Connect with us

સ્પોર્ટ્સ

મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, પહેલીવાર ટી20 વલ્ડકપની ફાઇનલમાં પહોંચી મહિલા ક્રિકેટ ટીમ

Published

on

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આઇસીસી ટી -20 મહિલા વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર થવાની હતી, પરંતુ વરસાદને કારણે હજી મેચ શરૂ થઈ શકી નહીં. આઇસીસીના નિયમો મુજબ મેચ ટોસનો કટ ઓફ ટાઇમ સવારે 11:06 વાગ્યે રાખવામાં આવ્યો છે. જો ત્યાર સુધી ટોસ નહીં થાય તો મેચ રદ કરવામાં આવશે.

T 20 WORLDCUP

મહત્વનું છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ કેવિન રોબર્ટ્સે કહ્યું હતું કે ક્રિકેટ એસોસિએશન દ્વારા સેમિ-ફાઇનલ માટે રિઝર્વ ડે યોજવા આઇસીસીને વિનંતી કરવામાં આવી હતી, પરંતુ આઇસીસીએ ટૂર્નામેન્ટની રમતની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવાની વાતને નકારી હતી. આવી સ્થિતિમાં કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

નિયમો અનુસાર જો સેમિ-ફાઇનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવે છે અથવા જો મેચની બંને ટીમો ઓછામાં ઓછી 10-10 ઓવર રમવા માટે અસમર્થ હોય, તો તેમના ગ્રુપની ટોચની ટીમને અંતિમ ટિકિટ મળશે. રોબર્ટ્સે આઇસીસીને રિઝર્વ ડે પર મેચ યોજવાની સંભાવના પર વિચાર કરવા વિનંતી કરી હતી, પરંતુ આઇસીસીએ કહ્યું કે હાલના નિયમોમાં ફેરફાર કરવો શક્ય નથી.

જો વરસાદને કારણે બંને મેચ રદ કરવામાં આવે છે, તો 4 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ સ્થિતિમાં ટૂર્નામેન્ટની અંતિમ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા 8 પોઇન્ટ સાથે ગ્રુપ એમાં ટોચ પર છે જ્યારે દક્ષિણ આફ્રિકા 7 પોઇન્ટ સાથે ગ્રુપ બીમાં ટોચ પર છે. મેચ રદ થવાની સ્થિતિમાં ગ્રુપની ટોચની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે.

ભારતીય ટીમે શાનદાર સેમિફાઇનલ મુસાફરી કરી હતી અને ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવી હતી. તેઓ ટુર્નામેન્ટમાં એકમાત્ર એવી ટીમ છે જેણે ગ્રુપ લેવલ પર તેમની કોઈ મેચ ગુમાવી નથી.

ટીમ ઇન્ડિયા 8 માર્ચના રોજ મેલબોર્ન ખાતે ફાઇનલ રમવા મેદાને ઉતરશે ત્યારે કેપ્ટન હરમનપ્રીત કોરનો જન્મદિવસ છે, તેમજ વુમન્સ ડે પણ છે.

ટૂર્નામેન્ટમાં સ્પિનર પૂનમ યાદવે સૌથી વધુ 4 મેચમાં 9 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ એવરેજ 9.88ની રહી છે. ઇંગ્લેન્ડની આન્યા શ્રબસોલ બીજા અને સોફી એસલસ્ટોન ત્રીજા સ્થાને છે. બંનેએ 4 મેચમાં 8-8 વિકેટ લીધી છે. આન્યાની એવરેજ 10.62 અને સોફીની 6.12ની રહી છે.

સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જીત્યું છે 503 મેડલ્સ! જાણો અત્યાર સુધીની જર્ની

Published

on

india-has-won-503-medals-in-the-commonwealth-games-know-the-journey-so-far

કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 28 જુલાઈથી ઈંગ્લેન્ડના બર્મિગહામ શહેરમાં થવા જઈ રહી છે. 12 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટનું સમાપન 8 ઓગસ્ટે થશે. આ વર્ષે ભારતના કુલ 215 ખેલાડીઓ ભાગ લેશે. જોકે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસની વાત કરીએ તો તેની પહેલી સિઝન 1930માં રમવામાં આવી હતી. જેમાં ભારતે ભાગ લીધો ન હતો. ભારતે પહેલીવાર 1934 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. જ્યાં 1 મેડલ ભારતના ખાતામાં આવ્યો હતો. અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સની 21 સિઝન પૂરી થઈ ગઈ છે. જેમાં ભારતે 1930, 1950, 1962 અને 1986માં ચાર વખત ભાગ લીધો ન હતો.

રાશિદ અનવરે અપાવ્યો પ્રથમ મેડલ:
રેસલર રાશિદ અનવરે ભારતને સૌથી પહેલો મેડલ ડેબ્યુ સિઝન 1934માં અપાવ્યો હતો. તેમણે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવામાં આવતી હતી.

india-has-won-503-medals-in-the-commonwealth-games-know-the-journey-so-far

આઝાદી પછી ભારતે પહેલીવાર 1954માં ભાગ લીધો:
ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર 1954માં ભાગ લીધો. તે વર્ષે ભારતની ઝોળીમાં એકપણ મેડલ આવ્યો નહતો. 1966માં પહેલીવાર ભારત મેડલની યાદીમાં બેનો આંકડો સ્પર્શ કરવામાં સફળ રહ્યું. તે સમયે ભારતે કુલ 10 મેડલ જીત્યા. તેના પછી સતત ભારતના મેડલની યાદીમાં વધારો થતો ગયો.

2010માં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું:
ભારતને એક વાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તક મળી અને તે દરમિયાન ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી. 2010 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દિલ્લીમાં થયું હતું અને ભારતે કુલ 101 મેડલ જીત્યા હતા. તે સિવાય ભારત ક્યારેય 100નો આંકડો સ્પર્શ કરવામાં સફળ રહ્યું નથી.

india-has-won-503-medals-in-the-commonwealth-games-know-the-journey-so-far

છેલ્લી સિઝન ભારત માટે કેવી રહી:
2018માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમેરિકામાં થયું હતું. આ દરમિયાન ભારતે 26 ગોલ્ડની સાથે 20 સિલ્વર અને તેટલાં જ બ્રોન્ઝ સાથે કુલ 66 મેડલ પોતાના નામે કર્યા હતા. મેડલની યાદીમાં ભારતે ઓસ્ટ્રેલિયાના 198 મેડલ અને ઈંગ્લેન્ડ 136 મેડલ પછી ત્રીજું સ્થાન મેળવ્યું.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા 503 મેડલ:
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી કુલ 503 મેડલ જીત્યા છે. જેમાં ટીમ ઈન્ડિયાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2010 કોમનવેલ્થ ગેમ્સમાં જોવા મળ્યું હતું. ભારતે તે સમયે 101 મેડલ જીતીને બીજું સ્થાન મેળવ્યું હતું. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 181 ગોલ્ડ, 173 સિલ્વર અને 149 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

india-has-won-503-medals-in-the-commonwealth-games-know-the-journey-so-far

કઈ ગેમ્સમાં ભારત મજબૂત:
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન શૂટિંગ, વેઈટલિફ્ટિંગ અને રેસલિંગમાં શાનદાર રહ્યું છે. અત્યાર સુધી શૂટિંગમાં ભારત 63 ગોલ્ડની સાથે 135 મેડલ, વેઈટલિફ્ટિંગમાં 43 ગોલ્ડની સાથે 125 મેડલ અને રેસલિંગમાં 43 ગોલ્ડની સાથે 102 મેડલ જીત્યા છે. 503માંથી 362 મેડલ તો ભારતે આ ત્રણ રમતમાં જ જીત્યા છે

Continue Reading

સ્પોર્ટ્સ

Asia Cup 2022માં ભારત-પાકિસ્તાન ફરી થશે આમને સામને જાણો ક્યારે છે તેમની વચ્ચે મેચ

Published

on

india-pakistan-will-meet-again-in-asia-cup-2022-find-out-when-there-is-a-match-between-them

ભારત અને પાકિસ્તાન (India Pakistan Cricket Match) વચ્ચે મેચ થવાની છે, એવું સાંભળીને ક્રિકેટ રસિકો ભારત-પાકિસ્તાનની મેચ જોવા ઉતાવળા થઇ જતા હોય છે. ત્યારે હવે ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક ખુશખબર સામે આવી છે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે એશિયા કપમાં ખૂબ જ જલ્દી મેચ રમાવાની છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે એશિયા કપની (Asia Cup 2022) મેજબાની શ્રીલંકા કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022ની શરૂઆત 27 ઓગસ્ટના રોજ થશે. જોકે, હજી સુધી ટૂર્નામેન્ટનું શેડ્યુઅલ જાહેર કરવામાં નથી આવ્યું.

india-pakistan-will-meet-again-in-asia-cup-2022-find-out-when-there-is-a-match-between-them

ભારતે પાકિસ્તાન સામે રમવા અને શ્રીલંકા પ્રવાસ માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. જેને લઈને શ્રીલંકાએ ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ આરંભી દીધી છે. 21 ઓગસ્ટથી ક્વોલિફાયર રાઉન્ડ શરુ કરી દેવામાં આવશે. તો 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ટૂર્નામેન્ટની મેચ રમાશે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા, જયારે પાકિસ્તાનની કેપ્ટનશીપ બાબર આઝમ સંભાળશે. ગત ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી.

india-pakistan-will-meet-again-in-asia-cup-2022-find-out-when-there-is-a-match-between-them

ઉલ્લેખનીય છે કે, એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી દીધું છે. આ ઉપરાંત યુએઈ, નેપાળ, ઓમાન, હોંકૉન્ગ અને બાકીની ટીમો વચ્ચે ક્વોલિફાયર રાઉન્ડ રમાશે. ટીમ ઇન્ડિયા આ વખતે ડીફેન્ડીગ ચેમ્પિયન છે, જેણે ગત ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં બાંગ્લાદેશને હાર આપી હતી.

india-pakistan-will-meet-again-in-asia-cup-2022-find-out-when-there-is-a-match-between-them

રિપોર્ટ્સ અનુસાર, એશિયા કંપની શરૂઆતના બીજા જ દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાઈ શકે છે. મહત્વનું છે કે, 28 ઓગસ્ટના રોજ રવિવાર છે અને ભારત-પાકિસ્તાનની મેચ માટે આનાથી વધુ સારો બીજો કોઈ દિવસ ન હોઈ શકે. રવિવાર અને ભારત-પાકિસ્તાનની મેચના સંગમનો ફાયદો એશિયન ક્રિકેટ કાઉન્સિલ સહિત બ્રોડકાસ્ટર્સને વધુમાં વધુ TRP મળી શકે છે. જેના કારણે આ મેચ માટે રવિવાર પસંદ કરાયો છે.

 

Continue Reading

સ્પોર્ટ્સ

આ કપ્તાને ભારતીય ખેલાડીઓને ફિલ્ડમાં દાદાગીરી શીખવાડેલ

Published

on

The captain taught Indian players grandfathering on the field

પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને હાલના બીસીસીઆઈના વડા આજે 50 વર્ષના થયા છે. ભારતીય ખેલાડીઓને વિદેશી ખેલાડીઓને ઓન ફિલ્ડ જવાબ આપતા શિખવાડ્યું હતું ગાંગુલીએ. સૌરવ ગાંગુલીનો આજે 50મો જન્મદિવસ છે. પ્રિન્સ ઓફ કોલકતા કહેવાતા આ ખેલાડી ભારતીય પ્લેયર્સમાં લડવાની અલગ આગ આપી હતી. તેમના જ કારણે આજે ભારત આજે ઓસ્ટ્રેલિયન પ્લયર્સના સ્લેજિંગની જડબાતોડ જવાબ આપતા શિખ્યા છે.

The captain taught Indian players grandfathering on the field

એ કેપ્ટન જેણે યુવી-ભજ્જી, સહેવાગ અને ધોની જેવા અનેક ખેલાડીઓની બનાવી દીધી લાઈફઃ
વર્ષ 2000માં મેચ ફિક્સિંગના સ્કેન્ડલ બાદ સૌરવ ગાંગુલીએ ભારતીય ટિમની સુકાની મેળવી હતી, અને તેમની આગેવાનીમાં ઘણા યુવા ક્રિકેટરો તૈયાર થયા હતા. યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની, ઝહિર ખાન, હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ, આશિષ નેહરા, મોહમ્મદ કેફ જેવા પ્રતિભાશાળી ક્રિકેટરોએ ગાંગુલીની આગેવાનીમાં ડેબ્યુ કર્યું હતું.

ગાગુંલીએ જ વિરેન્દ્ર સહેવાગને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરવા માટે કહ્યું હતું, જે બાદ સહેવાગની ગેમમાં અને કરિયરમાં બદલાવ આવ્યો હતો. સહેવાગ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતા બે ત્રિપલ સેન્ચુરી ફટકારી હતી.ગાંગુલીએ પોતાની કેપ્ટનશીપ દરમિયાન કેટલા બહાદુરી ભર્યા નિર્ણયો પણ લીધા હતા. જેમકે, જ્યારે ભારત પાસે કોઈ વિકેટ કિપર બેટર ન હતો. ત્યારે, પોતાના વાઈસ કેપ્ટન રાહુલ ડ્રવિડની તેમણે વિકેટ કિપિંગ કરવા કિધી હતી. અને તેમાં તેઓ સફળ પણ રહ્યા હતા. તેમની જ આગેવાનીમાં ભારતે 2001માં ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રિલાયામાં જ હરાવ્યું હતું. ઈંગ્લેન્ડનમાં 2002 નેટવેસ્ટ ટ્રોફી ભારતને જીતાવી હતી. અને તેમની સૌથી મોટી સિદ્ધી ગણી શકાય તે બતી 2003નો વિશ્વ કપ, જેમાં ભારત ફાઈનલ સુધી પહોંચ્યું હતું. 2005માં તેમણે ભારતના કટ્ટર હરિફ એવા પાકિસ્તાન સામે પણ ટેસ્ટ શ્રેણી જીતી હતી.

The captain taught Indian players grandfathering on the field

ઉપનામોના રાજા સૌરવઃ
‘દાદા’, ‘પ્રિન્સ ઓફ કોલકતા’, ‘ગોડ ઓફ ઘ સ્ટાઈલ્સ’, ‘કિંગ ઓફ કમ્બેક્સ’, મહારાજ, ‘રોયલ બેંગોલ ટાયગર’ આ નામ સૌરવ ગાંગુલીને તેમના ફેન્સ અને તેમના સાથી ખેલાડીઓ દ્વારા અવામાં આવ્યા હતા. જ્યોફ્રી બોયકોટે તેમને ‘ધ પ્રિન્સ ઓફ કોલકતાનું નાંમ આપ્યું હતું. તેમના પરિવાર દ્વારા તેમને ‘મહારાજ’ નામન આપવામાં આવ્યું હતું. સ્ટિવ વોઘને ટોસ માટે રાહ જોવળાવી કે પછી લોર્ડસની બાલકનીમાંથી ટીશર્ટ કાઢી લહેરાવી દરેક વાત ગાંગુલીની આજે પણ લોકોને યાદ છે.

લોર્ડસના રાજાઃ
સૌરવ ગાંગુલીએ 1992માં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે મેચમાં ડેબ્યુ કર્યું હતું. પણ બાદમાં તેમનું વર્તન ખરાબ હોવાનું કારણ આપી તેમને ટિમમાંથી બરતરફ કરાયા હતા.

The captain taught Indian players grandfathering on the field
જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે પોતાના પર્ફોમન્સથી લોકોને સતબ્ધ કર્યા હતા અને 1996માં તેમના ટીમમાં લેવા માટે મજબૂર કર્યા હતા. ગાંગુલીનો લોર્ડસ મેદાન ખાતેની ડેબ્યુ ટેસ્ટ મેચ કોઈ સપાનથી ઓછી ન હતી. તેમણે પોતાની પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરી બનાવી હતી.
ગાંગુલીએ પોતાના 311 મેચના વન ડે કરિયરમાં 11,163 રન બનાવ્યા હતા. જેમાં, 22 સદી અને 72 અર્ધ સદી સામેલ છે. જ્યારે, 113 ટેસ્ટ મેચમાં ગાંગુલીએ 7,212 રન કર્યા છે. જેમાં, 16 સેન્ચુરી અને 35 હાફ સેન્ચુરી કરી હતી.

ગાંગુલી, એક સંચાલકઃ
2008માં ક્રિકેટને અલવિદા કહ્યા બાદ દાદાએ પસંદ કર્યું ક્રિકેટને પરત કઈ આપવું. તેઓ ક્રિકેટ એસોશિયેશન ઓફ બેંગાલના પ્રેસિડેન્ટ બન્યા હતા. અને 23 ઓક્ટોબર 2019ના રોજ બીસીસીઆઈના 39માં પ્રેસિડેન્ટ બન્યા.

 

Continue Reading
Advertisement
Advertisement

Trending