Connect with us

કોરોના

સુરતમાં સતત વધતા કોરોના કહેર વચ્ચે, સુરતવાસીઓએ શરૂ કર્યું સ્વૈચ્છિક લૉકડાઉન

Published

on

હીરાનગરી સુરતમાં હાલ કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ, સચિવો અને ડૉક્ટરો સુરતની મુલાકાત લઇ રહ્યા છે. હોસ્પિટલોમાં સારવાર અને ટેસ્ટને લઇને સક્રીય થયા છે. તાત્કાલિક ધોરણે સુરતમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે.

તો સરકારની સાથે વિવિધ સમાજ પણ આગળ આવ્યા છે અને કમ્યુનિટી સેન્ટર તૈયાર કરાયા છે. તેવામાં મનપાની સલાહ બાદ હવે સુરતવાસીઓ પણ પોતે સજાગ થઇને સ્વૈચ્છિક લૉકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. કેટલાક દુકાનદારો અને સોસાયટીમાં સ્વૈચ્છિક લૉકડાઉન કરવામાં આવી રહ્યું છે. તો રાંદેર ટાઉનમાં 7 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયું છે.

સુરતમાં સતત કોરોના કેર વધતા જતાં સુરતવાસીઓની ચિંતા વધી છે. ત્યારે સુરતના વેપારીઓ અને લોકો દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. રાંદેર અને અડાજણમાં ગુરૂવારે વેપારીઓએ સ્વૈચ્છાએ પોતાની દુકાનો બંધ રાખી. આની સાથે જ આગામી કેટલાક દિવસો માટે પણ આવું જ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

જેને લઇને શહેરના રિંગ રોડના પ્રાઇમ માર્કેટ સહિત તમામ માર્કેટ બંધ રહેશે. વરાછાના ચૌક્સી બજાર અને મિની બજાર પણ બંધ રહેશે. કોરોના સામે લડવા માટે વેપારીઓને આ પહેલના સમગ્ર શહેરમાં વખાણ થઇ રહ્યા છે.

સુરત મહાનગર પાલિકા કોઈપણ દુકાનદારને દુકાનો ખોલવાથી રોકવા માટે લૉકડાઉનનો કડક અમલ કરવાના આદેશ આપી રહ્યું છે. મનપાના કર્મચારીઓ દુકાને-દુકાને જઇને શહેરની સ્થિતિને લોકોને સમજાવી રહ્યા છે. લોકોને સંક્રમણથી બચાવવા અને બીજાને પણ બચાવવા માટે 8થી 10 દિવસ માટે સ્વૈચ્છિક લૉકડાઉનની અપીલ કરી રહ્યા છે.

 

મનપાની અપીલ બાદ કેટલાક લોકોએ એક અઠવાડિયા માટે દુકાનો બંધ રાખવા માટે સહમતિ દર્શાવી છે. જોકે જે લોકો દુકાનો સ્વૈચ્છાએ બંધ નહીં કરે, તેમને આદેશ આપવામાં આવ્યા છે કે દુકાનોમાં માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડક પાલન કરે. જો કોઇ ખુલ્લી દુકાનમાં નિયોમનું પાલન કરતો નહીં જણાય તો તેમના પર મોટો દંડ ફટકારવામાં આવશે અને તેની સાથે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

સુરતમાં મેડિકલ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થતાં લોકો વધુ ચિંતિત છે. લોકો સેલ્ફ લૉકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે. બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યાં છે. તો કેટલીક સોસાયટીઓમાં લોકોએ સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર કરી દીધું છે.

કોરોના

મહિલા ખાઈ રહી છે ફાયરબોલ્સ: આઈપીએસ બોલ્યા કોરોનાથી બચવાનો છેલ્લો ઉપાય

Published

on

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તેણે પ્લેટમાં કંઈક એવું રાખ્યું છે, જે અગ્નિના ગોળા જેવું લાગે છે. વિડિઓમાં, તમે જોશો કે સ્ત્રી ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાઈ રહી છે.

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દરેક જગ્યાએ લોકો કોરોના સામે સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓને ન તો બેડ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓક્સિજનને લઇને સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા લોકો ઘરે રહીને પોતાને ઇલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે લોકો કોરોનાનાં લક્ષણો બતાવી રહ્યાં છે તે તરત જ ઘરેલું ઉપચાર શરૂ કરી રહ્યા છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તે ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાય છે. આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘સ્ટીમ લીધા પછી, મીઠાના પાણીથી કોગળા કર્યા પછી, હળદરનું દૂધ પીધા પછી, રોજ ગરમ પાણી પીધા પછી, આ છેલ્લો ઉપાય બાકી છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે.’. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે તમે લોકોએ આ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ફક્ત વેક્સિન લો.

Continue Reading

કોરોના

સીઆઈએસસીઈ બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી

Published

on

કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.

ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.

સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending