હેલ્થ
કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ઉપયોગી ગ્લોવ્સ પહેરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન
Published
2 years agoon

કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે જે રીતે માસ્ક જરૂરી છે એ જ રીતે ગ્લોવ્સ પણ જરૂરી છે. ગ્લોવ્સ હાથોને અને વાયરસ હોય એ સપાટીને સ્પર્શ કરતા રક્ષણ આપે છે. વળી આ હાથને કેમિકલ, બેક્ટેરિયા, ફુગ અને વાયરસ વગેરેથી બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. નાઇટ્રાઇલ ગ્લોવ્સનો ઉપયોગ મુખ્યત્વે મિકેનિક, ટેકનિશિયન, ટેટૂ બનાવતા લોકો વધારે કરે છે.
કારણ કે આ તેલ, ગ્રીસ, કેમિકલ વગેરેથી બચાવવાની સાથે અન્ય સૂક્ષ્મ જીવોથી થતી બિમારીઓ સામે રક્ષણ કરે છે. આ ગ્લોવ્સ covid-19 જેવા રોગચાળા સામે રક્ષણ કરવામાં અસરકારક બની શકે છે. સાથે સાથે જો બજાર કે કોઈ દુકાનમાંથી સામાન ખરીદો તો એનો ઉપયોગ કરી શકો છો. આ ડિસ્પોઝેબલ છે અને એક વાર ઉપયોગ કર્યા પછી ડિસ્પોઝેબલ બેગમાં મૂકી દો, જેથી સંપર્કમમાં કોઈ અન્ય વ્યક્તિ ન આવી શકે. ગ્લોવ્સનો ઉપયોગ કરતા આટલી બાબતો ધ્યાનમાં રાખો.
સફાઈ સમયે ગ્લોવ્સ પહેરો
જ્યારે ઘરની સાફસફાઈની વાત આવે છે, ત્યારે ગ્લોવ્સ અને હવાના ઉચિત અવરજવર માટે બે મહત્ત્વપૂર્ણ તત્ત્વો સામેલ છે. જો ઘરમાં કોઈ covid-19થી બિમાર છે, ત્યારે ઘરની સફાઈ અને કીટાણુનાશકનો ઉપયોગ કરવા માટે વિશેષ ગ્લોવ્સ તૈયાર કરવા જરૂરી છે.
ગ્લોવ્સ પહેરતા અગાઉ અને પછી હાથ ધુઓ
ગ્લોવ્સ પહેરતા અગાઉ અને પછી હાથ ધોવા જોઈએ. આ માટે ઓછામાં 20 સેકન્ડ સુધી સાબુ કે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર સાથે પોતાના હાથ ધુઓ.
બિમાર વ્યક્તિની સારસંભાળમાં ગ્લોવ્સનો ઉપયોગ કરો
કોવિડ-19 દ્વારા સંક્રમિત વ્યક્તિના ગંદા કપડા ધોતા સમયે ગ્લોવ્સ પહેરવા જરૂરી છે. પોતાના ગ્લોવ્સ પછી ફેંકી દો અને પોતાના હાથને સારી રીતે ધુઓ.
ગ્લોવ્સને કાઢવામાં ઉતાવળ ન કરો
ગ્લોવ્સ ઉચિત રીતે ઉતારો. ઉતાવળ ન કરો. આ માટે આંગળીઓને બીજા ગ્લોવ્સમાં નાંખો અને એને ધીમે ધીમે પોતાનો હાથ સરકાવીને ઉતારો. ગ્લોવ્સને સાવધાનીપૂર્વક ઉતારવા જરૂરી છે.
ગ્લોવ્સ ધારણ કરતા ચહેરાનો સ્પર્શ ન કરો
સપાટી પરના વાયરસ હાથને બદલે ગ્લોવ્સને ચિપકી જાય એવું બની શકે છે. એટલે ગ્લોવ્સ ધારણ કર્યા હોય ત્યારે તમારા ચહેરાનો સ્પર્શ ન કરો.
You may like
-
પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ
-
ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર
-
હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ
-
ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે
-
તમારા કામનું! સવારે ઊઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી ફાયદા કે નુકસાન જાણવું જરૂરી
-
શું નાની ઉમરમાં જ હાથ પગના દુખાવો થવા લાગ્યો છે? તો આજે જ ડાયટમાં આ ફૂડને કરો સામેલ

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.
લવિંગનુ સેવન કરવાના ફાયદા
- દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
- જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
- લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.
અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.
લસણ
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.
હેલ્થ
હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ
Published
3 weeks agoon
July 20, 2022
કેટલાક લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગના જોખમને ટાળવા માટે લોહીને પાતળું કરવા દવાઓ લે છે. આ દવાઓને બ્લડ થિનર્સ કહેવામાં આવે છે. તેઓ લોહીના ગંઠાવા દેતા નથી. લોહી જાડુ થવાથી માથાનો દુખાવો, ખંજવાળ આવવી, બીપી, આર્થરાઇટિસ અને ચક્કર આવવા જેવી સમસ્યા સર્જાય છે. તેમજ પિરિયડ્સ સમયે બ્લડની સમસ્યા પણ સર્જાય છે. ત્યારે જો તમે દવા વગર જ લોહી પાતળુ કરવા માંગતા હોવ તો આજે તમને જણાવી દઇએથોડી જ ટિપ્સ
વિટામિન E થી ભરપૂર ખોરાક લો
જાણી લો કે વિટામિન E લોહીના ગંઠાઈ જવાથી બચાવે છે. એવું સૂચન કરવામાં આવે છે કે જે લોકો લોહીને પાતળા કરવા જેવી દવાઓ લે છે તેઓએ વિટામિન ઇ સપ્લીમેન્ટ્સ ટાળવા જોઈએ. વિટામીન E કુદરતી લોહીને પાતળું કરવાનું કામ કરે છે. વિટામિન્સ મેળવવા માટે, તમે પાલક અને બદામ જેવી વસ્તુઓ ખાઈ શકો છો.
હળદર
ખોરાકમાં વપરાતી હળદર એ કુદરતી રીતે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે લોહીને પાતળું કરે છે અને લોહીના ગંઠાવવા દેતુ નથી. રાંધતી વખતે તેમાં હળદર ઉમેરીને તેનું સેવન કરી શકો છો.
લસણ
લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે લસણ ખાય છે પરંતુ, શું તમે જાણો છો કે લસણ એક કુદરતી એન્ટિબાયોટિક છે. લસણમાં એન્ટિથ્રોમ્બોટિક એજન્ટ હોય છે જે લોહીને પાતળું કરે છે અને લોહીના ગંઠાવાનું અટકાવે છે.
લાલ મરચું
લાલ મરચું ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે. લાલ મરચામાં સેલિસીલેટ્સ પણ જોવા મળે છે. લાલ મરચું તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં પણ મદદ કરે છે.
આદુ
નોંધપાત્ર રીતે, આદુ એ એન્ટી ઇન્ફ્લેમેટરી મસાલો છે. આદુમાં એસ્પિરિન સેલિસીલેટના કૃત્રિમ ગુણો હોય છે, જે શક્તિશાળી રક્ત બ્લડ થિનરનું કામ કરે છે .
લોકો આદુને ચા અને ભોજનમાં ઉમેરીને લઈ શકે છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ