ટેકનોલોજી
GMAILનો ઉપયોગ કરતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાન! નહિતર અકાઉન્ટ થઈ જશે બ્લોક
Published
3 months agoon

Gmail એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈ-મેલ સર્વિસ છે. વિશ્વભરમાં દરરોજ લાખો લોકો આ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરે છે. Gmail દ્વારા તેનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન દરેક યુઝરે કરવું જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો, તો Gmail તમારા પર પગલાં લઈ શકે છે અને તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મૂકી શકે છે. Gmailમાં ત્રણ સરળ નિયમો છે, જો તમે તેનું પાલન નહીં કરો તો તમારું એકાઉન્ટ પર હંમેશા માટે પ્રતિબંધ લાગી જશે. તેથી, હવેથી તમે Gmailમાં લોગ ઇન કરો ત્યારે આ ત્રણ સરળ નિયમોને ધ્યાનમાં જરૂર રાખો.
સતત ઈ-મેલ મોકલશો નહીં
આપણને લાગે છે કે અપણે Gmailથી એક દિવસમાં અસંખ્ય ઇમેઇલ્સ મોકલી શકીએ છીએ, પરંતુ એવું બિલકુલ નથી. હકીકતમાં ગૂગલે જીમેલથી ઈ-મેઈલ કરવા માટે એક મર્યાદા નક્કી કરી છે અને જો કોઈ વ્યક્તિ તે મર્યાદાને વટાવે છે તો તેના Gmail એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે. તમે તમારા Gmailથી એક દિવસમાં 500થી વધુ ઈ-મેઈલ મોકલી શકતા નથી.
વારંવાર ખોટા ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરશો નહીં
જો તમે ઇનએક્ટિવ મેલ એડ્રેસ પર ઘણા મેલ મોકલો છો, તો પણ Google તમારા એકાઉન્ટને ‘રેડ ફ્લેગ’ એટલે કે નોટિસ આપી શકે છે. આમ કરવાથી, Google નું અલ્ગોરિધમ તમને સ્પામર ગણશે અને તમારા Gmail એકાઉન્ટને ડિસેબલ અથવા થોડા સમય માટે પ્રતિબંધિત કરશે. નોંધવા જેવી બાબત એ છે કે જો તમે કોઈપણ નોન-એક્ટિવ અથવા ખોટા ઈ-મેલ એડ્રેસ પર કોઈપણ મેલ મોકલો છો, તો તમારા દ્વારા મોકલાયેલ ઈ-મેલ પરત કરવામાં આવે છે. તેથી ધ્યાનમાં રાખો કે ઇનએક્ટિવ મેલ એડ્રેસ પર વારંવાર મેલ કરશો નહીં.
જો તમને મોટી માત્રામાં બાઉન્સ ઈ-મેલ મળે છે, તો ગૂગલ તમને સ્પામર માને છે. આવી સ્થિતિમાં ઈ-મેલ મોકલતા પહેલા તમારે બધા ઈ-મેલ એડ્રેસ બરાબર ચેક કરી લેવા જોઈએ અને સ્પેલિંગ વગેરેની તપાસ કરવી જોઈએ, જેથી ઈ-મેઈલ મોકલ્યા પછી પરત ન આવે.
ઈ-મેલ દ્વારા ગેરકાયદેસર માહિતી મોકલવી
જો તમે કોઈને લિંક, વિડિયો, ફોટો અથવા ડોક્યુમેન્ટ મોકલો છો જે ગેરકાયદેસર છે અથવા Gmail ની નીતિ વિરુદ્ધ છે, તો પણ તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે. તેથી, શસ્ત્રોનું વેચાણ, ડ્રગની દાણચોરી, કૉપિરાઇટેડ મ્યુઝિક વીડિયો અને મૂવી માહિતી વગેરે જેવી ગેરકાયદેસર વસ્તુઓની ઈ-મેલ દ્વારા માહિતી ક્યારેય મોકલવી જોઈએ નહીં. જો તમે આમ કરો છો, તો Google તમને ‘You have reached a limit for sending mail’ એવી error બતાવશે. ગૂગલનો દાવો છે કે તે કોઈપણ યુઝરનો ઈ-મેલ વાંચતો નથી, પરંતુ કંપની દ્વારા વિકસિત AI ડિટેક્શન ફીચર ઈ-મેલ દ્વારા મોકલવામાં આવેલ શંકાસ્પદ કોન્ટેન્ટની ઓળખ કરે છે.
You may like
-
ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર
-
રાહુને શાંત કરવાના આ છે પ્રેક્ટિકલ ઉપાયો!
-
ફોન નંબર કે મેઈલ વગર પણ રીસેટ કરી શકો છો જીમેઈલ પાસવર્ડ: આ રહી આખી રીત
-
એક ઉમર પછી પણ યંગ દેખાવું છે? તો અપનાવો આ ટિપ્સ
-
દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો
-
લોકડાઉનમાં ઘરગથ્થુ ઉપચારના ઉપયોગથી નિખારો તમારી ત્વચા, ત્વચાની કાળાશ દૂર કરવાના સરળ ઉપાય
ટેકનોલોજી
વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો
Published
3 months agoon
July 25, 2022
વ્હોટ્સએપ માટે કંપની નવાં-નવાં ફીચર્સ લાવતી રહે છે. આ વખતે વ્હોટ્સએપ એક નવાં ફીચર પર કામ કરી રહી છે, જે તમારાં ડિસેબલ મેસેજ પણ દેખાડશે. આ પહેલાં યૂઝર્સ 24 કલાક, 7 દિવસ અને 90 દિવસ સુધીની સમયમર્યાદામાં મેસેજ ડિલીટ કરી શકતા હતાં, પરંતુ આ ફીચર બાદ મેસેજ ડિલીટ નહીં થાય.
જ્યારે તમે ચેટમાં ડિસઅપિરિંગ મેસેજની સેવા ઓન કરો છો ત્યારે પસંદ કરેલી સમય મર્યાદા પછી તમામ ટેક્સ્ટ, ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ ડિલીટ થઈ જાય છે. ‘કેપ્ટ મેસેજ’ ફિચર આ સેવામાં હવે થોડો બદલાવ લાવ્યા છે. ચેટ્સમાં અમુક એવી વસ્તુઓ હોય છે, કે જે ખૂબ જ મહત્વની હોચ છે અને તેને સાચવીને રાખવી પડે છે. તે કોઈ ચોક્કસ ડોક્યુમેન્ટ, ટેક્સ્ટ અથવા કોઈ પ્રકારનું માધ્યમ પણ હોઈ શકે છે. જો તમે ‘કેપ્ટ મેસેજ’માં કોઈ મેસેજ રાખશો તો તે મેસેજ આર્કાઇવમાં અથવા તો બુકમાર્કની જેમ ટ્રાન્સફર થઈ જશે પરંતુ, તે ગાયબ થનારી ચેટમાંથી ડિલીટ નહિ થાય.
WABetaInfoના રિપોર્ટ મુજબ વ્હોટ્સએપ ડિસઅપિરિંગ મેસેજના કેપ્ટ મેસેજ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી ડિસઅપિરિંગ થયા બાદ પણ મેસેજ જોવાનો ઓપ્શન જોવા મળશે. કંપની આ નવું ફીચર એન્ડ્રોઇડ, iOS સાથે વ્હોટ્સએપ ડેસ્કટોપ વર્ઝન માટે પણ લોન્ચ થશે. આ ફીચરનાં અપડેટ બાદ યૂઝર ડિસઅપિરિંગ મોડ દરમિયાન આવેલો મેસેજ ડિલીટ કર્યા બાદ પણ જોઈ શકાશે. વ્હોટ્સએપનું ‘કેપ્ટ મેસેજ’ ફીચર હાલમાં તેના ડેવલપમેન્ટ મોડમાં છે, તેથી તેમાં હજુ પણ વધુ ફેરફાર જોવા મળી શકે છે.
વ્હોટ્સએપ તેનાં બીટા વર્ઝન પર વધુ એક નવું ‘અનરીડ ફિલ્ટર’નું ટેસ્ટિંગ કરતું જોવા મળ્યું છે. ‘કેપ્ટ મેસેજ’ ફીચરની જેમ તે અત્યારે ડેવલોપમેન્ટ સ્ટેજ પર નથી, તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ સુવિધા તમને કીવર્ડ્સ શોધતી વખતે વાંચેલા સંદેશને ન વાંચેલા સંદેશથી અલગ કરવાની મંજૂરી આપે છે. આનાથી યૂઝર્સને તે મેસેજ જોવાનું વધુ સરળ થઈ જશે, જે તે વાંચવાનું ચૂકી ગયા છે અને એવી અમુક નોટિફિકેશન્સ કે જે તે જોઈ શક્યા નથી.
ગેજેટ
સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ
Published
3 months agoon
July 19, 2022
ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. કોઈના કોઈ કામ માટે તો બહાર નીકળવું જ પડે છે. એવામાં રેઈનકોટની જરૂર પડે છે. ઘરની બહાર નીકળીને થોડે દૂર પહોંચતા જ જો વરસાદ શરૂ થઈ જાય તો સમસ્યા ઊભી થાય છે. એવામાં અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat રેઈનકોટ આવ્યો છે, જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જશે. આવો જાણીએ આ રેઈનકોટ વિશે.
Smart Rain Coat For Monsoon Season
આ Smart Rain Coat સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આગળની તરફ ઑટો ઝિપ આપવામાં આવી છે, જેવો વરસાદ પડે કે તરત જ પોતાની જાતે જ ખુલી જાય છે. પરંતુ આ માટે તમારે મોબાઈલ ફોન પરથી કમાન્ડ આપવી પડશે. એપ પર કમાન્ડ આપતાની સાથે જ રેઈનકોટ તમારા શરીરમાં ફીટ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છેકે આને ભારતમાં નહીં પરંતુ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની બજારમાં આ રેઈનકોટ ખૂબ વેંચાઈ રહ્યો છે.
કેવી રીતે કામ કરે છે Smart Rain Coat?
ચીનમાં આ Smart Rain Coatને Robotics કહેવામાં આવે છે. આને તમારે શરીર પર ફીટ કરવાનું રહેશે. જેવો વરસાદ આવે કે તરત જ તમારા શરીર પર આગળના ભાગથી ફીટ થઈ જાય છે. ચીનમાં આ પ્રોડક્ટ ઑનલાઈન અવેલેબલ છે. માત્ર પુરુષ જ નહીં આ Smart Rain Coatને બાળકો અને મહિલાઓ માટે પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો માટે આ રેઈનકોટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.
Smart Rain Coat Price In India
કિંમતની વાત કરીએ તો સ્માર્ટ રેઈનકોટની કિંમત ઘણી ઓછી છે. આની કિંમત ટી-શર્ટ કરતા પણ ઓછી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આને ખરીદી શકે છે. ભારતીય રૂપિયામાં આ રેઈનકોટની કિંમત 400-1000 રૂપિયાની વચ્ચે છે. ચીની માર્કેટથી પણ આને ખરીદી શકાય છે.
ગેજેટ
વરસાદમાં સ્માર્ટફોન પલળી ગયો છે? તો ચિંતા છોડો આવીરીતે રાખો સુરક્ષિત
Published
3 months agoon
July 18, 2022
જો તમે ચોમાસાની ઋતુમાં બહાર જતા હોવ તો ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. હકીકતમાં ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને જો કાળજી લેવામાં નહીં આવે તો તમારા સ્માર્ટફોનના સેન્સિટિવ ભાગોમાં પાણી ક્યારે પ્રવેશી જશે તેની તમને ખબર પણ નહીં પડે.
જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે જેનાથી વરસાદના સંપર્કમાં આવવાના કારણે તમારા સ્માર્ટફોનમાં પાણી જતુ રહ્યું છે. તો આજે અમે તમને એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે મિનિટોમાં સ્માર્ટફોનમાંથી વરસાદી પાણીને બહાર કાઢી શકો છો અને તે પણ કોઈ રિપેર શોપ પર ગયા વગર.
આ પદ્ધતિઓ છે ખૂબ અસરકારક
જો સ્માર્ટફોનમાં થોડું પાણી ગયું હોય. તો તમે તેને થોડા સમય માટે એર કંડિશનર રૂમમાં મુકી શકો છો. AC રૂમનો ભેજ ખેંચે છે અને જે પાણી સ્માર્ટફોનમાં ગયું છે તે થોડી મિનિટોમાં બહાર નીકળી જાય છે.
ચોખાનો ઉપયોગ
કદાચ તમારામાંથી કેટલાક ચોખાના ઉપયોગ વિશે જાણતા જ હશે. જ્યારે સ્માર્ટફોનમાં પાણી જતું રહે છે ત્યારે તમારે તમારા સ્માર્ટફોનને ચોખાથી ભરેલી બરણીમાં લગભગ એક દિવસ સુધી રાખવો પડશે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો. આ ટ્રીકથી સ્માર્ટફોનમાં ગયેલું પાણી ઉડી જશે.
આ એપનો કરો ઉપયોગ
જો તમારા સ્માર્ટફોનની અંદર પાણી જતું રહ્યું છે તો તમારે પ્લે સ્ટોર પરથી બ્લોઅર એપ ડાઉનલોડ કરવી પડશે. હકીકતમાં આ એપનો ઉપયોગ કરવાથી સ્માર્ટફોનમાંથી જોરથી અવાજ આવે છે અને સ્પીકરમાં ગયેલું પાણી આપોઆપ બહાર આવી જાય છે.
મોટાભાગના લોકો આ પદ્ધતિ વિશે જાણતા નથી. જો તમે આ પદ્ધતિ વિશે વધુ જાણતા નથી, તો તમે સ્માર્ટફોનમાં પાણી ભરાવવાના કિસ્સામાં આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો અને તમારા સ્માર્ટફોનને પાણીના નુકસાનથી બચાવી શકો છો જેથી તમને લાંબા સમય સુધી નુકસાન ન થાય.
તમારા સ્માર્ટફોનને આ રીતે વરસાદથી સુરક્ષિત રાખો
- તમે ઝિપ લોક કવરનો ઉપયોગ કરીને સ્માર્ટફોનને પાણીથી બચાવી શકો છો.
- સ્માર્ટફોનપર ખાસ લેમિનેશન દ્વારા તેને વોટરપ્રૂફ પણ રાખી શકાય છે.
- આજકાલ બજારમાં ગ્લાસ કવર પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે, જે સ્માર્ટફોનને વરસાદના પાણીથી બચાવે છે.
- સિલિકોન કવર સ્માર્ટફોનના સંવેદનશીલ ભાગોને પાણીથી બચાવવામાં અસરકારક છે અને તે ખૂબ જ સસ્તા પણ છે.
- આજકાલ માર્કેટમાં વોટરપ્રૂફ બેગ્સ પણ ઉપલબ્ધ છે જે આઉટિંગ દરમિયાન સ્માર્ટફોનને પાણીથી સુરક્ષિત રાખે છે.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.

મધુબાલાની સુંદરતા એવી હતી કે તેમની સામે આજની અભિનેત્રીઓ નિષ્ફળ ગઈ, આ ફોટાઓ છે સાબિતી.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન