પાણી ભરાયા હતાં
You may like
-
ચોમાસામા ઘરની દીવાલો પર કરો આટલું નહીં આવે ભેજ…
-
વરસાદમાં ભીંજાતા પહેલા રાખો આટલું ધ્યાન; નહીંતર પડી જશો બીમાર
-
સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી; જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
-
સૌરાષ્ટ્રમાં આજે પણ રહી મેઘમહેર! આ વિસ્તારઆ પડ્યો વરસાદ
-
બે ધારુ વાતાવરણ! કોઈ જ્ગ્યાએ ગરમી તો કોઈ જગ્યાએ વરસાદ પાડવાની આગાહી
-
બંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી
ગુજરાત
પાવાગઢ મંદિર પર ધજા ફરકાવી વડાપ્રધાને રચ્યો ઇતિહાસ! ભાવુક થતા આંખોમાં આવ્યા આંસુ
Published
1 week agoon
June 18, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં આક્રમણખોરોએ મહાકાળી માતાના મંદિરના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને PM મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.
આ પ્રસંગે પાવાગઢમાં સંબોધન દરમિયાન PM મોદીએ ભાવુક થઈને કહ્યું, હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું ઉર્જા અને સમર્પણ સાથે દેશના લોકોની સેવા કરતો રહું. તેમણે જણાવ્યું હતું કે, મારુ જે પણ સાર્મથ્ય છે મારા જીવનમાં જે કોઈ પણ પુણ્ય છે. તે દેશની માતાઓ અને બહેનાના કલ્યાણ માટે દેશ માટે સમર્પિત કરું છું. ગરવી ગુજરાતની ધરતીથી મા કાલીની ચરણોથી હું દેશની આઝાદીનો અમૃત મહોત્સવનો સ્મરણ કરું છું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે જેટલું યોગદાન દેશની આઝાદીની લડાઈ માટે આપ્યું છે. તેટલું જ દેશના વિકાસ માટે આપ્યું છે. ગરવી ગુજરાત ભારતના શાન અને ગૌરવની ઓળખ છે. ગુજરાતે ભારતના વ્યાપારનું પણ નેતૃત્વ કર્યું છે.અને ભારતની આદ્યાયતમિકતાને પણ સંરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાત
સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી; જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
Published
1 week agoon
June 16, 2022
રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. જો કે અમદાવાદ સહિતના અમુક શહેરો આજે પણ કોરાધાકોળ રહ્યા હતા. બીજી તરફ આગાહીને પગલે સૌરાષ્ટ્રના અમરેલી-ધારી ગીર ધારીના ચલાલા, સરસીયા, અમૃતપુર, ઝર, મોરઝર, છતડીયામાં પણ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સારા વરસાદ બાદ આજે ફરીથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ થયો છે, જ્યારે મહેમદાવાદ અને માણાવદરમાં પોણા 3 ઈંચ વરસાદ થયો છે. સાથે જ તલાલામાં સવા 2 ઈંચ અને સાવરકુંડલામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉમરાળા, ઉના, અને ચાણસ્મામાં 1.5 ઈંચ થયો છે, જ્યારે ખેડામાં સવા ઈંચ તથા વડગામ, વંથલી, કાલાવડ અને વેરાવળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહીને લઈને જૂનાગઢમાં ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ધીમીધારે વરસતું પાણી જમીનમાં ઉતરતું હોવાથી ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી હતી. વધુમાં વંથલી પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડયો હોવાથી વતાવરમાં ટાઢક પ્રસરી હતી.
વધુમાં ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘા મહેર વર્ષી હતી. ધોરાજી પંથકમાં વરસાદે જોરદાર જમાવટ કરી હતી. ધીમી ધારે ખાબકેલા મેઘરાજાએ મન મૂકીને વ્હાલ વરસાવતા એક કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. મેઘરાજાની અવિરત બેટિંગને લઈને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત અમરેલી પંથક પર આજે મેઘરાજાની પધરામણી થઇ હતી. લીલીયા પંથકમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું.ત્યારબાદ અમરેલીના લીલીયા, જાફરાબાદ,ધારી,ગીર બાદ લીલીયા પંથકમાં વરસાદ ત્રાટક્યો હતો.જાફરાબાદના બાલાનીવાવ ખાતે પણ વરસાદ પડયો હતો.નોંધનિય છે કે, નાગેશ્રી, ખાલસા,કંથારીયા,મીઠાપુર સહિત અમરેલી જિલ્લામાં સતત 9 માં દિવસે મેઘની મહેર ધીમીધારે વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને બફારામાથી રાહત મળી હતી.
ગુજરાત
એ એ એ …. ગયા! વડોદરામાં પહેલા વરસાદમાં જ લોકો રોડ પર લપસવા લાગ્યા
Published
1 week agoon
June 15, 2022
વડોદરા શહેરમાં પહેલા વરસાદી ઝાપટામાં જ વડોદરામાં રોડ ચિકણા થતાં જુદા-જુદા વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકો પડ્યાના સાતથી આઠ બનાવ બન્યા છે. જેમાં કેટલાક અકસ્માતની ઘટના લોકોએ મોબાઇલમાં કેદ પણ કરી હતી. ચોમાસાની શરૂઆત થઇ છે અને વડોદરામાં હજુ વાદળછાયું વાતાવરણ છે. વડોદરા શહેરમાં ક્યાંક ક્યાંક વરસાદીની ઝરમર વરસી છે, પરંતુ, તેના કારણે રોડ ચિકણા થતાં ટુ-વ્હીલર ચાલકો પડ્યાની ઘટનાઓ બની છે. જેમાં સૌથી વધુ ટુ-વ્હીલર ચાલકો પડ્યાની ઘટનાઓ ન્યુ સમા અને અલકાપુરી રોડ પર બની છે. બંને જગ્યાએ લગભગ સાતથી આઠ ટુ-વ્હીલર ચાલકો પડ્યાના બનાવ બન્યા છે અને તેમાં કેટલાકને સામાન્ય ઇજાઓ પણ થઇ છે.
ચોમાસાની સિઝન શરૂ થતાં પહેલો વરસાદ આવ્યો છે. જેથી આખું વર્ષ રોડ પર ઓઇલ સહિતની ચિકાસવાળા પદાર્થ ઢોળાયા હોય છે, જેથી પ્રથમ વરસાદમાં રોડ લપસણા બન્યા છે. જેથી ચોમાસાના શરૂઆતી દિવસોમાં વાહન ચાલકોએ વાહન જાળવીને ચલાવવું હિતાવહ છે.

બોલો આ ભાઈ દિવસમાં ત્રણ વખત વાટકા ભરી ભરીને ખાય છે ડોગ ફૂડ

ચોમાસામા ઘરની દીવાલો પર કરો આટલું નહીં આવે ભેજ…

આ બેન્કો પર્સનલ લોન આપે છે સૌથી સસ્તા વ્યાજ સાથે! જલ્દી ચકાસી લો લિસ્ટ

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ! આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું તેના રેકોર્ડ્સ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી