ગુજરાત
world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
Published
3 years agoon

એકને નશો છોડાવો, પાંચના જીવન બચાઓ….બીડી છે મોતની સીડી….જેવા અનેક સુત્રો આપણે સાંભળ્યા હશે અથવા વાંચ્યા હશે…..પણ તેમ છતાં વિશ્વમાં હજારો લોકો આજે પણ વ્યસનના કારણે કેન્સરથી પીડાઈને મોતને ભેટતા હોય છે…આજે વર્લ્ડ કેન્સર ડે છે ત્યારે આપણે એક એવી વ્યક્તિ વિષે જાણીશું જેમણે માત્ર વ્યસન છોડી તો દીધું પણ આજે લોકોને વ્યસન છોડાવી રહ્યા છે.. તેમણે માત્ર સંતોનું જીવન જોઈ પોતાના જીવનમાંથી હંમેશ માટે વ્યસન દૂર કરી દીધું….
જીહાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ ડાહ્યાભાઈ સુથાર કે જેઓ પહેલા વ્યસનના ચંગુલમાં ફસાયેલા હતા. ૫૫ વર્ષીય ગોપાલભાઈએ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ (૯ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૧) સુધીમાં એક લાખ વ્યક્તિઓને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે. તેમણે અત્યાર સુધીમાં ૭00થી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા છે. રસપ્રદ બાબત એ છે કે દરરોજ ૧૫ મસાલા અને રોજની ૧૦ સિગરેટ પીનારા ગોપાલભાઈને જ્યારે સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા ત્યારે તેમના ખુદના જીવનમાં પરિવર્તન આવ્યું…તેમણે પોતે તો વ્યસન છોડી દીધું પરંતુ આજે તેઓ અન્યોને પણ વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપી રહ્યા છે…આ કાર્ય માટે તેઓ 24 કલાકમાંથી 3થી 4 કલાક ફાળવે છે….તેમનું કહેવું છે કે, વ્યસન એ આજના યુગનું સૌથી મોટું દુષણ છે. એક વખત માણસ વ્યસનના રવાડે ચડી જાય પછી તે બહાર નીકળી શકતો નથી. વ્યસનને કારણે આર્થિક અને શારીરીક નુકસાન થાય છે.
(બોલીવુડ કલાકાર અનુપમ શ્યામ)
તેમણે પોતાના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ એ પછી કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કલાકાર કે અધિકારી તમામને વ્યસન અંગે વાત કરી તેમને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. ગોપાલભાઈના જણાવ્યા મુજબ તેઓ ૧૭ વર્ષના હતા ત્યારે ખરાબ સંગતે ચડી ગયા અને તમાકુયુક્ત મસાલા અને ધૂમ્રપાન કરવા લાગ્યા. તેમણે જણાવ્યું કે, એક તબક્કે તો મારા પિતા ડાહ્યાભાઈ કહેતા કે ‘આ ગોપાલ કદી વ્યસનમુક્ત નહીં બને…’ જોકે, વર્ષ-૨૦૦૭માં ૪૨મા વર્ષે હું સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજીનાં દર્શન કરવા ગયો હતો અને અચાનક આ મંદિરની પાછળ આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર-સારંગપુર તીર્થ ખાતે ગયો. ત્યાં ઉચ્ચ અભ્યાસથી યુક્ત સંતોને સેવા કરતાં જોયા ત્યારે મને તેઓને મળવાનું મન થયું. તેઓને મળ્યા બાદ હું જ્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવા ગયો ત્યારે તેમના એક ધબ્બાથી જાણે મારા જીવનમાં પરિવર્તન આવ્યું. મેં એ જ ક્ષણે પાન-મસાલા ખાવાનું અને ધૂમ્રપાન કરવાનું છોડીને એક વ્યસનમુક્ત વ્યક્તિ બની ગયો. એટલું જ નહીં, મને બીજાઓને પણ વ્યસનમુક્ત બનાવવાની પ્રેરણા મળી. તેમણે જણાવ્યું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી લાખો લોકો વ્યસનમુક્ત બન્યા છે, તેમાંનો એક હું પણ છું. હું આ વ્યસનમુક્તિના અભિયાનમાં આજીવન જોડાઈ ગયો છું. હું મારી સાથે બે પુસ્તકો પણ રાખું છું અને તેના દ્વારા હું તેમને સાચું માર્ગદર્શન આપું છું. તેમણે કહ્યું કે તાજેતરમાં જ ચાંગોદરમાં એક ફેક્ટરીમાં ગયો હતો ત્યાં પણ એક સાથે ૩૧ કારીગરોને વ્યસનમુક્ત કર્યા છે. ખાસ કરીને આગામી વર્ષે એટલે કે તા.૯ નવેમ્બરથી તા.૧૧મી ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન અમદાવાદમાં ‘પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી વર્ષ’ની ૩૩ દિવસની ઉજવણી થવાની છે તે સમયગાળા સુધીમાં એક લાખ લોકોને વ્યસનમુક્ત કરવાના સંકલ્પ લેવડાવવા છે. આ માટે દરરોજ હું ચાર-પાંચ કલાક ફાળવી રહ્યો છું. મારા જીવનનો હેતુ એ છે કે જીવનનાં અંતિમ શ્વાસ સુધી લોકોને વ્યસનમુક્ત બનાવવા છે.
You may like
ગુજરાત
PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી
Published
6 hours agoon
October 19, 2022By
Gujju Media
ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.
નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે
તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.
#BreakingNow: PM @narendramodi ने मिशन स्कूल ऑफ एक्सीलेंस का किया शुभारंभ, पीएम ने बच्चों के साथ अटेंड की स्मार्ट क्लास
'अब डिजिटल बोर्ड और लैपटॉप के साथ होगी पढ़ाई, 5G तकनीक शिक्षा में बड़ा बदलाव लाएगी'- PM मोदी#MissionSchoolOfExcillence #Gujarat #PMModi pic.twitter.com/BdMtfnrA4T
— Times Now Navbharat (@TNNavbharat) October 19, 2022
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.
Hon'ble PM @Narendra Modi ji launched the Mission School of Excellence in Adalaj, Gandhinagar.
He also attended Smart Class to understand the functioning and interacted with the students in the smart class.#SchoolofExcellence pic.twitter.com/1ftlYnr8Tw
— Tulla Veerender Goud (@TVG_BJP) October 19, 2022
ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન
આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.
ગુજરાત
PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી
Published
7 hours agoon
October 19, 2022By
Gujju Media
ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.
નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે
તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.
#BreakingNow: PM @narendramodi ने मिशन स्कूल ऑफ एक्सीलेंस का किया शुभारंभ, पीएम ने बच्चों के साथ अटेंड की स्मार्ट क्लास
'अब डिजिटल बोर्ड और लैपटॉप के साथ होगी पढ़ाई, 5G तकनीक शिक्षा में बड़ा बदलाव लाएगी'- PM मोदी#MissionSchoolOfExcillence #Gujarat #PMModi pic.twitter.com/BdMtfnrA4T
— Times Now Navbharat (@TNNavbharat) October 19, 2022
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.
Hon'ble PM @Narendra Modi ji launched the Mission School of Excellence in Adalaj, Gandhinagar.
He also attended Smart Class to understand the functioning and interacted with the students in the smart class.#SchoolofExcellence pic.twitter.com/1ftlYnr8Tw
— Tulla Veerender Goud (@TVG_BJP) October 19, 2022
ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન
આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.
ગુજરાત
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રેન્કિંગ પર ભારત: ‘ભૂલભર્યું, ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે’
Published
4 days agoon
October 15, 2022By
Gujju Media
ભારતે શનિવારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 રેન્કિંગને નકારી કાઢ્યું હતું. અને કહ્યું હતું કે ઇન્ડેક્સ ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રેન્કિંગ એ “ભૂખનું ખોટું માપ” છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું 107મું રેન્કિંગ એ “એક રાષ્ટ્ર કે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી” તરીકે દેશની છબી ખરાબ કરવાના સતત પ્રયાસનો એક ભાગ છે, કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતને 121 દેશોમાંથી 107માં સ્થાન આપવામાં આવ્યું છે અને તેના બાળકોનો બગાડ દર 19.3 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન