જાણવા જેવું
હિંદુ પરંપરામાં જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક: શા માટે એક જ કુટુંબમાં લગ્ન નથી કરતા?
Published
4 years agoon
By
Gujju Media
આજે અમે આ લેખ એટલા માટે લઈને આવ્યા છીએ કે, ડિસ્કવરી ચેનલમાં એક દિવસ જેનેટિક બીમારીઓ સંબંધિત એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં યુએસના એકજાણીતા વૈજ્ઞાનિક હતા. તેમને જણાવ્યું હતું કે જેનેટિક બીમારીઓ ન થાય તેનો માત્ર એક જ ઈલાજ છે, અને તે છે
‘સેપરેસન ઓફ જીંસ’ (જીંસનું વિભાજન) :
‘સેપરેસન ઓફ જીંસ’ વિશે લાગભગ બધાને ખબર હશે અને નથી તો સરળ ભાષામાં જોઈએ તો ‘સેપરેસન ઓફ જીંસ’ એટલે કે પોતાના નજીકના સગાં સાથે લગ્ન ન જોઈએ, કારણ કે નજીકના સગાંઓમા જીંસનું વિભાજન થઇ શકતું નથી અને જીંસ લીકેજ રોગો જેમકે હિમોફેલીયા, કલર બ્લાઈન્ડનેસ, અને એલ્બોનિજ્મ થવાની ૧૦૦ ટકા સંભાવના રહેલી છે. તો પણ ખુશીની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હિન્દુધર્મમાં હજારો વર્ષ પહેલા જીંસ અને ડીએનએ વિશે લખવામાં આવ્યું છે. અને એ પણ કે કેવી રીતે તેના વિષે વધુ માહિતી આપી હતી.
હિન્દુત્વમાં ગોત્ર હોય છે અને એક ગોત્રના લોકો એક જ ગોત્રમાં લગ્ન નથી કરતા કેમ કે જીંસ વિભાજીત રહે. અને આ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આજે પુરા વિશ્વમાં માનવું પડેશે કે “હિન્દુધર્મ” જ માત્ર એક એવો ધર્મ છે જે વીજ્ઞાન પર આધારિત છે. અને આ આપડા માટે ગર્વની બાબત છે.
આ છે હિંદુ પરંપરા સાથે જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક :
૧. કાન વિન્ધાવવાની પરંપરા : –
ભારતમાં લગભગ તમામ ધર્મોમાં કાન વિન્ધાવવાની પરંપરા છે.
વૈજ્ઞાનિક તર્ક: દર્શનશાસ્ત્રીઓનું માનવું છે કે આનાથી વિચારવાની શક્તિ વધે છે. જયારે ડોકટરો માને છે કે આનાથી અવાજ સારો થાય છે તેમજ કાનમાંથી પસાર થતી નસનું રક્ત પરિભ્રમણ નિયંત્રણમા રહે છે.
૨. કપાળ પર કુમકુમ-તિલક : –
સ્ત્રીઓ અને પુરુષો કપાળ પર કુમકુમ અથવા ચાંદલો લગાવે છે.
વૈજ્ઞાનિક તર્ક: આપડે ત્યાં ધાર્મિક પ્રસંગો, તહેવારોમાં કે રોજબરોજ કપાળ પર ચાંદલો કરવામાં આવે છે. પણ શું તમને ખબર છે આંખોની વચ્ચે થઈને માથા સુધી એક નસ જાય છે અને જયારે કુમકુમ અથવા ચાંદલો લાગવવામાં આવે છે ત્યારે આ જગ્યા પર ઉર્જા બની રહે છે. માથા અને કપાળ પર જયારે આ ચાંદલો કે કુમકુમ લગાવવામાં આવે છે ત્યારે અંગુઠા અથવા આંગળીનું પ્રેસર પડે છે. અને આના લીધે ત્વચાને રક્ત સપ્લાય કરવવા વાળી માંસપેસી એક્ટીવ થઇ જાય છે.
3. જમીન પર બેસીને ભોજન કરવું :-
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જામીન પર ભોજન કરવું એ સારી વાત છે.
વૈજ્ઞાનિક તર્ક: પલાટી વાળીને બેસવું એ એક પ્રકારનું આસન છે. આ પોજીસનમા બેસતા સમયે મગજ શાંત રહે છે અને ભોજન કરતી વખતે મગજ શાંત હોય તો પાચન ક્રિયા સારી રહે છે. આ પોજીસનમા બેસતાની સાથે જ મગજમાંથી એક સિગ્નલ પેટ સુધી જાય છે કે તે ભોજન આરોગવા માટે તૈયાર છે.
૪. હાથ જોડીને નમસ્કાર કરવું :-
જયારે કોઈને મળીએ છે ત્યારે, હાથ જોડીને નમસ્કાર અથવા નમસ્તે કરીએ છીએ
વૈજ્ઞાનિક તર્ક: દરેક આંગળીઓની ઉપરનો ભાગ એક બીજાના સંપર્કમા આવે છે અને તેના પર દબાણ પડે છે. એક્યુપ્રેસરના કારણે તેની સીધી અસર આપણી આંખ, કાન અને મગજ પર થાય છે કેમકે સામે વાળી વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. બીજો તર્ક એ પણ છે કે હાથ મીલાવવાની જગ્યાએ તમે નમસ્કાર કરો છો તો સામે વાળાના શરીરના કીટાણુઓ આપણા સુધી પહોચતા નથી. અને જો સામે વાળી વ્યક્તિને સ્વાઇનફ્લુ છે તો તે વાઈરસ આપણા સુધી પહોચતો નથી.
૫. ભોજનની શરૂઆતમાં તીખુ અને છેલ્લે ગળ્યું ખાવું :-
જ્યારે પણ કોઈ ધાર્મિક અથવા પારિવારિક કાર્યક્રમ હોય ત્યારે જમવાની શરૂઆત તીખાથી શરૂ થાય છે અને અંતે ગળ્યું ખાવાથી.
વૈજ્ઞાનિક તર્ક: તીખું ખાવાથી આપણા પેટની અંદર પાચન તંત્ર અને અમ્લ સક્રિય થઈ જાય છે. આનથી પાચનતંત્ર સારી રીતે સંચાલિત થાય છે. અને અંતે ગળ્યું ખાવાથી અમ્લ એટલે કે એસિડીટી ઘટાડે છે. અને પેટમાં બળતરા થતી નથી.
૬. પીપળાની પૂજા કરવી :-
ઘણા લોકો માને છે કે પીપળાની પૂજા કરવાથી ભૂત-પ્રેત દૂર ભાગે છે.
વૈજ્ઞાનિક તર્ક: પીપળાના જાડની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આ વૃક્ષ તરફ લોકોનો આદર વધે અને તેઓ તેને કાપે નહિ. પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે રાત્રિના સમયે પણ ઓક્સિજન બહાર કાઢે છે.
7. દક્ષિણ તરફ માથું ફેરવીને સુઈ જવું :-
દક્ષિણ દિશા તરફ કોઈ પગ કરીને કોઈ સુવે છે ત્યારે લોકો કહે છે કે ખરાબ સ્વપ્નો આવશે, ભૂત-પ્રેતનો પડછયો આવશે, પૂર્વજોનું સ્થાન છે વગેરે-વગેરે. એટલે, ઉત્તર દિશા બાજુ પગ કરીને સુવું જોઈએ.
વૈજ્ઞાનિક તર્ક: જ્યારે આપણે , ઉત્તર દિશા બાજુ માથું કરીને ઊંઘી જઈએ છીએ ત્યારે શરીર પૃથ્વીની ચુંબકીય તરંગોમાં સીધી આવી જાય છે. શરીરની અંદર રહેલા આયરન મગજની બાજુ સંચારિત થવા લાગે છે. આનાથી અલજાયમાર, પરકીસન, અથવા મગજ સંબધિત બીમારી થવાની સંભાવના વધી જાય છે.
૮. સૂર્ય નમસ્કાર :-
હિન્દુધર્મમાં સવારે ઉઠીને સુર્યને જળ ચડાવીને નમસ્કાર કરવાની પરમંપરા છે.
વૈજ્ઞાનિક તર્ક: હિન્દુધર્મમાં સવારે સૂર્યદેવને જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે. પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાણીની વચ્ચેથી આવવાળી સૂર્યની કિરણો જયારે આંખો સૂધી પહોચે છે ત્યારે આપણી આંખોનું તેજ વધે છે.
9. માથા પર ચોટલી રાખવી :-
હિન્દુધર્મ માં ઋષિમુનિઓ માથા પર ચોટલી રાખતા હતા અને આજે પણ રાખે છે.
વૈજ્ઞાનિક તર્ક: જે જગ્યા પર ચોટલી રાખવામાં આવે છે, એ જગ્યા પર મગજની દરેક નસ મળે છે. આનાથી મગજ સ્થિર રહે છે અને મનુષ્યને ગુસ્સો આવતો નથી તેમજ વિચારવાની ક્ષમતા વધે છે.
૧0. વ્રત રાખવું :-
કોઈ પણ પૂજાપાઠ, તહેવાર હોય ત્યારે વ્રત રાખવામાં આવે છે.
વૈજ્ઞાનિક તર્ક: આયુર્વેદ પ્રમાણે વ્રત કરવાથી પાચન ક્રિયા સારી રહે છે અને ફળો ખાવાથી શરીરમાં ડીટૉક્સીફિકેશન થાય છે. અને તેમાંથી ખરાબ ત્તવો બહાર નીકળી જાય છે. શંશોધન કરતા ના પ્રમાણે વ્રત કરવાથી કેન્સર નું જોખમ ઓછું રહે છે. હૃદય સંબંધી રોગો, મધુમેહ જેવા રોગ પણ જલ્દી થતા નથી.
૧૧. વડીલોને પગે લાગવું :-
હિન્દૂ માન્યતા પ્રમાણે જયારે પણ વડીલો મળે ત્યારે પગે લાગવું એ આપણે બાળકોને શીખવાડીએ છીએ, કેમકે તે વડીલોનું સમ્માન કરતા શીખે.
વૈજ્ઞાનિક તર્ક: જયારે કોઈને પગે લગાવામાં આવે છે ત્યારે મગજ માંથી એક ઉર્જા નીકળતી હોય છે. અને આ ઉર્જા હાથ અને સામે વાળના પગથી લઈને એકચક્ર પૂરું કરે છે. આને કોસમીક એનર્જી નો પ્રવાહ કહે છે. આમાં બે પ્રકારની ઉર્જાનો પ્રવાહ હોય છે. જેમકે વડીલોના પગથી નાનાઓ ના હાથ સુધી અથવા નાનાઓ ના હાથથી વડીલોના પગ સુધી.
૧૨. કેમ લગાવવામાં આવે છે સિંદૂર? :-
લગ્ન કરેલી મહિલાઓ લગાવે છે સિંદૂર.
વૈજ્ઞાનિક તર્ક: સિંદુરમાં હળદર, ચૂનો અને મરકરી હોય છે. આ મિશ્રણ શરીરના રક્તચાપને નિયંત્રણમાં રાખે છે તેમજ આનાથી સ્ટ્રેસ ઓછું થાય છે.
૧3. તુલસીના છોડની પૂજા :-
તુલસીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે આવે છે તેમજ શુખ શાંતિ રહે છે.
વૈજ્ઞાનિક તર્ક: તુલસી ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરે છે. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેના પાનનો ઉપયોગ કરીને બીમારીઓને દૂર કરી શકાય છે.
You may like
જાણવા જેવું
આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત
Published
3 weeks agoon
July 29, 2022
આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.
જાણવા જેવું
ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ
Published
3 weeks agoon
July 25, 2022
જો તમે ક્યારેય ફ્લાઇટમાં મુસાફરી કરી હોય, તો તમે સફર દરમિયાન ચા-કોફી પીધી હશે. પરંતુ શું તમે ક્યારેય ફ્લાઇટમાં કેબિન ક્રૂ અને એર હોસ્ટેસને ફ્લાઇટ દરમિયાન ચા કે કોફી પીતા જોયા છે? કદાચ નહિ જ જોયા હોય. તમને જાણીને આશ્ચર્ય થશે કે ક્રૂ મેમ્બર્સ ક્યારેય ફ્લાઇટની અંદર ચા-કોફી પીતા નથી. આ પાછળનું કારણ જાણીને તમે પણ આગળથી ફ્લાઇટમાં ચા-કોફી મંગાવતા પહેલા અનેક વાર વિચારશો.
તમને જણાવી દઈએ કે, એક ફ્લાઈટ એર હોસ્ટેસ સિએરા મિસ્ટે આ રહસ્ય જણાવ્યું છે. સિએરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ટિકટોક એકાઉન્ટ પર તેના 31 મિલિયન ફોલોઅર્સ છે. તે ઘણીવાર ફ્લાઇટ અને તેના કામ સાથે સંબંધિત માહિતી શેર કરે છે. આ દિવસોમાં તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે ફ્લાઇટ અટેન્ડન્ટ અને પાયલટના રહસ્યો ખોલ્યા છે.
સિએરા મિસ્ટે વીડિયોમાં કહ્યું છે કે, ક્રૂ મેમ્બર્સ ફ્લાઇટમાં પાણીની ટાંકીનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેણે લખ્યું, “હું તમને ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જણાવીશ. હું શરત લગાવી શકું છું કે, તમે આ વિશે જાણતા નહીં હોય.” તેણીએ કહ્યું કે જ્યાં સુધી તે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી અમે ફ્લાઇટમાં ચા કોફી પીતા નથી, કારણ કે અમે ચા અને કોફી બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે વિમાનની ટાંકીમાંથી આવે છે.
જેને ક્યારેય સાફ કરવામાં આવતી નથી. સિએરાએ વધુમાં જણાવ્યું હતું કે, એરલાઇન્સ કંપનીઓ સમયાંતરે પાણીની તપાસ કરે છે. પરંતુ જો પાણીમાં કશું ન મળે તો ટાંકી સાફ થતી નથી. એર હોસ્ટેસે ફ્લાઇટનું બીજું રહસ્ય પણ શેર કર્યુ છે. તેમણે કહ્યું કે, એર હોસ્ટેસ હંમેશા ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન સનસ્ક્રીન લગાવે છે. સીએરાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. “અમે આવું એટલા માટે કરીએ છીએ કારણ કે અમારે દરરોજ જમીનથી 35,000 ફૂટની ઊંચાઈએ ફ્લાઇટ્સમાં મુસાફરી કરવી પડે છે. ફ્લાઇટ ઓઝોનના સ્તરની એકદમ નજીક ઊડે છે. આવી સ્થિતિમાં ઓઝોન રેડિએશનનું જોખમ ખૂબ વધી જાય છે. આરોગ્ય વીમા કંપનીઓ ક્રૂ મેમ્બર્સને અવકાશયાત્રીઓ અને રેડિયોલોજિસ્ટની શ્રેણીમાં મૂકે છે.
જાણવા જેવું
એક બસ જેમાં ગામના બાળકો કોમ્પ્યુટરનું જ્ઞાન લે છે
Published
4 weeks agoon
July 20, 2022
બાળકો દેશનું ભવિષ્ય છે, આવી સ્થિતિમાં તેમના માટે પુસ્તકીયું જ્ઞાન સાથે ટેકનિકલી નિપુણ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે વિકાસનો અસલી મંત્ર શિક્ષણમાં જ છુપાયેલો છે. આ વિચારને આત્મસાત કરીને, ગ્રામોત્થાન રિસોર્સ સેન્ટરે વર્ષ 2017માં એક અનોખી પહેલ શરૂ કરી. ઓનલાઈન શિક્ષણના આ યુગમાં ગામના બાળકો પણ હાઈટેક શિક્ષણ લઈ શકે તે માટે આ કેન્દ્ર દ્વારા મીની બસમાં કોમ્પ્યુટરના વર્ગો ચલાવવામાં આવે છે. તેમને કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવવા માટે ન તો ક્યાંય જવું પડતું નથી અને ન તો કોઈ ફી ચૂકવવાની હોય છે. દરેક ગામના બાળકોને દરરોજ બે કલાક મફત કોમ્પ્યુટરની માહિતી આપવામાં આવે છે.
ગામમાં પહોંચતી આ મિનિબસની દરેક સીટ પર લેપટોપ છે. જેના દ્વારા બાળકોને કોમ્પ્યુટરની બારીકાઈઓ શીખવવામાં આવે છે. અહીના કોમ્પ્યુટર શિક્ષકેના જણાવ્યા અનુસાર ગામની બહાર પહોંચ્યા પછી ડ્રાઈવર હોર્ન વગાડે છે, જે સાંભળીને 15 થી 18 બાળકો તરત જ આવી જાય છે. બે વિદ્યાર્થીઓ એક સીટ પર બેસે છે. કોર્સ પૂરો થયા પછી કમ્પ્યુટર એપ્લિકેશનમાં મૂળભૂત પ્રમાણપત્ર આપવામાં આવે છે. કોરોના રોગચાળાને કારણે બસ બે વર્ષથી ચલાવવામાં આવી ન હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે, તેથી તેને ફરીથી શરૂ કરવામાં આવી છે.
સંસ્થાની આ સિંગલ ડ્રાઈવ મિનિબસ દરરોજ ત્રણ ગામોમાં જાય છે. આ ગામોના બાળકોને ત્રણ મહિનાનો કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પછી આગામી ત્રણ ગામોની પસંદગી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 50થી વધુ ગામોમાં 1300 બાળકોને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી છે.
કોમ્પ્યુટર શિક્ષકના જણાવ્યા અનુસાર ધોરણ આઠથી દસમા સુધીના બાળકો કોમ્પ્યુટરની તાલીમ લેવા આવે છે. જે ગામડાઓમાં બાળકોને તાલીમ આપવામાં આવે છે ત્યાંની શાળાઓમાં કોમ્પ્યુટર શીખવવાની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં બાળકો ઈચ્છે તો પણ તેનાથી વંચિત રહ્યા. ગામમાં જ કોમ્પ્યુટરની તાલીમની જાણ થતાં જ તે ઉત્સાહિત થઈ ગયો.
જેતીખેડા ગામના વિદ્યાર્થીએ જણાવ્યું કે, મેં વિચાર્યું ન હતું કે હું ગામમાં પણ કોમ્પ્યુટરની ઝીણવટભરી બાબતો શીખી શકીશ. તેની તાલીમ લેવા માટે સીતાપુર જવું પડતું હતું અને ફી પણ ચૂકવવી પડી હતી. એક દિવસ ગ્રામ ઉત્થાન સંસાધન કેન્દ્રનું વાહન આવ્યું અને મારી સમસ્યા સરળ થઈ ગઈ. લોધૌરા, તેલિયાનિહરિહરપુર, રઘુબરપુર, ટીપોના, બેલહૈયા, ખાનહુના, બેલહારી, ફૌલાદગંજ, કડીનગર, સહવપુર, તરસાવન, લોધૌરા-II, કલ્લી, રઘુનાથપુર, રાનીપુર, કુનમાઉ, મદાર, મદ્રુવા, શિવસિંહપુર અને સતનાપુર વિસ્તારમાં એકલ મિશ્રિતે અભિયાન હેઠળ પંખીયાપુર ગામોના બાળકોએ કોમ્પ્યુટરની તાલીમ મેળવી છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ