હેલ્થ
હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ
Published
4 weeks agoon

કેટલાક લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગના જોખમને ટાળવા માટે લોહીને પાતળું કરવા દવાઓ લે છે. આ દવાઓને બ્લડ થિનર્સ કહેવામાં આવે છે. તેઓ લોહીના ગંઠાવા દેતા નથી. લોહી જાડુ થવાથી માથાનો દુખાવો, ખંજવાળ આવવી, બીપી, આર્થરાઇટિસ અને ચક્કર આવવા જેવી સમસ્યા સર્જાય છે. તેમજ પિરિયડ્સ સમયે બ્લડની સમસ્યા પણ સર્જાય છે. ત્યારે જો તમે દવા વગર જ લોહી પાતળુ કરવા માંગતા હોવ તો આજે તમને જણાવી દઇએથોડી જ ટિપ્સ
વિટામિન E થી ભરપૂર ખોરાક લો
જાણી લો કે વિટામિન E લોહીના ગંઠાઈ જવાથી બચાવે છે. એવું સૂચન કરવામાં આવે છે કે જે લોકો લોહીને પાતળા કરવા જેવી દવાઓ લે છે તેઓએ વિટામિન ઇ સપ્લીમેન્ટ્સ ટાળવા જોઈએ. વિટામીન E કુદરતી લોહીને પાતળું કરવાનું કામ કરે છે. વિટામિન્સ મેળવવા માટે, તમે પાલક અને બદામ જેવી વસ્તુઓ ખાઈ શકો છો.
હળદર
ખોરાકમાં વપરાતી હળદર એ કુદરતી રીતે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે લોહીને પાતળું કરે છે અને લોહીના ગંઠાવવા દેતુ નથી. રાંધતી વખતે તેમાં હળદર ઉમેરીને તેનું સેવન કરી શકો છો.
લસણ
લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે લસણ ખાય છે પરંતુ, શું તમે જાણો છો કે લસણ એક કુદરતી એન્ટિબાયોટિક છે. લસણમાં એન્ટિથ્રોમ્બોટિક એજન્ટ હોય છે જે લોહીને પાતળું કરે છે અને લોહીના ગંઠાવાનું અટકાવે છે.
લાલ મરચું
લાલ મરચું ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે. લાલ મરચામાં સેલિસીલેટ્સ પણ જોવા મળે છે. લાલ મરચું તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં પણ મદદ કરે છે.
આદુ
નોંધપાત્ર રીતે, આદુ એ એન્ટી ઇન્ફ્લેમેટરી મસાલો છે. આદુમાં એસ્પિરિન સેલિસીલેટના કૃત્રિમ ગુણો હોય છે, જે શક્તિશાળી રક્ત બ્લડ થિનરનું કામ કરે છે .
લોકો આદુને ચા અને ભોજનમાં ઉમેરીને લઈ શકે છે.
You may like
-
પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ
-
ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર
-
ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે
-
તમારા કામનું! સવારે ઊઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી ફાયદા કે નુકસાન જાણવું જરૂરી
-
શું નાની ઉમરમાં જ હાથ પગના દુખાવો થવા લાગ્યો છે? તો આજે જ ડાયટમાં આ ફૂડને કરો સામેલ
-
પુરુષો માટે વરદાન રૂપ છે એલચી; આવી રીતે કરો સેવન

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.
લવિંગનુ સેવન કરવાના ફાયદા
- દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
- જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
- લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.
અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.
લસણ
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.
હેલ્થ
ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે
Published
4 weeks agoon
July 19, 2022
ભારતમાં મોટા ભાગના લોકો પોતાની સવારની શરૂઆત ચા પીધા બાદ કરતા હોય છે. સવારની પહેલી તાજી અને કડક ચા પીધા બાદ લોકો તાજગી અનુભવતા હોય છે. ચામાં કેફીન હોવાથી લોકોમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે. કેટલાક લોકોને ઓફિસ અથવા અન્ય કામો હોવાથી તેઓ દિવસમાં 3 વાર એટલે કે સવાર, બપોર અને સાંજે ચા પીતા હોય છે. લોકો માત્ર ચા જ નથી પીતા, તેમને તેની સાથે ચટાકેદાર નાસ્તો ખાવાની પણ આદત હોય છે. સ્વાદપ્રિય લોકો સવારે પણ ચટાકેદાર અને હેવી નાસ્તો લેવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકો લાઈટ નાસ્તો લેવાનું પસંદ કરે છે. પરંતુ લોકો ઘણીવાર ચા સાથે ન ખાવાનું ખાઈ લેતા હોય છે. જેને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. આ કઈ વસ્તુઓ છે જેને ચા સાથે ન ખાવી જોઈએ આવો જાણીએ.
1) બેસન-
ગુજરાતની વાત કરવામાં આવે તો સવારે લોકો ચા સાથે ગરમા ગરમ વણેલા અથવા ફાફડા ગાંઠિયા ખાવાનું પસંદ કરતા હોય. ગુજરાત બહાર લોકો પકોડા અથવા ભજીયા ખાવાનું પસંદ કરતા હોય છે. વિશેષજ્ઞોની મુજબ ચા સાથે બેસનથી બનેલી કોઈ પણ વાનગી ખાવી ન જોઈએ. જો આ વસ્તુઓ ખાવામાં આવે તો પાંચન સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
2) લીંબુ-
ફિટનેસ માટે લેમન ટી પીવાની ખૂબ સલાહ આપવામાં આવે છે કારણ કે કેટલાક લોકો માને છે કે તે ઝડપી વજન ઘટાડવા તરફ મદદરૂપ થાય છે. પરંતુ તે લોકોએ એ પણ જાણવું જોઈએ કે લીંબુના રસમાં ચા મિક્સ કરીને પીવાથી તે એસિડિક થઈ શકે છે અને શરીરમાં બળતરા થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર જો સવારે ખાલી પેટ લેમન ટી પીવામાં આવે તો એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્ન જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેથી, વધુ સારું છે કે તમે આ ચાને સંપૂર્ણપણે ટાળો.
3) હળદર-
હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. Afternoonteareadsના અહેવાલ મુજબ, હળદર અને ચા પત્તી એકબીજા સાથે સુસંગત નથી. જો કોઈ વ્યક્તિ હળદરની ચાનું સેવન કરે છે, તો તેને પેટમાં ગેસ, એસિડિટી અથવા કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
4) ઠંડી ખાદ્ય વસ્તુઓ-
ગરમ ચા સાથે અથવા ચા પછી તરત જ ઠંડી વસ્તુઓ ક્યારેય ન ખાવી. આમ કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેનું કારણ એ છે કે અલગ-અલગ વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી પાચનક્રિયા નબળી પડી શકે છે અને ઉબકા આવવાની સમસ્યા થઈ શકે છે. ગરમ ચા પીધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ઠંડુ કંઈપણ ખાવાનું ટાળવું જોઈએ.
5) નટ્સ-
દૂધ સાથે આયર્ન યુક્ત વસ્તુઓ ખાવાનું ટાળો. હોવર્ડ યુનિવર્સિટીના ન્યુટ્રિશન સોર્સ અનુસાર, બદામમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તેથી ચા સાથે બદામ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી, ચા સાથે બદામ ખાવાનું ટાળો.
6) આયરનથી ભરપૂર શાકભાજી-
આયર્નથી ભરપૂર વસ્તુઓ ચા સાથે ન ખાવી જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીના ન્યુટ્રિશન સોર્સ મુજબ, ચામાં ટેનીન અને ઓક્સાલેટ હોય છે જે આયર્નને શોષતા અટકાવે છે. તેથી, આયર્નથી ભરપૂર ખોરાક જેમ કે બદામ, લીલા પાંદડાવાળા શાકભાજી, અનાજ, કઠોળ અને અનાજ ચા સાથે ટાળવા જોઈએ.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ