જાણવા જેવું
હિંદુ પરંપરામાં જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક: શા માટે એક જ કુટુંબમાં લગ્ન નથી કરતા?
Published
4 years agoon
By
Gujju Media
આજે અમે આ લેખ એટલા માટે લઈને આવ્યા છીએ કે, ડિસ્કવરી ચેનલમાં એક દિવસ જેનેટિક બીમારીઓ સંબંધિત એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં યુએસના એકજાણીતા વૈજ્ઞાનિક હતા. તેમને જણાવ્યું હતું કે જેનેટિક બીમારીઓ ન થાય તેનો માત્ર એક જ ઈલાજ છે, અને તે છે
‘સેપરેસન ઓફ જીંસ’ (જીંસનું વિભાજન) :
‘સેપરેસન ઓફ જીંસ’ વિશે લાગભગ બધાને ખબર હશે અને નથી તો સરળ ભાષામાં જોઈએ તો ‘સેપરેસન ઓફ જીંસ’ એટલે કે પોતાના નજીકના સગાં સાથે લગ્ન ન જોઈએ, કારણ કે નજીકના સગાંઓમા જીંસનું વિભાજન થઇ શકતું નથી અને જીંસ લીકેજ રોગો જેમકે હિમોફેલીયા, કલર બ્લાઈન્ડનેસ, અને એલ્બોનિજ્મ થવાની ૧૦૦ ટકા સંભાવના રહેલી છે. તો પણ ખુશીની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હિન્દુધર્મમાં હજારો વર્ષ પહેલા જીંસ અને ડીએનએ વિશે લખવામાં આવ્યું છે. અને એ પણ કે કેવી રીતે તેના વિષે વધુ માહિતી આપી હતી.
હિન્દુત્વમાં ગોત્ર હોય છે અને એક ગોત્રના લોકો એક જ ગોત્રમાં લગ્ન નથી કરતા કેમ કે જીંસ વિભાજીત રહે. અને આ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આજે પુરા વિશ્વમાં માનવું પડેશે કે “હિન્દુધર્મ” જ માત્ર એક એવો ધર્મ છે જે વીજ્ઞાન પર આધારિત છે. અને આ આપડા માટે ગર્વની બાબત છે.
આ છે હિંદુ પરંપરા સાથે જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક :
૧. કાન વિન્ધાવવાની પરંપરા : –
ભારતમાં લગભગ તમામ ધર્મોમાં કાન વિન્ધાવવાની પરંપરા છે.
વૈજ્ઞાનિક તર્ક: દર્શનશાસ્ત્રીઓનું માનવું છે કે આનાથી વિચારવાની શક્તિ વધે છે. જયારે ડોકટરો માને છે કે આનાથી અવાજ સારો થાય છે તેમજ કાનમાંથી પસાર થતી નસનું રક્ત પરિભ્રમણ નિયંત્રણમા રહે છે.
૨. કપાળ પર કુમકુમ-તિલક : –
સ્ત્રીઓ અને પુરુષો કપાળ પર કુમકુમ અથવા ચાંદલો લગાવે છે.
વૈજ્ઞાનિક તર્ક: આપડે ત્યાં ધાર્મિક પ્રસંગો, તહેવારોમાં કે રોજબરોજ કપાળ પર ચાંદલો કરવામાં આવે છે. પણ શું તમને ખબર છે આંખોની વચ્ચે થઈને માથા સુધી એક નસ જાય છે અને જયારે કુમકુમ અથવા ચાંદલો લાગવવામાં આવે છે ત્યારે આ જગ્યા પર ઉર્જા બની રહે છે. માથા અને કપાળ પર જયારે આ ચાંદલો કે કુમકુમ લગાવવામાં આવે છે ત્યારે અંગુઠા અથવા આંગળીનું પ્રેસર પડે છે. અને આના લીધે ત્વચાને રક્ત સપ્લાય કરવવા વાળી માંસપેસી એક્ટીવ થઇ જાય છે.
3. જમીન પર બેસીને ભોજન કરવું :-
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જામીન પર ભોજન કરવું એ સારી વાત છે.
વૈજ્ઞાનિક તર્ક: પલાટી વાળીને બેસવું એ એક પ્રકારનું આસન છે. આ પોજીસનમા બેસતા સમયે મગજ શાંત રહે છે અને ભોજન કરતી વખતે મગજ શાંત હોય તો પાચન ક્રિયા સારી રહે છે. આ પોજીસનમા બેસતાની સાથે જ મગજમાંથી એક સિગ્નલ પેટ સુધી જાય છે કે તે ભોજન આરોગવા માટે તૈયાર છે.
૪. હાથ જોડીને નમસ્કાર કરવું :-
જયારે કોઈને મળીએ છે ત્યારે, હાથ જોડીને નમસ્કાર અથવા નમસ્તે કરીએ છીએ
વૈજ્ઞાનિક તર્ક: દરેક આંગળીઓની ઉપરનો ભાગ એક બીજાના સંપર્કમા આવે છે અને તેના પર દબાણ પડે છે. એક્યુપ્રેસરના કારણે તેની સીધી અસર આપણી આંખ, કાન અને મગજ પર થાય છે કેમકે સામે વાળી વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. બીજો તર્ક એ પણ છે કે હાથ મીલાવવાની જગ્યાએ તમે નમસ્કાર કરો છો તો સામે વાળાના શરીરના કીટાણુઓ આપણા સુધી પહોચતા નથી. અને જો સામે વાળી વ્યક્તિને સ્વાઇનફ્લુ છે તો તે વાઈરસ આપણા સુધી પહોચતો નથી.
૫. ભોજનની શરૂઆતમાં તીખુ અને છેલ્લે ગળ્યું ખાવું :-
જ્યારે પણ કોઈ ધાર્મિક અથવા પારિવારિક કાર્યક્રમ હોય ત્યારે જમવાની શરૂઆત તીખાથી શરૂ થાય છે અને અંતે ગળ્યું ખાવાથી.
વૈજ્ઞાનિક તર્ક: તીખું ખાવાથી આપણા પેટની અંદર પાચન તંત્ર અને અમ્લ સક્રિય થઈ જાય છે. આનથી પાચનતંત્ર સારી રીતે સંચાલિત થાય છે. અને અંતે ગળ્યું ખાવાથી અમ્લ એટલે કે એસિડીટી ઘટાડે છે. અને પેટમાં બળતરા થતી નથી.
૬. પીપળાની પૂજા કરવી :-
ઘણા લોકો માને છે કે પીપળાની પૂજા કરવાથી ભૂત-પ્રેત દૂર ભાગે છે.
વૈજ્ઞાનિક તર્ક: પીપળાના જાડની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આ વૃક્ષ તરફ લોકોનો આદર વધે અને તેઓ તેને કાપે નહિ. પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે રાત્રિના સમયે પણ ઓક્સિજન બહાર કાઢે છે.
7. દક્ષિણ તરફ માથું ફેરવીને સુઈ જવું :-
દક્ષિણ દિશા તરફ કોઈ પગ કરીને કોઈ સુવે છે ત્યારે લોકો કહે છે કે ખરાબ સ્વપ્નો આવશે, ભૂત-પ્રેતનો પડછયો આવશે, પૂર્વજોનું સ્થાન છે વગેરે-વગેરે. એટલે, ઉત્તર દિશા બાજુ પગ કરીને સુવું જોઈએ.
વૈજ્ઞાનિક તર્ક: જ્યારે આપણે , ઉત્તર દિશા બાજુ માથું કરીને ઊંઘી જઈએ છીએ ત્યારે શરીર પૃથ્વીની ચુંબકીય તરંગોમાં સીધી આવી જાય છે. શરીરની અંદર રહેલા આયરન મગજની બાજુ સંચારિત થવા લાગે છે. આનાથી અલજાયમાર, પરકીસન, અથવા મગજ સંબધિત બીમારી થવાની સંભાવના વધી જાય છે.
૮. સૂર્ય નમસ્કાર :-
હિન્દુધર્મમાં સવારે ઉઠીને સુર્યને જળ ચડાવીને નમસ્કાર કરવાની પરમંપરા છે.
વૈજ્ઞાનિક તર્ક: હિન્દુધર્મમાં સવારે સૂર્યદેવને જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે. પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાણીની વચ્ચેથી આવવાળી સૂર્યની કિરણો જયારે આંખો સૂધી પહોચે છે ત્યારે આપણી આંખોનું તેજ વધે છે.
9. માથા પર ચોટલી રાખવી :-
હિન્દુધર્મ માં ઋષિમુનિઓ માથા પર ચોટલી રાખતા હતા અને આજે પણ રાખે છે.
વૈજ્ઞાનિક તર્ક: જે જગ્યા પર ચોટલી રાખવામાં આવે છે, એ જગ્યા પર મગજની દરેક નસ મળે છે. આનાથી મગજ સ્થિર રહે છે અને મનુષ્યને ગુસ્સો આવતો નથી તેમજ વિચારવાની ક્ષમતા વધે છે.
૧0. વ્રત રાખવું :-
કોઈ પણ પૂજાપાઠ, તહેવાર હોય ત્યારે વ્રત રાખવામાં આવે છે.
વૈજ્ઞાનિક તર્ક: આયુર્વેદ પ્રમાણે વ્રત કરવાથી પાચન ક્રિયા સારી રહે છે અને ફળો ખાવાથી શરીરમાં ડીટૉક્સીફિકેશન થાય છે. અને તેમાંથી ખરાબ ત્તવો બહાર નીકળી જાય છે. શંશોધન કરતા ના પ્રમાણે વ્રત કરવાથી કેન્સર નું જોખમ ઓછું રહે છે. હૃદય સંબંધી રોગો, મધુમેહ જેવા રોગ પણ જલ્દી થતા નથી.
૧૧. વડીલોને પગે લાગવું :-
હિન્દૂ માન્યતા પ્રમાણે જયારે પણ વડીલો મળે ત્યારે પગે લાગવું એ આપણે બાળકોને શીખવાડીએ છીએ, કેમકે તે વડીલોનું સમ્માન કરતા શીખે.
વૈજ્ઞાનિક તર્ક: જયારે કોઈને પગે લગાવામાં આવે છે ત્યારે મગજ માંથી એક ઉર્જા નીકળતી હોય છે. અને આ ઉર્જા હાથ અને સામે વાળના પગથી લઈને એકચક્ર પૂરું કરે છે. આને કોસમીક એનર્જી નો પ્રવાહ કહે છે. આમાં બે પ્રકારની ઉર્જાનો પ્રવાહ હોય છે. જેમકે વડીલોના પગથી નાનાઓ ના હાથ સુધી અથવા નાનાઓ ના હાથથી વડીલોના પગ સુધી.
૧૨. કેમ લગાવવામાં આવે છે સિંદૂર? :-
લગ્ન કરેલી મહિલાઓ લગાવે છે સિંદૂર.
વૈજ્ઞાનિક તર્ક: સિંદુરમાં હળદર, ચૂનો અને મરકરી હોય છે. આ મિશ્રણ શરીરના રક્તચાપને નિયંત્રણમાં રાખે છે તેમજ આનાથી સ્ટ્રેસ ઓછું થાય છે.
૧3. તુલસીના છોડની પૂજા :-
તુલસીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે આવે છે તેમજ શુખ શાંતિ રહે છે.
વૈજ્ઞાનિક તર્ક: તુલસી ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરે છે. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેના પાનનો ઉપયોગ કરીને બીમારીઓને દૂર કરી શકાય છે.
You may like
જાણવા જેવું
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
Published
2 weeks agoon
October 6, 2022By
Gujju Media
નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.
જાણવા જેવું
લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.
Published
3 weeks agoon
October 1, 2022By
Gujju Media
આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.
એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.
સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.
આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.
ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.
હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.
જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.
જાણવા જેવું
આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત
Published
3 months agoon
July 29, 2022
આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.

કરીના કપૂર અને અમિષા પટેલની 22 વર્ષ જૂની દુશ્મની, હવે એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો કહાની વિશે.

પિતાએ 2 વર્ષના બાળકને રમવા માટે મોબાઈલ આપ્યો, બાળકે 2 લાખનો ઓર્ડર આપ્યો, સામાન ઘરે પહોંચ્યો

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ