જાણવા જેવું
જાણો શા માટે થઈ જાય છે તમારુ ઈન્ટરનેટ સ્લો !! ઈન્ટરનેટની સ્પીડ વધારવા અપનાવો આ રીત
Published
2 years agoon

કોરોનો કાળમાં દરેક લોકો વર્ક ફ્રોમ હોમ કરતા થયા છે,ત્યારે વર્ક ફોર્મ હોમમાં સૌથી મોટી સમસ્યા એ છે કે તેમા ઇન્ટરનેટની સ્પીડ,ઇન્ટરનેટની સ્પીડ જો સારી ના હોય તો કામ કરવામાં ઘણી બધી મુશ્કેલી થાય.
ઈન્ટરનેટ સ્પીડ એક એવી સમસ્યા છે જે ક્યારેય પણ સોલ્વ થતી નથી. ભલે તમે કેટલી પણ મોંઘો અને સારો ઈન્ટરનેટ પ્લાન ખરીદી લો, સ્પીડની સમસ્યા બધા માટે કોમન છે. આખરે શા માટે થઈ જાય છે તમારુ ઈન્ટરનેટ સ્લો ? અને જાણો કેવી રીતે તમે પોતાની ઈન્ટરનેટ સ્પીડ સુપર ફાસ્ટ બનાવી શકો છો.
હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્લાન હોવા છતાં જો તમારી સિસ્ટમ ધીમી ચાલે છે તો તેનું કારણ છે ઇન્ટરનેટ થ્રોટલિંગ. હકીકતમાં તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર વિસ્તારના દરેકને સમાન ગતિ આપવા માટે ફક્ત ઇન્ટરનેટ થ્રોટલિંગનો ઉપયોગ કરે છે.
જો એક વ્યક્તિ અથવા કેટલાક લોકો HD મૂવી જોઈ રહ્યા હોય અથવા એક જ જગ્યાએ ભારે ફાઇલ એક સાથે ડાઉનલોડ કરી રહ્યાં હોય તો સર્વર લોડ નોંધપાત્ર રીતે વધે છે. આ કિસ્સામાં ઇન્ટરનેટ સેવા પ્રદાતા તેમની આંતરિક સેટિંગ્સથી તેમની ગતિ ઘટાડે છે.
જેથી એક સમયે સર્વર પરનો ભાર ઓછો થઈ જાય અને તે વિસ્તારના તમામ લોકોને સમાન ગતિ મળી રહે. આ જ કારણ છે કે હાઇ સ્પીડ પ્લાન લેવા છતાં ઇન્ટરનેટની ગતિ ધીમી રહે છે.મોટાભાગના ઇન્ટરનેટ સેવા નિષ્ણાંતો ભલામણ કરે છે કે, જો તમારું નેટ ધીમું ચાલતું હોય તો તેની સૌથી સહેલો ઉપાય VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક.
આ નેટવર્ક વિશેની વિશેષ બાબત એ છે કે, તે તમને ઇન્ટરનેટ સેવા પ્રદાતા દ્વારા જોયા વિના એક અલગ સર્વર પ્રદાન કરે છે. તેના પર કામ કરવાથી, તમારી ગતિ આપમેળે વધી જાય છે. તમે તમારા મોબાઇલ અથવા લેપટોપમાં આવા એક VPNને ડાઉનલોડ અને ઉપયોગ કરી શકો છો.
તમે તમારુ ઈન્ટરનેટ સ્પીડ તપાસવા માટે કોઈ ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ અથવા વેબસાઈટની મદદ લઈ શકો છો. અલગ-અલગ સમયમાં પોતાની સ્પીડને તપાસવાથી તમને જાણ થઈ શકે છે કે, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે તમારા કનેક્શનમાં ઈન્ટરનેટ થ્રોટલિંગ લગાવ્યુ છે કે નગી. તમે તમારી સ્પીડની ફરીયાદ સર્વિસ પ્રોવાઈડર કંપનીને પણ કરી શકો છો.
You may like
-
પ્લેનમાં મુસાફરી કરતા પહેલા જાણીલેજો આ નવી એડવાઈઝરી! જો નિયમનહિ પાળો તો “નો ફ્લાઈ ઝોનની યાદી”માં સામેલ થઇ જશો
-
કોરનાએ ફરી રાજ્યમાં આજે સદી ફટકારી! અમદાવાદમાં જ ૫૦થી વધુ કેસ
-
કોરોના પહોચ્યો મન્નતમાં! કિંગખાન શાહરૂખ કોરોના સંક્રમિત
-
બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
-
પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ
જાણવા જેવું
આ બેન્કો પર્સનલ લોન આપે છે સૌથી સસ્તા વ્યાજ સાથે! જલ્દી ચકાસી લો લિસ્ટ
Published
1 hour agoon
June 25, 2022
જ્યારે હાથમાં રોકડ ન હોય અને તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય તો તમે પર્સનલ લોન લઈ શકો છો. આ લોન ગોલ્ડ લોનની જેમ જ હોય છે, જેમાં તમે ગોલ્ડનો સિક્યોરિટી તરીકે ઉપયોગ કરી શકો છો. જોકે, પર્સનલ લોન સિક્યોરિટી તરીકે કંઈ જ જમા કરાવવાની જરૂર રહેતી નથી. પર્સનલ લોન લેવા માટે તમારે જે બેન્ક ઓછો વ્યાજ દર વસૂલ કરે તેવી બેન્કમાં લોન માટે એપ્લાય કરવું જોઈએ. જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો હોય તેને બેન્ક સૌથી ઓછા વ્યાજ દરની લોન આપે છે.
જ્યારે પણ તમે લોન માટે એપ્લાય કરો છો ત્યારે તમારે બેન્ક પાસેથી સુનિશ્ચિત કરવું જોઈએ કે, વ્યાજદર નિશ્ચિત છે કે, અસ્થાયી. જો નિશ્ચિત વ્યાજદર હોય તો તમારા માસિક હપ્તા (EMI) પર કોઈ અસર પડતી નથી. પર્સનલ લોન અસુરક્ષિત હોય છે તથા અન્ય લોન કરતા પર્સનલ લોન પર વ્યાજદર વધુ વસૂલવામાં આવે છે. પર્સનલ લોન માટે તમે મિત્રો અથવા પરિવારને પણ વાત કરી શકો છો. બેન્ક, નોન બેન્કિંગ સંગઠનો (NBFCs) પણ પર્સનલ લોનની સુવિધા આપે છે. ટાટા કેપિટલ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), HDFC સહિત અન્ય બેન્ક પણ પર્સનલ લોનની સુવિધા આપે છે.
– બેન્ક અથવા NBFC પર્સનલ લોન માટે સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ, સ્ટેચ્યુટરી ચાર્જ તથા અન્ય ચાર્જ વસૂલ કરે છે. તમામ લોન પ્રોવાઈડર પર્સનલ લોન પર અલગ અલગ ચાર્જ વસૂલ કરે છે.
– લોન લેનાર વ્યક્તિને પ્રિ-ક્લોઝર અથવા પ્રિ-પેમેન્ટ ચાર્જ જમા કરાવવાનો હક છે. લોન પ્રોવાઈડર પર્સનલ લોન પર કયા કયા ચાર્જ વસૂલ કરે છે, તેની લોન લેનારે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ.
– લોન પ્રોવાઈડર વધુમાં વધુ પાંચ વર્ષ માટે પર્સનલ લોન (Personal loans) આપે છે. તમામ કેસમાં લોનની ચૂકવણી કરવાનો કાર્યકાળ અલગ અલગ હોય છે.
પર્નલ લોન માટે એપ્લાય કરવા લોન એપ્લિકેશનની સાથે સાથે અહીં જણાવેલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.
– પાસપોર્ટ સાઈઝ ફોટો- 2
– એમ્પ્લોયર તરફથી આપવામાં આવેલ ID કાર્ડ
– છેલ્લા 6 મહિનાની સેલેરી સ્લીપ અથવા ફોર્મ 16
– પાન કાર્ડ (Permanent Account Number)
– ઓળખ માટે એક આઈન્ડેટીટી પ્રૂફ અને હાલના એડ્રેસનો પુરાવો
– પાસપોર્ટ
– ડ્રાઈવિંગ લાયસન્સ
– આધાર કાર્ડ
– ચૂંટણી કાર્ડ
– NREGA દ્વારા જાહેર કરેલ જોબ કાર્ડમાં રાજ્ય સરકારના અધિકારીની સહી હોવી જોઈએ.
– રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરે જાહેર કરેલ પત્રમાં નામ અને એડ્રેસ હોવું જોઈએ.
જાણવા જેવું
સુંદર દેખાતા ફળોથી ચેતજો! દુનિયાના સૌથી ઝેરી ફળોમાં થાય છે તેમની ગણતરી
Published
22 hours agoon
June 24, 2022
સામાન્ય રીતે, જ્યારે આપણે ફળો વિશે વાત કરીએ છીએ, ત્યારે તે આપણા સારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફળો એવા પણ છે જેને ખાવાથી જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. જી હા, દુનિયામાં એવા ઘણા ફળ છે જે જોવામાં જેટલા સ્વાદિષ્ટ અને સુંદર હોય છે, તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ઘાતક હોય છે. તો ચાલો જાણીએ તેમના વિશે.
સ્ટાર ફ્રુટ એક ખાટુ અને મીઠુ ફળ છે. તેમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. પણ જો તમને કિડનીની સમસ્યા છે, તો તમારે આ ફળ ખાતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. અસલમાં પીળા સ્ટાર ફ્રુટમાં ઓક્સાલેટની વધુ માત્રા જોવા મળે છે, જે કિડનીની સમસ્યાવાળા લોકો માટે જોખમી છે. તેના વધુ પડતા સેવનથી ખાવાથી કિડનીને નુકસાન, હાર્ટ એટેક અને મૃત્યુ પણ થઈ શકે છે.
જો તમને પીચ ખાવાનું પસંદ છે, તો તમને જણાવી દઈએ કે પીચ પર 60થી વધુ જંતુનાશકો મળી આવ્યા છે. તેના બીજમાં એમીગડાલિન નામનું સંયોજન હોય છે જે પેટમાં પીવાથી હાઇડ્રોજન સાયનાઇડમાં ફેરવાય છે અને ઝેર બની જાય છે.
જટરોફા છોડ ઉષ્ણકટિબંધીય અથવા ઉપ-ઉષ્ણકટિબંધીય આબોહવા સાથે વિશ્વના લગભગ તમામ ખૂણાઓમાં જોવા મળે છે. કમનસીબે, ભારતના ઘણા ભાગોમાં બાળકો આ ઝેરી ફળના સેવનથી પ્રભાવિત થયા છે.
અસલમાં આ મીઠા, પીળા ફળમાં જોવા મળતા બીજ ખતરનાક ઝેરનું કામ કરે છે. જટરોફાના બીજ ઉલ્ટી, ઝાડા અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
કાળી અને જાંબલી પોકબેરી (Pokeberry) જે દેખાવમાં દ્રાક્ષ જેવી લાગે છે, તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનું સેવન કર્યા પછી પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી અને લોહીવાળા ઝાડા થઈ શકે છે. તેના બીજ પણ ખૂબ જ ઝેરી હોય છે અને તમારી નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે.
આ નારંગી રંગની સી બકથ્રોન બેરી (Sea Buckthorn Berries) જોવામાં જેટલી આકર્ષક છે તેટલી જ ઝેરી છે. આ બેરી અમેરિકા, કેનેડા, પૂર્વ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે. જો કોઈ આકસ્મિક રીતે ઝેરી તત્વોથી ભરપૂર આ બેરી ખાય છે, તો નર્વસ સિસ્ટમમાં સોજો અને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
જાણવા જેવું
જાજી ખુશી વખતે આંખમાથી કેમ નીકળે છે આંસુ? આ રહ્યું તેનું કારણ
Published
23 hours agoon
June 24, 2022
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે રડીએ છીએ? દુઃખમાં નીકળતા આંસુ ક્યારેક ખુશીના પ્રસંગોમાં પણ કેમ વરસવા લાગે છે? આંસુનો સીધો સંબંધ તમારા મનની લાગણી સાથે છે. દુ:ખ કે મુશ્કેલી કે પરમ સુખની લાગણીઓ, લાગણીઓના દબાણને કારણે આંસુ બેકાબૂ થઈ વહેવા લાગે છે. વેબ એમડીના જણાવ્યા અનુસાર, સુખ હોય કે કોઈ દુ:ખ, આપણા આંસુ પોતાની મેળે જ નીકળી જાય છે. લોકો ઘણીવાર દુ:ખ અને મુશ્કેલીમાં રડે છે, પરંતુ જ્યારે ખુશીમાં તેમની આંખમાંથી આંસુ નીકળે છે ત્યારે આપણે તેને ખુશીના આંસુ કહીએ છીએ.
કેટલીકવાર બહુ હસતી વખતે ઘણી વખત આંખમાં આંસુ આવી જાય છે. હસતી વખતે આપણા ચહેરાના કોષો અનિયંત્રિત રીતે કામ કરવા લાગે છે અને લૅક્રિમલ ગ્રંથીઓ પરથી મગજનો કંટ્રોલ જતો રહે છે. જેના કારણે હસતી વખતે આંખોમાંથી આંસુ નીકળી જાય છે. હસતી વખતે આંખોમાંથી આંસુ આવવાનું બીજું કારણ વ્યક્તિની લાગણીઓ છે.
ઘણી વાર તમે વધુ પડતી ખુશીને કારણે ભાવુક થઈ જાવ છો, જેના કારણે ચહેરાના કોષો પર દબાણ વધી જાય છે અને આંસુ નીકળે છે. આ સિવાય ભાવનાત્મક આંસુને કારણે તણાવ સમાપ્ત થાય છે.રડતી વખતે કે હસતી વખતે આંસુ નીકળવામાં સૌથી મહત્વની ભૂમિકા શરીરના હોર્મોન્સની હોય છે. આપણું મગજ જે રીતે દરેક સમયે સક્રિય રહે છે, તે જ રીતે મગજનો એક ભાગ રડતી વખતે અને હસતી વખતે સક્રિય બને છે.

details
મગજની કોશિકાઓ પર તણાવને કારણે હસતી વખતે અથવા રડતી વખતે શરીરમાં થતી વિવિધ પ્રતિક્રિયાઓ માટે કાર્ટીસોલ અને એડ્રેનાલિન જેવા હોર્મોન્સ જવાબદાર છે. તેના કારણે જ્યારે આપણે હસીને રડીએ છીએ ત્યારે આપણી આંખોમાં આંસુ આવી જાય છે. એટલે જ આંખના આંસુ ફક્ત ઉદાસી કે દુઃખ પૂરતા જ સીમિત નથી.

બોલો આ ભાઈ દિવસમાં ત્રણ વખત વાટકા ભરી ભરીને ખાય છે ડોગ ફૂડ

ચોમાસામા ઘરની દીવાલો પર કરો આટલું નહીં આવે ભેજ…

આ બેન્કો પર્સનલ લોન આપે છે સૌથી સસ્તા વ્યાજ સાથે! જલ્દી ચકાસી લો લિસ્ટ

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ! આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું તેના રેકોર્ડ્સ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી