Connect with us

ટેલીબઝ

‘તુમ બિન’ ના આ અભિનેતાને ઓળખવો મુશ્કેલ છે, વૃદ્ધ માણસ યુવાનીમાં દેખાવા લાગ્યો છે.

Published

on

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાનું કરિયર બનાવવાનું વિચારતો જ હોય છે. આ ઈન્ડસ્ટ્રીમાં દરરોજ કોઈને કોઈ નવો સુંદર ચહેરો ઓળખાણ બનાવવા માટે આવે છે, પણ અહીં સફળતા મેળવવી દરેક માટે શક્ય નથી. એવા થોડા જ લોકો છે, જે લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીમાં રહી શકે છે. તે જ સમયે, કેટલાક એવા હોય છે, જે આકાશની ઊંચાઈ સુધી પહોંચે છે, તો ઘણા કલાકારોને તેની ચમક પસંદ નથી.

લોકોનો પ્રેમ મળવા છતાં આ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું એટલું સરળ કામ નથી. આવા ઘણા કલાકારો છે, જેમને પહેલી જ ફિલ્મે તેમને ઉંચાઈઓ પર પહોંચાડ્યા. તે જ સમયે, ઘણા કલાકારોને તેમની કારકિર્દીમાં વધુ ફાયદો થયો નથી.

આજે આ આર્ટીકલ દ્વારા અમે તમને એક એવા એક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ક્યુટનેસ જોઈને પહેલા એક સમયે છોકરીઓ તો તેને જોવા માટે પણ મરતી હતી, પરંતુ આજે એ જ એક્ટરની હાલત એવી થઈ ગઈ છે કે, તેને ઓળખી પણ શકશો નહીં.

તમે બધાએ વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘તુમ બિન’ જોઈ જ હશે. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. એટલું જ નહીં, પણ આ ફિલ્મના ગીતો પણ હિટ સાબિત થયા હતા. આ ફિલ્મમાં રાકેશ બાપટ, પ્રિયાંશુ ચેટર્જી અને સંદલી સિન્હા ઉપરાંત સુપર હેન્ડસમ હીરો હિમાંશુ મલિક પણ જોવા મળ્યા હતા.

ફિલ્મ ‘તુમ બિન’ હિટ થયા પછી જ હિમાંશુ મલિક રાતોરાત હિટ બની ગયો હતો, પણ થોડા સમય પછી તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા. ભલે હિમાંશુ મલિકે બોલિવૂડમાં સારી શરૂઆત કરી હતી, પણ હવે તે લાઇમલાઇટથી દૂર વિસ્મૃતિનું જીવન જીવી રહ્યા છે.

હિમાંશુ મલિકે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેઓ સોનુ નિગમના આલ્બમ દિવાનામાં જોવા મળ્યા હતા. આ આલ્બમમાં હિમાંશુ મલિકને લોકોએ ખૂબ પસંદ કર્યા હતો, પણ હવે તેમની હાલત એવી થઈ ગઈ છે કે, તેમને ઓળખવો પણ ખૂબ મુશ્કેલ થઈ ગયા છે.

હિમાંશુ મલિકે ફિલ્મ “કામસૂત્રઃ ધ ટેલ ઓફ સ્ટોરી (1996)” થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેમણે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. અભિનેતાએ ફિલ્મ ‘જંગલ (2000)’માં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, હિમાંશુ મલિકે મલ્લિકા શેરાવત સાથે ફિલ્મ ‘ખ્વાઈશ’માં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં 17 કિસિંગ સીન હતા, જેની ખૂબ ચર્ચા પણ થઈ હતી, પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ શકી ન હતી.

હિમાંશુ મલિકે તેમની ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પણ તમામ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ, જેમાં ‘LOC કારગિલ’, ‘ખ્વાઈશ’, ‘રોગ’ અને ‘રેન’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હિમાંશુએ લગભગ 12 ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ તમામ ફ્લોપ રહી હતી. ફિલ્મો ફ્લોપ થયા પછી તેમને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું અથવા પછી તે ધીરે ધીરે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા.

હિમાંશુ મલિકે એક્ટિંગ છોડીને પ્રોડ્યુસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. અહીં પણ તેમને સફળતા ન મળી. હાલમાં હિમાંશુ મલિક વિસ્મૃતિનું જીવન જીવી રહ્યા છે. મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર હિમાંશુની નિષ્ફળતાની સાથે જ તેમનો લુક પણ ઘણો બદલાઈ ગયો છે. તેમણે ઓળખવું હવે ખૂબ મુશ્કેલ બની ગયું છે.

હિમાંશુ માલિક એક સમયે ખૂબ જ હેન્ડસમ હતા, પણ હવે તેમનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તેમના માથાના વાળ પણ ખરી ગયા છે. લાઈમલાઈટથી દૂર હિમાંશુ માલિક હવે શું કરે છે, તેની કોઈને કોઈ માહિતી નથી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ટેલીબઝ

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

Published

on

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાની સુપરહિટ સિરિયલ અનુપમામાં દિવાળી પહેલા જ ધમાકા થવાની શરૂઆત થઈ ગઈ છે. અનુપમાએ પાંખી અને અધિકને રંગેહાથ પકડી લીધા છે. પાંખી અને અધિકને આમ સાથે જોઈને અનુપમા ચોંકી જાય છે. એવામાં અનુપમા પોતાની દીકરીના પ્રેમની દુશ્મન બની જશે. મુદ્દે આ અઠવાડિયે શાહ હાઉસમાં ખૂબ ધડાકા થવાના છે. ચાલો તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે અનુપમા સિરિયલમાં શું તોફાન આવશે.

વાત એમ છે કે પાંખી અને અધિકને સાથે જોઈને અનુપમા ગુસ્સે થઈ જશે. પછી પાંખી તેને કહેશે કે તે હવે મોટી થઈ ગઈ છે તે કશું પણ કરી શકે છે. આ વાત સાંભળીને અનુપમા કહેશે કે કરિયર ને પૈસાની બાબતમાં પાંખી મોટી નથી થઈ પણ પ્રેમની બાબતમાં તે પોતાના નિર્ણય જાતે લેવા માંગે છે. અનુપમા પાંખીને ઘણું બધુ સંભળાવશે.

બા પાંખીને સમજાવવા પ્રયત્ન કરશે પણ તેની સામે પાંખી બાની બેઈજ્જતી કરવાનું શરૂ કરશે. એવામાં બા પાંખીને બદ્દચણન ગણવશે. બાની આવી કડવી વાતો સાંભળીને પણ પાંખીમાં કોઈ ફરક પડતો નથી.

અનુપમા આટલું બધુ વઢશે એ પછી પણ પાંખીમાં કોઈપણ ફરક પડશે નહીં. અનુપમાની સામે જ પાંખી અધિકનો હાથ પકડી લેશે. એ પછી તે નિર્ણય જણાવે છે કે તે અધિક સાથે જ લગ્ન કરશે અને તેનો આ નિર્ણય કોઈ બદલી શકશે નહીં. આ સાંભળીને અધિક પણ પયાખીનો સાથ આપે છે.

પાંખીને લીધે બરખાને પણ બોલવાનો ચાન્સ મળશે. આ દરમિયાન બરખા વનરાજ અને અનુપમાની લવ લાઈફની ખૂબ બેઈજ્જતી કરશે. એટલું જ નહીં બરખા દાવો કરે છે કે તે અનુપમાને સબક શીખવાડીને જ રહેશે. આ વાત સાંભળીને અનુજ પણ ખૂબ ગુસ્સે થઈ જશે આએ પછી અનુજ બરખાને અને અધિકને ઘરની બહાર કાઢી મૂકશે.

આ પછી બા જ્યારે શાહ હાઉસ પહોંચે છે તો તેનો ગુસ્સો જોવા મળે છે. તે વનરાજ અને બાપુજીને પાંખીની હરકતો વિષે જણાવે છે. બધી વાત સાંભળીને વનરાજનો પારો ચઢી જાય છે. આ પછી વનરાજ પાંખીને સબક શીખવાડવા માટેનો નિર્ણય લે છે.

Continue Reading

એન્ટરટેઈન્મેન્ટ

ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.

Published

on

મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશાલી એ અભિનેતા સુશાંત રાજપૂતના નજીકના મિત્રોમાંથી એક છે.

જાણકારી પ્રમાણે વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. વૈશાલી સસુરાલ સિમર કા, આશિકી, લાલ ઈશ્ક, સુપર સિસ્ટર અને વિષ ઓર અમૃત માં પણ કામ કર્યું હતું. યે રિશ્તા સિરિયલમાં તેણે અજંલિનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીને નેગેટિવ પાત્ર માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ મળ્યો હતો.

ટીવી સિવાય વૈશાલીએ કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. કહેવાય છે કે તેનો પરિવાર ઉજ્જૈન પાસે મહિદપૂરના રહેવાસી છે. પણ વૈશાલી ઈન્દોર જ ભણી ગણી છે. તેને પહેલાથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો.

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

વૈશાલી ઇન્સટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી તેની છેલ્લી બંને પોસ્ટ કે જે મસ્તી માટે એક શોર્ટ વિડીયો હતો તેમાં પણ તે મસ્તીના મૂડમાં મરી જવાની વાત કરી રહી છે અને બીજા એક વિડીયોમાં તેણે કોઈ પંખાનો વિડીયો શેર કર્યો હતો. જો કે તે બંને વિડીયો મસ્તી માટે જ હતા. પણ તે વિડીયો હમણાં 5 અને 6 દિવસ પહેલાના જ છે. હવે જોવું એ રહેશે કે આ 5 દિવસમાં એવું તો શું થયું કે તેણે આવું પગલું ભર્યું?

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

ટીવી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ બે વર્ષ પહેલા ઈન્દોરના હીરાનગરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને લીધે 25 માર્ચથી ઈન્દોર આવી ગઈ હતી. આ દરમિયાન તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

પોલીસએ પ્રેક્ષાના રૂમમાંથી નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, ‘મારા તૂટેલા સપનાએ મારા કોનફિડેન્સને તોડી દીધો હતી. હું મારા સપના સાથે જીવી નથી શકતી. આ નેગેટિવિટી સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે મે બહુ ટ્રાય કર્યું પણ હવે હું થાકી ગઈ છું.’ આ સાથે જ પ્રેક્ષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલી વાર એક msg પોસ્ટ કર્યો હતો, પોસ્ટમાં લખ્યું હતું, ‘સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું.’

Continue Reading

એન્ટરટેઈન્મેન્ટ

બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ.

Published

on

તહેવાર કોઈપણ હોય સામાન્ય વ્યક્તિની સાથે હવે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ તહેવારો ખૂબ ધામ ધૂમથી ઊજવતાં હોય છે. દિવાળી હોય કે ગણપતિ, ઈદ હોય કે પછી હોળી. અમુક કલાકાર એવા છે જેવો દરેક તહેવારને ખૂબ ઉત્સાહ સાથે ઊજવતાં હોય છે. ગઇકાલે પૂરી થયેલ કરવા ચોથ એ બૉલીવુડની પત્નીઓએ બહુ સારી રીતે ઉજવી હતી.

આજે અમે તમને આ અભિનેત્રીઓ વિષે જ જણાવી રહ્યા છે. ઘણી અભિનેત્રીઓ હતી જેમણે ખૂબ સારી રીતે આ દિવસ ઉજવ્યો તો ઘણી એવી પણ અભિનેત્રીઓ હતી જેમણે વ્રત નહોતું રાખ્યું પણ સેલિબ્રેટ જરૂર કર્યું છે. ઘણી અભિનેત્રીઓ છે જેમણે આ વર્ષે પહેલીવાર આ વ્રત કર્યું છે તેમાં કેટરીના કૈફ, મૌની રૉય, આલિયા ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

કેટરીના કૈફએ આ દિવસે ખાસ ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. રેડ સાડી સાથે તેણે ફ્લોરલ બ્લાઉઝ મેચ કર્યું હતું. આ સાથે તેણે લગ્નમાં જે મંગલસૂત્ર પહેરેલું એ પણ પહેર્યું હતું અને લાલ બંગડી, મહેંદી અને પાથીમાં સિંદુર પહેરેલી તે ખૂબ સુંદર દેખાઈ રહી હટી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. તો વિકીએ પણ તે ફોટો પોતાની ઇન્સટા સ્ટોરીમાં શેર કર્યા હતા. કેટરીના અને વિક્કી ખૂબ સુંદર લાગી રહ્યા છે.

આ સિવાય બૉલીવુડની બ્યુટીઝ માટે અનિલ કપૂરના ઘરે કરવા ચૌથની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, નીલમ અનિલ કપૂરની પત્ની સુનિતા બધા સાથે મળ્યા હતા આ સાથે બૉલીવુડના વરુણ ધવન અને તેમની પત્ની નતાશા પણ ત્યાં આવ્યા હતા. શિલ્પાએ એક સુંદર વિડીયો પણ આ પૂજાનો શેર કર્યો હતો જેમાં બધી મહિલાઓ ગીત સાથે પૂજા કરતી દેખાઈ રહી છે.

શિલ્પાએ બીજો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પતિ રાજ કુંદ્રા સાથે પૂજા કરી રહી છે. આ ફોટો અનિલ કપૂરએ પડ્યો હતો એવો ખુલાસો શિલ્પાએ તેની પોસ્ટના કેપ્શનમાં કર્યો હતો.

લગ્ન પછી આલિયા ભટ્ટ પોતાનું પહેલું કરવા ચૌથ સેલિબ્રેટ કરી રહી છે, જો કે આલિયાએ આ વર્ષે વ્રત કર્યું છે કે નહીં એ વાતની કોઈ માહિતી મળી નથી. તે પ્રેગ્નેન્ટ છે અને હવે જલ્દી જ આલિયા અને રણબીરના જીવનમાં તેમના પહેલા બાળકનું આગમન થવાનું છે. આ દિવસે આલિયાએ એક પોસ્ટ શેર કરીને બધાને શુભેચ્છાઓ આપી છે તો સામે નીતુ કપૂરએ પણ વહુ આલિયાને અને દીકરી રિધ્ધિમાને કરવા ચૌથની શુભેચ્છાઓ આપી છે.

ઇંડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર ધનશ્રી વર્માએ કરવા ચૌથનું આ સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું હતું. યુઝવેન્દ્ર એ ટીમ ઈન્ડિયા સાથે બહાર છે ત્યારે આ કપલએ વિડીયો કોલ પર આ દિવસ ઉજવ્યો હતો. તેનો વિડીયો પણ આ કપલએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

મૌની રૉયએ કરવા ચૌથ નિમિત્તે સૌથી પહેલા મહેંદીના ફોટો શેર કર્યા હતા અને આ પછી તેણે આ દિવસની ખાસ ઉજવણી કરવાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે મૌનીએ મહેંદીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘પહેલું હમેશા ખાસ હોય છે… હેપ્પી કરવા ચૌથ બ્યુટીઝ’

તમને આ બધા ફોટોમાંથી કોનો ફોટો વધારે પસંદ આવ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. આવી જ અવનવી માહિતી માટે ફોલો કરો અમારી પ્રોફાઇલ.

Continue Reading
Advertisement
Advertisement

Trending