Connect with us

જાણવા જેવું

જુઓ વિશ્વના અનોખા ઘરો.. જેને જોઈને તમે પણ થઈ જશો હેરાન..

Published

on

આપણું વિશ્વ સ્માર્ટ લોકોથી ભરેલું છે જેમાં રહેતા ક્રેઝી લોકો હંમેશાં ક્રેઝીસ્ટ ઘરો ડિઝાઇન કરતા રહે છે. ચાલો વિશ્વભરના કેટલાક ક્રેઝીસ્ટ ઘરો પર એક નજર નાખીએ…

ધ એયુઆરએ રેસિડેન્સ (The AURA Residence)


સાયપ્રસ ટાપુ પર ધ એયુઆરએ રેસિડેન્સ કરીને ખૂબ જ મોર્ડન ઘર આવેલું છે.. જેને વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડ્સમાં દાખલ કરવામાં આવ્યું છે..એયુઆરએ રેસિડેન્સની રચના પાછળની ફિલોસોફી જાપાની કલાકાર હોકુસાઇ દ્વારા પ્રખ્યાત વૂડબ્લોક પ્રિન્ટિંગ પર આધારિત છે..

યુએફઓ હાઉસ (UFO house)


આ હાઉસને “યુએફઓ હાઉસ” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે સ્પેસશીપના આકારનું હોય છે. ઉનાળાના વેકેશનમાં લોકો આ ઘર ભાડે લઈ તેમાં રહી શકે છે…વિસ્કોન્સિનીના આ ફ્યુટોરો ઘરમાં 100 થી ઓછા ઘર 1960 ના દાયકાના અંતમાં અને 1970 ના દાયકાના પ્રારંભમાં બાંધવામાં આવ્યા હતા.

ટોયલેટ શેપ્ડ હાઉસ (toilet-shaped house)

આ શૌચાલય આકારના મકાનનું નામ હેવુજાઈ છે , જેનો અર્થ “એવું સ્થળ જ્યાં કોઈ વ્યક્તિની ચિંતા હલ કરી શકાય”તેમ થાય છે.. વર્લ્ડ ટોઇલેટ એસોસિએશનના ઉદ્દઘાટન સાધારણ સભાના આયોજક સમિતિના અધ્યક્ષ દ્વારા આ ઘર ડીઝાઇન કરવામાં આવ્યુ હતું.. આ ઘર કોરીયાના દક્ષિણમાં આવેલા સુવેનમાં સ્થિત છે.

રોક હાઉસ (rock house)

આ ઘર એક વિશાળ ખડક પર બનાવવામાં આવ્યું છે.. જે પોર્ટુગલના દરિયાકાંઠે આવેલું છે.. આ ઘર ચાર મોટા પથ્થરોથી બનાવવામાં આવ્યું છે તેનું નિર્માણ 1972 માં શરૂ થયું હતું અને 1974 માં પૂર્ણ થયા સુધી લગભગ બે વર્ષ ચાલ્યું હતું. એન્જીનીયર જેને આ ઘર બનાવ્યું હતું તે ગુમિરીઝનો હતો. પહેલા આ ઘરનો ઉપયોગ માલિકો દ્વારા રજાના સ્થળ તરીકે કરવામાં આવતો હતો. આજે, કાસા ડી પેનેડો પેનેડોના ઇતિહાસના અવશેષો અને ફોટોગ્રાફ્સનું એક નાનું સંગ્રહાલય છે.

કાર હાઉસ (car-house)

સાલ્ઝબર્ગમાં આવેલ આ કાર હાઉસ આર્કિટેક્ટ માર્કસ વોગ્લ્રેઇટર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેમણે આ ફોક્સવેગન-બીટલ-કારના આકારમાં બાંધવામાં આવેલ અપવાદરૂપ બિલ્ડિંગ માટે લગભગ 1 મિલિયન યુરોનું રોકાણ કર્યું હતું. આ ઘરને માસિક 2500 યુરોના ભાડેથી આપવામાં આવતું હતું.

અપસાઈડ ડાઉન હાઉસ (upside down house)

જર્મની બાલ્ટિક સી આઇલેન્ડ પર આવેલું આ ઘર લગભગ 3 સપ્ટેમ્બર, 2008 ના રોજ પૂર્ણ થયું હતું. આ અપસાઇડ ડાઉન ઘરની ડીઝાઇન ક્લાઉડીયસ ગોલોઝ અને સેબેસ્ટિયને કરી હતી.. અપસાઇડ-ડાઉન હાઉસ ઉત્તર-સામ્યવાદી પોલેન્ડમાં જીવનની અનિશ્ચિતતા અંગેના નિવેદન તરીકે બનાવવામાં આવ્યું હતું.. અને અપસાઇડ-ડાઉન હાઉસ મુખ્યત્વે પર્યટકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું.

પોર્સેલેઇન હાઉસ (Porcelain House)

ચીનમાં આવેલ આ ઘરનું નામ પોર્સેલેઇન હાઉસ છે.. જે કલેક્ટર ઝાંગ લિયાન્ઝી દ્વારા નવેમ્બર 1, 2008માં બનાવવામાં આવ્યું હતું.. આ ઘરમાં 4૦૦ મિલિયનથી વધુ પોર્સેલેઇનના ટુકડાઓ, 5૦૦૦ પ્રાચીન વાઝ, 4૦૦૦ એન્ટીક ડીશો અને બાઉલ, ૨૦ ટનથી વધુ ક્રિસ્ટલ ખડકો ,400 સફેદ આરસપહાણના પથ્થરો વગેરેનો સમાવેશ થાય છે. 65 મિલિયનથી વધુની કિંમતવાળું આ ઘર એક સંગ્રહાલય તરીકે લોકો માટે ખુલ્લું છે..

જાણવા જેવું

6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?

Published

on

નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.

જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.

બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.

બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.

બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.

જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.

બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.

  • 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
  • 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
  • 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
  • 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

Continue Reading

જાણવા જેવું

લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.

Published

on

આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.

એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.

સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.

આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.

ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.

હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.

જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.

Continue Reading

જાણવા જેવું

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

Published

on

This pink diamond caused discussions in the world! Know what is special about this

આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.This pink diamond caused discussions in the world! Know what is special about this
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.

ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

This pink diamond caused discussions in the world! Know what is special about this

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.

લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending