ગુજરાત
સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી! અમદાવાદે હજુ રાહ જોવી પડશે
Published
2 months agoon

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.જો કે અમદાવાદ શહેરમાં આગામી 4 દિવસ દરમિયાન હજુ સારા વરસાદની શક્યતાઓ જણાતી નથી. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 209 મિમી. બનાસકાંઠાના દિયોદરમાં 190 મિમી અને નવસારીના ખેરગામમાં 144 મિમી વરસાદ થતાં લોકોએ રાહત અનુભવી છે. તે ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 57 તાલુકાઓમાં વરસાદ થયો છે. વાંસદા, તલાલા અને ગણદેવીમાં સૌથી વધુ વરસાદ આજે સવારે થયો છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ, રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અને સોમવારે નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છ, જ્યારે મંગળવારના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.
રાજ્યમાં એક તરફ અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ માટે તરસી રહ્યા છે. આ બંને ઝોનમાં સિઝનનો માત્ર 4 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસા, લખપત અને રાપર તાલુકામાં એક ટીપું વરસાદ પડ્યો નથી.
You may like
-
જો વરસદમાં કાર બંધ થઈ જાય તો આ ભૂલ ન કરતાં નહિતર આવશે લાખોનો ખર્ચ
-
અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી
-
ચોમાસાની ઋતુમાં રાખો વાળની સંભાળ, જાણો વાળને સ્વસ્થ રાખવાની ટિપ્સ
-
વાળ અને સ્કિનના પ્રોબ્લેમથી દુર રાખશે આ ટીપ્સ!
-
જાણો વરસાદમાં ગરમ-ગરમ મકાઇ ખાવાના ફાયદા
-
વરસાદી માહોલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સર્જાયા મનમોહક દ્રશ્યો! જુઓ તસવીરોમાં
ગુજરાત
અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી
Published
1 month agoon
July 11, 2022
ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. બીજી બાજુ અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાત કરીએ શહેરના હેલમેટ સર્કલ વિસ્તારની તો અહીંયા પણ પાણીમાં AMTSની બસ ગરકાવ થયેલી જોવા મળી રહી છે. હેલમેટ સર્કલની આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે.
અમદાવાદનો પોશ વિસ્તાર એવો સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બોપલ અને ઘુમાને જોડતા માર્ગ પર પણ પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી અમદાવાદમાં જ્યાં જોવો ત્યાં માત્રને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. ઠેર-ઠેર ઝાડ પડવાની અને રોડ પર ભુવા પડવાની ઘટના બની રહી છે. આમ, એકવાર ફરી વરસાદ આગળ AMCનો પ્રિ-મોનસૂન પ્લાન એકદમ ફલોપ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં ગઇકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદે અમદાવાદને બાનમાં લીધુ હોય તેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. અમદાવાદના હેલ્મેટ સર્કલ, આયોજનનગર, સિંધુભવન રોડ અને બોપલ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદથી અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઠેર-ઠેર અવ્યવસ્થા સર્જાઇ છે. હેલ્મેટ સર્કલ પર AMTSની બસ ફસાઇ હતી તો જીવરાજપાર્ક વિસ્તારની આયોજનનગર સોસાયટીમાં તો પાણી ફરી વળ્યા હતા.
અમદાવાદના ભારે વરસાદે તારાજી સર્જતા શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે સરસપુર બેટમાં ફેરવાઇ ગયો છે. વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતું. આથી તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. દર ચોમાસામાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે.
શહેરનો આંબાવાડી વિસ્તાર પણ બેટમાં ફેરવાયો છે. શહેરના હીરાબાગ ક્રોસિંગ નજીકના ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નિકોલ, નરોડા સહિતના પૂર્વ વિસ્તારો પણ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ગુજરાત
વરસાદી માહોલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સર્જાયા મનમોહક દ્રશ્યો! જુઓ તસવીરોમાં
Published
1 month agoon
July 8, 2022
નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કેવડિયા અને સાગબારા ડેડિયાપાડા પંથકમાં વરસાદ નોંધાયો છે. ગત રાતથી જિલ્લાના ડેડિયાપાડા સાગબારા અને કેવડિયામાં ધીમી ધારે વરસાદ સતત પડ્યો છે, જેનાથી ખેડૂતોને ખેતીમાં ફાયદો થયો છે અને ચારેકોર જિલ્લામાં ઠંડક પ્રસરી છે.
કેવડિયા વિસ્તારમાં આજે સવારે 6 વાગ્યા સુધી બેઠ્ઠો વરસાદ વરસતાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પડેલા વરસાદને લીધે પ્રકૃતિ સોળા કળાએ ખીલી ઊઠી છે, જેના લીધે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે મિની કાશ્મીર જેવાં આહલાદક દૃશ્યો સર્જાયાં છે.
કેવડિયા પંથકમાં સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 8 હજાર 558 ક્યુસેક પાણી આવક થઇ રહી છે. હાલ નર્મદા ડેમ 114.38 મીટર પર પહોંચી છે. ધીમે ધીમે સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
સરદાર સરોવરના CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે અને વીજ ઉપ્તાદન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે અને સરદાર સરોવર છલોછલ ભરાશે એવી શક્યતાઓ નર્મદા નિગમના આધિકારીઓ રાખીને બેઠા છે. હાલ પાણીની આવક થતાં સૌરાષ્ટ્ર કચ્છ સુધી પાણી પહોંચાડવા નર્મદાની મુખ્ય કેનાલમાં 8409 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગુજરાત
પાવાગઢ મંદિર પર ધજા ફરકાવી વડાપ્રધાને રચ્યો ઇતિહાસ! ભાવુક થતા આંખોમાં આવ્યા આંસુ
Published
2 months agoon
June 18, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં આક્રમણખોરોએ મહાકાળી માતાના મંદિરના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને PM મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.
આ પ્રસંગે પાવાગઢમાં સંબોધન દરમિયાન PM મોદીએ ભાવુક થઈને કહ્યું, હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું ઉર્જા અને સમર્પણ સાથે દેશના લોકોની સેવા કરતો રહું. તેમણે જણાવ્યું હતું કે, મારુ જે પણ સાર્મથ્ય છે મારા જીવનમાં જે કોઈ પણ પુણ્ય છે. તે દેશની માતાઓ અને બહેનાના કલ્યાણ માટે દેશ માટે સમર્પિત કરું છું. ગરવી ગુજરાતની ધરતીથી મા કાલીની ચરણોથી હું દેશની આઝાદીનો અમૃત મહોત્સવનો સ્મરણ કરું છું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે જેટલું યોગદાન દેશની આઝાદીની લડાઈ માટે આપ્યું છે. તેટલું જ દેશના વિકાસ માટે આપ્યું છે. ગરવી ગુજરાત ભારતના શાન અને ગૌરવની ઓળખ છે. ગુજરાતે ભારતના વ્યાપારનું પણ નેતૃત્વ કર્યું છે.અને ભારતની આદ્યાયતમિકતાને પણ સંરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ