ટેલીબઝ
સલમાન ખાનની જગ્યાએ કરણ જોહર કરશે બિગબોસ હોસ્ટ?
Published
4 seconds agoon
By
Gujju Media
રિયાલિટી શો ‘બિગબોસ 16’માં હમણાં ખૂબ ડ્રામા ચાલી રહ્યો છે. આ શોમાં એક તરફ જયા સાજિદ ખાનને લઈને પહેલા જ લાઇમલાઇટમાં છે તો હવે સુંબુલ ,ટીના અને શાલીન પણ આ રમતને રસપ્રદ બનાવવા માટે ઘણી વાર એકબીજા સાથે લડતા દેખાઈ રહ્યા છે. ત્યારે આવામાં આ શો સાથે જોડાયેલ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો. સમાચારનું માનીએ તો હવે સલમાન ખાનની જગ્યાએ આ શો કરણ જોહર હોસ્ટ કરશે.
આ જાણીને તમને ખરેખર ઝટકો લાગ્યો હશે. જો તમે પણ આ વાંચીને ચોંકી ગયા છો તો બહુ હેરાન થવાની જરૂર નથી. આવું એટલા માટે છે કે કરણ જોહર એ બિગબોસની કહી સિઝન જ નહીં પણ ફક્ત એક એપિસોડ હોસ્ટ કરવાના છે. આ એપિસોડ આ વખતે ફ્રાયડે સ્પેશિયલ હશે. જેમાં સલમાન ખાનની જગ્યાએ કરણ જોહર ઘરના સ્પર્ધકોનો ક્લાસ લગાવશે.
તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી થયું કે કરણ જોહર બિગબોસની કોઈ સિઝનના એપિસોડને હોસ્ટ કરવા આવ્યા હોય. આની પહેલા પણ કરણ જોહર બિગ બોસ ઓટીટીને હોસ્ટ કરી ચૂક્યા છે. એટલે કે આ વખતે શુક્રવારનો એપિસોડ હોસ્ટ કરશે. તો સલમાન ખાન શનિવારએ વિકેન્ડ કા વાર એપિસોડ હોસ્ટ કરશે. પણ એટલું જોવાનું ખાસ રહેશે કે કરણ જોહર પોતાની રીતે ઘરના સભ્યોનો ક્લાસ લગાવશે.
આ અઠવાડિયે ઘરમાંથી બહાર નીકળવા માટે ત્રણ સ્પર્ધક નોમિનેટ થયા છે આમાં માન્યા સિંહ, સુંબુલ અને શાલીનનું નામ શામેલ છે. તમને જણાવી દઈએ કે બિગબોસમાં હમણાં સ્પર્ધકો વચ્ચે ખૂબ રસાકસી ચાલી રહી છે. શોનો એક પ્રોમો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સાજિદ ખાન સુંબુલને કહી રહ્યા છે કે – તું નક્કી કરી લે કે 18 વર્ષની બાળકી છે કે પછી 18 વર્ષની એડલ્ટ.
You may like
ટેલીબઝ
અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.
Published
3 days agoon
October 18, 2022By
Gujju Media
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાની સુપરહિટ સિરિયલ અનુપમામાં દિવાળી પહેલા જ ધમાકા થવાની શરૂઆત થઈ ગઈ છે. અનુપમાએ પાંખી અને અધિકને રંગેહાથ પકડી લીધા છે. પાંખી અને અધિકને આમ સાથે જોઈને અનુપમા ચોંકી જાય છે. એવામાં અનુપમા પોતાની દીકરીના પ્રેમની દુશ્મન બની જશે. મુદ્દે આ અઠવાડિયે શાહ હાઉસમાં ખૂબ ધડાકા થવાના છે. ચાલો તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે અનુપમા સિરિયલમાં શું તોફાન આવશે.
વાત એમ છે કે પાંખી અને અધિકને સાથે જોઈને અનુપમા ગુસ્સે થઈ જશે. પછી પાંખી તેને કહેશે કે તે હવે મોટી થઈ ગઈ છે તે કશું પણ કરી શકે છે. આ વાત સાંભળીને અનુપમા કહેશે કે કરિયર ને પૈસાની બાબતમાં પાંખી મોટી નથી થઈ પણ પ્રેમની બાબતમાં તે પોતાના નિર્ણય જાતે લેવા માંગે છે. અનુપમા પાંખીને ઘણું બધુ સંભળાવશે.
બા પાંખીને સમજાવવા પ્રયત્ન કરશે પણ તેની સામે પાંખી બાની બેઈજ્જતી કરવાનું શરૂ કરશે. એવામાં બા પાંખીને બદ્દચણન ગણવશે. બાની આવી કડવી વાતો સાંભળીને પણ પાંખીમાં કોઈ ફરક પડતો નથી.
અનુપમા આટલું બધુ વઢશે એ પછી પણ પાંખીમાં કોઈપણ ફરક પડશે નહીં. અનુપમાની સામે જ પાંખી અધિકનો હાથ પકડી લેશે. એ પછી તે નિર્ણય જણાવે છે કે તે અધિક સાથે જ લગ્ન કરશે અને તેનો આ નિર્ણય કોઈ બદલી શકશે નહીં. આ સાંભળીને અધિક પણ પયાખીનો સાથ આપે છે.
પાંખીને લીધે બરખાને પણ બોલવાનો ચાન્સ મળશે. આ દરમિયાન બરખા વનરાજ અને અનુપમાની લવ લાઈફની ખૂબ બેઈજ્જતી કરશે. એટલું જ નહીં બરખા દાવો કરે છે કે તે અનુપમાને સબક શીખવાડીને જ રહેશે. આ વાત સાંભળીને અનુજ પણ ખૂબ ગુસ્સે થઈ જશે આએ પછી અનુજ બરખાને અને અધિકને ઘરની બહાર કાઢી મૂકશે.
આ પછી બા જ્યારે શાહ હાઉસ પહોંચે છે તો તેનો ગુસ્સો જોવા મળે છે. તે વનરાજ અને બાપુજીને પાંખીની હરકતો વિષે જણાવે છે. બધી વાત સાંભળીને વનરાજનો પારો ચઢી જાય છે. આ પછી વનરાજ પાંખીને સબક શીખવાડવા માટેનો નિર્ણય લે છે.
એન્ટરટેઈન્મેન્ટ
ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.
Published
5 days agoon
October 16, 2022By
Gujju Media
મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશાલી એ અભિનેતા સુશાંત રાજપૂતના નજીકના મિત્રોમાંથી એક છે.
જાણકારી પ્રમાણે વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. વૈશાલી સસુરાલ સિમર કા, આશિકી, લાલ ઈશ્ક, સુપર સિસ્ટર અને વિષ ઓર અમૃત માં પણ કામ કર્યું હતું. યે રિશ્તા સિરિયલમાં તેણે અજંલિનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીને નેગેટિવ પાત્ર માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ મળ્યો હતો.
ટીવી સિવાય વૈશાલીએ કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. કહેવાય છે કે તેનો પરિવાર ઉજ્જૈન પાસે મહિદપૂરના રહેવાસી છે. પણ વૈશાલી ઈન્દોર જ ભણી ગણી છે. તેને પહેલાથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો.
વૈશાલી ઇન્સટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી તેની છેલ્લી બંને પોસ્ટ કે જે મસ્તી માટે એક શોર્ટ વિડીયો હતો તેમાં પણ તે મસ્તીના મૂડમાં મરી જવાની વાત કરી રહી છે અને બીજા એક વિડીયોમાં તેણે કોઈ પંખાનો વિડીયો શેર કર્યો હતો. જો કે તે બંને વિડીયો મસ્તી માટે જ હતા. પણ તે વિડીયો હમણાં 5 અને 6 દિવસ પહેલાના જ છે. હવે જોવું એ રહેશે કે આ 5 દિવસમાં એવું તો શું થયું કે તેણે આવું પગલું ભર્યું?
ટીવી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ બે વર્ષ પહેલા ઈન્દોરના હીરાનગરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને લીધે 25 માર્ચથી ઈન્દોર આવી ગઈ હતી. આ દરમિયાન તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
પોલીસએ પ્રેક્ષાના રૂમમાંથી નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, ‘મારા તૂટેલા સપનાએ મારા કોનફિડેન્સને તોડી દીધો હતી. હું મારા સપના સાથે જીવી નથી શકતી. આ નેગેટિવિટી સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે મે બહુ ટ્રાય કર્યું પણ હવે હું થાકી ગઈ છું.’ આ સાથે જ પ્રેક્ષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલી વાર એક msg પોસ્ટ કર્યો હતો, પોસ્ટમાં લખ્યું હતું, ‘સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું.’
એન્ટરટેઈન્મેન્ટ
બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ.
Published
1 week agoon
October 14, 2022By
Gujju Media
તહેવાર કોઈપણ હોય સામાન્ય વ્યક્તિની સાથે હવે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ તહેવારો ખૂબ ધામ ધૂમથી ઊજવતાં હોય છે. દિવાળી હોય કે ગણપતિ, ઈદ હોય કે પછી હોળી. અમુક કલાકાર એવા છે જેવો દરેક તહેવારને ખૂબ ઉત્સાહ સાથે ઊજવતાં હોય છે. ગઇકાલે પૂરી થયેલ કરવા ચોથ એ બૉલીવુડની પત્નીઓએ બહુ સારી રીતે ઉજવી હતી.
આજે અમે તમને આ અભિનેત્રીઓ વિષે જ જણાવી રહ્યા છે. ઘણી અભિનેત્રીઓ હતી જેમણે ખૂબ સારી રીતે આ દિવસ ઉજવ્યો તો ઘણી એવી પણ અભિનેત્રીઓ હતી જેમણે વ્રત નહોતું રાખ્યું પણ સેલિબ્રેટ જરૂર કર્યું છે. ઘણી અભિનેત્રીઓ છે જેમણે આ વર્ષે પહેલીવાર આ વ્રત કર્યું છે તેમાં કેટરીના કૈફ, મૌની રૉય, આલિયા ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
કેટરીના કૈફએ આ દિવસે ખાસ ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. રેડ સાડી સાથે તેણે ફ્લોરલ બ્લાઉઝ મેચ કર્યું હતું. આ સાથે તેણે લગ્નમાં જે મંગલસૂત્ર પહેરેલું એ પણ પહેર્યું હતું અને લાલ બંગડી, મહેંદી અને પાથીમાં સિંદુર પહેરેલી તે ખૂબ સુંદર દેખાઈ રહી હટી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. તો વિકીએ પણ તે ફોટો પોતાની ઇન્સટા સ્ટોરીમાં શેર કર્યા હતા. કેટરીના અને વિક્કી ખૂબ સુંદર લાગી રહ્યા છે.
આ સિવાય બૉલીવુડની બ્યુટીઝ માટે અનિલ કપૂરના ઘરે કરવા ચૌથની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, નીલમ અનિલ કપૂરની પત્ની સુનિતા બધા સાથે મળ્યા હતા આ સાથે બૉલીવુડના વરુણ ધવન અને તેમની પત્ની નતાશા પણ ત્યાં આવ્યા હતા. શિલ્પાએ એક સુંદર વિડીયો પણ આ પૂજાનો શેર કર્યો હતો જેમાં બધી મહિલાઓ ગીત સાથે પૂજા કરતી દેખાઈ રહી છે.
શિલ્પાએ બીજો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પતિ રાજ કુંદ્રા સાથે પૂજા કરી રહી છે. આ ફોટો અનિલ કપૂરએ પડ્યો હતો એવો ખુલાસો શિલ્પાએ તેની પોસ્ટના કેપ્શનમાં કર્યો હતો.
લગ્ન પછી આલિયા ભટ્ટ પોતાનું પહેલું કરવા ચૌથ સેલિબ્રેટ કરી રહી છે, જો કે આલિયાએ આ વર્ષે વ્રત કર્યું છે કે નહીં એ વાતની કોઈ માહિતી મળી નથી. તે પ્રેગ્નેન્ટ છે અને હવે જલ્દી જ આલિયા અને રણબીરના જીવનમાં તેમના પહેલા બાળકનું આગમન થવાનું છે. આ દિવસે આલિયાએ એક પોસ્ટ શેર કરીને બધાને શુભેચ્છાઓ આપી છે તો સામે નીતુ કપૂરએ પણ વહુ આલિયાને અને દીકરી રિધ્ધિમાને કરવા ચૌથની શુભેચ્છાઓ આપી છે.
ઇંડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર ધનશ્રી વર્માએ કરવા ચૌથનું આ સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું હતું. યુઝવેન્દ્ર એ ટીમ ઈન્ડિયા સાથે બહાર છે ત્યારે આ કપલએ વિડીયો કોલ પર આ દિવસ ઉજવ્યો હતો. તેનો વિડીયો પણ આ કપલએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
મૌની રૉયએ કરવા ચૌથ નિમિત્તે સૌથી પહેલા મહેંદીના ફોટો શેર કર્યા હતા અને આ પછી તેણે આ દિવસની ખાસ ઉજવણી કરવાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે મૌનીએ મહેંદીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘પહેલું હમેશા ખાસ હોય છે… હેપ્પી કરવા ચૌથ બ્યુટીઝ’
તમને આ બધા ફોટોમાંથી કોનો ફોટો વધારે પસંદ આવ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. આવી જ અવનવી માહિતી માટે ફોલો કરો અમારી પ્રોફાઇલ.

સલમાન ખાનની જગ્યાએ કરણ જોહર કરશે બિગબોસ હોસ્ટ?

બૉલીવુડની દિવાળી પાર્ટીમાં છવાઈ ગયા વિક્કી કૌશલ અને કેટરીના કૈફ.

મુકેશ અંબાણીએ દુબઈમાં સૌથી મોંઘો વિલા ખરીદ્યો, કિમત જાણી આંખો થશે ચાર.

જો તક મળશે તો હું ફરી ખાન પરિવારની વહુ બનીશ, મલાઈકાએ છૂટા છેડા લીધા પછી પણ સાસરિયાંના વખાણ કર્યા.

કરીના કપૂર અને અમિષા પટેલની 22 વર્ષ જૂની દુશ્મની, હવે એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો કહાની વિશે.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ