Connect with us

કોરોના

કોરોનાને લઈને આજે પીએમ મોદી આ આઠ રાજ્યના સીએમ સાથે કરશે ની મહત્વની બેઠક

Published

on

કોરોના વાયરસ કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે દેશમાં અનેક ઉપાયો કરવા છતાં પણ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું નથી.અને તેનાથી બધા પરેશાન થઇ ગયા છે.ત્યારે આ બધાની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી સૌથી વધારે પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરશે.

આ સમયે આ બેઠકમાં કોરોનાને કાબૂમાં લેવા માટેની સંભાવનાઓની ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ બેઠકમાં આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, તમિલનાડુના CM હાજર રહેશે.

મળતી માહિતી અનુસાર કોરોના પ્રભાવિત આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજર રહેશે.ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 1 વાગે બેઠકમાં હાજર થશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી કોરોનાની સ્થિતિની જાણકારી લેશે.


આપને જણાવી દઇએ કે પીએમ મોદી કોરોના વાયરસની સ્થિતિને લઈને 8 સૌથી વધારે પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. તેમાં અનેક રાજ્યોના કામને પણ પીએમ મોદીએ વખાણ્યા છે.

આ વખતે પીએમ મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં કોરોનાની સંખ્યા 22 લાખને પાર થઈ છે. છેલ્લા 24 કલાકના આંક પર નજર કરીએ તો કોરોનાના 53600 નવા કેસ આવ્યા છે. જ્યારે 871 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


ત્યારે આપણે સૌવ જાણીએ છે કે આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ આ 8 રાજ્યો એવા છે જ્યાં કોરોના મહામારીથી 2000થી વધારે લોકોના મોત થયા છે. અરુણાચલ, મિઝોરમ, સિક્કિમ એવા રાજ્યો છે જ્યાં 5 લોકોના જીવ ગયા છે. અરુણાચલમાં 3, સિક્કિમમાં 1નું મોત થયું છે. મિઝોરમમાં આ બિમારીથી કોઈનું મોત થયુ નથી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

કોરોના

મહિલા ખાઈ રહી છે ફાયરબોલ્સ: આઈપીએસ બોલ્યા કોરોનાથી બચવાનો છેલ્લો ઉપાય

Published

on

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તેણે પ્લેટમાં કંઈક એવું રાખ્યું છે, જે અગ્નિના ગોળા જેવું લાગે છે. વિડિઓમાં, તમે જોશો કે સ્ત્રી ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાઈ રહી છે.

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દરેક જગ્યાએ લોકો કોરોના સામે સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓને ન તો બેડ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓક્સિજનને લઇને સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા લોકો ઘરે રહીને પોતાને ઇલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે લોકો કોરોનાનાં લક્ષણો બતાવી રહ્યાં છે તે તરત જ ઘરેલું ઉપચાર શરૂ કરી રહ્યા છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તે ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાય છે. આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘સ્ટીમ લીધા પછી, મીઠાના પાણીથી કોગળા કર્યા પછી, હળદરનું દૂધ પીધા પછી, રોજ ગરમ પાણી પીધા પછી, આ છેલ્લો ઉપાય બાકી છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે.’. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે તમે લોકોએ આ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ફક્ત વેક્સિન લો.

Continue Reading

કોરોના

સીઆઈએસસીઈ બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી

Published

on

કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.

ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.

સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending