ધર્મદર્શન
15 જૂને સૂર્યનું ગોચરણ! આ સમય દરમિયાન કોઈપણ કાર્ય કરતાં પહેલા સો વાર વિચારજો; જાણો કઇ રાશીને કેવી અસર થશે
Published
4 months agoon

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની દિશા અને રાશીની સ્થિતિ વ્યક્તિના જીવન પર ખુબ અસર કરે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે તો તેની અસર 12 રાશિઓના જીવન પર જોવા મળે છે. આ અસર સારી કે ખરાબ કંઈપણ હોઈ શકે છે. ત્યારે આગામી 15 જૂને સૂર્ય વૃષભ રસીને છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે આ રાશિ ગોચરણથી કેટલાક રાશિના લોકોને ફાયદો થશે તો કેટલીક રાશિને નુકસાન કરાવી શકે છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે કઈ રાશિ પર કેવી અસર જોવા મળશે.
મીન:
આ રાશિ પર સૂર્યનું ગોચરણ મિશ્ર અસર કરશે. જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો, તો આ દરમિયાન ખાસ ધ્યાન રાખો. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો? તો એ લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. આ રાશિના લોકોની થોડી બેદરકારી પણ મોટું નુકસાન નોટરી શકે છે.
કર્ક :
આ લોકોને આ સમય દરમિયાન તણાવનો સામનો કરવો પડી શકે છે. તો કોઈ કામમાં નિષ્ફળતા મળશે, જેના કારણે તમે પરેશાન થઈ શકો છો. આ સમય દરમિયાન ખાસ કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. વિદ્યાર્થી વર્ગએ આ સમયે વધુ મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની મહેનત જરૂરી રહેશે. આ સમયગાળા દરમિયાન વિવાહિત જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. તેથી એકબીજાને સમજવાનો પ્રયાસ કરો.
તુલા:
આ રાશિના જાતકોને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મુશ્કેલીથી ભરેલો રહેશે. પરીક્ષા માટે તમારે વધુ મહેનત પણ કરવી પડશે. અન્યથા પૈસાનું નુકસાન થઈ શકે છે. ખાસ આ સમય દરમિયાન પૂજા કરો. મન શાંત રહેશે. વેપારમાં બદલાવથી નુકસાન થઈ શકે છે.
વૃષભ:
હાલમાં સૂર્ય વૃષભમાંથી ભ્રમણ કરી મિથુન રાશિમાં જઇ રહ્યો છે. તેની અસર વૃષભ રાશિના લોકો પર પણ જોવા મળશે. તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. સંતાન પક્ષે તણાવ થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. આ સમયગાળામાં, સખત મહેનત કર્યા પછી પણ, તમને પરિણામ મળશે નહીં. પૈસાના વધુ પડતા ખર્ચને કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
મેષઃ
આ રાશિના લોકોને સૂર્યના સંક્રમણની મિશ્ર અસર જોવા મળશે. જો તમે આ સમયગાળા દરમિયાન મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો વડીલોની સલાહ ચોક્કસ લો. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. આ દરમિયાન ભાઈ-બહેન વચ્ચે વિવાદ થઈ શકે છે. ગુસ્સાને કાબૂમાં રાખો. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈને ઉધાર કે લોન ન આપો.
કર્ક :
આ લોકોને તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ કામમાં નિષ્ફળતા મળશે, જેના કારણે તમે પરેશાન અને ચિંતિત થઈ શકો છો. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વધુ મહેનતની જરૂર છે. આ સમયગાળા દરમિયાન વિવાહિત જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. તેથી એકબીજાને સમજવાનો પ્રયાસ કરો.
You may like
-
રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેને આ ઉપાય કરવો જોઈએ! સબંધમાં આવશે મીઠાશ
-
આ રત્નો ધનના મામલમાં માનવામાં આવે છે ખુબજ ભાગ્યશાળી! જાણો સમગ્ર માહિતી
-
જાણો કોણ ધારણ કરી શકે છે એક મુખી રુદ્ર! તેના અનેક ફાયદાઑ છે
-
રાહુને શાંત કરવાના આ છે પ્રેક્ટિકલ ઉપાયો!
-
આ રાશિની છોકરીઓ કરે છે પોતાના સાસરીયામાં રાજ મહારાણીનું જીવન જીવે છે
-
નંદીના શીંગડા વચ્ચેથી દર્શન કરવાનું આ છે કારણ!
ધર્મદર્શન
આ મહિને આ રાશિના જાતકોની વધશે મુશ્કેલી, આ ઉપાય કરો અને બચો ખરાબ સમયથી.
Published
2 weeks agoon
October 2, 2022By
Gujju Media
આપણે બધા આપણી નિયમિત ઇન્કમમાંથી આપણાં ભવિષ્ય માટે કેટલીક બચત કરતાં હોઈએ છે. ભવિષ્ય કેવું હશે એ લગભગ કોઈ કહી શકતું નથી. પણ તેમ છતાં પણ આજે ઘણા લોકો પોતાના ભવિષ્યમાં શું થવાનું છે એ જાણવા માટે પ્રયત્ન કરતાં હોય છે.
ભવિષ્ય વિષેની સાચી જાણકારી આપણને જ્યોતિષ શાસ્ત્ર પાસેથી મળી શકે છે અને એ પણ જાણી શકાય છે કે એટલું જ નહીં જ્યોતિષ પાસેથી જાણી શકાય છે કે તમે કેવીરીતે આવનાર પરિસ્થિતિનો સામનો કરી શકશો. તમારી રાશિ પરથી જાણી શકાય છે કે આવનાર સમય તમારી માટે સારો રહેશે કે ખરાબ.
તમને જણાવી દઈએ કે આ નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને અમુક રાશિના જાતકોને ખરાબ સંકેત મળી રહ્યા છે આ લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે. આ રાશિના જાતકોએ કેટલાક સરળ ઉપાયથી આ મુશ્કેલીથી બચી શકશો.
મિથુન : આ રાશિના જાતકો માટે આ સમય થોડો નકારાત્મક રહેશે. આ મહિને તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આ સાથે પૈસા સંબંધિત પણ કોઈ મુશ્કેલી થઈ શકે છે. કોઈપણ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે થોડું વિચારી લેવું જોઈએ. કોઈપણ ફાલતુ ખર્ચ સમજી વિચારીને કરવો.
ઉપાય : હનુમાનજીને સિંદુર અર્પણ કરો અને તેમનો સંપૂર્ણ શણગાર કરો. હનુમાનજીને બેસનમાંથી બનેલ મીઠાઇ ધરાવો અને દાન કરો. આ સાથે તમે મંગળવારના દિવસે વાંદરાઓને પલાળેલા ચણા ખવડાવો.
સિંહ : આ રાશિના જાતકો માટે આ મહિનો કેટલીક મુશ્કેલીઓથી ભરેલ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. ડૉક્ટરની સલાહ લઈને જ કોઈ મહત્વનો નિર્ણય કરવો.
ઉપાય : દુર્ગા બિસા યંત્ર, માણેક રતન અથવા ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરો અને સંપૂર્ણ બાધા મુક્તિ યંત્ર કે લોકેટ પહેરો. શનિવારના દિવસે સરસવના તેલનું દાન કરવું.
કન્યા : કન્યા રાશિના જાતકો માટે આ મહિનો કેટલીક આર્થિક મુશ્કેલીઓથી ભરેલ રહેશે. આ મહિને તમારી આવક ઓછી અને ખર્ચ વધી શકે છે. આ મહિનો નોકરી કે ઘરમાં સ્થાન પરિવર્તન પણ કરવું પડશે.
ઉપાય : 1 કિલો બ્લેક રાઈને બુધવારના દિવસે પાણીમાં પ્રવાહિત કરી દો. હળદરનો ચાંદલો કપાળ પર અને ગળા પર કરો. ગુરુવારના દિવસે પીળા ચંદનનો ચાંદલો કરો અને વિષ્ણુ ભગવાનની પૂજા કરો.
તુલા : આ રાશિના જાતકો માટે આ મહિને સ્વાસ્થ્યની મુશ્કેલી થઈ શકે છે. આ સાથે કોઈ એવી સમસ્યાનો સામનો કરવો પડશે જેના લીધે તમારા રોજિંદા જીવનમાં તણાવ આવી શકે છે.
ઉપાય : શનિવારના દિવસે સરસવ તેલનું દાન કરો. ગરીબોને જરૂરતનો સામાન દાન કરો. નિયમિત માતા લક્ષ્મી સામે દેશી ઘીનો દીવો કરવો. આઆમ કરવાથી કોઈપણ સમસ્યાથી મુક્તિ મળે છે.
ધર્મદર્શન
ભગવાન શિવને જ શું કામ કરાય છે જળાભિષેક? આ રહ્યું કારણ
Published
3 months agoon
July 25, 2022
ભગવાન શિવ ભક્તોની ઉપાસનાથી પ્રસન્ન થઇને તેમની દરેક કામના પૂર્ણ થવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભક્તો શિવ ઉપાસનાની સાથે-સાથે મંદિરોમાં જઇને શિવજી પર જળાભિષેક પણ કરે છે. કહેવામાં આવેે છે કે તેનાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થઇને ભક્તોના બધા કષ્ટ હરી લે છે. ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. બધા દેવોમાં માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે. જેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે.
ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ લગ્ન બાદ જ્યારે પહેલી વખત સાસરે ગયા તો તે શ્રાવણ માસ હતો. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતીનુ મિલન થયુ હતુ. એટલું જ નહીં, શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી લોક પર રહે છે. આ બધા કારણોને લીધે શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે.
જ્યોત્રિલિંગોને શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વૈજ્ઞાનિક સ્ત્રોત પરથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ રેડિએશન જ્યોતિર્લિગ પર હોય છે. આ જ્યોતિર્લિગ એક ન્યુક્લિઅર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરપૂર હોય છે. આ ભયંકર ઉર્જાને શાંત કરવા માટે શિવલિંગ પર જળ અર્પિત કરવામાં આવે છે એટલેકે જળાભિષેક કરવામાં આવે છે.
ધર્મદર્શન
રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેને આ ઉપાય કરવો જોઈએ! સબંધમાં આવશે મીઠાશ
Published
3 months agoon
July 23, 2022
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટ 2022ના રોજ આવી રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખાસ દિવસ છે. જેની બંને આખું વર્ષ રાહ જોતા હોય છે.
રાખડી આ સમયે જ બાંધવી
આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સ્વસ્થ જીવનની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રાખડી હંમેશા ભદ્રા અને રાહુના સમયે જ બાંધવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં રક્ષાબંધનના દિવસે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
રક્ષાબંધન પર ભાઈ-બહેન કરો આ ઉપાય
- રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત, સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો ભાઈ આ બંડલને તિજોરી કે પૈસા સંબંધિત જગ્યાએ રાખે તો પૈસા આવે છે.
- રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા આવે છે અને મનભેદ દૂર થાય છે.
- રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે તમે ચંદ્રદેવની પૂજા કરો. તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે. બીજી તરફ, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.
- ભાઈને નજરદોષથી બચાવવા માટે રક્ષાબંધન પર બહેને ભાઈ પાસેથી માથા ઉપર 7 વાર ફટકડી ઉતારી અને તેને આગમાં બાળી દેવી અથવા તેને ચોકડી પર ફેંકી દેવી.
- રક્ષાબંધનના શુભ દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ઉપાય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને ભાઈ-બહેન દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્ત રહે છે.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.

મધુબાલાની સુંદરતા એવી હતી કે તેમની સામે આજની અભિનેત્રીઓ નિષ્ફળ ગઈ, આ ફોટાઓ છે સાબિતી.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન