વિશ્વ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે ભારતને મોટી મદદ, કરી આ મોટી જાહેરાત
Published
2 years agoon

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સામેની લડાઈમાં ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્વની ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે મને આ જાહેરાત કરતા ગર્વ થાય છે કે અમેરિકા તેના મિત્ર ભારતને વેન્ટિલેટર ડોનેટ કરશે. મહામારીના સમયમાં અમે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છીએ. અમે કોરોનાની રસી વિકસાવવાની દિશામાં પણ સહયોગ કરી રહ્યા છીએ. બન્ને દેશ સાથે મળી આ અદ્રશ્ય દુશ્મનને હરાવશે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ગાર્ડનમાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું તાજેતરમાં જ ભારતની યાત્રાથી પરત આવ્યો હતો. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તે પૈકી કેટલાક લોકો વેક્સીન પર પણ કામ કરી રહ્યા છે. તેઓ મહાન વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા છે. એક પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું- પ્રધાનમંત્રી મોદી મારા ખૂબ જ સારા મિત્ર છે.
ભારતે એપ્રિલમાં કોરોના સામેની લડાઈમાં અમેરિકાની મદદ માટે હાઈડ્રોક્સોક્લોરોકીન દવાનો વિશાળ જથ્થો મોકલ્યો હતો. આ અંગે ટ્ર્મ્પે મોદીના નૈતૃત્વને મજબૂત ગણાવતા તેમની પ્રશંસા કરી હતી અને ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે કોરોનાની રસીને અમે પ્રજા માટે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા વિચાર કરી રહ્યા છીએ. આ વર્ષના અંત સુધીમાં તેને તૈયાર કરવામાં આવી શકે છે. રસી વિકસાવવા માટે “ઓપરેશન વાર્પ સ્પીડ” નામનું એક નવું અભિયાન શરૂ કર્યું છે. “ઓપરેશન વાર્પ સ્પીડ”ને આ વર્ષના અંત સુધીમાં રસી શોધવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેથી જાન્યુઆરી,2021 સુધીમાં તે લોકો સુધી પહોંચાડી શકાય.
તેમણે કહ્યું કે મને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં રસી વિકસિત કરી લેવામાં આવસે. સામાન્ય રીતે દવા કંપનીઓ આવશ્યક મંજૂરી મળ્યા બાદ જ રસી તૈયાર કરે છે. જેમા ઘણો સમય લાગી જાય છે. અમારી સરકાર રસી તૈયાર કરનારી ટીમના રિસર્ચ પર પણ ખર્ચ કરશે. સાથે તમામ મંજૂરી પણ અપાવશે.
You may like
-
સૂતી વખતે વળે છે પરસેવો? તો થઈ જાવ સાવધાન આ વાઇરસના છે લક્ષણો
-
પ્લેનમાં મુસાફરી કરતા પહેલા જાણીલેજો આ નવી એડવાઈઝરી! જો નિયમનહિ પાળો તો “નો ફ્લાઈ ઝોનની યાદી”માં સામેલ થઇ જશો
-
કોરનાએ ફરી રાજ્યમાં આજે સદી ફટકારી! અમદાવાદમાં જ ૫૦થી વધુ કેસ
-
કોરોના પહોચ્યો મન્નતમાં! કિંગખાન શાહરૂખ કોરોના સંક્રમિત
-
બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
વિશ્વ
શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે આજે મતદાન, આ ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે
Published
3 months agoon
July 20, 2022
શ્રીલંકામાં ચાલી રહેલા સંકટ વચ્ચે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બુધવારે ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવના છે. વિક્રમસિંઘે, અલ્હાપેરુમા અને ડાબેરી જનતા વિમુક્તિ પેરામુના નેતા અનુરા કુમારા ડિસનાયકે મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારો તરીકે ધારાસભ્યો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. શ્રીલંકાની સંસદ 44 વર્ષમાં પ્રથમ વખત ત્રિકોણીય હરીફાઈમાં સીધી રીતે રાષ્ટ્રપતિની પસંદગી કરશે. જેમાં છેલ્લી ઘડીની રાજકીય દાવપેચ દેખરેખ પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે ઉપર દુલ્લાસ અલ્હાપેરુમાની લીડ દર્શાવે છે. તેમને વિપક્ષી પાર્ટીઓ તેમજ તેમના પિતૃ પક્ષના મોટાભાગના સાંસદોનું સમર્થન છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળી શકે છે. ગયા અઠવાડિયે ભારે જનઆક્રોશ વચ્ચે ગોટાબાયા રાજપક્ષે દેશ છોડ્યા પછી શ્રીલંકા ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. એસએલપીપીના પ્રમુખ જી એલ પીરીસે જણાવ્યું હતું કે, સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી) પાર્ટીના મોટાભાગના સભ્યો પ્રમુખપદ માટે તૂટેલા જૂથના નેતા અલ્હાપેરુમાને પ્રમુખ અને અગ્રણી વિપક્ષી નેતા સજીથ પ્રેમદાસાને વડાપ્રધાન તરીકે પસંદ કરવાના પક્ષમાં હતા.
જોકે, અહીંના વિશ્લેષકો માને છે કે 73 વર્ષીય વિક્રમસિંઘે આગળ છે. શાસક એસએલપીપીના સમર્થન વિના, વિક્રમસિંઘેને સફળતા મળશે નહીં કારણ કે તેમની પાસે સંસદમાં માત્ર તેમની બેઠક છે. રાજકીય રીતે મહત્વપૂર્ણ પગલામાં, મુખ્ય વિરોધ પક્ષના નેતા SJB પ્રેમદાસાએ મંગળવારે અલ્હાપેરુમાને તેમનો ટેકો આપ્યો. અલ્હાપેરુમાએ પ્રેમદાસાને સમર્થન આપવા અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ખસી જવા બદલ આભાર માન્યો. બાદમાં, અલ્હાપેરુમા અને પ્રેમદાસાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી.
મીડિયા અનુસાર, અલ્હાપેરુમાની તરફેણમાં અન્ય વિકાસમાં, શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (SLFP) એ ચૂંટણીમાં તેમને મત આપવાનો નિર્ણય કર્યો છે. TPA નેતા સાંસદ મનો ગણેશને જણાવ્યું હતું કે તમિલ પ્રોગ્રેસિવ એલાયન્સ (TPA) એ પણ સર્વસંમતિથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અલ્હાપેરુમાને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા મુસ્લિમ કોંગ્રેસ (SLMC) અને ઓલ સિલોન મક્કલ કોંગ્રેસ (ACMC) એ પણ અલ્હાપેરુમાને મત આપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, વિક્રમસિંઘેને લોકપ્રિય ‘અરગાલય’ સરકાર વિરોધી ચળવળમાંથી સમર્થન મળ્યું નથી.
અરાગલ્યાના નેતા હરિન્દા ફોનસેકાએ કહ્યું કે, “અમે રાનિલ વિક્રમસિંઘેને રાષ્ટ્રપતિ પદના કાયદેસરના ઉમેદવાર તરીકે નકારી કાઢીએ છીએ.” જો કે, સૌથી નિર્ણાયક પરિબળ જે વિક્રમસિંઘે તરફ દોરી શકે છે તે છે SLPP સાંસદોની વ્યક્તિગત અસુરક્ષા. તેમાંથી 70 થી વધુ લોકોએ આગચંપી અને હુમલાનો સામનો કર્યો અને એક માર્યો ગયો.
કુસલ પરેરાએ કહ્યું, ‘સૌથી નિર્ણાયક પરિબળ વ્યક્તિગત સુરક્ષા હશે. જેમના ઘરોને નુકસાન થયું નથી તેઓને પણ ભય છે કે તેઓ જોખમમાં છે. તેમને એવા વ્યક્તિની જરૂર છે જે મક્કમ નિર્ણયો લઈ શકે. તેમણે કહ્યું કે વિક્રમસિંઘેએ સુરક્ષાની સ્થિતિને પહેલાથી જ નિયંત્રણમાં લાવવા માટે પૂરતો ઈરાદો દર્શાવ્યો છે. વિક્રમસિંઘેના મુખ્ય સહયોગી વજીરા અબેવર્દનેએ દાવો કર્યો હતો કે રખેવાળ પ્રમુખ 125 મતોથી વિજેતા બનશે. દરમિયાન, SLPP પ્રમુખ પીરીસે કહ્યું કે તેમની પાર્ટીની બહુમતી અલ્હાપેરુમાને પ્રમુખ તરીકે નિયુક્ત કરવાના પક્ષમાં છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે, ઉમેદવારોને ચૂંટાવા માટે અડધાથી વધુ મતોની જરૂર હોય છે. જો કોઈ આ મર્યાદાને ઓળંગે નહીં, તો ઓછામાં ઓછું સમર્થન ધરાવતા ઉમેદવારને દૂર કરવામાં આવશે. ત્યારપછી તેના મતોની બીજી પસંદગી પ્રમાણે વહેંચણી કરવામાં આવશે. એટલે કે બાકીના બે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.
વિશ્વ
ઓસ્ટ્રેલિયામાં માત્ર 6 વર્ષમાં જ ભારતીયોની સંખ્યા 48 ટકા વધી!
Published
4 months agoon
July 2, 2022
ઓસ્ટ્રેલિયામાં ભારતીયોની વસતી સૌથી ઝડપથી વધી રહી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી આંકડાથી આ ખુલાસો થયો છે. 2016 બાદ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકોની વસતી 48% વધી છે. તાજેતરની વસતીગણતરી મુજબ 1 જૂન, 2021ની સ્થિતિએ ઓસ્ટ્રેલિયામાં વિદેશમાં જન્મેલા 6,73,352 લોકો રહેતા હતા, જે સંખ્યા 2016ના 4,55,389થી 47.86% વધુ છે. વિદેશમાં જન્મેલા આ લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે વધી છે. ભારત ચીન-ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને ઓસ્ટ્રેલિયા-બ્રિટન બાદ ત્રીજા ક્રમે આવી ગયું છે.
ઓસ્ટ્રેલિયાની લગભગ અડધી (48.6%) વસતી એવી છે કે જેમનાં માતા-પિતામાંથી કમસે કમ કોઇ એક વિદેશમાં જન્મ્યાં હતાં. 2017ની વસતીગણતરી બાદ દેશમાં 10,20,007 વસાહતીઓ આવીને વસ્યા છે. સૌથી વધુ વિદેશીઓ ભારતથી આવ્યા છે. તેમની સંખ્યામાં 2,17,963નો વધારો થયો છે. બીજી સૌથી વધારે વૃદ્ધિ નેપાળના લોકોની છે, જે બમણીથી પણ વધુ (123.7%) છે.
2016 બાદ નેપાળથી 67,752 લોકો ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. પહેલીવાર અડધાથી પણ ઓછા ઓસ્ટ્રેલિયનોએ (44%) પોતાને ખ્રિસ્તી ગણાવ્યા છે. 50 વર્ષ પહેલાં આવા લોકોની સંખ્યા 90% હતી. જોકે, હજુ પણ ખ્રિસ્તી ધર્મ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો ધર્મ છે. હિન્દુઓની વસતી 2.7% છે જ્યારે 39% લોકો એકેય ધર્મમાં નથી માનતા. આવા લોકો 9% વધ્યા છે.
વિશ્વ
અમેરિકામાં લૂંટના ઇરાદે આવેલા ઈસમેં ભારતીયની કરી હત્યા
Published
4 months agoon
June 17, 2022
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મૂળ આણંદના વતનીની પોઇન્ટ બ્લેન્કથી ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે. લૂંટના ઈરાદે ત્રાટકેલા શખસોએ ગુજરાતી યુવકની હત્યા કરી છે, જેને લઈ આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને લઈ મૃતકનાં પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં છે.
આ ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર, આણંદ જિલ્લાના મૂળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યારે અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં તેઓ બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા શખસોએ ગોળીઓ વરસાવી હતી, જેમાં બે કામદાર મોતને ભેટ્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતાં ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોક પર કન્વિનિયન્સ સ્ટોર પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં સ્ટોરની અંદર બે લોકો બંદૂકની ગોળીઓથી પીડાતા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ તેમનાં મોત થયાં હતાં. આ મૃતક યુવકમાં એક મૂળ આણંદનો વતની પ્રેયસ પટેલ હોવાનું સામે આવ્યું હતું તેમજ એક લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોકમાં રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અધિકારીઓએ એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપ્યો હતો. આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે, જ્યાં કોઈ અજાણ્યા લૂંટારા દ્વારા 7 ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દીધી હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.
વધુમાં જણાવતાં સ્થાનિક પોલીસવડાએ કહ્યું હતું કે પોલીસ જ્યારે પહોંચી ત્યારે લૂંટારાએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા, જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત થયું હોવાનું ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનાં મૃત્યુ થયાં હતાં. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.
પોલીસ વિભાગનું કહેવું છે કે પોલીસવડા સ્ટીવ ડ્રૂ ગોળીબારની ઘટનાની માહિતી મેળવવા પ્રયત્ન કરશે. સમગ્ર ઘટના અંગે પોલીસનું માનવું છે કે એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંને પીડિતોને ગોળી મારી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે ત્યાં સર્વેલન્સ વીડિયો છે, જેને તેઓ હાલમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા રીતે જોઈ રહ્યા છે અને એનો ઝીણવપૂર્વક અભ્યાસ કરી આખો ઘટનાક્રમ પર તપાસ કરી રહ્યા છે.

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન