Connect with us

કોરોના

5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન રાખવુ પડશે આ બાબતોનું ખાસ ધ્યાન

Published

on

મળતી માહિતી મુજબ આજથી રોજ શ્રદ્ધાળુઓ જમ્મુ કશ્મીરમાં રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓમાં માં વૈષ્ણો દેવીના દર્શન કરી શકશે. કોરોના કારણે કડક નિયમોની સાથે યાત્રા શરૂ થઈ રહી છે. ચરણમાં પ્રતિદિન માત્ર 2000 શ્રદ્ધાળુ દર્શન કરી શકશે. આ યાત્રા 18 માર્ચના રોજ મોકુફ રાખવામાં આવી હતી

શ્રી માતા વૈષ્ણો દેવી સાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે માં વૈષ્ણો દેવીની યાત્રા કાલથી શરૂ થશે. તેણે જણાવ્યું કે, પહેલા સપ્તાહમાં દરરોજ આશરે 2000 તીર્થયાત્રાની સીમાં સુધી નક્કી કરવામાં આવે છે.

જેમાંથી 1900 ભક્ત જમ્મુ કાશ્મીર અને બાકી 100 યાત્રી બહારના હશે. કુમારે જણાવ્યું કે તે બાદ સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે અને તે અનુસાર નિર્ણય કરવામાં આવશે. યાત્રા રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર ભીડ એકત્રિત થવાથી રોકવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ જ લોકો યાત્રા અનુમતિ દેવામાં આવશે.

યાત્રિકોએ પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવી અનિવાર્ય રહેશે. ચહેરા ઉપર માસ્ક અને કવર અનિવાર્ય થશે. યાત્રાના એન્ટ્રી પોઈન્ટ ઉપર માતાના ભક્તોની થર્મલ તપાસ કરવામાં આવશે.

તેણે જણાવ્યું કે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બિમારીઓથી ગ્રસીત લોકો અને 60 સાલથી વધારે ઉંમરના લોકો માટે યાત્રા નહીં કરવાની અપીલ કરી છે.જમ્મુ કાશ્મીરમાં બહારના યાત્રિકો અને કેન્દ્રશાસિત પ્રદેશના રેડ ઝોનવાળા જિલ્લામાં આવનારા યાત્રિકોને કોરોનાથી સંક્રમિત નહી હોવાનો સંબંધીત રિપોર્ટને હેલીપૈડ અને દર્શનની યાત્રા ઉપરના પ્વોઈંટ ઉપર તપાસ કરવામાં આવશે.

કોરોના

મહિલા ખાઈ રહી છે ફાયરબોલ્સ: આઈપીએસ બોલ્યા કોરોનાથી બચવાનો છેલ્લો ઉપાય

Published

on

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તેણે પ્લેટમાં કંઈક એવું રાખ્યું છે, જે અગ્નિના ગોળા જેવું લાગે છે. વિડિઓમાં, તમે જોશો કે સ્ત્રી ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાઈ રહી છે.

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દરેક જગ્યાએ લોકો કોરોના સામે સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓને ન તો બેડ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓક્સિજનને લઇને સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા લોકો ઘરે રહીને પોતાને ઇલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે લોકો કોરોનાનાં લક્ષણો બતાવી રહ્યાં છે તે તરત જ ઘરેલું ઉપચાર શરૂ કરી રહ્યા છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તે ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાય છે. આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘સ્ટીમ લીધા પછી, મીઠાના પાણીથી કોગળા કર્યા પછી, હળદરનું દૂધ પીધા પછી, રોજ ગરમ પાણી પીધા પછી, આ છેલ્લો ઉપાય બાકી છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે.’. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે તમે લોકોએ આ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ફક્ત વેક્સિન લો.

Continue Reading

કોરોના

સીઆઈએસસીઈ બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી

Published

on

કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.

ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.

સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending