જાણવા જેવું
આ છે ભારતના સૌથી આલીશાન ઘર, બીજા નંબર પર છે બોલીવુડનો આ સ્ટાર..
Published
3 years agoon

પોતાનું ઘર રાખવું દરેકનું સપનું હોય છે… પોતાની એક મોટી સંપત્તિ કે આલીશાન ઘર દરેકના જીવન માટે એક મહત્વની એસેટ હોય છે.. ભારત સંસ્કૃતિ, ભાષાથી માંડીને દરજ્જા સુધી વિવિધતાથી સમૃદ્ધ દેશ છે. ભારતમાં ચોક્કસપણે કેટલાક મકાનો છે..જે ભારતના સૌથી આલીશાન અને મોંઘા મકાન છે.. આપણે જાણીએ છીએ કે, સેલિબ્રિટીથી લઈને વ્યવસાયિક હસ્તીઓ સુધી, જ્યારે કોઈ પણ સફળતા પ્રાપ્ત કરે, ત્યારે તેમનો પ્રથમ હેતુ આલીશાન ઘર બનાવવાનું હોય છે. તો ચાલો આપણે જાણીએ ભારતનાં ટોચના 10 સૌથી વધુ મોંઘા મકાનો અને તેમની કિંમતો વિશે..
#10. રતન ટાટા રેસિડન્સ (Ratan Tata Residence)
રતન ટાટા એ ભારતની સૌથી સફળ વ્યાવસાયિક હસ્તીઓમાંની એક છે અને તેઓ તેમના વિશિષ્ટ બીઝ્નેઝ આઈડિયાના કારણે વિશ્વભરમાં જાણીતા છે. મુંબઈના કોલાબામાં આવેલ રતન ટાટાનું નિવાસસ્થાન વ્હાઇટ હાઉસથી ઓછું નથી. રતન ટાટાના હાઉસની કિમત લગભગ રૂ. 150 કરોડ છે. આ મકાન 3 માળનું છે અને તે 15000 ચોરસ ફૂટ વિસ્તારને આવરે છે.
#9. એનસીપીએ એપાર્ટમેન્ટ્સ મુંબઈ
(NCPA Apartments, Mumbai)
મુંબઈમાં નરીમાન પોઇન્ટના પોશ વિસ્તારમાં આવેલ એનસીપીએ એપાર્ટમેન્ટ્સ ભારતના સૌથી મોંઘા હાઉસમાના એક છે.. સાથે એમ પણ કહેવાય છે કે, એનસીપીએ એપાર્ટમેન્ટ, મુંબઇના સૌથી ભવ્ય અને લ્ક્ઝ્યુરીયસ એપાર્ટમેન્ટ્સનો એન્ક્લેવ છે.. આ એએપાર્ટમેન્ટમાં 4 બેડરૂમના ફ્લેટની કિમત લગભગ રૂ. 29 કરોડ છે. આ એપાર્ટમેન્ટમાં ઘણા સ્ટાર્સ રહે છે..
#8. વિજય માલ્યા નિવાસસ્થાન, વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાય, યુબી સિટી બેંગ્લોર
(White House in the Sky, UB City Bengaluru)
વિજય માલ્યા, કિંગફિશર એરલાઇન્સ તેમજ યુબી ગ્રુપનો માલિક છે, તે એક ભવ્ય ઘરનો માલિક છે, જેને તે ‘વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાય’ કહે છે. આ વૈભવી હવેલી સ્ટાઇલનું ઘર યુબી સિટી, બેંગ્લોરમાં બનાવવામાં આવ્યું છે અને તેની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા છે. વિજય માલ્યાનો ચહેરો હવે કોઈના માટે અજાણ્યો ચહેરો નથી. વિજય માલ્યા ભારતનો લિકર ટાઇકૂન છે..
#7. રાના કપૂર રેસિડન્સ(Rana Kapoor Residence)
ભારતના ટોચના 10 સૌથી મોંઘા હાઉસની સૂચિમાં, 7 મા ક્રમાંકમાં રાણા કપૂરનું હાઉસ આવે છે.. જેની કિંમત લગભગ રૂ. 120 કરોડ છે. YES બેંકના માલિકનું આ મકાન મુંબઇના ટોની અલ્ટામાઉન્ટ રોડના પોશ લોકેશનમાં છે. યસ બેન્કના સીઇઓ રાણા કપૂરનું ઘર મુકેશ અંબાણીની એન્ટિલાની બાજુમાં આવેલું છે.
#6. એબોડ(Abode, Mumbai)
હવે બીજા એક સુંદર હાઉસ વિશે વાત કરીએ, જે મુંબઈના પ્રાઈમ લોકેશન પર આવેલું ઘર છે.. આ હાઉસનું નામ એબોડ છે..આ ઘરનો માલિક બીજો કોઈ નહીં પરંતુ બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીનો નાનો ભાઈ અનિલ અંબાણી છે..મુંબઇમાં આવેલ આ હાઉસની કીમત લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયા અને તેથી પણ વધુ છે.
#5. જેકે હાઉસ(JK House, Mumbai)
મુંબઈમાં જેકે હાઉસ પોશ લોકેશનમાં આવેલું સૌથી મોંઘુ હાઉસ છે. રેમન્ડ મેન ગૌતમ સિંઘાનિયા જેકે હાઉસના માલિક છે..આ હાઉસ મુંબઈમાં આવેલું છે..આ હાઉસ ઇન્ડિયાના સૌથી મોંઘા હાઉસમાનું એક છે…આ હાઉસમાં ઘણી સુંદર વસ્તુઓ અને આશ્ચર્યજનક સુવિધાઓ છે જેમ કે આરોગ્ય કેન્દ્ર, હેલિપેડ અને એક મ્યુઝીયમ. આ ઘરમાં 30 થી વધુ ફ્લોર છે જેમાંથી 6 ફ્લોર પાર્કિંગ માટે છે.
#4.રવિ રુઇઆ રેસીડેન્સ(Ravi Ruia Residence)
ભારતના સૌથી મોંઘા મકાનોમાં એક એસાર ગ્રુપના અધ્યક્ષ શશી રુઇઆ અને વાઇસ ચેરમેન રવિ રુઇઆનો લક્ઝુરિયસ બંગલો છે. આ ઘર નવી દિલ્હીમાં પ્રખ્યાત ટીઝ જાન્યુઆરી માર્ગ પર આવેલું છે અને તેની કિંમત લગભગ ૧૨૦ કરોડ રૂપિયા છે.
#3.નવીન જિંદાલ રેસીડેન્સ (Naveen Jindal Residence, Delhi)
ભારતના ખૂબ જ પ્રખ્યાત નવીન જિંદાલને કોણ નથી જાણતું? ભારતમાં રાજકીય ઉદ્યોગપતિ એટલે કે પોલીટીકલ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તરીકે તેમનુ ખુબ મોટું નામ છે. નવીન જિંદાલનું હાઉસ દિલ્હીમાં આવેલું છે જેની કિંમત આશરે રૂ. 120 કરોડ છે. આ ઘર દિલ્હીમાં સૌથી બેસ્ટ લોકેશન પર આવેલ હાઉસ છે..
#2. મન્નત (Mannat, Mumbai)
મન્નત વિશે ભારતીયને પૂછવામાં આવે તો કોઈ ઇન્ટ્રોડકશન આપવાની જરૂર નથી. મન્નત એટલે બોલિવુડ કિંગ શાહરૂખ ખાનનું હાઉસ.. મન્નત, એસઆરકે અને ગૌરી ખાનનું ડ્રીમ હાઉસ છે. આ મકાન ભારતનું બીજું સૌથી મોંઘુ મકાન છે કારણ કે શાહરૂખ ખાન વિશ્વના બીજા નંબરનો સૌથી ધનિક અભિનેતા અને ભારતનો સૌથી ધનિક અભિનેતા છે. મન્નત હાઉસ મુંબઇના બાંદ્રામાં આવેલું છે અને તેની કિમત ભારતની ચલણમાં લગભગ 200 કરોડ છે..
#1. એન્ટિલા (Antila, Mumbai)
મુંબઈમાં એન્ટિલા એ ભારતના સૌથી મોંઘા હાઉસમાંનું એક છે કારણ કે તે ભારતના સૌથી ધનિક વ્યક્તિનું છે. તે બીજું કોઈ નહીં પણ મુકેશ અંબાણી છે. એન્ટિલા 4 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારને કવર કરે છે. તે એક લેન્ડમાર્ક બની ચુક્યું છે અને દેશ-વિદેશના લોકો આ ઘરની મુલાકાત લેવા આવે છે. જો કે, એન્ટિલાની કિંમત લગભગ રૂ. 10,000 કરોડ છે. રિલાયન્સના વડા મુકેશ અંબાણી દેશના સૌથી ધનાડ્ય વ્યક્તિ છે. તેમની દરેક સ્ટાઇલ લક્ઝરીયસ હોય છે. તેમનું ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે.મુકેશ અંબાણીનું ઘર ભારતમાં તો સૌથી મોંઘુ છે પણ સમગ્ર વિશ્વમાં તે બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે જે મુંબઈમાં સ્થિત છે.. 27 માળનું આ ઘર જ માત્ર વિશિષ્ટ નથી પણ તેની સાથે જોડાયેલી દરેક વાત ખાસ છે.
You may like
-
મુંબઈમાં વરસાદથી મચ્યો હાહાકાર,વરસાદે તોડ્યો આટલા વર્ષોનો રેકોર્ડ
-
મુંબઈમાં સતત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચિંતાજનક બની સ્થિતિ,સરકારે જાહેર કરી આ ચેતવણી
-
રેલ મંત્રીએ કર્યો ખુલાસો, કોરોનાએ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર લગાવી લગામ
-
તબલીગી જમાતના લીધે ગુજરાત માથે પણ મોટુ સંકટ, જાણો તબલીગી જમાત વિશે જે બે દિવસથી છે ચર્ચામાં
-
વડાપ્રધાન મોદી આજે કરશે દેશને સંબોધિત, કોરોના વાયરસ અંગે કરશે દેશવાસીઓ સાથે મહત્વપૂર્ણ વાત
-
ક્યારેય ન થોભનારું શહેર મુંબઈ કોરોનાને લીધે આંશિક બંધ, મુંબઈમાં 50 ટકા બજારો રહેશે બંધ
જાણવા જેવું
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
Published
2 weeks agoon
October 6, 2022By
Gujju Media
નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.
જાણવા જેવું
લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.
Published
3 weeks agoon
October 1, 2022By
Gujju Media
આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.
એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.
સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.
આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.
ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.
હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.
જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.
જાણવા જેવું
આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત
Published
3 months agoon
July 29, 2022
આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન