ધર્મદર્શન
કોરોનાનાં કારણે 284 વર્ષમાં પહેલી વખત બદલાઇ શકે છે જગન્નાથ પુરીની રથયાત્રા
Published
2 years agoon
વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર કોરોના સંકટ તોળાતું નજરે ચડે છે. સમાચાર મળી રહ્યા છે કે આ વખતની પવિત્ર પુરીની રથયાત્રાની તારીખ સ્થગિત કરી દેવામાં આવશે અથવા તો બહુ ઓછા લોકોની સાથે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રાનું ખુબજ મહત્વ રહેલુ છે દૂર દુરથી શ્રદ્ધાળુઓ નાથની નગરચર્યા જોવા રથયાત્રામાં જોડાતા હોય છે.
284 વર્ષમાં પહેલી વખત એવું થશે કે જગન્નાથપુરી રથયાત્રાની તિથિ આગળ વધારવામાં આવશે અથવા તો બીજો વિકલ્પ હાથ ધરાશે. મંદિરના રેકોર્ડ અનુસાર સર્વપ્રથમ 2504માં મંદિર પરિસર 144 વર્ષ સુધી બંધ રહ્યા હતા. સાથે સાથે પૂજા પાઠથી જોડાયેલી પરંપરાઓ પણ બંધ થઈ હતી. આદ્ય શંકરાચાર્યજીએ આ પરંપરાઓને ફરીથી શરૂ કરી હતી.
કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના અવતાર જગન્નાથજીની રથયાત્રાના પુણ્યથી સો યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાના રથોનું નિર્માણ શરૂ થાય છે.
રથયાત્રા એક એવું પર્વ છે જેમાં ભગવાન જગન્નાથ સામેથી ચાલીને ભક્તોના ખબર અંતર લે છે. દુખ સુખમાં ભાગીદાર થાય છે. આ યાત્રાનું મહત્વ શાસ્ત્રો અને પુરાણોમાં દર્શાવવામાં આવ્યુ છે. સ્કંદ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે જે પણ રથયાત્રામાં જોડાશે તે જીવન મરણના ચક્કરમાંથી મુક્તિ પામે છે.
જગન્નાથ પુરી સિવાય ગુજરાતના અમદાવાદની રથયાત્રા પણ એટલી જ પ્રસિદ્ધ છે. આસામ, જમ્મૂ, દિલ્હી, આંધ્રપ્રદેશ, અમૃતસર, ભોપાલ,બનારસ અને લખનઉમાં પણ આ રથયાત્રા નિકળે છે. બાંગ્લાદેશ, સેન ફ્રાન્સીસ્કો અને લંડન જેવા દેશોમાં પણ રથયાત્રા નિકળે છે. હવે જોવાનું એ છે કે આ વખતની રથયાત્રાને લઈને શું નિર્ણય લેવામાં આવશે.
You may like
-
સૂતી વખતે વળે છે પરસેવો? તો થઈ જાવ સાવધાન આ વાઇરસના છે લક્ષણો
-
પ્લેનમાં મુસાફરી કરતા પહેલા જાણીલેજો આ નવી એડવાઈઝરી! જો નિયમનહિ પાળો તો “નો ફ્લાઈ ઝોનની યાદી”માં સામેલ થઇ જશો
-
કોરનાએ ફરી રાજ્યમાં આજે સદી ફટકારી! અમદાવાદમાં જ ૫૦થી વધુ કેસ
-
કોરોના પહોચ્યો મન્નતમાં! કિંગખાન શાહરૂખ કોરોના સંક્રમિત
-
બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
ધર્મદર્શન
આ મહિને આ રાશિના જાતકોની વધશે મુશ્કેલી, આ ઉપાય કરો અને બચો ખરાબ સમયથી.
Published
2 weeks agoon
October 2, 2022By
Gujju Media
આપણે બધા આપણી નિયમિત ઇન્કમમાંથી આપણાં ભવિષ્ય માટે કેટલીક બચત કરતાં હોઈએ છે. ભવિષ્ય કેવું હશે એ લગભગ કોઈ કહી શકતું નથી. પણ તેમ છતાં પણ આજે ઘણા લોકો પોતાના ભવિષ્યમાં શું થવાનું છે એ જાણવા માટે પ્રયત્ન કરતાં હોય છે.
ભવિષ્ય વિષેની સાચી જાણકારી આપણને જ્યોતિષ શાસ્ત્ર પાસેથી મળી શકે છે અને એ પણ જાણી શકાય છે કે એટલું જ નહીં જ્યોતિષ પાસેથી જાણી શકાય છે કે તમે કેવીરીતે આવનાર પરિસ્થિતિનો સામનો કરી શકશો. તમારી રાશિ પરથી જાણી શકાય છે કે આવનાર સમય તમારી માટે સારો રહેશે કે ખરાબ.
તમને જણાવી દઈએ કે આ નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને અમુક રાશિના જાતકોને ખરાબ સંકેત મળી રહ્યા છે આ લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે. આ રાશિના જાતકોએ કેટલાક સરળ ઉપાયથી આ મુશ્કેલીથી બચી શકશો.
મિથુન : આ રાશિના જાતકો માટે આ સમય થોડો નકારાત્મક રહેશે. આ મહિને તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આ સાથે પૈસા સંબંધિત પણ કોઈ મુશ્કેલી થઈ શકે છે. કોઈપણ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે થોડું વિચારી લેવું જોઈએ. કોઈપણ ફાલતુ ખર્ચ સમજી વિચારીને કરવો.
ઉપાય : હનુમાનજીને સિંદુર અર્પણ કરો અને તેમનો સંપૂર્ણ શણગાર કરો. હનુમાનજીને બેસનમાંથી બનેલ મીઠાઇ ધરાવો અને દાન કરો. આ સાથે તમે મંગળવારના દિવસે વાંદરાઓને પલાળેલા ચણા ખવડાવો.
સિંહ : આ રાશિના જાતકો માટે આ મહિનો કેટલીક મુશ્કેલીઓથી ભરેલ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. ડૉક્ટરની સલાહ લઈને જ કોઈ મહત્વનો નિર્ણય કરવો.
ઉપાય : દુર્ગા બિસા યંત્ર, માણેક રતન અથવા ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરો અને સંપૂર્ણ બાધા મુક્તિ યંત્ર કે લોકેટ પહેરો. શનિવારના દિવસે સરસવના તેલનું દાન કરવું.
કન્યા : કન્યા રાશિના જાતકો માટે આ મહિનો કેટલીક આર્થિક મુશ્કેલીઓથી ભરેલ રહેશે. આ મહિને તમારી આવક ઓછી અને ખર્ચ વધી શકે છે. આ મહિનો નોકરી કે ઘરમાં સ્થાન પરિવર્તન પણ કરવું પડશે.
ઉપાય : 1 કિલો બ્લેક રાઈને બુધવારના દિવસે પાણીમાં પ્રવાહિત કરી દો. હળદરનો ચાંદલો કપાળ પર અને ગળા પર કરો. ગુરુવારના દિવસે પીળા ચંદનનો ચાંદલો કરો અને વિષ્ણુ ભગવાનની પૂજા કરો.
તુલા : આ રાશિના જાતકો માટે આ મહિને સ્વાસ્થ્યની મુશ્કેલી થઈ શકે છે. આ સાથે કોઈ એવી સમસ્યાનો સામનો કરવો પડશે જેના લીધે તમારા રોજિંદા જીવનમાં તણાવ આવી શકે છે.
ઉપાય : શનિવારના દિવસે સરસવ તેલનું દાન કરો. ગરીબોને જરૂરતનો સામાન દાન કરો. નિયમિત માતા લક્ષ્મી સામે દેશી ઘીનો દીવો કરવો. આઆમ કરવાથી કોઈપણ સમસ્યાથી મુક્તિ મળે છે.
ધર્મદર્શન
ભગવાન શિવને જ શું કામ કરાય છે જળાભિષેક? આ રહ્યું કારણ
Published
3 months agoon
July 25, 2022
ભગવાન શિવ ભક્તોની ઉપાસનાથી પ્રસન્ન થઇને તેમની દરેક કામના પૂર્ણ થવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભક્તો શિવ ઉપાસનાની સાથે-સાથે મંદિરોમાં જઇને શિવજી પર જળાભિષેક પણ કરે છે. કહેવામાં આવેે છે કે તેનાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થઇને ભક્તોના બધા કષ્ટ હરી લે છે. ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. બધા દેવોમાં માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે. જેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે.
ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ લગ્ન બાદ જ્યારે પહેલી વખત સાસરે ગયા તો તે શ્રાવણ માસ હતો. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતીનુ મિલન થયુ હતુ. એટલું જ નહીં, શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી લોક પર રહે છે. આ બધા કારણોને લીધે શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે.
જ્યોત્રિલિંગોને શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વૈજ્ઞાનિક સ્ત્રોત પરથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ રેડિએશન જ્યોતિર્લિગ પર હોય છે. આ જ્યોતિર્લિગ એક ન્યુક્લિઅર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરપૂર હોય છે. આ ભયંકર ઉર્જાને શાંત કરવા માટે શિવલિંગ પર જળ અર્પિત કરવામાં આવે છે એટલેકે જળાભિષેક કરવામાં આવે છે.
ધર્મદર્શન
રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેને આ ઉપાય કરવો જોઈએ! સબંધમાં આવશે મીઠાશ
Published
3 months agoon
July 23, 2022
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટ 2022ના રોજ આવી રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખાસ દિવસ છે. જેની બંને આખું વર્ષ રાહ જોતા હોય છે.
રાખડી આ સમયે જ બાંધવી
આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સ્વસ્થ જીવનની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રાખડી હંમેશા ભદ્રા અને રાહુના સમયે જ બાંધવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં રક્ષાબંધનના દિવસે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
રક્ષાબંધન પર ભાઈ-બહેન કરો આ ઉપાય
- રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત, સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો ભાઈ આ બંડલને તિજોરી કે પૈસા સંબંધિત જગ્યાએ રાખે તો પૈસા આવે છે.
- રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા આવે છે અને મનભેદ દૂર થાય છે.
- રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે તમે ચંદ્રદેવની પૂજા કરો. તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે. બીજી તરફ, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.
- ભાઈને નજરદોષથી બચાવવા માટે રક્ષાબંધન પર બહેને ભાઈ પાસેથી માથા ઉપર 7 વાર ફટકડી ઉતારી અને તેને આગમાં બાળી દેવી અથવા તેને ચોકડી પર ફેંકી દેવી.
- રક્ષાબંધનના શુભ દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ઉપાય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને ભાઈ-બહેન દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્ત રહે છે.

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન