એન્ટરટેઈન્મેન્ટ
ગુજરાતના પ્રખ્યાત કલાકાર ક્યાં ગામના છે અને જાણો તેમના જીવન વિશે
Published
4 years agoon
By
Gujju Media
ગુજરાતના ગણા કલાકારને આપણે જાણતા હોઈએ છીએ, પણ તમે એ જાણો છો કે આ કલાકાર કયા ગામના છે. અને શું તમને એ પણ ખબર છે કે આ કલાકારોએ અહિયાં સુધી પહોચવા માટે તેમના જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે. આ બધુજ અમે તમને આ લેખ દ્વારા જણાવીશું. તો ચાલો જાણીએ આ પ્રખ્યાત કલાકારોના જીવન વિશે.
વિક્રમ ઠાકોર: ગામ – ફતેહપુર
વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરા ગામના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. વિક્રમ ઠાકોર શરૂઆતમાં ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી “એકવાર પિયુને મળવા આવજે “ ફિલ્મ કરી જે સફળ રહી. ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.
તેમની કેટલીક સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે. આ સિવાય તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના ‘સુપર સ્ટાર’ ગણાવ્યા છે. વિક્રમ ઠાકોર હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે.
ગીતા રબારી: ગામ – તપ્પર
31-12-1996ના રોજ જન્મેલી ‘કચ્છી કોયલ’ તરીકે જાણીતી ગીતા રબારી કચ્છના તપ્પર ગામની રહેવાસી છે. પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે.
માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે જે ગીતો ગયા છે તેમાં રોણા શેરમા અને એકલો રબારી આ બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેણે એક ગરબાનો આલ્બમ કર્યો છે.
કીર્તીદાન ગઠવી: ગામ – વાલવોડા
કીર્તીદાન ગઠવી આણંદ જીલ્લાના વાલવોડા ગામના વતની છે. પરંપરાગત મધમીઠા કંઠ અને જીભ માટે વિખ્યાત ગઢવી (ચારણ) કુળમાં જન્મ. લોક માન્યતા અનુસાર કહેવાય છે કે ગઢવી (ચારણ) ની જીભે અને કંઠે વિધા અને સંગીત ના દેવી માં શારદા નો કાયમી વાસ હોય છે. કીર્તીદાન ગઠવી નો ઉછેર એક સર્વ સામાન્ય ગ્રામીણ બાળકની જેમ ગામડાંમાં જ થયો છે.
તેમણે નાનપણથી જ તે સમય ના સંગીતજ્ઞ ગાયકોના ગીતો સાંભળવાનો તેમજ ગાવાનો ખુબજ શોખ હતો. તેમણે પોતાના ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ અને ભાદરણ ની હાઇસ્કૂલમાં હાયર સેકન્ડરી સ્કૂલનું શિક્ષણ મેળવ્યું છે. તેમણે ગણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.
ગમન સંથલ: ગામ – સાંથલ
એક એવા કલાકાર જેણે પોતાના મીઠા અવાજથી પુરા ગુજરાતને ઘેલું લગાડ્યું, અને રબારી સમાજનું રતન એવા ગમન સંથલ મહેસાણા જીલ્લાના સાંથલ ગામના વતની છે. જે ગાયક, ગીતકાર, અને ભુવાજી છે. તેઓ રબારી સમાજના ખુબજ લોક પ્રિય ગાયક કલાકાર છે. તેઓ પોતાના નામની પાછળ પોતાના ગામનું નામ લખાવે છે. તેમના પત્નીનું નામ મીતલબેન છે અને તેને ૩ બાળકો છે.
કિંજલ દવે: ગામ – જેસંગપુરા
ચાર ચાર બંગડીવાળી ગાડી ‘ થી ફેમસ કિંજલ દવે મીઠા સ્વર સાથેની ગુજરાતી ગાયિકા છે. કિંજલ દવેનો જન્મ વર્ષ 1999 માં બનાસકાંઠા જીલ્લામાં થયો હતો. કિંજલના પિતા અમદાવાદમાં ડાયમંડનું કામકાજ કરે છે. તેમનું વતન પાટણ છે અને તેઓ જેસંગપુરા ગામના વતની છે પરંતુ તેઓ અમદાવાદમાં તેમના માતા-પિતા અને નાના ભાઇ સાથે રહે છે.
જ્યારે કિંજલ 7 વર્ષની હતી ત્યારથી તે સંગીતમાં રસ ધરાવતી હતી. તે વખતે તેના પિતા અને કાકાએ ગુજરાતી ગીતો લખ્યાં હતાં. સંગીતના પ્રેમી પિતા અને કાકા મનુભાઈ રબારીને તેમની સંગીત કારકિર્દી શરૂ કરવા માટે કિંજલ દવે તેણી નાની ઉંમરે તેણીના લેગગિટ આલ્બમ ‘જાનદિયો’ સાથે પ્રખ્યાત થઈ હતી. કિંજલે 100 થી વધુ આલ્બમ કર્યા છે કિંજલ વાર્ષિક 200 કરતાં વધુ કાર્યક્રમો પ્રદાન કરે છે. દેશવિદેશમાં વસતા ગુજરાતીઓમાં કિંજલ દવેની લોકપ્રિયતા છે.
કાજલ મહેરિયા: ગામ – ગોઠવા
ગુજરાતના લોક્લાડીયા કલાકાર એવા કાજલ મહેરિયાનું જન્મ સ્થળ મહેસાણા જીલ્લામાં આવેલું નુંગાર ગામ છે. તેઓ હાલ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં રહે છે. તેમને નાનપણથી જ ગાવાનો શોખ હતો. તેઓ નાનપણમાં સ્કુલના પોગ્રામમાં ગીતો ગાતા હતા. તેમણે ગણા લોકપ્રિય ગીતો ગાયા છે. આ સિવાય તેમેને હિન્દી ગીતો ગાવા ખુબજ ગમે છે.
ગુજરાતી કલાકારોમાં નરેશ કનોડિયા અને રોમાં માણેક તેમના ફેવરીટ છે. કાજલને યાદગાર બનાવનારું ગીત ”બેવફા તુને મુજકો પાગલ હી કર લિયા”આ ગીત કાજલ નું લોકોએ બહુજ વખાણ્યું હતું તેથી આખા ગુજરાત માં કાજલ ને લોકો કાજલ મહેરિયા તરીકે ઓળખવા લાગ્યા છે.
રાકેશ બારોટ: ગામ – વડવાળા
એક એવા કલાકાર જેના દરેક ગીતો ગુજરાતમાં ધૂમ મચાવતા હોય છે. તેઓ એક પ્રખ્યાત ગાયક કલાકાર અને અભિનેતા છે. તેઓ ગુજરાતના પાટણપરગણાથી વડવાળા ગામના વતની છે.
તેમના પિતાનું નામ શબુરભાઇ બારોટ છે. તેમને બાળપણથી જ ગાવાનો ખુબજ શોખ હતો. તેમના લોકપ્રિય ગીતોમાં ‘બૈરું ગયું પિયર’, ‘બોલવાના પૈસા નથી’, ‘લે કચૂકો લે’ વગેરે છે. આ સિવાય તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
વિજય સુવાળા: ગામ – સુંવાળા
ઉત્તર ગુજરાતના નાનકડા ગામ સુંવાળાના વિજય ભાઈએ પોતાના ગામને ટ્રિબ્યુટ આપતા પોતાની અટક જ સુંવાળા કરી છે. 4 જી ઈન્ટરનેટ ના જમાનામાં હર કોઈ પોતાની આગવી એક કળા ને યુટ્યુબ ની દુનિયા માં બતાવી રહ્યા છે. આપણે આજે એવાજ એક ફેમસ સિંગર વિષે વાત કરવા જઈ રહ્યા છે જેમનું નામ આજે ગુજરાત ના દરેક લોકો સારી રીતે જાણે છે. જેમનું નામ વિજય સુંવાળા છે.
જેઓ મોટી મૂછો અને મોટી દાઢી માં અને વધારેલા વાળ સાથે દર્દિલા ગીતો ની રમઝટ બોલાવે છે. તેમના લોકપ્રિય ગીતોમાં મહોબત ખપે બીજું કઈ ન ખપે, દુનિયા ડોલે છે, આજ સમય તારો કાલ મારો આવશે, જીગર જાન છે.
જીજ્ઞેશ કવિરાજ: ગામ – ખેરાલુ
જીજ્ઞેશ કવિરાજ ગુજરાતના મહેસાણા જીલ્લાના ખેરાલુ ગામના વતની છે. તેમના પિતાનું નામ હા=સમુખભાઈ બારોટ છે અને તેઓ પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. વિવિધ ગુજરાતી સંગીત આલ્બમ- ફિલ્મોમાં 200 થી વધુ ગીતો ગાઈ ગુજરાતભરમાં લોકપ્રિયતા મેળવનાર જીજ્ઞેશ કવિરાજની શૈલી અન્ય ગુજરાતી ગાયકો કરતા સહેજ અલગ છે. ઘણા લોકોનું માનવું છે કે તેઓની શૈલી હિન્દી ગાયક અલ્તાફ રાજા સાથે મળતી આવે છે.
તેઓને નાનપણથી જ ગાવાનો શોખ રહ્યો હતો અને આ કલાને પ્રોત્સાહન મળતાં તેઓ આ મુકામ સુધી પહોંચ્યા. ગુજરાતી લોકગાયક મણિરાજ બારોટને તેઓ પોતાના પ્રેરક માને છે. 2017 માં ભગવાન વાઘેલાના જાનુ મરી લાખોમા ઇકે સાથે ગાયક અને અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી. તેમના આલ્બમ “બેવફા તને દૂરથી સલામ” ને ખુબ સફળતા મળી છે. આ આલ્બમના ‘હાથમાં છે વીસ્કી ” ને દુનિયાભરના 7.3 કરોડ જેટલા દર્શકો મળ્યા છે.

You may like
એન્ટરટેઈન્મેન્ટ
કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.
Published
2 days agoon
October 18, 2022By
Gujju Media
બૉલીવુડની ફેમસ અભિનેત્રી કેટરીના કેફનું ફિલ્મ ‘ફોનભૂત’ જલ્દી જ રીલીઝ થવાનું છે. કેટરીના કૈફએ હમણાં જ લગ્ન પહહઈ પહેલું કરવા ચૌથનું વ્રત કર્યું હતું. આ વ્રત કર્યાના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેટરીના કૈફએ પતિ વિક્કી કૌશલની લાંબી ઉમર માટે વ્રત કર્યું હતું. આ સાથે તેણે તૈયાર થઈને ચંદ્રની પૂજા પણ કરી હતી.
કેટરીનાનું આ પહેલું કરવા ચૌથ હોવાને લીધે વિક્કી કૌશલએ પણ આ દિવસને ખાસ બનાવ્યો હતો. આ દિવસે વિક્કી કૌશલએ કેટરીનાને એક સરપ્રાઈઝ આપી હતી. આ સરપ્રાઈઝથી કેટરીના ખૂબ ખુશ થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો કેટરીના કૈફએ જાતે કરી હતી.
એક મીડિયા હાઉસને આપેલ ઇંટરવ્યૂમાં કેટરીના કૈફએ કહ્યું હતું કે વિક્કી કૌશલએ કેટરીના કૈફના પહેલા કરવા ચૌથને ખૂબ ખાસ બનાવ્યો હતો. વાત એમ હતી કે આ દિવસે અભિનેતા વિક્કી કૌશલે પણ કેટરીના કૈફ માટે વ્રત કર્યું હતું. અભિનેત્રીએ આ વિષે વાત કરતા કહ્યું હતું કે, ‘મને આશા નહોતી કે વિક્કી આવું કરશે. પણ તેમણે જાતે જ આ નિર્ણય કર્યો એ ખૂબ ગમ્યું મને. વિક્કીના મમ્મી પપ્પાએ પણ કરવા ચૌથ સેલિબ્રેટ કરી લાગતું હતું કે આ તેમનું પણ પહેલું કરવા ચૌથ છે.’
પહેલું કરવા ચૌથ વ્રતને લદિહે કેટરીના કૈફએ બધી વિધિ ખૂબ સારી રીતે નિભાવી હતી, પણ ચંદ્રની રાહ જોતાં જોતાં તે ખૂબ ભૂખી થઈ ગઈ હતી. આ વાત પણ તેણે જણાવી હતી. કેટરીના કૈફએ કહ્યું હતું કે ‘મુંબઈમાં ચંદ્ર 9:01એ આવી જાય છે પણ એ દિવસે 9:30 સુધી ચંદ્ર દેખાયો હતો નહીં ને મને ખૂબ ભૂખ લાગી હતી.’ જો કે જ્યારે અભિનેત્રી કેટરીનાને ખબર પડે છે કે વિક્કી કૌશલએ પણ તેની મેટ વ્રત કર્યું છે ત્યારે તે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને તેને ખૂબ સારું લાગ્યું હતું.
વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં 9 તારીખે થયા હતા. તેમના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. તેમના લગ્નમાં પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા હતા. કેટરીના અને વિક્કીના લગ્નને લઈને તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત હતા.
એન્ટરટેઈન્મેન્ટ
ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.
Published
4 days agoon
October 16, 2022By
Gujju Media
મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશાલી એ અભિનેતા સુશાંત રાજપૂતના નજીકના મિત્રોમાંથી એક છે.
જાણકારી પ્રમાણે વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. વૈશાલી સસુરાલ સિમર કા, આશિકી, લાલ ઈશ્ક, સુપર સિસ્ટર અને વિષ ઓર અમૃત માં પણ કામ કર્યું હતું. યે રિશ્તા સિરિયલમાં તેણે અજંલિનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીને નેગેટિવ પાત્ર માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ મળ્યો હતો.
ટીવી સિવાય વૈશાલીએ કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. કહેવાય છે કે તેનો પરિવાર ઉજ્જૈન પાસે મહિદપૂરના રહેવાસી છે. પણ વૈશાલી ઈન્દોર જ ભણી ગણી છે. તેને પહેલાથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો.
વૈશાલી ઇન્સટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી તેની છેલ્લી બંને પોસ્ટ કે જે મસ્તી માટે એક શોર્ટ વિડીયો હતો તેમાં પણ તે મસ્તીના મૂડમાં મરી જવાની વાત કરી રહી છે અને બીજા એક વિડીયોમાં તેણે કોઈ પંખાનો વિડીયો શેર કર્યો હતો. જો કે તે બંને વિડીયો મસ્તી માટે જ હતા. પણ તે વિડીયો હમણાં 5 અને 6 દિવસ પહેલાના જ છે. હવે જોવું એ રહેશે કે આ 5 દિવસમાં એવું તો શું થયું કે તેણે આવું પગલું ભર્યું?
ટીવી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ બે વર્ષ પહેલા ઈન્દોરના હીરાનગરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને લીધે 25 માર્ચથી ઈન્દોર આવી ગઈ હતી. આ દરમિયાન તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
પોલીસએ પ્રેક્ષાના રૂમમાંથી નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, ‘મારા તૂટેલા સપનાએ મારા કોનફિડેન્સને તોડી દીધો હતી. હું મારા સપના સાથે જીવી નથી શકતી. આ નેગેટિવિટી સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે મે બહુ ટ્રાય કર્યું પણ હવે હું થાકી ગઈ છું.’ આ સાથે જ પ્રેક્ષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલી વાર એક msg પોસ્ટ કર્યો હતો, પોસ્ટમાં લખ્યું હતું, ‘સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું.’
એન્ટરટેઈન્મેન્ટ
બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ.
Published
6 days agoon
October 14, 2022By
Gujju Media
તહેવાર કોઈપણ હોય સામાન્ય વ્યક્તિની સાથે હવે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ તહેવારો ખૂબ ધામ ધૂમથી ઊજવતાં હોય છે. દિવાળી હોય કે ગણપતિ, ઈદ હોય કે પછી હોળી. અમુક કલાકાર એવા છે જેવો દરેક તહેવારને ખૂબ ઉત્સાહ સાથે ઊજવતાં હોય છે. ગઇકાલે પૂરી થયેલ કરવા ચોથ એ બૉલીવુડની પત્નીઓએ બહુ સારી રીતે ઉજવી હતી.
આજે અમે તમને આ અભિનેત્રીઓ વિષે જ જણાવી રહ્યા છે. ઘણી અભિનેત્રીઓ હતી જેમણે ખૂબ સારી રીતે આ દિવસ ઉજવ્યો તો ઘણી એવી પણ અભિનેત્રીઓ હતી જેમણે વ્રત નહોતું રાખ્યું પણ સેલિબ્રેટ જરૂર કર્યું છે. ઘણી અભિનેત્રીઓ છે જેમણે આ વર્ષે પહેલીવાર આ વ્રત કર્યું છે તેમાં કેટરીના કૈફ, મૌની રૉય, આલિયા ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
કેટરીના કૈફએ આ દિવસે ખાસ ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. રેડ સાડી સાથે તેણે ફ્લોરલ બ્લાઉઝ મેચ કર્યું હતું. આ સાથે તેણે લગ્નમાં જે મંગલસૂત્ર પહેરેલું એ પણ પહેર્યું હતું અને લાલ બંગડી, મહેંદી અને પાથીમાં સિંદુર પહેરેલી તે ખૂબ સુંદર દેખાઈ રહી હટી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. તો વિકીએ પણ તે ફોટો પોતાની ઇન્સટા સ્ટોરીમાં શેર કર્યા હતા. કેટરીના અને વિક્કી ખૂબ સુંદર લાગી રહ્યા છે.
આ સિવાય બૉલીવુડની બ્યુટીઝ માટે અનિલ કપૂરના ઘરે કરવા ચૌથની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, નીલમ અનિલ કપૂરની પત્ની સુનિતા બધા સાથે મળ્યા હતા આ સાથે બૉલીવુડના વરુણ ધવન અને તેમની પત્ની નતાશા પણ ત્યાં આવ્યા હતા. શિલ્પાએ એક સુંદર વિડીયો પણ આ પૂજાનો શેર કર્યો હતો જેમાં બધી મહિલાઓ ગીત સાથે પૂજા કરતી દેખાઈ રહી છે.
શિલ્પાએ બીજો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પતિ રાજ કુંદ્રા સાથે પૂજા કરી રહી છે. આ ફોટો અનિલ કપૂરએ પડ્યો હતો એવો ખુલાસો શિલ્પાએ તેની પોસ્ટના કેપ્શનમાં કર્યો હતો.
લગ્ન પછી આલિયા ભટ્ટ પોતાનું પહેલું કરવા ચૌથ સેલિબ્રેટ કરી રહી છે, જો કે આલિયાએ આ વર્ષે વ્રત કર્યું છે કે નહીં એ વાતની કોઈ માહિતી મળી નથી. તે પ્રેગ્નેન્ટ છે અને હવે જલ્દી જ આલિયા અને રણબીરના જીવનમાં તેમના પહેલા બાળકનું આગમન થવાનું છે. આ દિવસે આલિયાએ એક પોસ્ટ શેર કરીને બધાને શુભેચ્છાઓ આપી છે તો સામે નીતુ કપૂરએ પણ વહુ આલિયાને અને દીકરી રિધ્ધિમાને કરવા ચૌથની શુભેચ્છાઓ આપી છે.
ઇંડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર ધનશ્રી વર્માએ કરવા ચૌથનું આ સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું હતું. યુઝવેન્દ્ર એ ટીમ ઈન્ડિયા સાથે બહાર છે ત્યારે આ કપલએ વિડીયો કોલ પર આ દિવસ ઉજવ્યો હતો. તેનો વિડીયો પણ આ કપલએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
મૌની રૉયએ કરવા ચૌથ નિમિત્તે સૌથી પહેલા મહેંદીના ફોટો શેર કર્યા હતા અને આ પછી તેણે આ દિવસની ખાસ ઉજવણી કરવાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે મૌનીએ મહેંદીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘પહેલું હમેશા ખાસ હોય છે… હેપ્પી કરવા ચૌથ બ્યુટીઝ’
તમને આ બધા ફોટોમાંથી કોનો ફોટો વધારે પસંદ આવ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. આવી જ અવનવી માહિતી માટે ફોલો કરો અમારી પ્રોફાઇલ.

કરીના કપૂર અને અમિષા પટેલની 22 વર્ષ જૂની દુશ્મની, હવે એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો કહાની વિશે.

પિતાએ 2 વર્ષના બાળકને રમવા માટે મોબાઈલ આપ્યો, બાળકે 2 લાખનો ઓર્ડર આપ્યો, સામાન ઘરે પહોંચ્યો

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ